1 લી અપ્રિલથી વિદેશ જવું મોંઘું પડશે!


  • Published By : Simple Thakkar
  • Published Date : 2025-03-31 18:00:02


૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે. ભારતીયો માટે વર્ક સ્પોન્સરશિપ અને લાંબા ગાળાના યુનિવર્સિટી અભ્યાસક્રમો સુધીની વિવિધ શ્રેણીઓ અંર્તગત તમામને અસર થશે. એપ્રિલથી યુકે વિઝા ફીમાં ફેરફાર કરશે.યુકે સરકારે મોટાભાગની શ્રેણીઓમાં તેના વિઝા અને ઇમિગ્રેશન ફી માળખામાં સુધારો કર્યો છે.

કેટલો વધારો થશે?

 છ મહિનાના રેગ્યુલર વિઝિટર વિઝાની કિંમત હવે £૧૨૭ આશરે ૧૪ હજાર થશે, જે £૧૧૫ આશરે ૧૨,૭૦૦ હતી. લાંબા ગાળાના વિઝિટર વિઝા ફી પણ વધી રહી છે બે વર્ષના વિઝાની કિંમત £૪૭૫ થશે જે અગાઉ £૪૩૨ હતી.પાંચ વર્ષના વિઝાની કિંમત £૭૭૧ થી વધારીને £૮૪૮ કર્યા છે.દસ વર્ષના વિઝાની કિંમત £,૦૫૯ થશે જે પહેલા £૯૬૩ હતી.

ભારતીયો ને વિદેશ જવાનો શોખ દિવસે ને દિવસે વધી રહયો છે. કોઈપણ સરકાર કેટલો પણ ખર્ચ વધારશે પણ જવા માટેનો ધસારો વધતો જ રહે છે. વિદેશની ઘેલછા હવે ઘટવાને બદલે વધી રહી છે. લોકો સરકારના નિયમ અનુસાર લાયકાત ના ઘરાવે તો પણ તેઓ ડંકી રુટ વળે પણ જીવના જોખમે વિદેશ જાય છે. અમેરિકામાં ટ્રમ્પ સરકારના બદલાયેલ નિયમો બાદ જે રીતે ભારતીયોને બંદી બનાવીને પાછા મોકલ્યા હતા તે જોવા છતાંય લોકો હજી પણ વિદેશ જવા ઉતાવળા થતાં રહે છે. ડંકી રુટ સાથે જીવના જોખમે લોકો વધુ નાણાં અને અગવડ ભોગવીને પણ ભારત છોડીને જઈ રહ્યા છે. રોજબરોજ છાપામાં સમાચાર આવે છે કે લોકો કેવી રીતે દર્દનાક મોતને ભેટે છે જે રૂંવાટા ઊભા કરે છે છતાંય હજી પણ વિદેશ માટેની તૃષ્ણા સમાતી નથી.

            






દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી

વિસાવદરની પેટાચૂંટણીમાં વિજય પછી આમ આદમી પાર્ટીમાં ભારે ઉત્સાહનો માહોલ છે. થોડાક સમય પેહલા , આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલ પણ ગુજરાત આવ્યા હતા . તેમણે સદસ્યતા અભિયાનની શરૂઆત કરાવડાવી હતી . આમ આદમી પાર્ટીની રણનીતિ છે કે , આવનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ પેહલા , પોતાનું સંગઠન મજબૂત કરે. હવે , BJP અને કોંગ્રેસમાંથી ગાબડાં પડવાની શરૂઆત થઈ ચુકી છે. જૂનાગઢ જિલ્લામાં કેશોદ ખાતે, MLA ગોપાલ ઇટાલિયાની હાજરીમાં BJP અને કોંગ્રેસના હોદ્દેદારો ખુબ મોટા પાયે , આમ આદમી પાર્ટીમાં જોડાયા છે, તે પેહલા , આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની હાજરીમાં મહેસાણામાં BJP અને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.