FIFA વર્લ્ડ કપ : પેનલ્ટી શૂટઆઉટમાં ફ્રાંસને હરાવી અર્જેન્ટિનાએ રચ્યો ઈતિહાસ


  • Published By :
  • Published Date : 2022-12-19 12:13:06

FIFA વર્લ્ડ કપ 2022માં આર્જેન્ટિના વિજેતા બની છે. ફ્રાંસ સાથે રમાયેલી ફાઈનલ મેચમાં પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી હરાવીને અર્જેન્ટિના વર્લ્ડ ચેમ્પીયન બન્યું છે. છેલ્લા એક મહિનાથી ફીફા વર્લ્ડ કપ રમાઈ રહ્યો હતો. અર્જેન્ટિનાના સ્ટાર ખેલાડી લિયોનેલ મેસીએ એકસ્ટ્રા ટાઈમમાં ગોલ કરી 3-2થી સરસાઈ અપાવી અને તે બાદ એમ્બાપેએ પેનલ્ટી કિકથી ગોલ કરી સ્કોર 3-3 કરી દીધો હતો. 

આર્જેન્ટિનાના પ્લેયર્સે વર્લ્ડ કપ જીત્યા પછી ગ્રાઉન્ડ પર ઉજવણી કરી હતી.

કતારમાં પણ ભારતીય મૂળના લોકોએ ફાઈનલ જોવા પહોંચ્યા હતા, અને મેસ્સીની ટીમ આર્જેન્ટિનાને સપોર્ટ કર્યા હતા.

36 વર્ષ બાદ વર્લ્ડ ચેમ્પિયન બન્યું અર્જેન્ટિના

36 વર્ષ પછી અર્જેન્ટિના વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. 120 મિનીટ સુધી આ મેચ ચાલી હતી. 120 મિનીટનો સમય એકદમ રોમાંચિત રહ્યો હતો. આર્જેન્ટિના ટીમમાં સામેલ મેસીએ જાદૂ ચલાવ્યો હતો.  અંતિમ ક્ષણ સુધીએ જાણવું મુશ્કીલ હતું કે આ મેચ કોણ જીતશે. પરંતુ અંતિમ ક્ષણે પેનલ્ટી શૂટઆઉટ દ્વારા આ મેચ જીતવામાં અર્જેન્ટિનાને સફળતા મળી. પેનેલ્ટી શૂટઆઉટમાં ફ્રાંસને 4-2થી માત આપી હતી. આ જીત થવાની સાથે અર્જેન્ટિના ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બની છે. અર્જેન્ટિનાને ઈનામ તરીકે 348 કરોડ આપવામાં આવશે જ્યારે ફ્રાંસને 247 કરોડ આપવામાં આવશે.  

Image

વિશ્વ ચેમ્પિયન તરીકે થોડા સમય માટે મેચ રમવા માગું છું - મેસી  

મેસીએ આ મેચ બાદ સંન્યાસ લેવાનું એલાન કર્યું હતું. તેમણે જાહેરાત કરતા કહ્યું હતું કે આ ટૂર્નામેન્ટ તેમનો છેલ્લો વર્લ્ડ કપ હશે. અને આ ફાઈનલ તેમના ઈન્ટરનેશનલ કરિયરની છેલ્લા મેચ હશે. પરંતુ ફિફા કપ જીત્યા બાદ મેસીએ પોતાના વિચારને બદલવાનો નિર્ણય કર્યો છે. મેસીએ કહ્યું કે તે હજૂ પણ વિશ્વ ચેમ્પિયન તરીકે થોડા સમય માટે મેચ રમવા માગે છે.     



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.