એક્ટર ફરદીન ખાન અને નતાશા માધવાણીના લગ્ન જીવનનો આવશે અંત, કપલે છૂટાછેડા લેવાનો કર્યો નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-07-30 15:19:12

બોલિવૂડ સ્ટાર્સના છૂટાછેડાના સમાચાર સામાન્ય બની ગયા છે અને હવે આ લિસ્ટમાં એક્ટર ફરદીન ખાનનું નામ પણ ઉમેરાઈ ગયું છે. મિડીયા રિપોર્ટ્સનું મુજબ ફરદીન ખાન અને નતાશા માધવાણીના લગ્ન જીવનમાં બધુ બરાબર નથી ચાલી રહ્યું. ચર્ચા એ છે કે આ દંપતી છૂટાછેડા તરફ આગળ વધી રહ્યું છે અને છૂટાછેડા લેવાનું નક્કી કર્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે ફરદીન ખાન અને નતાશાના લગ્ન વર્ષ 2005માં ધામધૂમથી થયા હતા. બંનેના આ ભવ્ય લગ્નમાં ઘણા બોલિવૂડ સ્ટાર્સ અને મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. દંપતીને સંતાનોમાં એક પુત્રી અને એક પુત્ર છે.


એક વર્ષથી અલગ રહે છે કપલ


ફરદીન અને નતાશા વચ્ચેનું અંતર એટલું વધી ગયું છે કે બંને એક વર્ષથી એકબીજાથી અલગ રહે છે. ફરદીન મુંબઈમાં રહે છે, જ્યારે નતાશા તેની માતા સાથે લંડનમાં રહે છે. હવે આ કપલે એકબીજાથી છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો છે. જો કે બંને વચ્ચે કયા કારણોથી અલગ રહે છે તે હજુ સુધી જાહેર  કર્યું નથી.  મીડિયા રિપોર્ટમાં કેટલું સત્ય છે તે અંગે ફરદીન અને નતાશાની પ્રતિક્રિયા સામે આવી નથી.                      


કોણ છે નતાશા?


 નતાશા માધવાણી 80ના દાયકાની જાણીતી અભિનેત્રી મુમતાઝની પુત્રી છે. જેમણે રાજેશ ખન્નાથી લઈને ધર્મેન્દ્ર સુધી ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. વર્ષ 1974માં મુમતાઝે મયુર માધવાણી સાથે લગ્ન કર્યા હતા. બંનેને તાન્યા અને નતાશા નામની બે દીકરીઓ છે.  રિપોર્ટ અનુસાર જ્યારે ફરદીન સાથે આ અંગે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો તેણે આ અંગે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો.



વેરાવળના ટાવરચોકમાં એક જાહેર સભા હતી જેમાં આમ આદમી પાર્ટીના નેતા કોંગ્રેસના સમર્થનમાં સંબોધન કરી રહ્યાં હતા.. અને કોંગ્રેસ પર જ પ્રહાર કરી બેઠા....જગમલવાળા કોંગ્રેસમાંથી ધારાસભ્ય વિમલ ચૂડાસમા પર આકરા પ્રહાર કરતા જોવા મળ્યા તો સામે વિમલ ચૂડાસમાએ પણ જગમલ વાળાને ભાજપના માણસ ગણાવી દીધા...

પરષોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે... ઠેર ઠેક ભાજપનો વિરોધ થયો. ત્યારે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને ફરી એક વખત વિરોધનો સામનો કરવો પડ્યો છે તેવી માહિતી સામે આવી છે.

ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાએ ગેનીબેન ઠાકોર માટે પ્રચાર કર્યો છે. વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં ચૈતર વસાવા ગેનીબેનને જીતાડવા માટે અપીલ કરી રહ્યા છે.

ગુજરાતમાં સાતમી તારીખે મતદાન થવાનું છે. નેતાઓ દ્વારા અનેક નિવેદનો આપવામાં આવ્યા છે જેને કારણે વિવાદ છેડાતો હોય છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે નેતા અને ચૂંટણીને સમર્પિત રચના.