ઈન્ડોનેશિયાની મસ્જિદમાં લાગી આગ, ધરાશાયી થયો વિશાળ ગુંબજ:જુઓ વિડિઓ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-21 13:36:19

ભીષણ આગ લાગ્યા બાદ આ સેન્ટર ધરાશાયી થયું હતું.
રિપોર્ટ મુજબ, વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે મસ્જિદમાંથી ધુમાડો નીકળી રહ્યો છે અને જોતજોતામાં આ મસ્જિદનો ગુંબજ ધરાશાયી થઈ જાય છે.
પરંતુ, અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી.


આગ લાગતા મસ્જિદ ધરાશાયી થઈ હોવાની આ ઘટનામાં કોઈ ઈજાગ્રસ્ત થયું નથી. પોલીસે જણાવ્યું કે, આગ લાગવાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે અને મકાનમાં કાર્યરત કોન્ટ્રાક્ટરની પૂછપરછ કરવામાં આવી રહી છે. મસ્જિદ સિવાય ઈસ્લામિક સેન્ટરમાં શૈક્ષણિક, વાણિજ્યિક અને રિસર્ચ ફેસિલિટી પણ છે. રિપોર્ટ્સ મુજબ, 20 વર્ષ પહેલા પણ આગ લાગવાની ઘટના બની હતી.

Giant dome collapses as fire engulfs mosque in Indonesia | Video - India  Today

ઈન્ડોનેશિયામાં જકાર્તા ઈસ્લામિક સેન્ટર ગ્રાન્ડ મસ્જિદમાં બુધવારે આગ લાગવાની ઘટના બની હતી. ભીષણ આગ લાગ્યા બાદ આ સેન્ટર ધરાશાયી થયું હતું. રિપોર્ટ મુજબ, વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે મસ્જિદમાંથી ધુમાડો નીકળી રહ્યો છે અને જોતજોતામાં આ મસ્જિદનો ગુંબજ ધરાશાયી થઈ જાય છે. પરંતુ, અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી. એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે આ મસ્જિદના રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક આગ લાગી ગઈ હતી.


ઈન્ડોનેશિયાના મીડિયાના જણાવ્યા મુજબ, સ્થાનિક સમય મુજબ બપોરે 3 વાગ્યે ફાયર બ્રિગેડને આગની સૂચના મળી હતી. ત્યારે ઓછામાં ઓછી 10 ફાયર બ્રિગેડની ગાડીઓ આગ પર કાબૂ મેળવવા માટે આવી પહોંચી હતી. વાયરલ વિડીયો ફૂટેજમાં જોઈ શકાય છે કે મસ્જિદ ધરાશાયી થઈ તે પહેલા ગુંબજમાં આગ લાગી હતી અને તેમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો. આ વિડીયોમાં જોઈ શકાય છે કે કેટલાંક લોકો એક પ્લેટફોર્મ પર બેઠા હતા અને ગુંબજ ધરાશાયી થતાં તેઓ કૂદી પડ્યા હતા.


આગ લાગતા મસ્જિદ ધરાશાયી થઈ હોવાની આ ઘટનામાં કોઈ ઈજાગ્રસ્ત થયું નથી. પોલીસે જણાવ્યું કે, આગ લાગવાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે અને મકાનમાં કાર્યરત કોન્ટ્રાક્ટરની પૂછપરછ કરવામાં આવી રહી છે. મસ્જિદ સિવાય ઈસ્લામિક સેન્ટરમાં શૈક્ષણિક, વાણિજ્યિક અને રિસર્ચ ફેસિલિટી પણ છે. રિપોર્ટ્સ મુજબ, 20 વર્ષ પહેલા પણ આગ લાગવાની ઘટના બની હતી. ત્યારે આગ પર કાબૂ મેળવતા 5 કલાક લાગ્યા હતા.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .