ફૂટબોલના જાદુગર પેલેનું 82 વર્ષની વયે નિધન, આંતરડાના કેન્સર સામે ઝઝુમ્યા બાદ અંતિમ શ્વાસ લીધો


  • Published By :
  • Published Date : 2022-12-30 17:22:25

બ્રાઝિલના વિશ્વ વિખ્યાત ફુટબોલ ખેલાડી પેલેનું 82 વર્ષની વયે નિધન થયું છે. આંતરડાના કેન્સર સામે લાંબી લડાઈ બાદ 82 વર્ષની વયે તેમણે સાઓ પાઉલોની હોસ્પિટલમાં પેલેએ અંતિમ શ્વાસ લીધો હતો. જગવિખ્યાત ખેલાડી પેલે 'ગેસોલિના', 'ધ બ્લેક પર્લ' અને 'ઓ રે',ધ ફુટબોલ કિંગ જેવા નામથી પણ ઓળખાતા હતા.પેલેનું આખુ નામ એન્ડરસન એરંટેસ ડો નાસિમેંટો હતું.


પેલેનું બાળપણ ગરીબીમાં વિત્યું


પેલેનો જન્મ 23 ઓક્ટોબર 1940ના દિવસે બ્રાઝિલના મિનાસ ગેરાઈસ શહેરમાં થયો હતો.ગરીબીના કારણે ફુટબોલ કિટ ખરીદવા માટે બુટ પોલીશ પણ કરી હતી. ગરીબી એટલી બધી હતી કે પેલે બાળપણમાં સાઓ પાઉલોના માર્ગો પર અખબારોની પસ્તીનો દડો બનાવી ફુટબોલ રમતા હતા.


પેલેની ફુટબોલ કારકિર્દી


પેલે 11 વર્ષની વયે સાંતોસ ક્લબમાં જોડાયા અને પછી બ્રાઝીલની રાષ્ટ્રીય ટીમ માટે ફુટબોલ મેચો રમી મહાન ખેલાડી બન્યા. પેલેએ બ્રાઝિલ માટે 114 મેચોમાં 95 ગોલ કર્યા હતા, પેલેએ તેમના ફૂટબોલ કેરિયર દરમિયાન  કુલ ચાર ફુટબોલ વિશ્વ કપ મેચ રમ્યા અને તેમાંથી ત્રણ વાર વર્લ્ડ ચેમ્પિયન બન્યા હતા. પેલેની રમતમાં બ્રાઝીલના જગવિખ્યાત સાંબા ડાન્સની ઝલક જોવા મળતી હતી. તેમની લોકપ્રિયતા એટલી બધી હતી કે યુરોપની તમામ ફૂટબોલ ક્લબો તેમને ખરીદવા પડાપડી કરવા લાગી હતી. અંતે બ્રાઝિલની સરકારે વચ્ચે દખલ કરી તેમને રાષ્ટ્રિય સંપત્તી (National Asset) જાહેર કરવામાં આવ્યા હતા. પેલેની પીળા રંગની 10 નંબરની જર્સી ફુટબોલ ચાહકોમાં આજે પણ લોકપ્રિય છે.


પેલે માટે નાઈજીરીયામાં યુધ્ધવિરામ


પેલેની ખ્યાતી એવી હતી કે તે લાગોસમાં પ્રદર્શન મેચ રમી શકે તે માટે 1967માં નાઈજીરિયામાં 48 કલાકમાં ગૃહયુધ્ધ વિરાની જાહેરાત કરાઈ હતી. 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.