અમેરિકાના આ ગામના લોકો ખાવા જાય તો પણ પ્લેન લઈને જાય છે? આટલી અમીરી આવી ક્યાંથી?


  • Published By :
  • Published Date : 2023-04-24 16:08:33

આજે એક એવા ગામની વાત કરવી છે જ્યાં ઘરની બહાર રસ્તા પર ચાલતું વાહન નહીં પરંતુ હવામાં ફરતું વાહન પાર્ક કરવામાં આવે છે. અમે વાત કરીએ છીએ કે દરેક ઘરની બહાર પ્લેન ઉભા હોય છે. આપણે જ્યારે કોઈ શહેર કે ગામડામાં જઈએ અને ત્યાં કોઈ મોંઘી ગાડીઓ પડી હોય તેની પરથી આપણે અંદાજો લગાવી લેતા હોઈએ છીએ કે અહીંના લોકો તો અમીર છે. ત્યારે અમેરિકાના કેલિફોર્નિયામાં એક એવું ગામ આવેલું છે જ્યાં ઘરની બહાર હવાઈ જહાજ પાર્ક કરેલા દેખાશે. આ ગામનું નામ કેમરન એયર પાર્ક છે..  

Cameron Airpark California

Cameron Airpark California

વાહન નહીં પરંતુ પ્લેન લઈને ફરવા નીકળે છે લોકો!

આ ગામ એવું છે કે જ્યાં રહેતા બધા લોકો પાસે હવાઈ જહાજ છે. આ વાંચીને તમને નવાઈ લાગી હશે ને પરંતુ આવું ગામ વાસ્તવમાં છે. આ કલ્પના નથી હકીકતમાં એક એવું ગામ છે જ્યાં લોકો કોઈ પણ જગ્યાએ જવું હોય તો અથવા તો આંટો મારવા પણ જાય તો હવાઈ જહાજ લઈને જાય છે. ઓફિસ પર જવું હોય તો પણ વિમાન લઈને જાય, ખાવાનું ખાવા જવું હોય તો પણ વિમાનમાં બેસીને જાય... 

Cameron Airpark California

કેલિફોર્નિયામાં આવેલું છે આ ગામ!

સાંભળવામાં વિશ્વાસ ના આવે એવું લાગે પણ હકિકતમાં અમેરિકાના કેલિફોર્નિયામાં એક એવું ગામ છે. આ ગામનું નામ કેમરન એયર પાર્ક છે. જ્યાં દરેક ઘર સામે પ્લેન ઉભેલા દેખાય છે. આ લોકો ક્યાં પણ જાય છે તો બાઈક કે ફોરવ્હીલ કાઢીને નહીં પણ વિમાન લઈને જાય છે. દુનિયાભરમાં આ ગામની ચર્ચા થઈ રહી છે. આ ગામના રસ્તાઓ પણ રનવે જેવા જ છે. જેના કારણે લોકો આરામથી પ્લેન ઉડાવીને જાય છે...આ ગામમાં પ્લેન રીપેર કરવા માટે હેંગર પણ લગાવ્યા છે.

Cameron Airpark California

રસ્તાના નામ પણ એરક્રાફ્ટ પરથી અપાયા છે!

અહીં એવું એટલા માટે છે કારણ કે આ એક ફ્લાઈંગ કોમ્યુનિટી છે, જ્યાં શનિવારની સવારે બધા ભેગા થઈને સાથે લોકલ એરપોર્ટ સુધી જાય છે. પૂરા અમેરિકામાં આવા 610 એર પાર્ક છે જ્યાં ઘર ઘરમાં પ્લેન છે. આ ઘર અને એર પાર્ક બીજા વિશ્વ યુદ્ધ સમયે બનાવાયા હતા.અહીં મિલિટરીના રિટાયર્ડ પાયલટ રહે છે. 1946માં અમેરિકામાં કુલ 4 લાખ પાયલટ હતા જેણે એરપાર્કમાં રહેવાનું શરૂ કર્યું હતું.. પણ આપણે જે કેમરોન પાર્કની વાત કરી તે 1963માં બન્યું હતું. કેમરેન પાર્કમાં હાલ 125 જેટલા ઘર છે. અહીં સડકોના નામ પણ એરક્રાફ્ટના નામ પર રાખવામાં આવ્યા છે અને સ્ટ્રીટ સાઈન પણ એરફ્રેન્ડલી બનાવી છે.... પ્લેન ઉડે ત્યારે કોઈ દુર્ઘટના ના થાય તેના માટે અહીં કોઈ ઉંચાઈવાળી વસ્તુ પણ નથી રાખવામાં આવી... ટપાલ પેટીના બોક્સ પણ વિમાન આકારના જોવા મળે છે.. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.