કચ્છ ખાતે યોજાઈ G-20ની પ્રથમ પર્યટન કાર્યકારી સમૂહ બેઠક, સાંસ્કૃતિક કાર્યક્રમોનું કરાયું આયોજન


  • Published By :
  • Published Date : 2023-02-08 09:52:53

જી-20ની પ્રવાસન કાર્યજૂથની બેઠક કચ્છના ધોરડા ખાતે આયોજીત થઈ હતી. આ બેઠકના પ્રથમ દિવસે સાંજના સમયે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું તેમજ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જી-20 દેશોનાં પ્રતિનિધિ ઉપરાંત, આમંત્રિત દેશોના પ્રતિનિધિઓ તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં પર્યાવરણને અનુકૂળ પ્રવાસન, પ્રવાસન પ્રવૃત્તિઓમાં ટેક્નોલોજીનો ઉપયોગ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. તે ઉપરાંત ડિનરમાં મિલેટ્સની વિવિધ વાનગીઓ વિદેશી મહેમાનોને પીરસવામાં આવી હતી.   


સીએમ સહિત અનેક પદાધિકારીઓ રહ્યા હતા ઉપસ્થિત 

કચ્છના ધોરડામાં જી-20ની ટુરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠકમાં પ્રથમ દિવસે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, તે ઉપરાંત સહ ગાલા ડિનરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત તેમજ દેશ-વિદેશની વિવિધ સાંસ્કૃતિક ઝાંખીને પ્રદર્શિત કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મત્સ્ય, પશુપાલન મંત્રી પરષોત્તમ રૂપાલા, કેન્દ્રીય પ્રવાસનમંત્રી તેમજ રાજ્યના પ્રવાસન મંત્રી સહિતના અનેક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.    





લોકનૃત્યોની કરાઈ પ્રસ્તૃતિ 

રંગારંગ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ગુજરાતની સંસ્કૃતિને પ્રદર્શિત કરતા અનેક લોકનૃત્ય મહેમાનો સામે રજૂ કરવામાં આવ્યા હતા. જયતુ જયતુ ગુજરાત ગીતથી આ કાર્યક્રમનો પ્રાંરભ કરવામાં આવ્યો હતો. તે સિવાય વસુધૈવ કુંટુમ્બકમ થીમ પર વિવિધ કલાકારોએ નૃત્ય રજૂ કર્યું હતું તે ઉપરાંત નર્મદાષ્ટકમની પ્રસ્તુતિ પણ કરવામાં આવી હતી. અનેક મહેમાનોએ પણ લોક નૃત્યમાં ભાગ લીધો હતો. 








    



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.