ભારત જોડો યાત્રા જ્યારે જમ્મુ-કાશ્મીર પહોંચશે ત્યારે ફારૂક અબ્દુલ્લા યાત્રામાં જોડાશે


  • Published By :
  • Published Date : 2022-11-23 12:08:06

રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. કન્યાકુમારીથી કાશ્મીર સુધી તેઓ આ યાત્રા કરી રહ્યા છે. ત્યારે હાલ આ યાત્રા હાલ મધ્યપ્રદેશ પહોંચી છે. આ યાત્રામાં અનેક દિગ્ગજ નેતાઓ સામેલ થયા છે. સોનિયા ગાંધી પણ આ યાત્રામાં સામેલ થયા હતા. ત્યારે નેશનલ કોન્ફરન્સના ચીફ ફારૂક અબ્દુલ્લા રાહુલ ગાંધીની આ યાત્રામાં સામેલ થવાના છે. આ યાત્રા જ્યારે જમ્મુ-કાશ્મીર પહોંચશે તે દરમિયાન તેઓ આ યાત્રામાં જોડાશે તેવી તેમણે જાહેરાત કરી છે.

New Rahul Gandhi has emerged, says Congress as Bharat Jodo Yatra enters Day  2 in Karnataka - India Today

Kashmir will be 100% Hindu-free if govt doesn't act now: Farooq Abdullah on  targeted killings | Exclusive - India Today

આ દેશની એકતા અને અખંડિતતા માટે સાથે ચાલીશું - અબ્દુલ્લા

રાહુલ ગાંધીની આ યાત્રામાં અનેક નેતાઓએ ભાગ લીધો છે. ત્યારે નેશનલ કોન્ફરન્સના ચીફ ફારૂક અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે આ યાત્રા જ્યારે લખનઉ પહોંચશે જ્યાંથી જમ્મુ કાશ્મીર શરૂ થાય છે ત્યારે હું ત્યાં જઈશ અને રાહુલ સાથે ચાલીશ. અમે આ દેશની એકતા અને અખંડિતતા માટે સાથે ચાલીશું. એકજૂથ રહેવું એ સમયની માગ છે.      

Gujarat Election 2022: સપ્ટેમ્બર માસના અંતમાં પ્રિયંકા ગાંધી ગુજરાત આવે  તેવી શક્યતા | TV9 Gujarati

પ્રિયંકા ગાંધી આ યાત્રામાં થઈ શકે છે સામેલ  

ભારત જોડો યાત્રા કરી રાહુલ ગાંધી કોંગ્રેસને બેઠી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ યાત્રા અનેક રાજ્યોમાંથી પસાર થઈ ચૂકી છે જ્યારે અનેક રાજ્યોમાંથી પસાર થવાની છે. હાલ આ યાત્રા મધ્યપ્રદેશ પહોંચી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ યાત્રામાં પ્રિયંકા ગાંધી પણ સામેલ થઈ શકે છે, કાશ્મીરથી નીકળેલી આ યાત્રા જમ્મુ કાશ્મીર પહોંચવાની છે. ત્યારે આ યાત્રામાં નેશનલ કોન્ફરન્સના ચીફ ફારૂક અબ્દુલ્લા પણ જોડાવાના છે તેવી જાહેરાત કરવામાં આવી છે. 



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.