અલીગઢના ભાજપના મહિલા નેતા સામે ફતવો જાહેર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-03 12:57:20

ઉત્તર પ્રદેશના અલીગઢના ભારતીય જનતા પાર્ટીની નેતા રૂબી ખાન હમણા વિવાદમાં ફસાયેલા છે. વાત એમ છે કે, ગણેશ ચતુર્થીના અવસર પર તેમણે વિઘ્નહર્તા ગણપતિની પૂજા કરી હતી. મુસલમાન સમાજના લોકોને રૂબી ખાનનું આ કામ નહોતું ગમ્યું. તેના સમાજના મુફ્તીએ રૂબી ખાન સામે ફતવો બહાર પાડી દીધો હતો. ફતવો જાહેર થયા બાદ સમગ્ર મામલો ગરમાયો હતો. રૂબીના સમાજના લોકોએ તેમના પર અનેક આરોપો લગાવ્યા હતા. રૂબી ખાને વળતો જવાબ આપતા કહ્યું કે, "સાચા મુસલમાન આવી વાતો નથી કરતા."


અલીગઢની ભારતીય જનતા પાર્ટીની મુસ્લિમ મહિલાએ ગણપતિની પૂજા કરતા દેવબંદના મુફ્તીએ મહિલા સામે ફતવો જાહેર કર્યો છે. ઘરમાં ગણપતિની સ્થાપના કરનાર રૂબી ખાન સામે ફતવો જાહેર કરી દેવામાં આવ્યો હતો. 


સમગ્ર મામલે ભાજપના મહિલા નેતાએ શું કહ્યું?

જ્યારે રૂબી ખાનને વિવાદ મામલે પોતાનું નિવેદન આપી જણાવ્યું હતું કે, "ગણપતિ જ્ઞાનની સાથે સુખ અને સમૃદ્ધિના દેવતા છે. જે લોકો ફતવો જાહેર કરી રહ્યા છે તેઓ ભારતમાં સાંપ્રદાયિક એકતાને ડોળવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોઈ પણ મારી સામે ફતવો જાહેર કરે તો મને તેનાથી કોઈ ફરક નથી પડતો. મારા સામે પોસ્ટરો પણ જાહેર કરી દેવામાં આવ્યા છે પરંતું મને કોઈ તકલીફ નથી. તેમને જે કરવું હોય તે તેઓ કરે મારે જે કરવું છે તે હું કરીશ." 



ઈસ્લામ ધર્મમાં અલ્લાહ સિવાય કોઈ સામે શીશ નમાવવું પાપઃ મુફ્તી

ત્યારે ફતવો જાહેર કરનાર મુફ્તીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે, "ઈસ્લામ ધર્મમાં અલ્લાહ સિવાય કોઈ સામે શીશ નમાવવું પાપ છે. જો આજે એક મહિલાએ આવું કામ કર્યું છે તો કાલે અન્ય મુસ્લિમો પણ આવી રીતે કરશે. તેમની સામે કાર્યવાહી કરવી અનિવાર્ય છે."


દેશના બંધારણની અનુસૂચિ 25થી 28 ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર આપે છે. ભારત એક ધર્મનિર્પેક્ષ દેશ છે, રાજ્યોનો કોઈ ધર્મ નથી પરંતુ તમામ નાગરિકોને કોઈ પણ ધર્મમાં વિશ્વાસ રાખવા અને તેની પસંદ અનુસાર ઉપાસના કરવા માટે પૂર્ણ સ્વતંત્રતા આપે છે.




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.