ઈન્ડોનેશિયાની મસ્જિદમાં લાગી આગ, ધરાશાયી થયો વિશાળ ગુંબજ:જુઓ વિડિઓ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-21 13:36:19

ભીષણ આગ લાગ્યા બાદ આ સેન્ટર ધરાશાયી થયું હતું.
રિપોર્ટ મુજબ, વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે મસ્જિદમાંથી ધુમાડો નીકળી રહ્યો છે અને જોતજોતામાં આ મસ્જિદનો ગુંબજ ધરાશાયી થઈ જાય છે.
પરંતુ, અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી.


આગ લાગતા મસ્જિદ ધરાશાયી થઈ હોવાની આ ઘટનામાં કોઈ ઈજાગ્રસ્ત થયું નથી. પોલીસે જણાવ્યું કે, આગ લાગવાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે અને મકાનમાં કાર્યરત કોન્ટ્રાક્ટરની પૂછપરછ કરવામાં આવી રહી છે. મસ્જિદ સિવાય ઈસ્લામિક સેન્ટરમાં શૈક્ષણિક, વાણિજ્યિક અને રિસર્ચ ફેસિલિટી પણ છે. રિપોર્ટ્સ મુજબ, 20 વર્ષ પહેલા પણ આગ લાગવાની ઘટના બની હતી.

Giant dome collapses as fire engulfs mosque in Indonesia | Video - India  Today

ઈન્ડોનેશિયામાં જકાર્તા ઈસ્લામિક સેન્ટર ગ્રાન્ડ મસ્જિદમાં બુધવારે આગ લાગવાની ઘટના બની હતી. ભીષણ આગ લાગ્યા બાદ આ સેન્ટર ધરાશાયી થયું હતું. રિપોર્ટ મુજબ, વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે મસ્જિદમાંથી ધુમાડો નીકળી રહ્યો છે અને જોતજોતામાં આ મસ્જિદનો ગુંબજ ધરાશાયી થઈ જાય છે. પરંતુ, અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી. એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે આ મસ્જિદના રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક આગ લાગી ગઈ હતી.


ઈન્ડોનેશિયાના મીડિયાના જણાવ્યા મુજબ, સ્થાનિક સમય મુજબ બપોરે 3 વાગ્યે ફાયર બ્રિગેડને આગની સૂચના મળી હતી. ત્યારે ઓછામાં ઓછી 10 ફાયર બ્રિગેડની ગાડીઓ આગ પર કાબૂ મેળવવા માટે આવી પહોંચી હતી. વાયરલ વિડીયો ફૂટેજમાં જોઈ શકાય છે કે મસ્જિદ ધરાશાયી થઈ તે પહેલા ગુંબજમાં આગ લાગી હતી અને તેમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો. આ વિડીયોમાં જોઈ શકાય છે કે કેટલાંક લોકો એક પ્લેટફોર્મ પર બેઠા હતા અને ગુંબજ ધરાશાયી થતાં તેઓ કૂદી પડ્યા હતા.


આગ લાગતા મસ્જિદ ધરાશાયી થઈ હોવાની આ ઘટનામાં કોઈ ઈજાગ્રસ્ત થયું નથી. પોલીસે જણાવ્યું કે, આગ લાગવાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે અને મકાનમાં કાર્યરત કોન્ટ્રાક્ટરની પૂછપરછ કરવામાં આવી રહી છે. મસ્જિદ સિવાય ઈસ્લામિક સેન્ટરમાં શૈક્ષણિક, વાણિજ્યિક અને રિસર્ચ ફેસિલિટી પણ છે. રિપોર્ટ્સ મુજબ, 20 વર્ષ પહેલા પણ આગ લાગવાની ઘટના બની હતી. ત્યારે આગ પર કાબૂ મેળવતા 5 કલાક લાગ્યા હતા.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.