અમેરિકાના કોલોરાડો શહેરમાં ગોળીબારી થતાં પાંચ લોકોના મોત, 18 ઘાયલ


  • Published By :
  • Published Date : 2022-11-20 20:24:11

અમેરિકાના કોલોરાડેના એક નાઈટ ક્લબમાં ગોળીબારી થઈ હતી. જેમાં પાંચ લોકો માર્યા ગયા હતા. આ ગોળીબારીમાં 18 લોકોને ઈજા પહોંચી છે, જ્યારે અમુક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. કોલોરાડો પોલીસે ગોળીબાર કરનાર શંકાસ્પદ વ્યક્તિને ઝડપી પાડી છે. આ વ્યક્તિને પકડીને પોલીસ પૂછપરછ કરી રહી છે. ગોળીબારી શનિવારે રાત્રે ક્લબમાં થઈ હતી જ્યાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. 

US: 5 killed, 18 injured in gay nightclub shooting in Colorado

કોલોરાડો પોલીસે શંકાસ્પદ વ્યક્તિને ઝડપ્યો

કોલોરાડો પોલીસને અડધી રાત્રે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ ગોળીબારી વિશે પોલીસને જાણ કરી હતી. ફોન કરનાર વ્યક્તિએ જણાવ્યું હતું કે ક્લબમાં કોઈ વ્યક્તિ ગોળીબારી કરી રહ્યું છે. કોલોરાડો પોલીસને ગોળીબારીની જાણ થતાંની સાથે જ ક્લબ પર પહોંચી ગઈ હતી. પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. કોલોરાડો પોલીસ આ ગોળીબારી મામલે ક્લબ બહારના તમામ સીસીટીવી વગેરે ચેક કરી રહ્યું છે. પોલીસે નાઈટ ક્લબ બહારના સુરક્ષા કર્મીઓ સાથે પણ વાતચીત કરી છે.  



આપણા દ્વારા કરવામાં આવેલા નાના કામોનું મહત્વ બીજાના જીવનમાં શું ફરક લાવી શકે છે તે આપણે જાણીએ છીએ.કોઈના આંસુને લૂછતા માત્ર થોડી મિનીટો જ લાગે છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ક્ષણને સમર્પિત રચના...

ભગવાન નારાયણે અનેક અવતારો લીધા છે ત્યારે આજે વાત કરવી છે ભગવાનના નૃસિંહ અવતારની. કારણ કે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિને નૃસિંહ જયંતી તરીકે મનાવવમાાં આવે છે.. નૃસિંહ ભગવાનનું અડધું શરીર નરનું હતું અને અડધું શરીર સિંહનું હતું.

ભાવનગરમાં કોંગ્રેસના નેતાઓનો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં નેતાઓ, શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓ હાજર હતા. જેનીબેન ઠુમ્મર દ્વારા પરષોત્તમ રૂપાલાને લઈ નિવેદન આપ્યું છે... તે સિવાય શક્તિસિંહ ગોહિલે જેનીબેન ઠુમ્મર અને ગેનીબેન ઠાકોરના વખાણ કર્યા હતા.

રેન્દ્રનગરના જોરાવરનગરમાં અંધશ્રદ્ધાએ એક 3 માસની બાળકીનો જીવ લીધો જોરાવરનગર ખાતે રહેતા પરિવારની ભગવતી નામની 3 માસની બાળકી બીમાર રહતી એને શરદી તાવ આવતો પરિવારજનો તેને ભૂવા પાસે લઈ ગયા જ્યાં ભૂવાએ અગરબત્તીથી બાળકીથી જામ આપ્યા. તબિયત બગડી અને બાળકીનું નિપજ્યું મોત.