નવા સંસદ ભવનના ઉદઘાટનથી ગદગદ થયા ફિલ્મ સ્ટાર્સ, PM મોદી પર કરી અભિનંદન વર્ષા


  • Published By :
  • Published Date : 2023-05-28 12:09:44

PM નરેન્દ્ર મોદીએ આજે 28 મે 2023ના રોજ દેશના નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઐતિહાસિક ઘટનાને લઈ ઇન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીનું રિએક્શન પણ સામે આવી રહ્યું છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના મોટા ગજાના કલાકારો પીએમ મોદીની આ પહેલ પર અભિનંદન આપી રહ્યાં છે. સાઉથના સુપરસ્ટાર રજનીકાંતથી માંડીને  SRK,અક્ષય કુમાર, અનુપમ ખેર અને કમલ હસને સોશિયલ મીડિયાના માધ્યમથી નવા સંસદભવન અંગે તેમની પ્રતિક્રિયાઓ આપી છે. એકટર અને નેતા કમલ હસન ને રાજકીય પાર્ટીઓને તેમના મતભેદ થોડા સમય માટે ભૂલાવીનેનવા સંસદ ભવનનું રાષ્ટ્રીય ઉદ્ઘાટન કાર્યક્રમનું બહિષ્કાર કરવાના નિર્ણય પર પુનર્વિચાર  કરવા અને તેને રાષ્ટ્રિય એકતાનો અવસર બનાવવાની આપીલ કરી છે.


નવા સંસદ ભવન પર રજનીકાંતે શું કહ્યું?


રજનીકાંતે શનિવારે ટ્વિટર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવી હતી અને ટ્વીટ કર્યું હતું કે, 'રાજદંડ', જે તમિલ શક્તિનું પરંપરાગત પ્રતીક છે, ભારતના નવા સંસદ ભવનમાં ચમકશે. માનનીય PM @narendramodiનો આભાર કે જેમણે તમિલોને ગૌરવ અપાવ્યું છે. હાર્દિક અભિનંદન અને આભાર.'




રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.