ઉત્તર પ્રદેશમાં બની આગ અને અકસ્માતની ઘટના, બંને ઘટનામાં લોકોના થયા મોત


  • Published By :
  • Published Date : 2022-11-30 10:37:38

ઉત્તર પ્રદેશમાં સવારથી દુર્ઘટનાઓ સર્જાઈ રહી છે. એક બાજુ રોડ અકસ્માતને કારણે લોકો મોતને ભેટ્યા છે જ્યારે અનેક લોકો આગ લાગવાને કારણે મૃત્યુ પામ્યા છે. આગની ઘટના ફિરોઝાબાદના જસરાણા તહલીલ વિસ્તારમાં બની છે. જ્યારે અકસ્માતની ઘટના બહરાઈમાં બની છે. જરવલ રોડના ઘાઘરા ઘાટ સ્ટેશન પાસે બસ ટ્રક સાથે અથડાઈ હતી.

Image

આગમાં અનેક લોકો હોમાઈ ગયા 

ફિરોઝાબાદના જસરાણા તહલીલ વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. મુખ્ય બજારમાં આવેલા વેપારીની ત્રણ માળની બિલ્ડીંગના ભોયરામાં આવેલા ફર્નિચરની દુકાનમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટના ગઈ કાલ બની હતી. ભોયરામાં લાગેલી આગમાં ઉપર આવેલુ મકાન પણ લપેટામાં આવી ગયું હતું. આગ એટલી ભીષણ હતી કે આ આગમાં પરિવારના અંદાજીત 6 સભ્યો આગમાં હોમાઈ ગયા હતા. સીએમ યોગી આદિત્યનાથે આ ઘટનાને લઈ દુખ વ્યક્ત કર્યું છે અને વળતર ચૂકવવાની પણ જાહેરાત કરી છે.

  

બસ અને ટ્રક વચ્ચે થયો ગંભીર અકસ્માત

બીજી ઘટનામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બહરાઈચ -લખનઉ હાઈવે પર જરવલ રોડના ઘાઘરા ઘાટ પાસે બસ સાથે ટ્રક અથડાઈ હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે 6 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા જ્યારે 11 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડી દેવામાં આવ્યા છે.    




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.