ફૂટબોલના જાદુગર પેલેનું 82 વર્ષની વયે નિધન, આંતરડાના કેન્સર સામે ઝઝુમ્યા બાદ અંતિમ શ્વાસ લીધો


  • Published By :
  • Published Date : 2022-12-30 17:22:25

બ્રાઝિલના વિશ્વ વિખ્યાત ફુટબોલ ખેલાડી પેલેનું 82 વર્ષની વયે નિધન થયું છે. આંતરડાના કેન્સર સામે લાંબી લડાઈ બાદ 82 વર્ષની વયે તેમણે સાઓ પાઉલોની હોસ્પિટલમાં પેલેએ અંતિમ શ્વાસ લીધો હતો. જગવિખ્યાત ખેલાડી પેલે 'ગેસોલિના', 'ધ બ્લેક પર્લ' અને 'ઓ રે',ધ ફુટબોલ કિંગ જેવા નામથી પણ ઓળખાતા હતા.પેલેનું આખુ નામ એન્ડરસન એરંટેસ ડો નાસિમેંટો હતું.


પેલેનું બાળપણ ગરીબીમાં વિત્યું


પેલેનો જન્મ 23 ઓક્ટોબર 1940ના દિવસે બ્રાઝિલના મિનાસ ગેરાઈસ શહેરમાં થયો હતો.ગરીબીના કારણે ફુટબોલ કિટ ખરીદવા માટે બુટ પોલીશ પણ કરી હતી. ગરીબી એટલી બધી હતી કે પેલે બાળપણમાં સાઓ પાઉલોના માર્ગો પર અખબારોની પસ્તીનો દડો બનાવી ફુટબોલ રમતા હતા.


પેલેની ફુટબોલ કારકિર્દી


પેલે 11 વર્ષની વયે સાંતોસ ક્લબમાં જોડાયા અને પછી બ્રાઝીલની રાષ્ટ્રીય ટીમ માટે ફુટબોલ મેચો રમી મહાન ખેલાડી બન્યા. પેલેએ બ્રાઝિલ માટે 114 મેચોમાં 95 ગોલ કર્યા હતા, પેલેએ તેમના ફૂટબોલ કેરિયર દરમિયાન  કુલ ચાર ફુટબોલ વિશ્વ કપ મેચ રમ્યા અને તેમાંથી ત્રણ વાર વર્લ્ડ ચેમ્પિયન બન્યા હતા. પેલેની રમતમાં બ્રાઝીલના જગવિખ્યાત સાંબા ડાન્સની ઝલક જોવા મળતી હતી. તેમની લોકપ્રિયતા એટલી બધી હતી કે યુરોપની તમામ ફૂટબોલ ક્લબો તેમને ખરીદવા પડાપડી કરવા લાગી હતી. અંતે બ્રાઝિલની સરકારે વચ્ચે દખલ કરી તેમને રાષ્ટ્રિય સંપત્તી (National Asset) જાહેર કરવામાં આવ્યા હતા. પેલેની પીળા રંગની 10 નંબરની જર્સી ફુટબોલ ચાહકોમાં આજે પણ લોકપ્રિય છે.


પેલે માટે નાઈજીરીયામાં યુધ્ધવિરામ


પેલેની ખ્યાતી એવી હતી કે તે લાગોસમાં પ્રદર્શન મેચ રમી શકે તે માટે 1967માં નાઈજીરિયામાં 48 કલાકમાં ગૃહયુધ્ધ વિરાની જાહેરાત કરાઈ હતી. 




ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરે પ્લેટફોર્મ એક્સ પર ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. અમેરિકન એમ્બેસેડર સર્જીયો ગોર દ્વારા થોડાક સમય અગાઉ , મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વચ્ચે જે ICC T20 વર્લ્ડ કપની મેચ રમાઈ તેમાં હાજરી આપવામાં આવી હતી. સર્જિયો ગોર દ્વારા એ વાતની નોંધ પણ લેવામાં આવી છે કે , અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય ખુબ ઉજળું છે.

આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.