Pakistanના પૂર્વ પ્રધાનમંત્રી Imran Khanની વધી મુશ્કેલી, તોશાખાના કેસમાં ઈમરાન ખાનને મળી આ સજા, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-05 15:07:15

પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રીની મુશ્કેલીમાં વધારો થયો છે. તોશાખાના કેસમાં ઈમરાન ખાનને દોષિત જાહેર કરવામાં આવ્યા છે અને તેમને ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવી છે. ઉપરાંત આગામી પાંચ વર્ષ સુધી તે ચૂંટણી પણ નહીં લડી શકે. તેમને એક લાખ પાકિસ્તાની રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ઈસ્લામાબાદની એક ટ્રાયલ કોર્ટે આ સજા સંભળાવી છે. પીટીઆઈ દ્વારા એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે જમાં પાર્ક સ્થિત ઈમરાન ખાનના ઘરેથી તેમની ધરપકડ પણ કરવામાં આવી છે. ઈસ્લામાબાદ પોલીસે તેમના વિરૂદ્ધ અરેસ્ટ વોરંટ પણ જાહેર કરી દીધું છે. ત્યારે પાકિસ્તાનમાં તેમની ગિરફતારી બાદ માહોલ ગરમાઈ શકે છે. 

શું છે સમગ્ર મામલો? 

આ સમગ્ર કેસની વાત કરીએ તો પાકિસ્તાનમાં તોશાખાના એક સરકારી વિભાગ છે જ્યાં અન્ય સરકારોના પ્રમુખો, વિદેશી મહાનુભાવો દ્વારા રાષ્ટ્રપતિ, વડાપ્રધાન તેમજ સરકારી અધિકારીઓને આપવામાં આવતી ભેટોને સાચવવામાં આવે છે, આ જગ્યા પર તે ભેટો રાખવામાં આવતી હોય છે. ઈમરાન ખાન પર એ આરોપ હતો કે, તોશાખાનામાં રાખવામાં આવેલી ભેટોને તેમણે ઓછી કિંમત પહેલા ખરીદી અને તે બાદ નફો કમાવવા માટે તેને વેચી દીધી હતી. મહત્વનું છે કે વર્ષ 2018માં જ્યારે ઈમરાન ખાન પાકિસ્તાનના પ્રધાનમંત્રી હતા તે દરમિયાન તેઓ વિદેશના પ્રવાસે ગયા હતા જ્યાં તેમને અનેક ભેટો મળી હતી. અનેક એવી ભેટો હતી જે ઈમરાન ખાન દ્વારા જાહેર કરવામાં આવી ન હતી. અને એ ભેટોને કરોડોમાં વેચી દીધી હતી. 

પાંચ વર્ષ સુધી ઈમરાન ખાન નહીં લડી શકે ચૂંટણી

ત્યારે આ મામલે પહેલા પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે તોશાખાના કેસમાં રાહત મળે તે માટે અરજી કરી હતી. પરંતુ તેને ફગાવી દેવામાં આવી હતી. પીટીઆઈના વડા એટલે કે ઈમરાન ખાન પર આરોપ હતો કે તેમણે ઈરાદાપૂર્વક ભેટોને છુપાવી છે. ત્યારે આજે તોશાખાના કેસમાં કોર્ટે ઈમરાન ખાનને ત્રણ વર્ષની સજા ફટકારી છે. સજાને કારણે 5 વર્ષ સુધી તે ચૂંટણી નહીં લડી શકે.  



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.