Junagadhથી ઝડપાયો ધારાસભ્યનો નકલી PA! Gujarat AAPએ લખ્યું કે હવે સવાલ થાય છે કે સરકાર અને...? જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-07 09:37:33

એક સમય હતો જ્યારે બનાવટી વસ્તુઓ મળતી હતી. પરંતુ હવે તો નકલી અધિકારીઓ ઝડપાઈ રહ્યા છે. કોઈ વખત નકલી પીએમઓ અધિકારી તો કોઈ વખત નકલી સીએમઓ અધિકારી બની લોકોને છેતરી રહ્યા છે. વર્તમાન પરિસ્થિતિને જોતા લાગે છે કે આવનાર સમયમાં તમામ હદો પાર થઈ જશે! નકલીની વાતો એટલા માટે કરવી છે કે કારણ કે જૂનાગઢમાં નકલી પીએ ઝડપાયો છે. પહેલા કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાનો નકલી પીએ ઝડપાયો હતો ત્યારે હવે મંત્રી પરષોત્તમ સોલંકીનો નકલી પીએ જૂનાગઢથી પકડાયો છે. દરેક જગ્યાએ આની ચર્ચા થઈ રહી છે. ત્યારે આ વાતને લઈ ગુજરાત આપે ટ્વિટ કર્યું છે. ગુજરાત આપે ટ્વિટ કર્યું છે કે હવે તો સવાલ થાય કે, સરકાર અને મુખ્યમંત્રી તો અસલી છે ને?

મંત્રી પરષોત્તમ સોલંકીનો નકલી પીએ ઝડપાયો! 

ગુજરાતમાં નકલીનું ચલણ વધ્યું છે. પહેલા નકલી ખાદ્ય પદાર્થોનો જથ્થો પકડાતો હતો તો હેડલાઈન્સ બનતી હતી પરંતુ હવે સમય બદલાયો છે. નકલી ખાદ્ય પદાર્થોનો જથ્થો તો મળી આવે છે પરંતુ રાજ્યમાં નકલી અધિકારી બની રોફ જમાવાનું ચલણ વધ્યું હોય તેવું લાગે છે. નકલી ટોલનાકા અંગેની ચર્ચાઓ થતી બંધ નથી થઈ ત્યારે તો હવે નકલી પીએ ઝડપાયો છે અને એ પણ મંત્રીનો! પહેલા કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાનો નકલી પીએ ઝડપાયો હતો ત્યારે હવે મંત્રી પરષોત્તમ સોલંકીનો નકલી પીએ જૂનાગઢથી પકડાયો છે.

નકલીથી સાવધાન!

અવારનવાર નકલી અધિકારીઓ, નકલી પીએ, નકલી ટોલનાકું, નકલી સરકારી કચેરી ઝડપાઈ રહી છે. ત્યારે આ વાતને લઈ ગુજરાત આપે કટાક્ષ કર્યો છે. ટ્વિટ કરી લખ્યું કે હવે તો સવાલ થાય કે, સરકાર અને મુખ્યમંત્રી તો અસલી છે ને? ગુજરાતમાં નકલીની બોલબાલા છે તેવું કહીએ તો અતિશયોક્તિ ન કહેવાય કારણ કે અનેક વખત આવા નકલી લોકો, કચેરીઓ ઝડપાઈ રહી છે. ત્યારે કહેવાનું મન થાય કે નકલીથી સાવધાન રહેજો!   

   



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.