રામલીલા મેદાન ખાતે ખેડૂતોએ કર્યું છે 'કિસાન ગર્જના રેલી' નું આયોજન


  • Published By :
  • Published Date : 2022-12-19 12:44:52

દિલ્હી ખાતે ખેડૂતોએ આજે કિસાન ગર્જના રેલીનું આયોજન કર્યું છે. ફરી એક વખત કિસાન દિલ્હી ખાતે કૂચ કરવાના છે. આ વખતની રેલીમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે સંકળાયેલા સંગઠન ભારતીય કિસાન સંઘએ સરકાર સામે બાયો ચઠાવી છે. અનેક પ્રશ્નો જેવા કે ઉપજના યોગ્ય ભાવ ન મળવાને કારણે, કૃષિ સાધનો ન હોવાને કારણે સહિતના અનેક મુદ્દાઓને લઈ દિલ્હી ખાતે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. 

Trending news: Tight security arrangements for Kisan Garjana Rally at  Ramlila Maidan - Hindustan News Hub

અનેક માગને લઈ ખેડૂતો કરી રહ્યા છે ગર્જના રેલી 

કિસાન ગર્જના રેલીમાં પંજાબ, હરિયાણા, યૂપી સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી કિસાનો આવવાના છે અને રામલીલા મેદાનમાં પ્રદર્શન કરવાના છે. ખેડૂતોની સ્થિતિમાં સુધાર આવે તે માટે આ ગર્જના રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં અંદાજીત 55 હજાર જેટાલા કિસાનો સામેલ થશે તેવો અનુમાન લગાવામાં આવી રહ્યો છે. ભારતીય કિસાન સંઘનું કહેવું છે કે ફળ, શાકભાજીમાં ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં નથી આવતું. ઉપજના યોગ્ય ભાવ ન મળવાને કારણે ખેડૂતો આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરે છે. ઉપરાંત કૃષિ સાધનો, જંતુનાશક દવા, ખાતર પર લગવામાં આવતો જીએસટી હટાવામાં આવે તેની પણ તેઓ માગ કરી રહ્યા છે.

Kisan Garjana Rally: दिल्ली के रामलीला मैदान में आज किसानों का विरोध  प्रदर्शन जानिए मुद्दे ट्रैफिक एडवाइजरी - Kisan Garjana Rally Farmers  protest today at Delhi Ramlila Maidan ...

લોકોને અસુવિધા ન થાય તે માટે પોલીસે કર્યું આયોજન 

કિસાન ગર્જના રેલીને કારણે દિલ્હી પોલીસે તમામ પ્રકારની વ્યવસ્થા કરી દીધી છે. આ રેલીને કારણે લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે આયોજન કરી દેવામાં આવ્યું છે. રોડને ડાયવર્ટ કરી દેવામાં આવ્યા છે.   




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.