મહિલા પત્રકારે હિજાબ પહેરવાની ના પાડી, ઈરાનના રાષ્ટ્રપતિએ ઈન્ટરવ્યુ કેન્સલ કર્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-23 08:49:32

પત્રકારે વાતચીત દરમિયાન હિજાબ પહેરવાનો ઇનકાર કર્યા બાદ ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસીએ ગુરુવારે અમેરિકી મહિલા પત્રકાર સાથેનો ઈન્ટરવ્યુ રદ કરી દીધો હતો. આ ઘટના એવા સમયે બની છે જ્યારે ઈરાનમાં હિજાબ કાયદાનો ભારે વિરોધ થઈ રહ્યો છે.

રાષ્ટ્રપતિની રાહ જોતા બેઠેલા પત્રકાર

મહિલા પત્રકારે હિજાબ પહેરવાની ના પાડી, ઈરાનના રાષ્ટ્રપતિએ ઈન્ટરવ્યુ રદ કર્યો.

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસીએ ગુરુવારે ઈરાનમાં હિજાબ કાયદા સામે ભારે વિરોધના સમયે, હિજાબ પહેરવાનો ઇનકાર કર્યા પછી એક યુએસ મહિલા પત્રકાર સાથેનો ઈન્ટરવ્યુ રદ કર્યો હતો. થોડા દિવસો પહેલા એક મહિલાને હિજાબ એક્ટનો વિરોધ કરવા બદલ પોલીસ કસ્ટડીમાં લેવામાં આવી હતી, જ્યાં તેનું મૃત્યુ થયું હતું.

હિજાબ પહેરવાનો ઇનકાર કર્યા બાદ ઇન્ટરવ્યુ રદ્દ

તમને જણાવી દઈએ કે સીએનએનના પત્રકાર ક્રિશ્ચિયન અમનપોરે હિજાબ પહેરવાનો ઇનકાર કર્યા બાદ ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીનો નિર્ધારિત ઈન્ટરવ્યુ અચાનક રદ કરવામાં આવ્યો હતો. અમનપોરે ટ્વીટ કર્યું કે તેણીને હિજાબ પહેરવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ તેણીએ ઇનકાર કર્યા પછી ઇન્ટરવ્યુ રદ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે ઇન્ટરવ્યુ દરમિયાન રાષ્ટ્રપતિ સાથે દેશમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનો, જેમાં પોલીસ કસ્ટડીમાં મહિલાના મોત સહિતની અનેક ઘટનાઓ વિશે ચર્ચા થવાની હતી. પોલીસ કસ્ટડીમાં મહિલાના મોત બાદ વિરોધ પ્રદર્શન દરમિયાન લોકો તેમના હિજાબ સળગાવી રહ્યા છે.

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસી ફાઈલ તસવીર

Ebrahim Raisi Age, Wife, Biography & More » StarsUnfolded

સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) માટે ન્યૂયોર્કની મુલાકાત દરમિયાન, રાષ્ટ્રપતિ રાયસી યુએસમાં પ્રથમ મુલાકાત માટે જઈ રહ્યા હતા. ઇન્ટરવ્યુ માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી. તેણીએ કહ્યું કે તેણીએ ઇન્ટરવ્યુ માટે 40 મિનિટ રાહ જોઈ, પરંતુ રાષ્ટ્રપતિએ ઇન્ટરવ્યુ રદ કરી દીધો. તેમણે કહ્યું કે લગભગ 40 મિનિટ પછી રાષ્ટ્રપતિની બાજુથી એક વ્યક્તિ આવ્યો અને તેમને હિજાબ પહેરવાનું કહ્યું, જેને પત્રકારે ના પાડી. જે બાદ ઈન્ટરવ્યુ રદ્દ કરવામાં આવ્યો હતો.

ઈરાનમાં હિજાબ કાયદા વિરુદ્ધ પ્રદર્શન ચાલુ છે

પત્રકારે ટ્વીટ કર્યું, 'અંતમાં ઈન્ટરવ્યૂ ન થયો. ઈરાનમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે અને લોકોની હત્યા થઈ રહી છે, ત્યારે રાષ્ટ્રપતિ રાયસી સાથે વાત કરવાની આ એક મહત્વપૂર્ણ ક્ષણ હશે. ઈરાનમાં હજારો લોકો હિજાબ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. પ્રદર્શનકારીઓ વિવિધ સ્થળોએ વાહનોને આગ લગાવી રહ્યા છે અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. તાજેતરમાં જ પોલીસ કસ્ટડીમાં એક મહિલા પ્રદર્શનકારીના મોત બાદ લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.



નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે

રાજુલા તાલુકાના ધારાનો નેસ ગામમાં રહેતો ધાખડા પરિવાર. રવિરાજભાઈએ આર્મીમાં ફરજ બજાવવાનું સપનું જોયું, વર્ષોથી કાશ્મીરમાં ફરજ બજાવતા હતા. કેન્સર થતા તેમની સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. નશ્વર દેહ જ્યારે વતન આવ્યો ત્યારે અંતિમ વિદાય આપવા મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા.

પરષોત્તમ રૂપાલા વિરૂદ્ધ ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. તેમની ટિકીટ રદ્દ થાય તેવી માગ સમાજ દ્વારા કરવામાં આવી.. આ બધા વચ્ચે થોડા દિવસ પહેલા સંકલન સમિતી દ્વારા આંદોલનને મોકૂફ રાખવાની જાહેરાત કરાઈ તો હવે પદ્મિની બા વાળાએ પરષોત્તમ રૂપાલાને માફી આપી દીધી છે.