મોડી મોડી પણ સરકાર જાગી, નકલી PSI મયુર તડવી કાંડમાં 2 PSI અને 4 ADI સસ્પેન્ડ


  • Published By :
  • Published Date : 2023-03-05 14:27:21

નકલી PSI મયુર તડવી મામલે સરકાર હવે મોડી-મોડી પણ એક્શનમાં આવી છે. આ મામલે રાજ્ય સરકારે 6 પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરી દીધા છે, જેમાં 2 PSI અને 4 ADI (આસિસ્ટન્ટ ડ્રીલ ઈન્સ્ટ્રક્ટર)નો સમાવેશ થાય છે. નકલી PSI કેસમાં હજુ પણ ઉચ્ચ અધિકારી સામે કાર્યવાહી થાય તેવી શક્યતા છે. મયુર તડવીની પૂછપરછ દરમિયાન ચૌકાવનારા તથ્યો સામે આવ્યાં છે. મયુર તડવીના રિમાન્ડ દરમિયાન હજુ પણ સ્ફોટક  તથ્યો સામે આ શકે છે. મયુર તડવીની મદદગારી કરનાર બે બેદરકાર અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવશે.


મયુર તડવીને 8 દિવસના રિમાન્ડ 


નકલી PSI કાંડ મામલે પોલીસે ગાંધીનગર નજીક કરાઇ પોલીસ એકેડમીમાંથી ગત 1લી માર્ચે આરોપી મયુર તડવીની ધરપકડ કરી હતી. ત્યારબાદ તેને ગાંધીનગર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. તેની સામે કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ગાંધીનગર કોર્ટે આરોપી મયુર તડવીના 10 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.


ડોક્યુમેન્ટ સાથે છેડછાડનો આરોપ


ગાંધીનગરના ડભોડા પોલીસ મથકમાં નકલી PSI મયુર તડવીની સામે ગુનો નોંધાયો હતો. આરોપી સામે ડોક્યુમેન્ટ સાથે છેડછાડ કરવા મામલે ગુનો દાખલ થયેલો છે. જે સમગ્ર મામલે ગાંધીનગર એલસીબી તપાસ કરી રહી છે. તમને જણાવી દઈએ કે, આરોપી મયુર તડવીની ગત મંગળવારે જ અટકાયત કરાઈ હતી. 


દોષિતો સામે કાર્યવાહીથી ફફડાટ


નકલી PSI કેસમાં ઉચ્ચ અધિકારી સામે પણ તપાસ થઇ શકે છે. તેમના ટ્રેનિંગથી માંડીને તમામ કાર્યવાહી પર ઝીણવટ પૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. નકલી PSI ટ્રેનિંગ સુધી એક પહોંચ્યો અને ક્યાં અધિકારીએ તેને મદદ કરી હતી આ મુદે તપાસ થઇ રહી છે. હાલ તેમના તમામ ડોક્યુમેન્ટનું બાયોમેટ્રીક ચેકિંગ થઇ રહ્યું છે. આ કાંડ બહાર આવતા અન્ય PSIની ટ્રેનિંગ લેતા ટ્રેની PSIના ડોક્યુમેન્ટની પણ તપાસ થઇ રહી છે. મયુર તડવી ધરપકડ બાદ હાલ રિમાન્ડ પર છે. તપાસનો રેલો લંબાતા સરકાર આ મામલે હજુ વધુ કાર્યવાહી કરશે તેવી આશંકા છે. આ કારણે પોલીસ વિભાગમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.