મહિલા રેસલરની 6 જગ્યાએ થઈ છેડતી, બ્રિજ ભૂષણ વિરુદ્ધ 17 લોકોએ આપી જુબાની, ચાર્જશીટમાં ખુલાસો


  • Published By :
  • Published Date : 2023-07-12 22:11:48

મહિલા રેસલર્સ અને બ્રિજભૂષણના મામલે એક નવો વણાંક આવ્યો છે. બ્રિજ ભૂષણ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં 16-17 લોકોએ પોલીસ અને મેજિસ્ટ્રેટની સામે પીડિત કુસ્તીબાજ દ્વારા આપવામાં આવેલા નિવેદનોના સમર્થનમાં જુબાની આપી છે અને આરોપોને સાચા હોવાનું જણાવ્યું છે. ચાર્જશીટમાં પીડિત કુસ્તીબાજોના પતિ સહિત 6 પરિવારના સભ્યોને સાક્ષી બનાવવામાં આવ્યા છે. કુલ મળીને 5 સાક્ષીઓ છે જે પરિવારના સભ્યો છે. પીડિતાઓના નિવેદનોને સમર્થન આપતા, ત્રણ સાથી રેસલર્સએ તેમની તરફેણમાં જુબાની આપી છે. આ સિવાય કુસ્તીબાજો દ્વારા પુરાવા તરીકે ફોટોગ્રાફ્સ પણ આપવામાં આવ્યા હતા, જે ચાર્જશીટનો એક ભાગ છે. દિલ્હી પોલીસની ચાર્જશીટમાં છે, જેના આધારે દિલ્હી પોલીસે WFIના પૂર્વ પ્રમુખ બ્રિજ ભૂષણ સિંહ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે.


શું છે દિલ્હી પોલીસની ચાર્જશીટમાં?


દિલ્હી પોલીસે તેની ચાર્જશીટમાં કહ્યું છે કે, બ્રિજ ભૂષણ પર યૌન ઉત્પીડન, છેડતી અને પીછો કરવાના ગુના માટે કેસ ચાલી શકે છે અને સજા થઈ શકે છે. બ્રિજભૂષણ વિરુદ્ધ કલમ 354 (મહિલાની ગરીમાને ઠેસ પહોંચાડવી), કલમ 354A (જાતીય સતામણી), કલમ 354D (પીછો કરવો) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.


ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે બ્રિજ ભૂષણને કેસમાં સુનાવણીનો સામનો કરવા માટે સાક્ષીઓ અને દસ્તાવેજોની તપાસ માટે બોલાવવામાં આવી શકે છે. દિલ્હી પોલીસે તપાસ દરમિયાન 108 સાક્ષીઓની પૂછપરછ કરી હતી. આ સાક્ષીઓમાં ડબલ્યુએફઆઈના અધિકારીઓ, કોચ, રેફરી, કુસ્તી ઈવેન્ટના સહભાગીઓ વગેરેનો સમાવેશ થાય છે. 108 માંથી 16-17 સાક્ષીઓએ કુસ્તીબાજો દ્વારા લગાવવામાં આવેલા આરોપોને સમર્થન આપ્યું છે.


6 જગ્યાએ થયું ઉત્પિડન


મળતી જાણકારી મુજબ, આ તસવીર સિરીફોર્ટ ઓડિટોરિયમમાં એક કાર્યક્રમ દરમિયાન ક્લિક કરવામાં આવી હતી. ચાર્જશીટ મુજબ, એક મહિલા કુસ્તીબાજએ છ જગ્યાઓનો ઉલ્લેખ કર્યો હતો જ્યાં તેને લાગ્યું કે બ્રિજભૂષણ શરણ સિંહે તેની છેડતી કરી છે. પૂર્વ WFI ચીફનો લાક્ષણિક પોઝને મહિલા કુસ્તીબાજએ આક્રમક રીતે લીધો હતો.  દિલ્હી પોલીસની ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે 'છ ટોચના કુસ્તીબાજોની ફરિયાદોની અત્યાર સુધીની તપાસના આધારે, બ્રિજભૂષણ શરણ સિંહ પર જાતીય સતામણી, છેડતી અને પીછો કરવાના ગુના માટે કેસ ચલાવી શકાય છે અને સજા થઈ શકે છે".


ભાજપ આ તારી કેવી મજબુરી?


મહિલા રેસલર્સની જાતિય સતામણીના કેસમાં ભાજપના સાંસદ બ્રિજ ભૂષણ સિંહ સામે દિલ્હી પોલીસે ચાર્જશીટ ફાઈલ કરી છે. જેમાં 17  સાક્ષીઓએ તેની સામે જુબાની આપી છે અને તે મહિલા રેસલર્સનું 6 જગ્યાએ શોષણ થયાની પુષ્ટી પણ થઈ છે. જો કે આ તમામ વિવાદ વચ્ચે સવાલ એ થાય છે કે ભાજપની એ કેવી મજબુરી છે કે તે બ્રિજ ભૂષણ સિંહનો બચાવ કરી રહી છે. દિલ્હીમાં થયેલા નિર્ભયા દુષ્કર્મ અને હત્યા કેસને મુદ્દો બનાવીને લડીને ભાજપ સત્તામાં આવી છે, અને હવે જ્યારે ભાજપના જ એક નેતા પણ આવો ગંભીર આરોપ લાગ્યો છે તેમ છતાં પાર્ટી તેની વિરૂધ્ધ એક હરફ પણ ઉચ્ચરતી નથી. શું સત્તા એટલી બધી મહત્વની થઈ જાય છે કે તમે જ મુદ્દાઓના આધારે સત્તા પર આવો છો તે મુદ્દાઓની સામેનું વ્યક્તિત્વ તમારી જ પાર્ટીમાં હોય ત્યારે તમે આંખ આડા કાન કરો છો? સવાલ એ ઉભો થાય છે કે બ્રિજ ભૂષણના બદલે કોઈ વિપક્ષના નેતાનું નામ આવ્યું હોત તો તેની શું હાલત થઈ હોત. સત્તાધારી પક્ષના નેતા હોય એટલે શું તે દુધે ધોયેલા બની જાય છે?



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.