નવા સંસદ ભવનના ઉદઘાટનથી ગદગદ થયા ફિલ્મ સ્ટાર્સ, PM મોદી પર કરી અભિનંદન વર્ષા


  • Published By :
  • Published Date : 2023-05-28 12:09:44

PM નરેન્દ્ર મોદીએ આજે 28 મે 2023ના રોજ દેશના નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઐતિહાસિક ઘટનાને લઈ ઇન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીનું રિએક્શન પણ સામે આવી રહ્યું છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના મોટા ગજાના કલાકારો પીએમ મોદીની આ પહેલ પર અભિનંદન આપી રહ્યાં છે. સાઉથના સુપરસ્ટાર રજનીકાંતથી માંડીને  SRK,અક્ષય કુમાર, અનુપમ ખેર અને કમલ હસને સોશિયલ મીડિયાના માધ્યમથી નવા સંસદભવન અંગે તેમની પ્રતિક્રિયાઓ આપી છે. એકટર અને નેતા કમલ હસન ને રાજકીય પાર્ટીઓને તેમના મતભેદ થોડા સમય માટે ભૂલાવીનેનવા સંસદ ભવનનું રાષ્ટ્રીય ઉદ્ઘાટન કાર્યક્રમનું બહિષ્કાર કરવાના નિર્ણય પર પુનર્વિચાર  કરવા અને તેને રાષ્ટ્રિય એકતાનો અવસર બનાવવાની આપીલ કરી છે.


નવા સંસદ ભવન પર રજનીકાંતે શું કહ્યું?


રજનીકાંતે શનિવારે ટ્વિટર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવી હતી અને ટ્વીટ કર્યું હતું કે, 'રાજદંડ', જે તમિલ શક્તિનું પરંપરાગત પ્રતીક છે, ભારતના નવા સંસદ ભવનમાં ચમકશે. માનનીય PM @narendramodiનો આભાર કે જેમણે તમિલોને ગૌરવ અપાવ્યું છે. હાર્દિક અભિનંદન અને આભાર.'




સુરેન્દ્રનગરમાં પાટડી ખાતે LCBના દરોડામાં ખુબ મોટાપાયે વિદેશી દારૂનો ઝડપી પાડવામાં આવ્યો છે. પાટડીના જરવલા ગામની સીમમાં આ ગેરકયદેસર વિદેશી દારૂનો જથ્થો ટ્રેકટરની ટ્રોલીમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. જેના લીધે, સુરેન્દ્રનગરના બુટલેગરોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા SP પ્રેમસુખ ડેલુંની સૂચના મુજબ અલગ અલગ ટિમો બનાવીને કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરોડાની આ કામગીરીમાં હવે સ્થળ પર હાજર આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યો છે.

ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરે પ્લેટફોર્મ એક્સ પર ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. અમેરિકન એમ્બેસેડર સર્જીયો ગોર દ્વારા થોડાક સમય અગાઉ , મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વચ્ચે જે ICC T20 વર્લ્ડ કપની મેચ રમાઈ તેમાં હાજરી આપવામાં આવી હતી. સર્જિયો ગોર દ્વારા એ વાતની નોંધ પણ લેવામાં આવી છે કે , અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય ખુબ ઉજળું છે.

આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે