FIFA વર્લ્ડ કપ : પેનલ્ટી શૂટઆઉટમાં ફ્રાંસને હરાવી અર્જેન્ટિનાએ રચ્યો ઈતિહાસ


  • Published By :
  • Published Date : 2022-12-19 12:13:06

FIFA વર્લ્ડ કપ 2022માં આર્જેન્ટિના વિજેતા બની છે. ફ્રાંસ સાથે રમાયેલી ફાઈનલ મેચમાં પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી હરાવીને અર્જેન્ટિના વર્લ્ડ ચેમ્પીયન બન્યું છે. છેલ્લા એક મહિનાથી ફીફા વર્લ્ડ કપ રમાઈ રહ્યો હતો. અર્જેન્ટિનાના સ્ટાર ખેલાડી લિયોનેલ મેસીએ એકસ્ટ્રા ટાઈમમાં ગોલ કરી 3-2થી સરસાઈ અપાવી અને તે બાદ એમ્બાપેએ પેનલ્ટી કિકથી ગોલ કરી સ્કોર 3-3 કરી દીધો હતો. 

આર્જેન્ટિનાના પ્લેયર્સે વર્લ્ડ કપ જીત્યા પછી ગ્રાઉન્ડ પર ઉજવણી કરી હતી.

કતારમાં પણ ભારતીય મૂળના લોકોએ ફાઈનલ જોવા પહોંચ્યા હતા, અને મેસ્સીની ટીમ આર્જેન્ટિનાને સપોર્ટ કર્યા હતા.

36 વર્ષ બાદ વર્લ્ડ ચેમ્પિયન બન્યું અર્જેન્ટિના

36 વર્ષ પછી અર્જેન્ટિના વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. 120 મિનીટ સુધી આ મેચ ચાલી હતી. 120 મિનીટનો સમય એકદમ રોમાંચિત રહ્યો હતો. આર્જેન્ટિના ટીમમાં સામેલ મેસીએ જાદૂ ચલાવ્યો હતો.  અંતિમ ક્ષણ સુધીએ જાણવું મુશ્કીલ હતું કે આ મેચ કોણ જીતશે. પરંતુ અંતિમ ક્ષણે પેનલ્ટી શૂટઆઉટ દ્વારા આ મેચ જીતવામાં અર્જેન્ટિનાને સફળતા મળી. પેનેલ્ટી શૂટઆઉટમાં ફ્રાંસને 4-2થી માત આપી હતી. આ જીત થવાની સાથે અર્જેન્ટિના ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બની છે. અર્જેન્ટિનાને ઈનામ તરીકે 348 કરોડ આપવામાં આવશે જ્યારે ફ્રાંસને 247 કરોડ આપવામાં આવશે.  

Image

વિશ્વ ચેમ્પિયન તરીકે થોડા સમય માટે મેચ રમવા માગું છું - મેસી  

મેસીએ આ મેચ બાદ સંન્યાસ લેવાનું એલાન કર્યું હતું. તેમણે જાહેરાત કરતા કહ્યું હતું કે આ ટૂર્નામેન્ટ તેમનો છેલ્લો વર્લ્ડ કપ હશે. અને આ ફાઈનલ તેમના ઈન્ટરનેશનલ કરિયરની છેલ્લા મેચ હશે. પરંતુ ફિફા કપ જીત્યા બાદ મેસીએ પોતાના વિચારને બદલવાનો નિર્ણય કર્યો છે. મેસીએ કહ્યું કે તે હજૂ પણ વિશ્વ ચેમ્પિયન તરીકે થોડા સમય માટે મેચ રમવા માગે છે.     



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.