ભારત જોડો યાત્રા જ્યારે જમ્મુ-કાશ્મીર પહોંચશે ત્યારે ફારૂક અબ્દુલ્લા યાત્રામાં જોડાશે


  • Published By :
  • Published Date : 2022-11-23 12:08:06

રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. કન્યાકુમારીથી કાશ્મીર સુધી તેઓ આ યાત્રા કરી રહ્યા છે. ત્યારે હાલ આ યાત્રા હાલ મધ્યપ્રદેશ પહોંચી છે. આ યાત્રામાં અનેક દિગ્ગજ નેતાઓ સામેલ થયા છે. સોનિયા ગાંધી પણ આ યાત્રામાં સામેલ થયા હતા. ત્યારે નેશનલ કોન્ફરન્સના ચીફ ફારૂક અબ્દુલ્લા રાહુલ ગાંધીની આ યાત્રામાં સામેલ થવાના છે. આ યાત્રા જ્યારે જમ્મુ-કાશ્મીર પહોંચશે તે દરમિયાન તેઓ આ યાત્રામાં જોડાશે તેવી તેમણે જાહેરાત કરી છે.

New Rahul Gandhi has emerged, says Congress as Bharat Jodo Yatra enters Day  2 in Karnataka - India Today

Kashmir will be 100% Hindu-free if govt doesn't act now: Farooq Abdullah on  targeted killings | Exclusive - India Today

આ દેશની એકતા અને અખંડિતતા માટે સાથે ચાલીશું - અબ્દુલ્લા

રાહુલ ગાંધીની આ યાત્રામાં અનેક નેતાઓએ ભાગ લીધો છે. ત્યારે નેશનલ કોન્ફરન્સના ચીફ ફારૂક અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે આ યાત્રા જ્યારે લખનઉ પહોંચશે જ્યાંથી જમ્મુ કાશ્મીર શરૂ થાય છે ત્યારે હું ત્યાં જઈશ અને રાહુલ સાથે ચાલીશ. અમે આ દેશની એકતા અને અખંડિતતા માટે સાથે ચાલીશું. એકજૂથ રહેવું એ સમયની માગ છે.      

Gujarat Election 2022: સપ્ટેમ્બર માસના અંતમાં પ્રિયંકા ગાંધી ગુજરાત આવે  તેવી શક્યતા | TV9 Gujarati

પ્રિયંકા ગાંધી આ યાત્રામાં થઈ શકે છે સામેલ  

ભારત જોડો યાત્રા કરી રાહુલ ગાંધી કોંગ્રેસને બેઠી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ યાત્રા અનેક રાજ્યોમાંથી પસાર થઈ ચૂકી છે જ્યારે અનેક રાજ્યોમાંથી પસાર થવાની છે. હાલ આ યાત્રા મધ્યપ્રદેશ પહોંચી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ યાત્રામાં પ્રિયંકા ગાંધી પણ સામેલ થઈ શકે છે, કાશ્મીરથી નીકળેલી આ યાત્રા જમ્મુ કાશ્મીર પહોંચવાની છે. ત્યારે આ યાત્રામાં નેશનલ કોન્ફરન્સના ચીફ ફારૂક અબ્દુલ્લા પણ જોડાવાના છે તેવી જાહેરાત કરવામાં આવી છે. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.