એક્ટર ફરદીન ખાન અને નતાશા માધવાણીના લગ્ન જીવનનો આવશે અંત, કપલે છૂટાછેડા લેવાનો કર્યો નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-07-30 15:19:12

બોલિવૂડ સ્ટાર્સના છૂટાછેડાના સમાચાર સામાન્ય બની ગયા છે અને હવે આ લિસ્ટમાં એક્ટર ફરદીન ખાનનું નામ પણ ઉમેરાઈ ગયું છે. મિડીયા રિપોર્ટ્સનું મુજબ ફરદીન ખાન અને નતાશા માધવાણીના લગ્ન જીવનમાં બધુ બરાબર નથી ચાલી રહ્યું. ચર્ચા એ છે કે આ દંપતી છૂટાછેડા તરફ આગળ વધી રહ્યું છે અને છૂટાછેડા લેવાનું નક્કી કર્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે ફરદીન ખાન અને નતાશાના લગ્ન વર્ષ 2005માં ધામધૂમથી થયા હતા. બંનેના આ ભવ્ય લગ્નમાં ઘણા બોલિવૂડ સ્ટાર્સ અને મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. દંપતીને સંતાનોમાં એક પુત્રી અને એક પુત્ર છે.


એક વર્ષથી અલગ રહે છે કપલ


ફરદીન અને નતાશા વચ્ચેનું અંતર એટલું વધી ગયું છે કે બંને એક વર્ષથી એકબીજાથી અલગ રહે છે. ફરદીન મુંબઈમાં રહે છે, જ્યારે નતાશા તેની માતા સાથે લંડનમાં રહે છે. હવે આ કપલે એકબીજાથી છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો છે. જો કે બંને વચ્ચે કયા કારણોથી અલગ રહે છે તે હજુ સુધી જાહેર  કર્યું નથી.  મીડિયા રિપોર્ટમાં કેટલું સત્ય છે તે અંગે ફરદીન અને નતાશાની પ્રતિક્રિયા સામે આવી નથી.                      


કોણ છે નતાશા?


 નતાશા માધવાણી 80ના દાયકાની જાણીતી અભિનેત્રી મુમતાઝની પુત્રી છે. જેમણે રાજેશ ખન્નાથી લઈને ધર્મેન્દ્ર સુધી ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. વર્ષ 1974માં મુમતાઝે મયુર માધવાણી સાથે લગ્ન કર્યા હતા. બંનેને તાન્યા અને નતાશા નામની બે દીકરીઓ છે.  રિપોર્ટ અનુસાર જ્યારે ફરદીન સાથે આ અંગે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો તેણે આ અંગે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .