રામલીલા મેદાન ખાતે ખેડૂતોએ કર્યું છે 'કિસાન ગર્જના રેલી' નું આયોજન


  • Published By :
  • Published Date : 2022-12-19 12:44:52

દિલ્હી ખાતે ખેડૂતોએ આજે કિસાન ગર્જના રેલીનું આયોજન કર્યું છે. ફરી એક વખત કિસાન દિલ્હી ખાતે કૂચ કરવાના છે. આ વખતની રેલીમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે સંકળાયેલા સંગઠન ભારતીય કિસાન સંઘએ સરકાર સામે બાયો ચઠાવી છે. અનેક પ્રશ્નો જેવા કે ઉપજના યોગ્ય ભાવ ન મળવાને કારણે, કૃષિ સાધનો ન હોવાને કારણે સહિતના અનેક મુદ્દાઓને લઈ દિલ્હી ખાતે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. 

Trending news: Tight security arrangements for Kisan Garjana Rally at  Ramlila Maidan - Hindustan News Hub

અનેક માગને લઈ ખેડૂતો કરી રહ્યા છે ગર્જના રેલી 

કિસાન ગર્જના રેલીમાં પંજાબ, હરિયાણા, યૂપી સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી કિસાનો આવવાના છે અને રામલીલા મેદાનમાં પ્રદર્શન કરવાના છે. ખેડૂતોની સ્થિતિમાં સુધાર આવે તે માટે આ ગર્જના રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં અંદાજીત 55 હજાર જેટાલા કિસાનો સામેલ થશે તેવો અનુમાન લગાવામાં આવી રહ્યો છે. ભારતીય કિસાન સંઘનું કહેવું છે કે ફળ, શાકભાજીમાં ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં નથી આવતું. ઉપજના યોગ્ય ભાવ ન મળવાને કારણે ખેડૂતો આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરે છે. ઉપરાંત કૃષિ સાધનો, જંતુનાશક દવા, ખાતર પર લગવામાં આવતો જીએસટી હટાવામાં આવે તેની પણ તેઓ માગ કરી રહ્યા છે.

Kisan Garjana Rally: दिल्ली के रामलीला मैदान में आज किसानों का विरोध  प्रदर्शन जानिए मुद्दे ट्रैफिक एडवाइजरी - Kisan Garjana Rally Farmers  protest today at Delhi Ramlila Maidan ...

લોકોને અસુવિધા ન થાય તે માટે પોલીસે કર્યું આયોજન 

કિસાન ગર્જના રેલીને કારણે દિલ્હી પોલીસે તમામ પ્રકારની વ્યવસ્થા કરી દીધી છે. આ રેલીને કારણે લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે આયોજન કરી દેવામાં આવ્યું છે. રોડને ડાયવર્ટ કરી દેવામાં આવ્યા છે.   




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.