ફૂટબોલના જાદુગર પેલેનું 82 વર્ષની વયે નિધન, આંતરડાના કેન્સર સામે ઝઝુમ્યા બાદ અંતિમ શ્વાસ લીધો


  • Published By :
  • Published Date : 2022-12-30 17:22:25

બ્રાઝિલના વિશ્વ વિખ્યાત ફુટબોલ ખેલાડી પેલેનું 82 વર્ષની વયે નિધન થયું છે. આંતરડાના કેન્સર સામે લાંબી લડાઈ બાદ 82 વર્ષની વયે તેમણે સાઓ પાઉલોની હોસ્પિટલમાં પેલેએ અંતિમ શ્વાસ લીધો હતો. જગવિખ્યાત ખેલાડી પેલે 'ગેસોલિના', 'ધ બ્લેક પર્લ' અને 'ઓ રે',ધ ફુટબોલ કિંગ જેવા નામથી પણ ઓળખાતા હતા.પેલેનું આખુ નામ એન્ડરસન એરંટેસ ડો નાસિમેંટો હતું.


પેલેનું બાળપણ ગરીબીમાં વિત્યું


પેલેનો જન્મ 23 ઓક્ટોબર 1940ના દિવસે બ્રાઝિલના મિનાસ ગેરાઈસ શહેરમાં થયો હતો.ગરીબીના કારણે ફુટબોલ કિટ ખરીદવા માટે બુટ પોલીશ પણ કરી હતી. ગરીબી એટલી બધી હતી કે પેલે બાળપણમાં સાઓ પાઉલોના માર્ગો પર અખબારોની પસ્તીનો દડો બનાવી ફુટબોલ રમતા હતા.


પેલેની ફુટબોલ કારકિર્દી


પેલે 11 વર્ષની વયે સાંતોસ ક્લબમાં જોડાયા અને પછી બ્રાઝીલની રાષ્ટ્રીય ટીમ માટે ફુટબોલ મેચો રમી મહાન ખેલાડી બન્યા. પેલેએ બ્રાઝિલ માટે 114 મેચોમાં 95 ગોલ કર્યા હતા, પેલેએ તેમના ફૂટબોલ કેરિયર દરમિયાન  કુલ ચાર ફુટબોલ વિશ્વ કપ મેચ રમ્યા અને તેમાંથી ત્રણ વાર વર્લ્ડ ચેમ્પિયન બન્યા હતા. પેલેની રમતમાં બ્રાઝીલના જગવિખ્યાત સાંબા ડાન્સની ઝલક જોવા મળતી હતી. તેમની લોકપ્રિયતા એટલી બધી હતી કે યુરોપની તમામ ફૂટબોલ ક્લબો તેમને ખરીદવા પડાપડી કરવા લાગી હતી. અંતે બ્રાઝિલની સરકારે વચ્ચે દખલ કરી તેમને રાષ્ટ્રિય સંપત્તી (National Asset) જાહેર કરવામાં આવ્યા હતા. પેલેની પીળા રંગની 10 નંબરની જર્સી ફુટબોલ ચાહકોમાં આજે પણ લોકપ્રિય છે.


પેલે માટે નાઈજીરીયામાં યુધ્ધવિરામ


પેલેની ખ્યાતી એવી હતી કે તે લાગોસમાં પ્રદર્શન મેચ રમી શકે તે માટે 1967માં નાઈજીરિયામાં 48 કલાકમાં ગૃહયુધ્ધ વિરાની જાહેરાત કરાઈ હતી. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.