એક્ટર ફરદીન ખાન અને નતાશા માધવાણીના લગ્ન જીવનનો આવશે અંત, કપલે છૂટાછેડા લેવાનો કર્યો નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-07-30 15:19:12

બોલિવૂડ સ્ટાર્સના છૂટાછેડાના સમાચાર સામાન્ય બની ગયા છે અને હવે આ લિસ્ટમાં એક્ટર ફરદીન ખાનનું નામ પણ ઉમેરાઈ ગયું છે. મિડીયા રિપોર્ટ્સનું મુજબ ફરદીન ખાન અને નતાશા માધવાણીના લગ્ન જીવનમાં બધુ બરાબર નથી ચાલી રહ્યું. ચર્ચા એ છે કે આ દંપતી છૂટાછેડા તરફ આગળ વધી રહ્યું છે અને છૂટાછેડા લેવાનું નક્કી કર્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે ફરદીન ખાન અને નતાશાના લગ્ન વર્ષ 2005માં ધામધૂમથી થયા હતા. બંનેના આ ભવ્ય લગ્નમાં ઘણા બોલિવૂડ સ્ટાર્સ અને મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. દંપતીને સંતાનોમાં એક પુત્રી અને એક પુત્ર છે.


એક વર્ષથી અલગ રહે છે કપલ


ફરદીન અને નતાશા વચ્ચેનું અંતર એટલું વધી ગયું છે કે બંને એક વર્ષથી એકબીજાથી અલગ રહે છે. ફરદીન મુંબઈમાં રહે છે, જ્યારે નતાશા તેની માતા સાથે લંડનમાં રહે છે. હવે આ કપલે એકબીજાથી છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો છે. જો કે બંને વચ્ચે કયા કારણોથી અલગ રહે છે તે હજુ સુધી જાહેર  કર્યું નથી.  મીડિયા રિપોર્ટમાં કેટલું સત્ય છે તે અંગે ફરદીન અને નતાશાની પ્રતિક્રિયા સામે આવી નથી.                      


કોણ છે નતાશા?


 નતાશા માધવાણી 80ના દાયકાની જાણીતી અભિનેત્રી મુમતાઝની પુત્રી છે. જેમણે રાજેશ ખન્નાથી લઈને ધર્મેન્દ્ર સુધી ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. વર્ષ 1974માં મુમતાઝે મયુર માધવાણી સાથે લગ્ન કર્યા હતા. બંનેને તાન્યા અને નતાશા નામની બે દીકરીઓ છે.  રિપોર્ટ અનુસાર જ્યારે ફરદીન સાથે આ અંગે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો તેણે આ અંગે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી