મોદી રાજમાં FDI પહેલી વખત 16 ટકા ઘટ્યું, RBIના રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો


  • Published By :
  • Published Date : 2023-05-24 16:24:41

વિદેશી મૂડી રોકાણ મામલે દેશને  મોટો ઝટકો લાગ્યો છે. મોદી સરકાર માટે પણ આ મોટી પીછેહઠ મનાય છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ જાહેર કરેલા રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે વિદેશી મૂડીરોકાણમાં 16 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. RBIના સ્ટેટ ઓફ ધ ઈકોનોમી નામના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 31 માર્ચ 2023ના રોજ સમાપ્ત થયેલા નાણાકિય વર્ષ દરમિયાન ગ્રોસ ઈનવાર્ડ FDIમાં 16 ટકાથી વધુનો ઘટાડો આવ્યો છે. 


FDI કેટલું ઘટ્યું?


FDI ના આ આંકડા મુજબ નાણાકિય વર્ષ 2021-22માં 84.8 બિલિયન ડોલર રહી ગયું છે. આ નાણાકિય વર્ષ 2022-23 દરમિયાન 16.3 ટકાથી ઘટીને 71 બિલિયન ડોલર જેટલું રહી ગયું છે. આ છેલ્લા એક દાયકામાં પહેલો મોટો ઘટાડો છે. જો નેટ બેઝિસ પર નજર કરીએ તો FDI 27.5 ટકા ઘટીને 28 બિલિયન ડોલર થયું છે. જાન્યુઆરીમાં જાહેર કરાયેલા આંકડા મુજબ, વર્ષ 2022માં ચીનમાં FDIનો પ્રવાહ 8 ટકા વધીને 189 બિલિયન ડોલર થઈ ગયું હતું.


FDI શા માટે ઘટ્યું?


દેશમાં વિદેશી મૂડી રોકાણમાં ઘટાડાનું મુખ્ય કારણ વૈશ્વિક મંદી છે. જો કે સૌથી મોટો ઘટાડો તો મેન્યુફેક્ચરિંગ, આઈટી સર્વિસીસ, ટેલિકોમ જેવા સેક્ટરમાં જોવા મળ્યો છે. અમેરિકા, સ્વિઝર્લેન્ડ અને મોરેશિયસથી એફડીઆઈમાં ઘટાડો નોંધાયો છે. નાણાકિય વર્ષ 2021-22માં નેટ એફડીઆઈના આંકડા 38.6 બિલિયન ડોલર રહ્યું હતું. જે છેલ્લા નાણાકિય વર્ષમાં ઘટીને 28 બિલિયન ડોલર જેટલું રહી ગયું છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.