Pakistanના પૂર્વ પ્રધાનમંત્રી Imran Khanની વધી મુશ્કેલી, તોશાખાના કેસમાં ઈમરાન ખાનને મળી આ સજા, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-05 15:07:15

પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રીની મુશ્કેલીમાં વધારો થયો છે. તોશાખાના કેસમાં ઈમરાન ખાનને દોષિત જાહેર કરવામાં આવ્યા છે અને તેમને ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવી છે. ઉપરાંત આગામી પાંચ વર્ષ સુધી તે ચૂંટણી પણ નહીં લડી શકે. તેમને એક લાખ પાકિસ્તાની રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ઈસ્લામાબાદની એક ટ્રાયલ કોર્ટે આ સજા સંભળાવી છે. પીટીઆઈ દ્વારા એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે જમાં પાર્ક સ્થિત ઈમરાન ખાનના ઘરેથી તેમની ધરપકડ પણ કરવામાં આવી છે. ઈસ્લામાબાદ પોલીસે તેમના વિરૂદ્ધ અરેસ્ટ વોરંટ પણ જાહેર કરી દીધું છે. ત્યારે પાકિસ્તાનમાં તેમની ગિરફતારી બાદ માહોલ ગરમાઈ શકે છે. 

શું છે સમગ્ર મામલો? 

આ સમગ્ર કેસની વાત કરીએ તો પાકિસ્તાનમાં તોશાખાના એક સરકારી વિભાગ છે જ્યાં અન્ય સરકારોના પ્રમુખો, વિદેશી મહાનુભાવો દ્વારા રાષ્ટ્રપતિ, વડાપ્રધાન તેમજ સરકારી અધિકારીઓને આપવામાં આવતી ભેટોને સાચવવામાં આવે છે, આ જગ્યા પર તે ભેટો રાખવામાં આવતી હોય છે. ઈમરાન ખાન પર એ આરોપ હતો કે, તોશાખાનામાં રાખવામાં આવેલી ભેટોને તેમણે ઓછી કિંમત પહેલા ખરીદી અને તે બાદ નફો કમાવવા માટે તેને વેચી દીધી હતી. મહત્વનું છે કે વર્ષ 2018માં જ્યારે ઈમરાન ખાન પાકિસ્તાનના પ્રધાનમંત્રી હતા તે દરમિયાન તેઓ વિદેશના પ્રવાસે ગયા હતા જ્યાં તેમને અનેક ભેટો મળી હતી. અનેક એવી ભેટો હતી જે ઈમરાન ખાન દ્વારા જાહેર કરવામાં આવી ન હતી. અને એ ભેટોને કરોડોમાં વેચી દીધી હતી. 

પાંચ વર્ષ સુધી ઈમરાન ખાન નહીં લડી શકે ચૂંટણી

ત્યારે આ મામલે પહેલા પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે તોશાખાના કેસમાં રાહત મળે તે માટે અરજી કરી હતી. પરંતુ તેને ફગાવી દેવામાં આવી હતી. પીટીઆઈના વડા એટલે કે ઈમરાન ખાન પર આરોપ હતો કે તેમણે ઈરાદાપૂર્વક ભેટોને છુપાવી છે. ત્યારે આજે તોશાખાના કેસમાં કોર્ટે ઈમરાન ખાનને ત્રણ વર્ષની સજા ફટકારી છે. સજાને કારણે 5 વર્ષ સુધી તે ચૂંટણી નહીં લડી શકે.  



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.