ઈન્ડોનેશિયાની મસ્જિદમાં લાગી આગ, ધરાશાયી થયો વિશાળ ગુંબજ:જુઓ વિડિઓ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-21 13:36:19

ભીષણ આગ લાગ્યા બાદ આ સેન્ટર ધરાશાયી થયું હતું.
રિપોર્ટ મુજબ, વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે મસ્જિદમાંથી ધુમાડો નીકળી રહ્યો છે અને જોતજોતામાં આ મસ્જિદનો ગુંબજ ધરાશાયી થઈ જાય છે.
પરંતુ, અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી.


આગ લાગતા મસ્જિદ ધરાશાયી થઈ હોવાની આ ઘટનામાં કોઈ ઈજાગ્રસ્ત થયું નથી. પોલીસે જણાવ્યું કે, આગ લાગવાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે અને મકાનમાં કાર્યરત કોન્ટ્રાક્ટરની પૂછપરછ કરવામાં આવી રહી છે. મસ્જિદ સિવાય ઈસ્લામિક સેન્ટરમાં શૈક્ષણિક, વાણિજ્યિક અને રિસર્ચ ફેસિલિટી પણ છે. રિપોર્ટ્સ મુજબ, 20 વર્ષ પહેલા પણ આગ લાગવાની ઘટના બની હતી.

Giant dome collapses as fire engulfs mosque in Indonesia | Video - India  Today

ઈન્ડોનેશિયામાં જકાર્તા ઈસ્લામિક સેન્ટર ગ્રાન્ડ મસ્જિદમાં બુધવારે આગ લાગવાની ઘટના બની હતી. ભીષણ આગ લાગ્યા બાદ આ સેન્ટર ધરાશાયી થયું હતું. રિપોર્ટ મુજબ, વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે મસ્જિદમાંથી ધુમાડો નીકળી રહ્યો છે અને જોતજોતામાં આ મસ્જિદનો ગુંબજ ધરાશાયી થઈ જાય છે. પરંતુ, અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી. એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે આ મસ્જિદના રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક આગ લાગી ગઈ હતી.


ઈન્ડોનેશિયાના મીડિયાના જણાવ્યા મુજબ, સ્થાનિક સમય મુજબ બપોરે 3 વાગ્યે ફાયર બ્રિગેડને આગની સૂચના મળી હતી. ત્યારે ઓછામાં ઓછી 10 ફાયર બ્રિગેડની ગાડીઓ આગ પર કાબૂ મેળવવા માટે આવી પહોંચી હતી. વાયરલ વિડીયો ફૂટેજમાં જોઈ શકાય છે કે મસ્જિદ ધરાશાયી થઈ તે પહેલા ગુંબજમાં આગ લાગી હતી અને તેમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો. આ વિડીયોમાં જોઈ શકાય છે કે કેટલાંક લોકો એક પ્લેટફોર્મ પર બેઠા હતા અને ગુંબજ ધરાશાયી થતાં તેઓ કૂદી પડ્યા હતા.


આગ લાગતા મસ્જિદ ધરાશાયી થઈ હોવાની આ ઘટનામાં કોઈ ઈજાગ્રસ્ત થયું નથી. પોલીસે જણાવ્યું કે, આગ લાગવાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે અને મકાનમાં કાર્યરત કોન્ટ્રાક્ટરની પૂછપરછ કરવામાં આવી રહી છે. મસ્જિદ સિવાય ઈસ્લામિક સેન્ટરમાં શૈક્ષણિક, વાણિજ્યિક અને રિસર્ચ ફેસિલિટી પણ છે. રિપોર્ટ્સ મુજબ, 20 વર્ષ પહેલા પણ આગ લાગવાની ઘટના બની હતી. ત્યારે આગ પર કાબૂ મેળવતા 5 કલાક લાગ્યા હતા.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .