પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાની મુદતમાં કરાયો વધારો, જાણો ક્યાં સુધી લંબાવાઈ સમય મર્યાદા


  • Published By :
  • Published Date : 2023-03-28 15:49:28

પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવાની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. બંને ડોક્યુમેન્ટને લિંક કરવા માટે સરકારે 3 મહિનાનો સમય આપ્યો છે. 30 જૂન સુધી હવે આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરી શકાશે. આ પહેલા સમય મર્યાદા 31 માર્ચ 2023 સુધીની નિર્ધારિત કરવામાં આવી હતી. 31 માર્ચ 2022 પહેલા લિંક કરવાની પ્રક્રિયા મફત હતી. પરંતુ 1 એપ્રિલ 2022થી 500 રુપિયા ફી ઉઘરાવવામાં આવતી હતી. પરંતુ 1 જુલાઈ 2022થી ફી વધીને 1000 રુપિયા ઉઘરાવવામાં આવે છે.  30 જૂન 2023 સુધી આ સમય મર્યાદા લંબાવવામાં આવી છે. મંગળવારે એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે 1 જૂલાઈ 2023થી અનલિંક કરાયેલા તમામ પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે. પરંતુ તમારે 1000 રુપિયા તો હમણાં પણ ચૂકવવા જ પડશે. ઈનકમ ટેક્ષ વિભાગે આપી આ અંગે જાણકારી.

  

જો પાનકાર્ડ નહીં લિંક હોય તો...  

જો 30 જૂન સુધી બંને ડોક્યુમેન્ટ લિંક નહીં કરવામાં આવે તો પાનકાર્ડ ઈનએક્ટિવ થઈ જશે.જેને કારણે આર્થિક વ્યવહારો  પર રોક લાગી જશે. જો પાનકાર્ડ ઈનએક્ટિવ થશે તો તમે 5 લાખથી વધુનું સોનું નહીં ખરીદી શકો. ઉપરાંત જો બેન્કમાંથી 50 હજારથી વધુ રુપિયા ભરી નહીં શકો કે ઉપાડી પણ નહીં શકો. સરકારી યોજનાનો લાભ પણ નહીં મેળવી શકો. આવકવેરા અધિનિયમ 1961ની કલમ 272 બી હેઠળ તમને 10000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.  






રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.