સુપ્રીમ કોર્ટમાં સરકારની દલીલ, EWS કોટા પર માત્ર સામાન્ય વર્ગનો જ અધિકાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-21 16:32:40

સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલ અનામત કોટા અંતર્ગત આર્થિક રીતે નબળા (EWS) વર્ગ માટે 10 ટકા અનામતના મામલામાં સરકારે EWS કોટા પર સામાન્ય વર્ગનો જ અધિકાર હોવાની વાત કહીં છે. સુપ્રીમ કોર્ટમાં સરકારે જણાવ્યું કે એસસી-એસટી વર્ગના લોકો પહેલાથી જ અનામતના અનેક લાભો મેળવી રહ્યા છે. આથી તેમને ઈડબ્લુએસ (EWS) કોટામાં સામેલ કરી શકાય નહી.


સુપ્રીમ કોર્ટમાં સરકારની દલીલ શું હતી?


સરકારે સુપ્રીમ કોર્ટમાં અનામત કોટા બાબતે દલીલ કરી હતી કે EWS કોટા મૂળ સામાન્ય વર્ગના ઉચ્ચ જાતિના પણ આર્થિક રીતે પછાત લોકો માટે જ છે.  સામાન્ય વર્ગના લોકો આર્થિક સદ્ધર ન  હોવાથી લાભ લઈ શકતા નથી. આ અનામત કોટા એક રીતે ક્રાંતિકારી પગલું કહેવાય જે સાબિત કરશે કે સરકાર તમામ વર્ગ અને જાતિના પ્રશ્નોના ઉકેલ લાવવા પ્રયત્નશીલ છે.


ન્યાયાધીશ યૂયૂ લલિત, જસ્ટિસ દિનેશ માહેશ્વરી, જસ્ટિસ એસ રવીન્દ્ર ભટ, જસ્ટિસ બેલા એમ ત્રિવેદી અને જસ્ટિસ જેબી પારડીવાલાની સંવિધાન પીઠ સમક્ષ અટોર્ની જનરલ કેકે વેણુગોપાલે કહ્યું કે પછાત જાતિઓ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનાં લોકો ઈડબલ્યુએસ બિલ પસાર થયા પહેલા અનામતના અનેક લાભો લઈ રહ્યા છે. વેણુગોપાલે કહ્યું કે આ કાયદો 15 (7) અને 16 (7) મુજબ છે. અને તે પછાત અને વંચિતોને એડમિશન અને નોકરીમાં અનામત આપે છે અને 50 ટકાની મર્યાદાને પાર કરતો નથી.


વેણુગોપાલે વધુમાં જણાવ્યું કે સંવિધાનમાં એસસી અને એસટી માટે અનામત અલગથી અપાયેલું છે. તે મુજબ સંસદમાં પંચાયતમાં અને સ્થાનિક નિગમોમાં તથા પ્રમોશનમાં પણ તેમને અનામત આપવામાં આવે છે. જો તેમને આ કાયદાનો લાભ આપવામાં આવે તો EWS કોટા મેળવવા માટે તમામ લાભો છોડી દેશે.


EWS અનામત સામે સુપ્રીમમાં અરજી


અત્રે ઉલ્લેખનિય છે કે, જાન્યુઆરી 2019માં 103મું સંવિધાન સંશોધન અંતર્ગત EWS કોટા લાગૂ કર્યો હતો. હવે આ કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપવામાં આવ્યો હતો. પાંચ જજોની બેન્ચે આ મામલે સુનાવણી કરી રહી છે. અરજીમાં કહેવાયુ છે કે, એસસી, એસટી અને ઓબીસીમાં ગરીબ લોકો છે, તો તેમને આ અનામત ફક્ત સામાન્ય વર્ગના લોકોને શા માટે આપવામા આવે છે. તેનાથી 50 ટકાના અનામતના નિયમનું ઉલ્લંઘન થાય છે. પહેલાથી જ ઓબીસીને 27 ટકા, એસટીને 15 ટકા અને એસસી માટે 7.5 ટકા કોટા નક્કી કરેલા છે. ત્યારે આવા સમયે 10 ટકા EWS કોટા 50 ટકા નિયમ વિરુદ્ધ છે. 



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.