Junagadhથી ઝડપાયો ધારાસભ્યનો નકલી PA! Gujarat AAPએ લખ્યું કે હવે સવાલ થાય છે કે સરકાર અને...? જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-07 09:37:33

એક સમય હતો જ્યારે બનાવટી વસ્તુઓ મળતી હતી. પરંતુ હવે તો નકલી અધિકારીઓ ઝડપાઈ રહ્યા છે. કોઈ વખત નકલી પીએમઓ અધિકારી તો કોઈ વખત નકલી સીએમઓ અધિકારી બની લોકોને છેતરી રહ્યા છે. વર્તમાન પરિસ્થિતિને જોતા લાગે છે કે આવનાર સમયમાં તમામ હદો પાર થઈ જશે! નકલીની વાતો એટલા માટે કરવી છે કે કારણ કે જૂનાગઢમાં નકલી પીએ ઝડપાયો છે. પહેલા કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાનો નકલી પીએ ઝડપાયો હતો ત્યારે હવે મંત્રી પરષોત્તમ સોલંકીનો નકલી પીએ જૂનાગઢથી પકડાયો છે. દરેક જગ્યાએ આની ચર્ચા થઈ રહી છે. ત્યારે આ વાતને લઈ ગુજરાત આપે ટ્વિટ કર્યું છે. ગુજરાત આપે ટ્વિટ કર્યું છે કે હવે તો સવાલ થાય કે, સરકાર અને મુખ્યમંત્રી તો અસલી છે ને?

મંત્રી પરષોત્તમ સોલંકીનો નકલી પીએ ઝડપાયો! 

ગુજરાતમાં નકલીનું ચલણ વધ્યું છે. પહેલા નકલી ખાદ્ય પદાર્થોનો જથ્થો પકડાતો હતો તો હેડલાઈન્સ બનતી હતી પરંતુ હવે સમય બદલાયો છે. નકલી ખાદ્ય પદાર્થોનો જથ્થો તો મળી આવે છે પરંતુ રાજ્યમાં નકલી અધિકારી બની રોફ જમાવાનું ચલણ વધ્યું હોય તેવું લાગે છે. નકલી ટોલનાકા અંગેની ચર્ચાઓ થતી બંધ નથી થઈ ત્યારે તો હવે નકલી પીએ ઝડપાયો છે અને એ પણ મંત્રીનો! પહેલા કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાનો નકલી પીએ ઝડપાયો હતો ત્યારે હવે મંત્રી પરષોત્તમ સોલંકીનો નકલી પીએ જૂનાગઢથી પકડાયો છે.

નકલીથી સાવધાન!

અવારનવાર નકલી અધિકારીઓ, નકલી પીએ, નકલી ટોલનાકું, નકલી સરકારી કચેરી ઝડપાઈ રહી છે. ત્યારે આ વાતને લઈ ગુજરાત આપે કટાક્ષ કર્યો છે. ટ્વિટ કરી લખ્યું કે હવે તો સવાલ થાય કે, સરકાર અને મુખ્યમંત્રી તો અસલી છે ને? ગુજરાતમાં નકલીની બોલબાલા છે તેવું કહીએ તો અતિશયોક્તિ ન કહેવાય કારણ કે અનેક વખત આવા નકલી લોકો, કચેરીઓ ઝડપાઈ રહી છે. ત્યારે કહેવાનું મન થાય કે નકલીથી સાવધાન રહેજો!   

   



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.