નવા સંસદ ભવનના ઉદઘાટનથી ગદગદ થયા ફિલ્મ સ્ટાર્સ, PM મોદી પર કરી અભિનંદન વર્ષા


  • Published By :
  • Published Date : 2023-05-28 12:09:44

PM નરેન્દ્ર મોદીએ આજે 28 મે 2023ના રોજ દેશના નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઐતિહાસિક ઘટનાને લઈ ઇન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીનું રિએક્શન પણ સામે આવી રહ્યું છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના મોટા ગજાના કલાકારો પીએમ મોદીની આ પહેલ પર અભિનંદન આપી રહ્યાં છે. સાઉથના સુપરસ્ટાર રજનીકાંતથી માંડીને  SRK,અક્ષય કુમાર, અનુપમ ખેર અને કમલ હસને સોશિયલ મીડિયાના માધ્યમથી નવા સંસદભવન અંગે તેમની પ્રતિક્રિયાઓ આપી છે. એકટર અને નેતા કમલ હસન ને રાજકીય પાર્ટીઓને તેમના મતભેદ થોડા સમય માટે ભૂલાવીનેનવા સંસદ ભવનનું રાષ્ટ્રીય ઉદ્ઘાટન કાર્યક્રમનું બહિષ્કાર કરવાના નિર્ણય પર પુનર્વિચાર  કરવા અને તેને રાષ્ટ્રિય એકતાનો અવસર બનાવવાની આપીલ કરી છે.


નવા સંસદ ભવન પર રજનીકાંતે શું કહ્યું?


રજનીકાંતે શનિવારે ટ્વિટર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવી હતી અને ટ્વીટ કર્યું હતું કે, 'રાજદંડ', જે તમિલ શક્તિનું પરંપરાગત પ્રતીક છે, ભારતના નવા સંસદ ભવનમાં ચમકશે. માનનીય PM @narendramodiનો આભાર કે જેમણે તમિલોને ગૌરવ અપાવ્યું છે. હાર્દિક અભિનંદન અને આભાર.'




ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."