પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાની મુદતમાં કરાયો વધારો, જાણો ક્યાં સુધી લંબાવાઈ સમય મર્યાદા


  • Published By :
  • Published Date : 2023-03-28 15:49:28

પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવાની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. બંને ડોક્યુમેન્ટને લિંક કરવા માટે સરકારે 3 મહિનાનો સમય આપ્યો છે. 30 જૂન સુધી હવે આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરી શકાશે. આ પહેલા સમય મર્યાદા 31 માર્ચ 2023 સુધીની નિર્ધારિત કરવામાં આવી હતી. 31 માર્ચ 2022 પહેલા લિંક કરવાની પ્રક્રિયા મફત હતી. પરંતુ 1 એપ્રિલ 2022થી 500 રુપિયા ફી ઉઘરાવવામાં આવતી હતી. પરંતુ 1 જુલાઈ 2022થી ફી વધીને 1000 રુપિયા ઉઘરાવવામાં આવે છે.  30 જૂન 2023 સુધી આ સમય મર્યાદા લંબાવવામાં આવી છે. મંગળવારે એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે 1 જૂલાઈ 2023થી અનલિંક કરાયેલા તમામ પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે. પરંતુ તમારે 1000 રુપિયા તો હમણાં પણ ચૂકવવા જ પડશે. ઈનકમ ટેક્ષ વિભાગે આપી આ અંગે જાણકારી.

  

જો પાનકાર્ડ નહીં લિંક હોય તો...  

જો 30 જૂન સુધી બંને ડોક્યુમેન્ટ લિંક નહીં કરવામાં આવે તો પાનકાર્ડ ઈનએક્ટિવ થઈ જશે.જેને કારણે આર્થિક વ્યવહારો  પર રોક લાગી જશે. જો પાનકાર્ડ ઈનએક્ટિવ થશે તો તમે 5 લાખથી વધુનું સોનું નહીં ખરીદી શકો. ઉપરાંત જો બેન્કમાંથી 50 હજારથી વધુ રુપિયા ભરી નહીં શકો કે ઉપાડી પણ નહીં શકો. સરકારી યોજનાનો લાભ પણ નહીં મેળવી શકો. આવકવેરા અધિનિયમ 1961ની કલમ 272 બી હેઠળ તમને 10000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.  






અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.