અમેરિકાના કોલોરાડો શહેરમાં ગોળીબારી થતાં પાંચ લોકોના મોત, 18 ઘાયલ


  • Published By :
  • Published Date : 2022-11-20 20:24:11

અમેરિકાના કોલોરાડેના એક નાઈટ ક્લબમાં ગોળીબારી થઈ હતી. જેમાં પાંચ લોકો માર્યા ગયા હતા. આ ગોળીબારીમાં 18 લોકોને ઈજા પહોંચી છે, જ્યારે અમુક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. કોલોરાડો પોલીસે ગોળીબાર કરનાર શંકાસ્પદ વ્યક્તિને ઝડપી પાડી છે. આ વ્યક્તિને પકડીને પોલીસ પૂછપરછ કરી રહી છે. ગોળીબારી શનિવારે રાત્રે ક્લબમાં થઈ હતી જ્યાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. 

US: 5 killed, 18 injured in gay nightclub shooting in Colorado

કોલોરાડો પોલીસે શંકાસ્પદ વ્યક્તિને ઝડપ્યો

કોલોરાડો પોલીસને અડધી રાત્રે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ ગોળીબારી વિશે પોલીસને જાણ કરી હતી. ફોન કરનાર વ્યક્તિએ જણાવ્યું હતું કે ક્લબમાં કોઈ વ્યક્તિ ગોળીબારી કરી રહ્યું છે. કોલોરાડો પોલીસને ગોળીબારીની જાણ થતાંની સાથે જ ક્લબ પર પહોંચી ગઈ હતી. પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. કોલોરાડો પોલીસ આ ગોળીબારી મામલે ક્લબ બહારના તમામ સીસીટીવી વગેરે ચેક કરી રહ્યું છે. પોલીસે નાઈટ ક્લબ બહારના સુરક્ષા કર્મીઓ સાથે પણ વાતચીત કરી છે.  



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .