ખેડૂતોએ 16 ફેબ્રુઆરીએ આપ્યું ભારત બંધનું એલાન, પંજાબ અને હરિયાણા બોર્ડર સીલ, ઈન્ટરનેટ સેવા ઠપ


  • Published By :
  • Published Date : 2024-02-11 18:14:54

ખેડૂતો હવે પોતાની માંગ પૂરી કરાવવા માટે સરકાર સામે આર-પારની લડાઈના મૂડમાં છે. સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજદૂર મોરચા સહિત 26 ખેડૂત સંગઠનોએ 13 ફેબ્રુઆરીના રોજ દિલ્હી કૂચ કરવાના એલાન બાદ હવે 16 ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન કર્યું છે. હરિયાણા-પંજાબ બોર્ડર પર સ્થિતિ ખૂબ જ તંગ છે. જાણે યુદ્ધ લડવાનું હોય એવી તૈયારીઓ ચાલી રહી છે. સરકારે સરહદની આસપાસના જિલ્લાઓની સીમાઓ સીલ કરી દીધી છે. મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. એટલું જ નહીં, જથ્થાબંધ એસએમએસ મોકલી શકાશે નહીં. પોલીસે તેમની દેખરેખ વધારી દીધી છે. ડીજીપી સંબંધિત વિસ્તારોના પોલીસ કેપ્ટન સાથે સતત સંપર્કમાં છે. ડીજીપી ખુદ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. 


સરકારે ખેડૂતોને રોકવા તાકાત લગાવી


હરિયાણા સરકારે ખેડૂતોને રોકવા માટે પોતાની તમામ તાકાત લગાવી દીધી છે. પંજાબ અને હરિયાણા બોર્ડર સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવી છે. આ સાથે જ મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. પંજાબના ખેડૂતોએ એલાન કર્યું છે કે, 10 હજાર ટ્રેક્ટર ટ્રોલીઓમાં દિલ્હી જવા માટે હરિયાણામાં દાખલ થઈશું. તેના માટે શંબૂ બોર્ડર, ડબવાલી અને ખનૌરી બોર્ડર પસંદ કરવામાં આવી છે. આ ત્રણેય બોર્ડરોને સીલ કરી દેવામાં આવી છે. આ બોર્ડર પર મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરી દેવામાં આવ્યા છે. પોલીસની સાથે પંજાબ-હરિયાણા બોર્ડર પર BSF અને RAFના જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે.


અંબાલામાં કલમ 144 લાગુ


પંજાબના ખેડૂતોને હરિયાણા થઈને દિલ્હી જતા રોકવા માટે અંબાલામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. પંજાબ અને હરિયાણા વચ્ચેની શંભૂ બોર્ડરને સિમેન્ટ બેરિકેડિંગ અને કાંટાળા તારથી સંપૂર્ણ સીલ કરી દેવામાં આવી છે. વહીવટી તંત્રએ ઘગ્ગર નદી પર બનેલા બ્રિજને પણ બંધ કરી દીધો છે. બહાદુરગઢમાં પાંચ લેયરની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ટિકરી બોર્ડર પર કાંટાળા તાર અને સિમેન્ટના બેરિકેડ લગાવવામાં આવ્યા છે. પટિયાલાથી અંબાલાના રોડનો રૂટ ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે. સોનીપત, ઝજ્જર, પંચકુલા બાદ કૈથલમાં પણ કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. પંજાબથી ચંદીગઢ થઈને ખેડૂતો પંચકુલાના રસ્તે પણ દિલ્હી જવા માટે હરિયાણામાં પ્રવેશ કરી શકે છે.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.