અમેરિકાના કોલોરાડો શહેરમાં ગોળીબારી થતાં પાંચ લોકોના મોત, 18 ઘાયલ


  • Published By :
  • Published Date : 2022-11-20 20:24:11

અમેરિકાના કોલોરાડેના એક નાઈટ ક્લબમાં ગોળીબારી થઈ હતી. જેમાં પાંચ લોકો માર્યા ગયા હતા. આ ગોળીબારીમાં 18 લોકોને ઈજા પહોંચી છે, જ્યારે અમુક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. કોલોરાડો પોલીસે ગોળીબાર કરનાર શંકાસ્પદ વ્યક્તિને ઝડપી પાડી છે. આ વ્યક્તિને પકડીને પોલીસ પૂછપરછ કરી રહી છે. ગોળીબારી શનિવારે રાત્રે ક્લબમાં થઈ હતી જ્યાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. 

US: 5 killed, 18 injured in gay nightclub shooting in Colorado

કોલોરાડો પોલીસે શંકાસ્પદ વ્યક્તિને ઝડપ્યો

કોલોરાડો પોલીસને અડધી રાત્રે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ ગોળીબારી વિશે પોલીસને જાણ કરી હતી. ફોન કરનાર વ્યક્તિએ જણાવ્યું હતું કે ક્લબમાં કોઈ વ્યક્તિ ગોળીબારી કરી રહ્યું છે. કોલોરાડો પોલીસને ગોળીબારીની જાણ થતાંની સાથે જ ક્લબ પર પહોંચી ગઈ હતી. પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. કોલોરાડો પોલીસ આ ગોળીબારી મામલે ક્લબ બહારના તમામ સીસીટીવી વગેરે ચેક કરી રહ્યું છે. પોલીસે નાઈટ ક્લબ બહારના સુરક્ષા કર્મીઓ સાથે પણ વાતચીત કરી છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.