મોદી રાજમાં FDI પહેલી વખત 16 ટકા ઘટ્યું, RBIના રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો


  • Published By :
  • Published Date : 2023-05-24 16:24:41

વિદેશી મૂડી રોકાણ મામલે દેશને  મોટો ઝટકો લાગ્યો છે. મોદી સરકાર માટે પણ આ મોટી પીછેહઠ મનાય છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ જાહેર કરેલા રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે વિદેશી મૂડીરોકાણમાં 16 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. RBIના સ્ટેટ ઓફ ધ ઈકોનોમી નામના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 31 માર્ચ 2023ના રોજ સમાપ્ત થયેલા નાણાકિય વર્ષ દરમિયાન ગ્રોસ ઈનવાર્ડ FDIમાં 16 ટકાથી વધુનો ઘટાડો આવ્યો છે. 


FDI કેટલું ઘટ્યું?


FDI ના આ આંકડા મુજબ નાણાકિય વર્ષ 2021-22માં 84.8 બિલિયન ડોલર રહી ગયું છે. આ નાણાકિય વર્ષ 2022-23 દરમિયાન 16.3 ટકાથી ઘટીને 71 બિલિયન ડોલર જેટલું રહી ગયું છે. આ છેલ્લા એક દાયકામાં પહેલો મોટો ઘટાડો છે. જો નેટ બેઝિસ પર નજર કરીએ તો FDI 27.5 ટકા ઘટીને 28 બિલિયન ડોલર થયું છે. જાન્યુઆરીમાં જાહેર કરાયેલા આંકડા મુજબ, વર્ષ 2022માં ચીનમાં FDIનો પ્રવાહ 8 ટકા વધીને 189 બિલિયન ડોલર થઈ ગયું હતું.


FDI શા માટે ઘટ્યું?


દેશમાં વિદેશી મૂડી રોકાણમાં ઘટાડાનું મુખ્ય કારણ વૈશ્વિક મંદી છે. જો કે સૌથી મોટો ઘટાડો તો મેન્યુફેક્ચરિંગ, આઈટી સર્વિસીસ, ટેલિકોમ જેવા સેક્ટરમાં જોવા મળ્યો છે. અમેરિકા, સ્વિઝર્લેન્ડ અને મોરેશિયસથી એફડીઆઈમાં ઘટાડો નોંધાયો છે. નાણાકિય વર્ષ 2021-22માં નેટ એફડીઆઈના આંકડા 38.6 બિલિયન ડોલર રહ્યું હતું. જે છેલ્લા નાણાકિય વર્ષમાં ઘટીને 28 બિલિયન ડોલર જેટલું રહી ગયું છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.