1 લી અપ્રિલથી વિદેશ જવું મોંઘું પડશે!


  • Published By : Simple Thakkar
  • Published Date : 2025-03-31 18:00:02


૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે. ભારતીયો માટે વર્ક સ્પોન્સરશિપ અને લાંબા ગાળાના યુનિવર્સિટી અભ્યાસક્રમો સુધીની વિવિધ શ્રેણીઓ અંર્તગત તમામને અસર થશે. એપ્રિલથી યુકે વિઝા ફીમાં ફેરફાર કરશે.યુકે સરકારે મોટાભાગની શ્રેણીઓમાં તેના વિઝા અને ઇમિગ્રેશન ફી માળખામાં સુધારો કર્યો છે.

કેટલો વધારો થશે?

 છ મહિનાના રેગ્યુલર વિઝિટર વિઝાની કિંમત હવે £૧૨૭ આશરે ૧૪ હજાર થશે, જે £૧૧૫ આશરે ૧૨,૭૦૦ હતી. લાંબા ગાળાના વિઝિટર વિઝા ફી પણ વધી રહી છે બે વર્ષના વિઝાની કિંમત £૪૭૫ થશે જે અગાઉ £૪૩૨ હતી.પાંચ વર્ષના વિઝાની કિંમત £૭૭૧ થી વધારીને £૮૪૮ કર્યા છે.દસ વર્ષના વિઝાની કિંમત £,૦૫૯ થશે જે પહેલા £૯૬૩ હતી.

ભારતીયો ને વિદેશ જવાનો શોખ દિવસે ને દિવસે વધી રહયો છે. કોઈપણ સરકાર કેટલો પણ ખર્ચ વધારશે પણ જવા માટેનો ધસારો વધતો જ રહે છે. વિદેશની ઘેલછા હવે ઘટવાને બદલે વધી રહી છે. લોકો સરકારના નિયમ અનુસાર લાયકાત ના ઘરાવે તો પણ તેઓ ડંકી રુટ વળે પણ જીવના જોખમે વિદેશ જાય છે. અમેરિકામાં ટ્રમ્પ સરકારના બદલાયેલ નિયમો બાદ જે રીતે ભારતીયોને બંદી બનાવીને પાછા મોકલ્યા હતા તે જોવા છતાંય લોકો હજી પણ વિદેશ જવા ઉતાવળા થતાં રહે છે. ડંકી રુટ સાથે જીવના જોખમે લોકો વધુ નાણાં અને અગવડ ભોગવીને પણ ભારત છોડીને જઈ રહ્યા છે. રોજબરોજ છાપામાં સમાચાર આવે છે કે લોકો કેવી રીતે દર્દનાક મોતને ભેટે છે જે રૂંવાટા ઊભા કરે છે છતાંય હજી પણ વિદેશ માટેની તૃષ્ણા સમાતી નથી.

            






અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.