સુપ્રીમ કોર્ટમાં સરકારની દલીલ, EWS કોટા પર માત્ર સામાન્ય વર્ગનો જ અધિકાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-21 16:32:40

સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલ અનામત કોટા અંતર્ગત આર્થિક રીતે નબળા (EWS) વર્ગ માટે 10 ટકા અનામતના મામલામાં સરકારે EWS કોટા પર સામાન્ય વર્ગનો જ અધિકાર હોવાની વાત કહીં છે. સુપ્રીમ કોર્ટમાં સરકારે જણાવ્યું કે એસસી-એસટી વર્ગના લોકો પહેલાથી જ અનામતના અનેક લાભો મેળવી રહ્યા છે. આથી તેમને ઈડબ્લુએસ (EWS) કોટામાં સામેલ કરી શકાય નહી.


સુપ્રીમ કોર્ટમાં સરકારની દલીલ શું હતી?


સરકારે સુપ્રીમ કોર્ટમાં અનામત કોટા બાબતે દલીલ કરી હતી કે EWS કોટા મૂળ સામાન્ય વર્ગના ઉચ્ચ જાતિના પણ આર્થિક રીતે પછાત લોકો માટે જ છે.  સામાન્ય વર્ગના લોકો આર્થિક સદ્ધર ન  હોવાથી લાભ લઈ શકતા નથી. આ અનામત કોટા એક રીતે ક્રાંતિકારી પગલું કહેવાય જે સાબિત કરશે કે સરકાર તમામ વર્ગ અને જાતિના પ્રશ્નોના ઉકેલ લાવવા પ્રયત્નશીલ છે.


ન્યાયાધીશ યૂયૂ લલિત, જસ્ટિસ દિનેશ માહેશ્વરી, જસ્ટિસ એસ રવીન્દ્ર ભટ, જસ્ટિસ બેલા એમ ત્રિવેદી અને જસ્ટિસ જેબી પારડીવાલાની સંવિધાન પીઠ સમક્ષ અટોર્ની જનરલ કેકે વેણુગોપાલે કહ્યું કે પછાત જાતિઓ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનાં લોકો ઈડબલ્યુએસ બિલ પસાર થયા પહેલા અનામતના અનેક લાભો લઈ રહ્યા છે. વેણુગોપાલે કહ્યું કે આ કાયદો 15 (7) અને 16 (7) મુજબ છે. અને તે પછાત અને વંચિતોને એડમિશન અને નોકરીમાં અનામત આપે છે અને 50 ટકાની મર્યાદાને પાર કરતો નથી.


વેણુગોપાલે વધુમાં જણાવ્યું કે સંવિધાનમાં એસસી અને એસટી માટે અનામત અલગથી અપાયેલું છે. તે મુજબ સંસદમાં પંચાયતમાં અને સ્થાનિક નિગમોમાં તથા પ્રમોશનમાં પણ તેમને અનામત આપવામાં આવે છે. જો તેમને આ કાયદાનો લાભ આપવામાં આવે તો EWS કોટા મેળવવા માટે તમામ લાભો છોડી દેશે.


EWS અનામત સામે સુપ્રીમમાં અરજી


અત્રે ઉલ્લેખનિય છે કે, જાન્યુઆરી 2019માં 103મું સંવિધાન સંશોધન અંતર્ગત EWS કોટા લાગૂ કર્યો હતો. હવે આ કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપવામાં આવ્યો હતો. પાંચ જજોની બેન્ચે આ મામલે સુનાવણી કરી રહી છે. અરજીમાં કહેવાયુ છે કે, એસસી, એસટી અને ઓબીસીમાં ગરીબ લોકો છે, તો તેમને આ અનામત ફક્ત સામાન્ય વર્ગના લોકોને શા માટે આપવામા આવે છે. તેનાથી 50 ટકાના અનામતના નિયમનું ઉલ્લંઘન થાય છે. પહેલાથી જ ઓબીસીને 27 ટકા, એસટીને 15 ટકા અને એસસી માટે 7.5 ટકા કોટા નક્કી કરેલા છે. ત્યારે આવા સમયે 10 ટકા EWS કોટા 50 ટકા નિયમ વિરુદ્ધ છે. 



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.