કચ્છ ખાતે યોજાઈ G-20ની પ્રથમ પર્યટન કાર્યકારી સમૂહ બેઠક, સાંસ્કૃતિક કાર્યક્રમોનું કરાયું આયોજન


  • Published By :
  • Published Date : 2023-02-08 09:52:53

જી-20ની પ્રવાસન કાર્યજૂથની બેઠક કચ્છના ધોરડા ખાતે આયોજીત થઈ હતી. આ બેઠકના પ્રથમ દિવસે સાંજના સમયે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું તેમજ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જી-20 દેશોનાં પ્રતિનિધિ ઉપરાંત, આમંત્રિત દેશોના પ્રતિનિધિઓ તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં પર્યાવરણને અનુકૂળ પ્રવાસન, પ્રવાસન પ્રવૃત્તિઓમાં ટેક્નોલોજીનો ઉપયોગ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. તે ઉપરાંત ડિનરમાં મિલેટ્સની વિવિધ વાનગીઓ વિદેશી મહેમાનોને પીરસવામાં આવી હતી.   


સીએમ સહિત અનેક પદાધિકારીઓ રહ્યા હતા ઉપસ્થિત 

કચ્છના ધોરડામાં જી-20ની ટુરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠકમાં પ્રથમ દિવસે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, તે ઉપરાંત સહ ગાલા ડિનરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત તેમજ દેશ-વિદેશની વિવિધ સાંસ્કૃતિક ઝાંખીને પ્રદર્શિત કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મત્સ્ય, પશુપાલન મંત્રી પરષોત્તમ રૂપાલા, કેન્દ્રીય પ્રવાસનમંત્રી તેમજ રાજ્યના પ્રવાસન મંત્રી સહિતના અનેક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.    





લોકનૃત્યોની કરાઈ પ્રસ્તૃતિ 

રંગારંગ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ગુજરાતની સંસ્કૃતિને પ્રદર્શિત કરતા અનેક લોકનૃત્ય મહેમાનો સામે રજૂ કરવામાં આવ્યા હતા. જયતુ જયતુ ગુજરાત ગીતથી આ કાર્યક્રમનો પ્રાંરભ કરવામાં આવ્યો હતો. તે સિવાય વસુધૈવ કુંટુમ્બકમ થીમ પર વિવિધ કલાકારોએ નૃત્ય રજૂ કર્યું હતું તે ઉપરાંત નર્મદાષ્ટકમની પ્રસ્તુતિ પણ કરવામાં આવી હતી. અનેક મહેમાનોએ પણ લોક નૃત્યમાં ભાગ લીધો હતો. 








    



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .