ઉત્તર પ્રદેશમાં બની આગ અને અકસ્માતની ઘટના, બંને ઘટનામાં લોકોના થયા મોત


  • Published By :
  • Published Date : 2022-11-30 10:37:38

ઉત્તર પ્રદેશમાં સવારથી દુર્ઘટનાઓ સર્જાઈ રહી છે. એક બાજુ રોડ અકસ્માતને કારણે લોકો મોતને ભેટ્યા છે જ્યારે અનેક લોકો આગ લાગવાને કારણે મૃત્યુ પામ્યા છે. આગની ઘટના ફિરોઝાબાદના જસરાણા તહલીલ વિસ્તારમાં બની છે. જ્યારે અકસ્માતની ઘટના બહરાઈમાં બની છે. જરવલ રોડના ઘાઘરા ઘાટ સ્ટેશન પાસે બસ ટ્રક સાથે અથડાઈ હતી.

Image

આગમાં અનેક લોકો હોમાઈ ગયા 

ફિરોઝાબાદના જસરાણા તહલીલ વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. મુખ્ય બજારમાં આવેલા વેપારીની ત્રણ માળની બિલ્ડીંગના ભોયરામાં આવેલા ફર્નિચરની દુકાનમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટના ગઈ કાલ બની હતી. ભોયરામાં લાગેલી આગમાં ઉપર આવેલુ મકાન પણ લપેટામાં આવી ગયું હતું. આગ એટલી ભીષણ હતી કે આ આગમાં પરિવારના અંદાજીત 6 સભ્યો આગમાં હોમાઈ ગયા હતા. સીએમ યોગી આદિત્યનાથે આ ઘટનાને લઈ દુખ વ્યક્ત કર્યું છે અને વળતર ચૂકવવાની પણ જાહેરાત કરી છે.

  

બસ અને ટ્રક વચ્ચે થયો ગંભીર અકસ્માત

બીજી ઘટનામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બહરાઈચ -લખનઉ હાઈવે પર જરવલ રોડના ઘાઘરા ઘાટ પાસે બસ સાથે ટ્રક અથડાઈ હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે 6 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા જ્યારે 11 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડી દેવામાં આવ્યા છે.    




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.