અલીગઢના ભાજપના મહિલા નેતા સામે ફતવો જાહેર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-03 12:57:20

ઉત્તર પ્રદેશના અલીગઢના ભારતીય જનતા પાર્ટીની નેતા રૂબી ખાન હમણા વિવાદમાં ફસાયેલા છે. વાત એમ છે કે, ગણેશ ચતુર્થીના અવસર પર તેમણે વિઘ્નહર્તા ગણપતિની પૂજા કરી હતી. મુસલમાન સમાજના લોકોને રૂબી ખાનનું આ કામ નહોતું ગમ્યું. તેના સમાજના મુફ્તીએ રૂબી ખાન સામે ફતવો બહાર પાડી દીધો હતો. ફતવો જાહેર થયા બાદ સમગ્ર મામલો ગરમાયો હતો. રૂબીના સમાજના લોકોએ તેમના પર અનેક આરોપો લગાવ્યા હતા. રૂબી ખાને વળતો જવાબ આપતા કહ્યું કે, "સાચા મુસલમાન આવી વાતો નથી કરતા."


અલીગઢની ભારતીય જનતા પાર્ટીની મુસ્લિમ મહિલાએ ગણપતિની પૂજા કરતા દેવબંદના મુફ્તીએ મહિલા સામે ફતવો જાહેર કર્યો છે. ઘરમાં ગણપતિની સ્થાપના કરનાર રૂબી ખાન સામે ફતવો જાહેર કરી દેવામાં આવ્યો હતો. 


સમગ્ર મામલે ભાજપના મહિલા નેતાએ શું કહ્યું?

જ્યારે રૂબી ખાનને વિવાદ મામલે પોતાનું નિવેદન આપી જણાવ્યું હતું કે, "ગણપતિ જ્ઞાનની સાથે સુખ અને સમૃદ્ધિના દેવતા છે. જે લોકો ફતવો જાહેર કરી રહ્યા છે તેઓ ભારતમાં સાંપ્રદાયિક એકતાને ડોળવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોઈ પણ મારી સામે ફતવો જાહેર કરે તો મને તેનાથી કોઈ ફરક નથી પડતો. મારા સામે પોસ્ટરો પણ જાહેર કરી દેવામાં આવ્યા છે પરંતું મને કોઈ તકલીફ નથી. તેમને જે કરવું હોય તે તેઓ કરે મારે જે કરવું છે તે હું કરીશ." 



ઈસ્લામ ધર્મમાં અલ્લાહ સિવાય કોઈ સામે શીશ નમાવવું પાપઃ મુફ્તી

ત્યારે ફતવો જાહેર કરનાર મુફ્તીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે, "ઈસ્લામ ધર્મમાં અલ્લાહ સિવાય કોઈ સામે શીશ નમાવવું પાપ છે. જો આજે એક મહિલાએ આવું કામ કર્યું છે તો કાલે અન્ય મુસ્લિમો પણ આવી રીતે કરશે. તેમની સામે કાર્યવાહી કરવી અનિવાર્ય છે."


દેશના બંધારણની અનુસૂચિ 25થી 28 ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર આપે છે. ભારત એક ધર્મનિર્પેક્ષ દેશ છે, રાજ્યોનો કોઈ ધર્મ નથી પરંતુ તમામ નાગરિકોને કોઈ પણ ધર્મમાં વિશ્વાસ રાખવા અને તેની પસંદ અનુસાર ઉપાસના કરવા માટે પૂર્ણ સ્વતંત્રતા આપે છે.




ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .