FIFA વર્લ્ડ કપ : પેનલ્ટી શૂટઆઉટમાં ફ્રાંસને હરાવી અર્જેન્ટિનાએ રચ્યો ઈતિહાસ


  • Published By :
  • Published Date : 2022-12-19 12:13:06

FIFA વર્લ્ડ કપ 2022માં આર્જેન્ટિના વિજેતા બની છે. ફ્રાંસ સાથે રમાયેલી ફાઈનલ મેચમાં પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી હરાવીને અર્જેન્ટિના વર્લ્ડ ચેમ્પીયન બન્યું છે. છેલ્લા એક મહિનાથી ફીફા વર્લ્ડ કપ રમાઈ રહ્યો હતો. અર્જેન્ટિનાના સ્ટાર ખેલાડી લિયોનેલ મેસીએ એકસ્ટ્રા ટાઈમમાં ગોલ કરી 3-2થી સરસાઈ અપાવી અને તે બાદ એમ્બાપેએ પેનલ્ટી કિકથી ગોલ કરી સ્કોર 3-3 કરી દીધો હતો. 

આર્જેન્ટિનાના પ્લેયર્સે વર્લ્ડ કપ જીત્યા પછી ગ્રાઉન્ડ પર ઉજવણી કરી હતી.

કતારમાં પણ ભારતીય મૂળના લોકોએ ફાઈનલ જોવા પહોંચ્યા હતા, અને મેસ્સીની ટીમ આર્જેન્ટિનાને સપોર્ટ કર્યા હતા.

36 વર્ષ બાદ વર્લ્ડ ચેમ્પિયન બન્યું અર્જેન્ટિના

36 વર્ષ પછી અર્જેન્ટિના વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. 120 મિનીટ સુધી આ મેચ ચાલી હતી. 120 મિનીટનો સમય એકદમ રોમાંચિત રહ્યો હતો. આર્જેન્ટિના ટીમમાં સામેલ મેસીએ જાદૂ ચલાવ્યો હતો.  અંતિમ ક્ષણ સુધીએ જાણવું મુશ્કીલ હતું કે આ મેચ કોણ જીતશે. પરંતુ અંતિમ ક્ષણે પેનલ્ટી શૂટઆઉટ દ્વારા આ મેચ જીતવામાં અર્જેન્ટિનાને સફળતા મળી. પેનેલ્ટી શૂટઆઉટમાં ફ્રાંસને 4-2થી માત આપી હતી. આ જીત થવાની સાથે અર્જેન્ટિના ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બની છે. અર્જેન્ટિનાને ઈનામ તરીકે 348 કરોડ આપવામાં આવશે જ્યારે ફ્રાંસને 247 કરોડ આપવામાં આવશે.  

Image

વિશ્વ ચેમ્પિયન તરીકે થોડા સમય માટે મેચ રમવા માગું છું - મેસી  

મેસીએ આ મેચ બાદ સંન્યાસ લેવાનું એલાન કર્યું હતું. તેમણે જાહેરાત કરતા કહ્યું હતું કે આ ટૂર્નામેન્ટ તેમનો છેલ્લો વર્લ્ડ કપ હશે. અને આ ફાઈનલ તેમના ઈન્ટરનેશનલ કરિયરની છેલ્લા મેચ હશે. પરંતુ ફિફા કપ જીત્યા બાદ મેસીએ પોતાના વિચારને બદલવાનો નિર્ણય કર્યો છે. મેસીએ કહ્યું કે તે હજૂ પણ વિશ્વ ચેમ્પિયન તરીકે થોડા સમય માટે મેચ રમવા માગે છે.     



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.