રામલીલા મેદાન ખાતે ખેડૂતોએ કર્યું છે 'કિસાન ગર્જના રેલી' નું આયોજન


  • Published By :
  • Published Date : 2022-12-19 12:44:52

દિલ્હી ખાતે ખેડૂતોએ આજે કિસાન ગર્જના રેલીનું આયોજન કર્યું છે. ફરી એક વખત કિસાન દિલ્હી ખાતે કૂચ કરવાના છે. આ વખતની રેલીમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે સંકળાયેલા સંગઠન ભારતીય કિસાન સંઘએ સરકાર સામે બાયો ચઠાવી છે. અનેક પ્રશ્નો જેવા કે ઉપજના યોગ્ય ભાવ ન મળવાને કારણે, કૃષિ સાધનો ન હોવાને કારણે સહિતના અનેક મુદ્દાઓને લઈ દિલ્હી ખાતે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. 

Trending news: Tight security arrangements for Kisan Garjana Rally at  Ramlila Maidan - Hindustan News Hub

અનેક માગને લઈ ખેડૂતો કરી રહ્યા છે ગર્જના રેલી 

કિસાન ગર્જના રેલીમાં પંજાબ, હરિયાણા, યૂપી સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી કિસાનો આવવાના છે અને રામલીલા મેદાનમાં પ્રદર્શન કરવાના છે. ખેડૂતોની સ્થિતિમાં સુધાર આવે તે માટે આ ગર્જના રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં અંદાજીત 55 હજાર જેટાલા કિસાનો સામેલ થશે તેવો અનુમાન લગાવામાં આવી રહ્યો છે. ભારતીય કિસાન સંઘનું કહેવું છે કે ફળ, શાકભાજીમાં ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં નથી આવતું. ઉપજના યોગ્ય ભાવ ન મળવાને કારણે ખેડૂતો આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરે છે. ઉપરાંત કૃષિ સાધનો, જંતુનાશક દવા, ખાતર પર લગવામાં આવતો જીએસટી હટાવામાં આવે તેની પણ તેઓ માગ કરી રહ્યા છે.

Kisan Garjana Rally: दिल्ली के रामलीला मैदान में आज किसानों का विरोध  प्रदर्शन जानिए मुद्दे ट्रैफिक एडवाइजरी - Kisan Garjana Rally Farmers  protest today at Delhi Ramlila Maidan ...

લોકોને અસુવિધા ન થાય તે માટે પોલીસે કર્યું આયોજન 

કિસાન ગર્જના રેલીને કારણે દિલ્હી પોલીસે તમામ પ્રકારની વ્યવસ્થા કરી દીધી છે. આ રેલીને કારણે લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે આયોજન કરી દેવામાં આવ્યું છે. રોડને ડાયવર્ટ કરી દેવામાં આવ્યા છે.   




આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.