મોદી રાજમાં FDI પહેલી વખત 16 ટકા ઘટ્યું, RBIના રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો


  • Published By :
  • Published Date : 2023-05-24 16:24:41

વિદેશી મૂડી રોકાણ મામલે દેશને  મોટો ઝટકો લાગ્યો છે. મોદી સરકાર માટે પણ આ મોટી પીછેહઠ મનાય છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ જાહેર કરેલા રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે વિદેશી મૂડીરોકાણમાં 16 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. RBIના સ્ટેટ ઓફ ધ ઈકોનોમી નામના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 31 માર્ચ 2023ના રોજ સમાપ્ત થયેલા નાણાકિય વર્ષ દરમિયાન ગ્રોસ ઈનવાર્ડ FDIમાં 16 ટકાથી વધુનો ઘટાડો આવ્યો છે. 


FDI કેટલું ઘટ્યું?


FDI ના આ આંકડા મુજબ નાણાકિય વર્ષ 2021-22માં 84.8 બિલિયન ડોલર રહી ગયું છે. આ નાણાકિય વર્ષ 2022-23 દરમિયાન 16.3 ટકાથી ઘટીને 71 બિલિયન ડોલર જેટલું રહી ગયું છે. આ છેલ્લા એક દાયકામાં પહેલો મોટો ઘટાડો છે. જો નેટ બેઝિસ પર નજર કરીએ તો FDI 27.5 ટકા ઘટીને 28 બિલિયન ડોલર થયું છે. જાન્યુઆરીમાં જાહેર કરાયેલા આંકડા મુજબ, વર્ષ 2022માં ચીનમાં FDIનો પ્રવાહ 8 ટકા વધીને 189 બિલિયન ડોલર થઈ ગયું હતું.


FDI શા માટે ઘટ્યું?


દેશમાં વિદેશી મૂડી રોકાણમાં ઘટાડાનું મુખ્ય કારણ વૈશ્વિક મંદી છે. જો કે સૌથી મોટો ઘટાડો તો મેન્યુફેક્ચરિંગ, આઈટી સર્વિસીસ, ટેલિકોમ જેવા સેક્ટરમાં જોવા મળ્યો છે. અમેરિકા, સ્વિઝર્લેન્ડ અને મોરેશિયસથી એફડીઆઈમાં ઘટાડો નોંધાયો છે. નાણાકિય વર્ષ 2021-22માં નેટ એફડીઆઈના આંકડા 38.6 બિલિયન ડોલર રહ્યું હતું. જે છેલ્લા નાણાકિય વર્ષમાં ઘટીને 28 બિલિયન ડોલર જેટલું રહી ગયું છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.