દિલ્હી MCD ચૂંટણી માટે ભાજપે કર્યો 180 સીટનો દાવો જ્યારે આપે કર્યો 230 સીટ જીતવાનો દાવો


  • Published By :
  • Published Date : 2022-11-29 08:04:27

દિલ્હીમાં MCD ચૂંટણી યોજાવાની છે. દિલ્હીની ચૂંટણી જીતવા દરેક પાર્ટી તનતોડ મહેનત કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી અને ભાજપ પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ દાવો કર્યો કે આ ચૂંટણીમાં 230 સીટ આવાની છે. જ્યારે દિલ્હી પ્રદેશના ભાજપ અધ્યક્ષે કહ્યું કે આ ચૂંટણીમાં ભાજપે કહ્યું કે તેની 180 સીટોથી વધારે આવવાની છે.

દિલ્હીમાં MCD ચૂંટણીમાં આપ 230 સીટ જીતશે - રાઘવ ચઢ્ઢા 

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. તેની સાથે સાથે દિલ્હીમાં MCD ચૂંટણી પણ યોજાવાની છે. ચૂંટણીને લઈ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે આરોપ-પ્રતિઆરોપ લાગતા રહે છે. ઉપરાંત પોતાની પાર્ટીને કેટલી સીટો મળશે તે અંગે પણ દાવો કરતા હોય છે. ત્યારે રવિવારે રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ દિલ્હીની ચૂંટણીને લઈ દાવો કર્યો કે આ વખતે આમ આદમી પાર્ટીને 250 સીટમાંથી 230 સીટ મળવાની છે. રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે દિલ્હી સરકારની જેમ એમસીડીમાં પણ આમ આદમી પાર્ટીની જીત થશે. 4 ડિસેમ્બરે દિલ્હી વાસીઓ ઝાડુને વોટ આપી ન માત્ર કચરો સાફ કરશે ઉપરાંત ભાજપના નેતાઓમાં રહેલા કચરાને પણ સાફ કરશે.

Raghav Chadha Biography: Birth, Age, Family, Education, Career, Net Worth,  and More about Delhi MLA

ભાજપે ચૂંટણીમાં 180 સીટથી વધુ સીટ મેળવવાનો કર્યો દાવો 

રાઘવ ચઢ્ઢાની વાત પર ભાજપે વળતો જવાબ આપ્યો છે. દિલ્હી પ્રદેશના ભાજપ અધ્યક્ષે કહ્યું કે આ ચૂંટણીમાં ભાજપે કહ્યું કે તેની 180 સીટોથી વધારે આવવાની છે. આપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી કહે છે કંઈક અને કરે છે કંઈક. દિલ્હીમાં એવી એક ગલી નથી જ્યાં ભાજપ નથી પહોંચી. ત્યારે જોવું એ રહ્યું કે એમસીડી ચૂંટણીમાં કઈ પાર્ટીનો વિજય થાય છે. 

दिल्ली भाजपा अध्यक्ष आदेश गुप्ता



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.