મહિલા પત્રકારે હિજાબ પહેરવાની ના પાડી, ઈરાનના રાષ્ટ્રપતિએ ઈન્ટરવ્યુ કેન્સલ કર્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-23 08:49:32

પત્રકારે વાતચીત દરમિયાન હિજાબ પહેરવાનો ઇનકાર કર્યા બાદ ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસીએ ગુરુવારે અમેરિકી મહિલા પત્રકાર સાથેનો ઈન્ટરવ્યુ રદ કરી દીધો હતો. આ ઘટના એવા સમયે બની છે જ્યારે ઈરાનમાં હિજાબ કાયદાનો ભારે વિરોધ થઈ રહ્યો છે.

રાષ્ટ્રપતિની રાહ જોતા બેઠેલા પત્રકાર

મહિલા પત્રકારે હિજાબ પહેરવાની ના પાડી, ઈરાનના રાષ્ટ્રપતિએ ઈન્ટરવ્યુ રદ કર્યો.

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસીએ ગુરુવારે ઈરાનમાં હિજાબ કાયદા સામે ભારે વિરોધના સમયે, હિજાબ પહેરવાનો ઇનકાર કર્યા પછી એક યુએસ મહિલા પત્રકાર સાથેનો ઈન્ટરવ્યુ રદ કર્યો હતો. થોડા દિવસો પહેલા એક મહિલાને હિજાબ એક્ટનો વિરોધ કરવા બદલ પોલીસ કસ્ટડીમાં લેવામાં આવી હતી, જ્યાં તેનું મૃત્યુ થયું હતું.

હિજાબ પહેરવાનો ઇનકાર કર્યા બાદ ઇન્ટરવ્યુ રદ્દ

તમને જણાવી દઈએ કે સીએનએનના પત્રકાર ક્રિશ્ચિયન અમનપોરે હિજાબ પહેરવાનો ઇનકાર કર્યા બાદ ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીનો નિર્ધારિત ઈન્ટરવ્યુ અચાનક રદ કરવામાં આવ્યો હતો. અમનપોરે ટ્વીટ કર્યું કે તેણીને હિજાબ પહેરવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ તેણીએ ઇનકાર કર્યા પછી ઇન્ટરવ્યુ રદ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે ઇન્ટરવ્યુ દરમિયાન રાષ્ટ્રપતિ સાથે દેશમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનો, જેમાં પોલીસ કસ્ટડીમાં મહિલાના મોત સહિતની અનેક ઘટનાઓ વિશે ચર્ચા થવાની હતી. પોલીસ કસ્ટડીમાં મહિલાના મોત બાદ વિરોધ પ્રદર્શન દરમિયાન લોકો તેમના હિજાબ સળગાવી રહ્યા છે.

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસી ફાઈલ તસવીર

Ebrahim Raisi Age, Wife, Biography & More » StarsUnfolded

સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) માટે ન્યૂયોર્કની મુલાકાત દરમિયાન, રાષ્ટ્રપતિ રાયસી યુએસમાં પ્રથમ મુલાકાત માટે જઈ રહ્યા હતા. ઇન્ટરવ્યુ માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી. તેણીએ કહ્યું કે તેણીએ ઇન્ટરવ્યુ માટે 40 મિનિટ રાહ જોઈ, પરંતુ રાષ્ટ્રપતિએ ઇન્ટરવ્યુ રદ કરી દીધો. તેમણે કહ્યું કે લગભગ 40 મિનિટ પછી રાષ્ટ્રપતિની બાજુથી એક વ્યક્તિ આવ્યો અને તેમને હિજાબ પહેરવાનું કહ્યું, જેને પત્રકારે ના પાડી. જે બાદ ઈન્ટરવ્યુ રદ્દ કરવામાં આવ્યો હતો.

ઈરાનમાં હિજાબ કાયદા વિરુદ્ધ પ્રદર્શન ચાલુ છે

પત્રકારે ટ્વીટ કર્યું, 'અંતમાં ઈન્ટરવ્યૂ ન થયો. ઈરાનમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે અને લોકોની હત્યા થઈ રહી છે, ત્યારે રાષ્ટ્રપતિ રાયસી સાથે વાત કરવાની આ એક મહત્વપૂર્ણ ક્ષણ હશે. ઈરાનમાં હજારો લોકો હિજાબ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. પ્રદર્શનકારીઓ વિવિધ સ્થળોએ વાહનોને આગ લગાવી રહ્યા છે અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. તાજેતરમાં જ પોલીસ કસ્ટડીમાં એક મહિલા પ્રદર્શનકારીના મોત બાદ લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .