ભારત જોડો યાત્રા જ્યારે જમ્મુ-કાશ્મીર પહોંચશે ત્યારે ફારૂક અબ્દુલ્લા યાત્રામાં જોડાશે


  • Published By :
  • Published Date : 2022-11-23 12:08:06

રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. કન્યાકુમારીથી કાશ્મીર સુધી તેઓ આ યાત્રા કરી રહ્યા છે. ત્યારે હાલ આ યાત્રા હાલ મધ્યપ્રદેશ પહોંચી છે. આ યાત્રામાં અનેક દિગ્ગજ નેતાઓ સામેલ થયા છે. સોનિયા ગાંધી પણ આ યાત્રામાં સામેલ થયા હતા. ત્યારે નેશનલ કોન્ફરન્સના ચીફ ફારૂક અબ્દુલ્લા રાહુલ ગાંધીની આ યાત્રામાં સામેલ થવાના છે. આ યાત્રા જ્યારે જમ્મુ-કાશ્મીર પહોંચશે તે દરમિયાન તેઓ આ યાત્રામાં જોડાશે તેવી તેમણે જાહેરાત કરી છે.

New Rahul Gandhi has emerged, says Congress as Bharat Jodo Yatra enters Day  2 in Karnataka - India Today

Kashmir will be 100% Hindu-free if govt doesn't act now: Farooq Abdullah on  targeted killings | Exclusive - India Today

આ દેશની એકતા અને અખંડિતતા માટે સાથે ચાલીશું - અબ્દુલ્લા

રાહુલ ગાંધીની આ યાત્રામાં અનેક નેતાઓએ ભાગ લીધો છે. ત્યારે નેશનલ કોન્ફરન્સના ચીફ ફારૂક અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે આ યાત્રા જ્યારે લખનઉ પહોંચશે જ્યાંથી જમ્મુ કાશ્મીર શરૂ થાય છે ત્યારે હું ત્યાં જઈશ અને રાહુલ સાથે ચાલીશ. અમે આ દેશની એકતા અને અખંડિતતા માટે સાથે ચાલીશું. એકજૂથ રહેવું એ સમયની માગ છે.      

Gujarat Election 2022: સપ્ટેમ્બર માસના અંતમાં પ્રિયંકા ગાંધી ગુજરાત આવે  તેવી શક્યતા | TV9 Gujarati

પ્રિયંકા ગાંધી આ યાત્રામાં થઈ શકે છે સામેલ  

ભારત જોડો યાત્રા કરી રાહુલ ગાંધી કોંગ્રેસને બેઠી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ યાત્રા અનેક રાજ્યોમાંથી પસાર થઈ ચૂકી છે જ્યારે અનેક રાજ્યોમાંથી પસાર થવાની છે. હાલ આ યાત્રા મધ્યપ્રદેશ પહોંચી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ યાત્રામાં પ્રિયંકા ગાંધી પણ સામેલ થઈ શકે છે, કાશ્મીરથી નીકળેલી આ યાત્રા જમ્મુ કાશ્મીર પહોંચવાની છે. ત્યારે આ યાત્રામાં નેશનલ કોન્ફરન્સના ચીફ ફારૂક અબ્દુલ્લા પણ જોડાવાના છે તેવી જાહેરાત કરવામાં આવી છે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.