પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાની મુદતમાં કરાયો વધારો, જાણો ક્યાં સુધી લંબાવાઈ સમય મર્યાદા


  • Published By :
  • Published Date : 2023-03-28 15:49:28

પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવાની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. બંને ડોક્યુમેન્ટને લિંક કરવા માટે સરકારે 3 મહિનાનો સમય આપ્યો છે. 30 જૂન સુધી હવે આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરી શકાશે. આ પહેલા સમય મર્યાદા 31 માર્ચ 2023 સુધીની નિર્ધારિત કરવામાં આવી હતી. 31 માર્ચ 2022 પહેલા લિંક કરવાની પ્રક્રિયા મફત હતી. પરંતુ 1 એપ્રિલ 2022થી 500 રુપિયા ફી ઉઘરાવવામાં આવતી હતી. પરંતુ 1 જુલાઈ 2022થી ફી વધીને 1000 રુપિયા ઉઘરાવવામાં આવે છે.  30 જૂન 2023 સુધી આ સમય મર્યાદા લંબાવવામાં આવી છે. મંગળવારે એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે 1 જૂલાઈ 2023થી અનલિંક કરાયેલા તમામ પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે. પરંતુ તમારે 1000 રુપિયા તો હમણાં પણ ચૂકવવા જ પડશે. ઈનકમ ટેક્ષ વિભાગે આપી આ અંગે જાણકારી.

  

જો પાનકાર્ડ નહીં લિંક હોય તો...  

જો 30 જૂન સુધી બંને ડોક્યુમેન્ટ લિંક નહીં કરવામાં આવે તો પાનકાર્ડ ઈનએક્ટિવ થઈ જશે.જેને કારણે આર્થિક વ્યવહારો  પર રોક લાગી જશે. જો પાનકાર્ડ ઈનએક્ટિવ થશે તો તમે 5 લાખથી વધુનું સોનું નહીં ખરીદી શકો. ઉપરાંત જો બેન્કમાંથી 50 હજારથી વધુ રુપિયા ભરી નહીં શકો કે ઉપાડી પણ નહીં શકો. સરકારી યોજનાનો લાભ પણ નહીં મેળવી શકો. આવકવેરા અધિનિયમ 1961ની કલમ 272 બી હેઠળ તમને 10000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.  






રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.