Pakistanના પૂર્વ પ્રધાનમંત્રી Imran Khanની વધી મુશ્કેલી, તોશાખાના કેસમાં ઈમરાન ખાનને મળી આ સજા, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-05 15:07:15

પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રીની મુશ્કેલીમાં વધારો થયો છે. તોશાખાના કેસમાં ઈમરાન ખાનને દોષિત જાહેર કરવામાં આવ્યા છે અને તેમને ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવી છે. ઉપરાંત આગામી પાંચ વર્ષ સુધી તે ચૂંટણી પણ નહીં લડી શકે. તેમને એક લાખ પાકિસ્તાની રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ઈસ્લામાબાદની એક ટ્રાયલ કોર્ટે આ સજા સંભળાવી છે. પીટીઆઈ દ્વારા એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે જમાં પાર્ક સ્થિત ઈમરાન ખાનના ઘરેથી તેમની ધરપકડ પણ કરવામાં આવી છે. ઈસ્લામાબાદ પોલીસે તેમના વિરૂદ્ધ અરેસ્ટ વોરંટ પણ જાહેર કરી દીધું છે. ત્યારે પાકિસ્તાનમાં તેમની ગિરફતારી બાદ માહોલ ગરમાઈ શકે છે. 

શું છે સમગ્ર મામલો? 

આ સમગ્ર કેસની વાત કરીએ તો પાકિસ્તાનમાં તોશાખાના એક સરકારી વિભાગ છે જ્યાં અન્ય સરકારોના પ્રમુખો, વિદેશી મહાનુભાવો દ્વારા રાષ્ટ્રપતિ, વડાપ્રધાન તેમજ સરકારી અધિકારીઓને આપવામાં આવતી ભેટોને સાચવવામાં આવે છે, આ જગ્યા પર તે ભેટો રાખવામાં આવતી હોય છે. ઈમરાન ખાન પર એ આરોપ હતો કે, તોશાખાનામાં રાખવામાં આવેલી ભેટોને તેમણે ઓછી કિંમત પહેલા ખરીદી અને તે બાદ નફો કમાવવા માટે તેને વેચી દીધી હતી. મહત્વનું છે કે વર્ષ 2018માં જ્યારે ઈમરાન ખાન પાકિસ્તાનના પ્રધાનમંત્રી હતા તે દરમિયાન તેઓ વિદેશના પ્રવાસે ગયા હતા જ્યાં તેમને અનેક ભેટો મળી હતી. અનેક એવી ભેટો હતી જે ઈમરાન ખાન દ્વારા જાહેર કરવામાં આવી ન હતી. અને એ ભેટોને કરોડોમાં વેચી દીધી હતી. 

પાંચ વર્ષ સુધી ઈમરાન ખાન નહીં લડી શકે ચૂંટણી

ત્યારે આ મામલે પહેલા પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે તોશાખાના કેસમાં રાહત મળે તે માટે અરજી કરી હતી. પરંતુ તેને ફગાવી દેવામાં આવી હતી. પીટીઆઈના વડા એટલે કે ઈમરાન ખાન પર આરોપ હતો કે તેમણે ઈરાદાપૂર્વક ભેટોને છુપાવી છે. ત્યારે આજે તોશાખાના કેસમાં કોર્ટે ઈમરાન ખાનને ત્રણ વર્ષની સજા ફટકારી છે. સજાને કારણે 5 વર્ષ સુધી તે ચૂંટણી નહીં લડી શકે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.