રામલીલા મેદાન ખાતે ખેડૂતોએ કર્યું છે 'કિસાન ગર્જના રેલી' નું આયોજન


  • Published By :
  • Published Date : 2022-12-19 12:44:52

દિલ્હી ખાતે ખેડૂતોએ આજે કિસાન ગર્જના રેલીનું આયોજન કર્યું છે. ફરી એક વખત કિસાન દિલ્હી ખાતે કૂચ કરવાના છે. આ વખતની રેલીમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે સંકળાયેલા સંગઠન ભારતીય કિસાન સંઘએ સરકાર સામે બાયો ચઠાવી છે. અનેક પ્રશ્નો જેવા કે ઉપજના યોગ્ય ભાવ ન મળવાને કારણે, કૃષિ સાધનો ન હોવાને કારણે સહિતના અનેક મુદ્દાઓને લઈ દિલ્હી ખાતે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. 

Trending news: Tight security arrangements for Kisan Garjana Rally at  Ramlila Maidan - Hindustan News Hub

અનેક માગને લઈ ખેડૂતો કરી રહ્યા છે ગર્જના રેલી 

કિસાન ગર્જના રેલીમાં પંજાબ, હરિયાણા, યૂપી સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી કિસાનો આવવાના છે અને રામલીલા મેદાનમાં પ્રદર્શન કરવાના છે. ખેડૂતોની સ્થિતિમાં સુધાર આવે તે માટે આ ગર્જના રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં અંદાજીત 55 હજાર જેટાલા કિસાનો સામેલ થશે તેવો અનુમાન લગાવામાં આવી રહ્યો છે. ભારતીય કિસાન સંઘનું કહેવું છે કે ફળ, શાકભાજીમાં ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં નથી આવતું. ઉપજના યોગ્ય ભાવ ન મળવાને કારણે ખેડૂતો આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરે છે. ઉપરાંત કૃષિ સાધનો, જંતુનાશક દવા, ખાતર પર લગવામાં આવતો જીએસટી હટાવામાં આવે તેની પણ તેઓ માગ કરી રહ્યા છે.

Kisan Garjana Rally: दिल्ली के रामलीला मैदान में आज किसानों का विरोध  प्रदर्शन जानिए मुद्दे ट्रैफिक एडवाइजरी - Kisan Garjana Rally Farmers  protest today at Delhi Ramlila Maidan ...

લોકોને અસુવિધા ન થાય તે માટે પોલીસે કર્યું આયોજન 

કિસાન ગર્જના રેલીને કારણે દિલ્હી પોલીસે તમામ પ્રકારની વ્યવસ્થા કરી દીધી છે. આ રેલીને કારણે લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે આયોજન કરી દેવામાં આવ્યું છે. રોડને ડાયવર્ટ કરી દેવામાં આવ્યા છે.   




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.