નવા સંસદ ભવનના ઉદઘાટનથી ગદગદ થયા ફિલ્મ સ્ટાર્સ, PM મોદી પર કરી અભિનંદન વર્ષા


  • Published By :
  • Published Date : 2023-05-28 12:09:44

PM નરેન્દ્ર મોદીએ આજે 28 મે 2023ના રોજ દેશના નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઐતિહાસિક ઘટનાને લઈ ઇન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીનું રિએક્શન પણ સામે આવી રહ્યું છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના મોટા ગજાના કલાકારો પીએમ મોદીની આ પહેલ પર અભિનંદન આપી રહ્યાં છે. સાઉથના સુપરસ્ટાર રજનીકાંતથી માંડીને  SRK,અક્ષય કુમાર, અનુપમ ખેર અને કમલ હસને સોશિયલ મીડિયાના માધ્યમથી નવા સંસદભવન અંગે તેમની પ્રતિક્રિયાઓ આપી છે. એકટર અને નેતા કમલ હસન ને રાજકીય પાર્ટીઓને તેમના મતભેદ થોડા સમય માટે ભૂલાવીનેનવા સંસદ ભવનનું રાષ્ટ્રીય ઉદ્ઘાટન કાર્યક્રમનું બહિષ્કાર કરવાના નિર્ણય પર પુનર્વિચાર  કરવા અને તેને રાષ્ટ્રિય એકતાનો અવસર બનાવવાની આપીલ કરી છે.


નવા સંસદ ભવન પર રજનીકાંતે શું કહ્યું?


રજનીકાંતે શનિવારે ટ્વિટર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવી હતી અને ટ્વીટ કર્યું હતું કે, 'રાજદંડ', જે તમિલ શક્તિનું પરંપરાગત પ્રતીક છે, ભારતના નવા સંસદ ભવનમાં ચમકશે. માનનીય PM @narendramodiનો આભાર કે જેમણે તમિલોને ગૌરવ અપાવ્યું છે. હાર્દિક અભિનંદન અને આભાર.'




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.