મહિલા પત્રકારે હિજાબ પહેરવાની ના પાડી, ઈરાનના રાષ્ટ્રપતિએ ઈન્ટરવ્યુ કેન્સલ કર્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-23 08:49:32

પત્રકારે વાતચીત દરમિયાન હિજાબ પહેરવાનો ઇનકાર કર્યા બાદ ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસીએ ગુરુવારે અમેરિકી મહિલા પત્રકાર સાથેનો ઈન્ટરવ્યુ રદ કરી દીધો હતો. આ ઘટના એવા સમયે બની છે જ્યારે ઈરાનમાં હિજાબ કાયદાનો ભારે વિરોધ થઈ રહ્યો છે.

રાષ્ટ્રપતિની રાહ જોતા બેઠેલા પત્રકાર

મહિલા પત્રકારે હિજાબ પહેરવાની ના પાડી, ઈરાનના રાષ્ટ્રપતિએ ઈન્ટરવ્યુ રદ કર્યો.

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસીએ ગુરુવારે ઈરાનમાં હિજાબ કાયદા સામે ભારે વિરોધના સમયે, હિજાબ પહેરવાનો ઇનકાર કર્યા પછી એક યુએસ મહિલા પત્રકાર સાથેનો ઈન્ટરવ્યુ રદ કર્યો હતો. થોડા દિવસો પહેલા એક મહિલાને હિજાબ એક્ટનો વિરોધ કરવા બદલ પોલીસ કસ્ટડીમાં લેવામાં આવી હતી, જ્યાં તેનું મૃત્યુ થયું હતું.

હિજાબ પહેરવાનો ઇનકાર કર્યા બાદ ઇન્ટરવ્યુ રદ્દ

તમને જણાવી દઈએ કે સીએનએનના પત્રકાર ક્રિશ્ચિયન અમનપોરે હિજાબ પહેરવાનો ઇનકાર કર્યા બાદ ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીનો નિર્ધારિત ઈન્ટરવ્યુ અચાનક રદ કરવામાં આવ્યો હતો. અમનપોરે ટ્વીટ કર્યું કે તેણીને હિજાબ પહેરવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ તેણીએ ઇનકાર કર્યા પછી ઇન્ટરવ્યુ રદ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે ઇન્ટરવ્યુ દરમિયાન રાષ્ટ્રપતિ સાથે દેશમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનો, જેમાં પોલીસ કસ્ટડીમાં મહિલાના મોત સહિતની અનેક ઘટનાઓ વિશે ચર્ચા થવાની હતી. પોલીસ કસ્ટડીમાં મહિલાના મોત બાદ વિરોધ પ્રદર્શન દરમિયાન લોકો તેમના હિજાબ સળગાવી રહ્યા છે.

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસી ફાઈલ તસવીર

Ebrahim Raisi Age, Wife, Biography & More » StarsUnfolded

સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) માટે ન્યૂયોર્કની મુલાકાત દરમિયાન, રાષ્ટ્રપતિ રાયસી યુએસમાં પ્રથમ મુલાકાત માટે જઈ રહ્યા હતા. ઇન્ટરવ્યુ માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી. તેણીએ કહ્યું કે તેણીએ ઇન્ટરવ્યુ માટે 40 મિનિટ રાહ જોઈ, પરંતુ રાષ્ટ્રપતિએ ઇન્ટરવ્યુ રદ કરી દીધો. તેમણે કહ્યું કે લગભગ 40 મિનિટ પછી રાષ્ટ્રપતિની બાજુથી એક વ્યક્તિ આવ્યો અને તેમને હિજાબ પહેરવાનું કહ્યું, જેને પત્રકારે ના પાડી. જે બાદ ઈન્ટરવ્યુ રદ્દ કરવામાં આવ્યો હતો.

ઈરાનમાં હિજાબ કાયદા વિરુદ્ધ પ્રદર્શન ચાલુ છે

પત્રકારે ટ્વીટ કર્યું, 'અંતમાં ઈન્ટરવ્યૂ ન થયો. ઈરાનમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે અને લોકોની હત્યા થઈ રહી છે, ત્યારે રાષ્ટ્રપતિ રાયસી સાથે વાત કરવાની આ એક મહત્વપૂર્ણ ક્ષણ હશે. ઈરાનમાં હજારો લોકો હિજાબ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. પ્રદર્શનકારીઓ વિવિધ સ્થળોએ વાહનોને આગ લગાવી રહ્યા છે અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. તાજેતરમાં જ પોલીસ કસ્ટડીમાં એક મહિલા પ્રદર્શનકારીના મોત બાદ લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.