ઉત્તર પ્રદેશમાં બની આગ અને અકસ્માતની ઘટના, બંને ઘટનામાં લોકોના થયા મોત


  • Published By :
  • Published Date : 2022-11-30 10:37:38

ઉત્તર પ્રદેશમાં સવારથી દુર્ઘટનાઓ સર્જાઈ રહી છે. એક બાજુ રોડ અકસ્માતને કારણે લોકો મોતને ભેટ્યા છે જ્યારે અનેક લોકો આગ લાગવાને કારણે મૃત્યુ પામ્યા છે. આગની ઘટના ફિરોઝાબાદના જસરાણા તહલીલ વિસ્તારમાં બની છે. જ્યારે અકસ્માતની ઘટના બહરાઈમાં બની છે. જરવલ રોડના ઘાઘરા ઘાટ સ્ટેશન પાસે બસ ટ્રક સાથે અથડાઈ હતી.

Image

આગમાં અનેક લોકો હોમાઈ ગયા 

ફિરોઝાબાદના જસરાણા તહલીલ વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. મુખ્ય બજારમાં આવેલા વેપારીની ત્રણ માળની બિલ્ડીંગના ભોયરામાં આવેલા ફર્નિચરની દુકાનમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટના ગઈ કાલ બની હતી. ભોયરામાં લાગેલી આગમાં ઉપર આવેલુ મકાન પણ લપેટામાં આવી ગયું હતું. આગ એટલી ભીષણ હતી કે આ આગમાં પરિવારના અંદાજીત 6 સભ્યો આગમાં હોમાઈ ગયા હતા. સીએમ યોગી આદિત્યનાથે આ ઘટનાને લઈ દુખ વ્યક્ત કર્યું છે અને વળતર ચૂકવવાની પણ જાહેરાત કરી છે.

  

બસ અને ટ્રક વચ્ચે થયો ગંભીર અકસ્માત

બીજી ઘટનામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બહરાઈચ -લખનઉ હાઈવે પર જરવલ રોડના ઘાઘરા ઘાટ પાસે બસ સાથે ટ્રક અથડાઈ હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે 6 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા જ્યારે 11 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડી દેવામાં આવ્યા છે.    




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.