ભારત જોડો યાત્રા જ્યારે જમ્મુ-કાશ્મીર પહોંચશે ત્યારે ફારૂક અબ્દુલ્લા યાત્રામાં જોડાશે


  • Published By :
  • Published Date : 2022-11-23 12:08:06

રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. કન્યાકુમારીથી કાશ્મીર સુધી તેઓ આ યાત્રા કરી રહ્યા છે. ત્યારે હાલ આ યાત્રા હાલ મધ્યપ્રદેશ પહોંચી છે. આ યાત્રામાં અનેક દિગ્ગજ નેતાઓ સામેલ થયા છે. સોનિયા ગાંધી પણ આ યાત્રામાં સામેલ થયા હતા. ત્યારે નેશનલ કોન્ફરન્સના ચીફ ફારૂક અબ્દુલ્લા રાહુલ ગાંધીની આ યાત્રામાં સામેલ થવાના છે. આ યાત્રા જ્યારે જમ્મુ-કાશ્મીર પહોંચશે તે દરમિયાન તેઓ આ યાત્રામાં જોડાશે તેવી તેમણે જાહેરાત કરી છે.

New Rahul Gandhi has emerged, says Congress as Bharat Jodo Yatra enters Day  2 in Karnataka - India Today

Kashmir will be 100% Hindu-free if govt doesn't act now: Farooq Abdullah on  targeted killings | Exclusive - India Today

આ દેશની એકતા અને અખંડિતતા માટે સાથે ચાલીશું - અબ્દુલ્લા

રાહુલ ગાંધીની આ યાત્રામાં અનેક નેતાઓએ ભાગ લીધો છે. ત્યારે નેશનલ કોન્ફરન્સના ચીફ ફારૂક અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે આ યાત્રા જ્યારે લખનઉ પહોંચશે જ્યાંથી જમ્મુ કાશ્મીર શરૂ થાય છે ત્યારે હું ત્યાં જઈશ અને રાહુલ સાથે ચાલીશ. અમે આ દેશની એકતા અને અખંડિતતા માટે સાથે ચાલીશું. એકજૂથ રહેવું એ સમયની માગ છે.      

Gujarat Election 2022: સપ્ટેમ્બર માસના અંતમાં પ્રિયંકા ગાંધી ગુજરાત આવે  તેવી શક્યતા | TV9 Gujarati

પ્રિયંકા ગાંધી આ યાત્રામાં થઈ શકે છે સામેલ  

ભારત જોડો યાત્રા કરી રાહુલ ગાંધી કોંગ્રેસને બેઠી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ યાત્રા અનેક રાજ્યોમાંથી પસાર થઈ ચૂકી છે જ્યારે અનેક રાજ્યોમાંથી પસાર થવાની છે. હાલ આ યાત્રા મધ્યપ્રદેશ પહોંચી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ યાત્રામાં પ્રિયંકા ગાંધી પણ સામેલ થઈ શકે છે, કાશ્મીરથી નીકળેલી આ યાત્રા જમ્મુ કાશ્મીર પહોંચવાની છે. ત્યારે આ યાત્રામાં નેશનલ કોન્ફરન્સના ચીફ ફારૂક અબ્દુલ્લા પણ જોડાવાના છે તેવી જાહેરાત કરવામાં આવી છે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે