1 લી અપ્રિલથી વિદેશ જવું મોંઘું પડશે!


  • Published By : Simple Thakkar
  • Published Date : 2025-03-31 18:00:02


૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે. ભારતીયો માટે વર્ક સ્પોન્સરશિપ અને લાંબા ગાળાના યુનિવર્સિટી અભ્યાસક્રમો સુધીની વિવિધ શ્રેણીઓ અંર્તગત તમામને અસર થશે. એપ્રિલથી યુકે વિઝા ફીમાં ફેરફાર કરશે.યુકે સરકારે મોટાભાગની શ્રેણીઓમાં તેના વિઝા અને ઇમિગ્રેશન ફી માળખામાં સુધારો કર્યો છે.

કેટલો વધારો થશે?

 છ મહિનાના રેગ્યુલર વિઝિટર વિઝાની કિંમત હવે £૧૨૭ આશરે ૧૪ હજાર થશે, જે £૧૧૫ આશરે ૧૨,૭૦૦ હતી. લાંબા ગાળાના વિઝિટર વિઝા ફી પણ વધી રહી છે બે વર્ષના વિઝાની કિંમત £૪૭૫ થશે જે અગાઉ £૪૩૨ હતી.પાંચ વર્ષના વિઝાની કિંમત £૭૭૧ થી વધારીને £૮૪૮ કર્યા છે.દસ વર્ષના વિઝાની કિંમત £,૦૫૯ થશે જે પહેલા £૯૬૩ હતી.

ભારતીયો ને વિદેશ જવાનો શોખ દિવસે ને દિવસે વધી રહયો છે. કોઈપણ સરકાર કેટલો પણ ખર્ચ વધારશે પણ જવા માટેનો ધસારો વધતો જ રહે છે. વિદેશની ઘેલછા હવે ઘટવાને બદલે વધી રહી છે. લોકો સરકારના નિયમ અનુસાર લાયકાત ના ઘરાવે તો પણ તેઓ ડંકી રુટ વળે પણ જીવના જોખમે વિદેશ જાય છે. અમેરિકામાં ટ્રમ્પ સરકારના બદલાયેલ નિયમો બાદ જે રીતે ભારતીયોને બંદી બનાવીને પાછા મોકલ્યા હતા તે જોવા છતાંય લોકો હજી પણ વિદેશ જવા ઉતાવળા થતાં રહે છે. ડંકી રુટ સાથે જીવના જોખમે લોકો વધુ નાણાં અને અગવડ ભોગવીને પણ ભારત છોડીને જઈ રહ્યા છે. રોજબરોજ છાપામાં સમાચાર આવે છે કે લોકો કેવી રીતે દર્દનાક મોતને ભેટે છે જે રૂંવાટા ઊભા કરે છે છતાંય હજી પણ વિદેશ માટેની તૃષ્ણા સમાતી નથી.

            






ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે