Pakistanના પૂર્વ પ્રધાનમંત્રી Imran Khanની વધી મુશ્કેલી, તોશાખાના કેસમાં ઈમરાન ખાનને મળી આ સજા, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-05 15:07:15

પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રીની મુશ્કેલીમાં વધારો થયો છે. તોશાખાના કેસમાં ઈમરાન ખાનને દોષિત જાહેર કરવામાં આવ્યા છે અને તેમને ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવી છે. ઉપરાંત આગામી પાંચ વર્ષ સુધી તે ચૂંટણી પણ નહીં લડી શકે. તેમને એક લાખ પાકિસ્તાની રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ઈસ્લામાબાદની એક ટ્રાયલ કોર્ટે આ સજા સંભળાવી છે. પીટીઆઈ દ્વારા એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે જમાં પાર્ક સ્થિત ઈમરાન ખાનના ઘરેથી તેમની ધરપકડ પણ કરવામાં આવી છે. ઈસ્લામાબાદ પોલીસે તેમના વિરૂદ્ધ અરેસ્ટ વોરંટ પણ જાહેર કરી દીધું છે. ત્યારે પાકિસ્તાનમાં તેમની ગિરફતારી બાદ માહોલ ગરમાઈ શકે છે. 

શું છે સમગ્ર મામલો? 

આ સમગ્ર કેસની વાત કરીએ તો પાકિસ્તાનમાં તોશાખાના એક સરકારી વિભાગ છે જ્યાં અન્ય સરકારોના પ્રમુખો, વિદેશી મહાનુભાવો દ્વારા રાષ્ટ્રપતિ, વડાપ્રધાન તેમજ સરકારી અધિકારીઓને આપવામાં આવતી ભેટોને સાચવવામાં આવે છે, આ જગ્યા પર તે ભેટો રાખવામાં આવતી હોય છે. ઈમરાન ખાન પર એ આરોપ હતો કે, તોશાખાનામાં રાખવામાં આવેલી ભેટોને તેમણે ઓછી કિંમત પહેલા ખરીદી અને તે બાદ નફો કમાવવા માટે તેને વેચી દીધી હતી. મહત્વનું છે કે વર્ષ 2018માં જ્યારે ઈમરાન ખાન પાકિસ્તાનના પ્રધાનમંત્રી હતા તે દરમિયાન તેઓ વિદેશના પ્રવાસે ગયા હતા જ્યાં તેમને અનેક ભેટો મળી હતી. અનેક એવી ભેટો હતી જે ઈમરાન ખાન દ્વારા જાહેર કરવામાં આવી ન હતી. અને એ ભેટોને કરોડોમાં વેચી દીધી હતી. 

પાંચ વર્ષ સુધી ઈમરાન ખાન નહીં લડી શકે ચૂંટણી

ત્યારે આ મામલે પહેલા પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે તોશાખાના કેસમાં રાહત મળે તે માટે અરજી કરી હતી. પરંતુ તેને ફગાવી દેવામાં આવી હતી. પીટીઆઈના વડા એટલે કે ઈમરાન ખાન પર આરોપ હતો કે તેમણે ઈરાદાપૂર્વક ભેટોને છુપાવી છે. ત્યારે આજે તોશાખાના કેસમાં કોર્ટે ઈમરાન ખાનને ત્રણ વર્ષની સજા ફટકારી છે. સજાને કારણે 5 વર્ષ સુધી તે ચૂંટણી નહીં લડી શકે.  



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .