ઈન્ડોનેશિયાની મસ્જિદમાં લાગી આગ, ધરાશાયી થયો વિશાળ ગુંબજ:જુઓ વિડિઓ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-21 13:36:19

ભીષણ આગ લાગ્યા બાદ આ સેન્ટર ધરાશાયી થયું હતું.
રિપોર્ટ મુજબ, વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે મસ્જિદમાંથી ધુમાડો નીકળી રહ્યો છે અને જોતજોતામાં આ મસ્જિદનો ગુંબજ ધરાશાયી થઈ જાય છે.
પરંતુ, અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી.


આગ લાગતા મસ્જિદ ધરાશાયી થઈ હોવાની આ ઘટનામાં કોઈ ઈજાગ્રસ્ત થયું નથી. પોલીસે જણાવ્યું કે, આગ લાગવાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે અને મકાનમાં કાર્યરત કોન્ટ્રાક્ટરની પૂછપરછ કરવામાં આવી રહી છે. મસ્જિદ સિવાય ઈસ્લામિક સેન્ટરમાં શૈક્ષણિક, વાણિજ્યિક અને રિસર્ચ ફેસિલિટી પણ છે. રિપોર્ટ્સ મુજબ, 20 વર્ષ પહેલા પણ આગ લાગવાની ઘટના બની હતી.

Giant dome collapses as fire engulfs mosque in Indonesia | Video - India  Today

ઈન્ડોનેશિયામાં જકાર્તા ઈસ્લામિક સેન્ટર ગ્રાન્ડ મસ્જિદમાં બુધવારે આગ લાગવાની ઘટના બની હતી. ભીષણ આગ લાગ્યા બાદ આ સેન્ટર ધરાશાયી થયું હતું. રિપોર્ટ મુજબ, વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે મસ્જિદમાંથી ધુમાડો નીકળી રહ્યો છે અને જોતજોતામાં આ મસ્જિદનો ગુંબજ ધરાશાયી થઈ જાય છે. પરંતુ, અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી. એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે આ મસ્જિદના રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક આગ લાગી ગઈ હતી.


ઈન્ડોનેશિયાના મીડિયાના જણાવ્યા મુજબ, સ્થાનિક સમય મુજબ બપોરે 3 વાગ્યે ફાયર બ્રિગેડને આગની સૂચના મળી હતી. ત્યારે ઓછામાં ઓછી 10 ફાયર બ્રિગેડની ગાડીઓ આગ પર કાબૂ મેળવવા માટે આવી પહોંચી હતી. વાયરલ વિડીયો ફૂટેજમાં જોઈ શકાય છે કે મસ્જિદ ધરાશાયી થઈ તે પહેલા ગુંબજમાં આગ લાગી હતી અને તેમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો. આ વિડીયોમાં જોઈ શકાય છે કે કેટલાંક લોકો એક પ્લેટફોર્મ પર બેઠા હતા અને ગુંબજ ધરાશાયી થતાં તેઓ કૂદી પડ્યા હતા.


આગ લાગતા મસ્જિદ ધરાશાયી થઈ હોવાની આ ઘટનામાં કોઈ ઈજાગ્રસ્ત થયું નથી. પોલીસે જણાવ્યું કે, આગ લાગવાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે અને મકાનમાં કાર્યરત કોન્ટ્રાક્ટરની પૂછપરછ કરવામાં આવી રહી છે. મસ્જિદ સિવાય ઈસ્લામિક સેન્ટરમાં શૈક્ષણિક, વાણિજ્યિક અને રિસર્ચ ફેસિલિટી પણ છે. રિપોર્ટ્સ મુજબ, 20 વર્ષ પહેલા પણ આગ લાગવાની ઘટના બની હતી. ત્યારે આગ પર કાબૂ મેળવતા 5 કલાક લાગ્યા હતા.



પરષોત્તમ રૂપાલા વિરૂદ્ધ ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. તેમની ટિકીટ રદ્દ થાય તેવી માગ સમાજ દ્વારા કરવામાં આવી.. આ બધા વચ્ચે થોડા દિવસ પહેલા સંકલન સમિતી દ્વારા આંદોલનને મોકૂફ રાખવાની જાહેરાત કરાઈ તો હવે પદ્મિની બા વાળાએ પરષોત્તમ રૂપાલાને માફી આપી દીધી છે.

22 એપ્રિલથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોઢીની ભૂમિકા ભજવનાર ગુરૂચરન લાપતા હતા! તે 17મેના રોજ ઘરે પાછા આવ્યા છે. પોલીસે તેમની શોધખોળ હાથ ધરી પરંતુ તે મળ્યા ના હતા ત્યારે તે ઘરે પાછા આવ્યા છે જેને લઈ તેમના પરિવારે અને ફેન્સે રાહતનો શ્વાસ લીધો છે.

એક મોટી દુર્ઘટના હરિયાણાના નૂંહમાં બની છે.. નૂંહ જિલ્લાના તાવડુની સરહદ નજીક કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસ વે પર દુર્ઘટના બની હતી જેમાં અનેક લોકોના મોત બળી જવાને કારણે થયા છે... મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 9 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.

ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે જાહેરમાં તૂ તૂ મેં મેં થઈ હતી. મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી જે બાદ રાજનીતિ ગરમાઈ. ચૈતર વસાવા ત્યાં આવી ગયા અને બંને નેતાઓ બાજી પડ્યા..