મોડી મોડી પણ સરકાર જાગી, નકલી PSI મયુર તડવી કાંડમાં 2 PSI અને 4 ADI સસ્પેન્ડ


  • Published By :
  • Published Date : 2023-03-05 14:27:21

નકલી PSI મયુર તડવી મામલે સરકાર હવે મોડી-મોડી પણ એક્શનમાં આવી છે. આ મામલે રાજ્ય સરકારે 6 પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરી દીધા છે, જેમાં 2 PSI અને 4 ADI (આસિસ્ટન્ટ ડ્રીલ ઈન્સ્ટ્રક્ટર)નો સમાવેશ થાય છે. નકલી PSI કેસમાં હજુ પણ ઉચ્ચ અધિકારી સામે કાર્યવાહી થાય તેવી શક્યતા છે. મયુર તડવીની પૂછપરછ દરમિયાન ચૌકાવનારા તથ્યો સામે આવ્યાં છે. મયુર તડવીના રિમાન્ડ દરમિયાન હજુ પણ સ્ફોટક  તથ્યો સામે આ શકે છે. મયુર તડવીની મદદગારી કરનાર બે બેદરકાર અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવશે.


મયુર તડવીને 8 દિવસના રિમાન્ડ 


નકલી PSI કાંડ મામલે પોલીસે ગાંધીનગર નજીક કરાઇ પોલીસ એકેડમીમાંથી ગત 1લી માર્ચે આરોપી મયુર તડવીની ધરપકડ કરી હતી. ત્યારબાદ તેને ગાંધીનગર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. તેની સામે કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ગાંધીનગર કોર્ટે આરોપી મયુર તડવીના 10 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.


ડોક્યુમેન્ટ સાથે છેડછાડનો આરોપ


ગાંધીનગરના ડભોડા પોલીસ મથકમાં નકલી PSI મયુર તડવીની સામે ગુનો નોંધાયો હતો. આરોપી સામે ડોક્યુમેન્ટ સાથે છેડછાડ કરવા મામલે ગુનો દાખલ થયેલો છે. જે સમગ્ર મામલે ગાંધીનગર એલસીબી તપાસ કરી રહી છે. તમને જણાવી દઈએ કે, આરોપી મયુર તડવીની ગત મંગળવારે જ અટકાયત કરાઈ હતી. 


દોષિતો સામે કાર્યવાહીથી ફફડાટ


નકલી PSI કેસમાં ઉચ્ચ અધિકારી સામે પણ તપાસ થઇ શકે છે. તેમના ટ્રેનિંગથી માંડીને તમામ કાર્યવાહી પર ઝીણવટ પૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. નકલી PSI ટ્રેનિંગ સુધી એક પહોંચ્યો અને ક્યાં અધિકારીએ તેને મદદ કરી હતી આ મુદે તપાસ થઇ રહી છે. હાલ તેમના તમામ ડોક્યુમેન્ટનું બાયોમેટ્રીક ચેકિંગ થઇ રહ્યું છે. આ કાંડ બહાર આવતા અન્ય PSIની ટ્રેનિંગ લેતા ટ્રેની PSIના ડોક્યુમેન્ટની પણ તપાસ થઇ રહી છે. મયુર તડવી ધરપકડ બાદ હાલ રિમાન્ડ પર છે. તપાસનો રેલો લંબાતા સરકાર આ મામલે હજુ વધુ કાર્યવાહી કરશે તેવી આશંકા છે. આ કારણે પોલીસ વિભાગમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.