દિલ્હી MCD ચૂંટણી માટે ભાજપે કર્યો 180 સીટનો દાવો જ્યારે આપે કર્યો 230 સીટ જીતવાનો દાવો


  • Published By :
  • Published Date : 2022-11-29 08:04:27

દિલ્હીમાં MCD ચૂંટણી યોજાવાની છે. દિલ્હીની ચૂંટણી જીતવા દરેક પાર્ટી તનતોડ મહેનત કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી અને ભાજપ પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ દાવો કર્યો કે આ ચૂંટણીમાં 230 સીટ આવાની છે. જ્યારે દિલ્હી પ્રદેશના ભાજપ અધ્યક્ષે કહ્યું કે આ ચૂંટણીમાં ભાજપે કહ્યું કે તેની 180 સીટોથી વધારે આવવાની છે.

દિલ્હીમાં MCD ચૂંટણીમાં આપ 230 સીટ જીતશે - રાઘવ ચઢ્ઢા 

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. તેની સાથે સાથે દિલ્હીમાં MCD ચૂંટણી પણ યોજાવાની છે. ચૂંટણીને લઈ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે આરોપ-પ્રતિઆરોપ લાગતા રહે છે. ઉપરાંત પોતાની પાર્ટીને કેટલી સીટો મળશે તે અંગે પણ દાવો કરતા હોય છે. ત્યારે રવિવારે રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ દિલ્હીની ચૂંટણીને લઈ દાવો કર્યો કે આ વખતે આમ આદમી પાર્ટીને 250 સીટમાંથી 230 સીટ મળવાની છે. રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે દિલ્હી સરકારની જેમ એમસીડીમાં પણ આમ આદમી પાર્ટીની જીત થશે. 4 ડિસેમ્બરે દિલ્હી વાસીઓ ઝાડુને વોટ આપી ન માત્ર કચરો સાફ કરશે ઉપરાંત ભાજપના નેતાઓમાં રહેલા કચરાને પણ સાફ કરશે.

Raghav Chadha Biography: Birth, Age, Family, Education, Career, Net Worth,  and More about Delhi MLA

ભાજપે ચૂંટણીમાં 180 સીટથી વધુ સીટ મેળવવાનો કર્યો દાવો 

રાઘવ ચઢ્ઢાની વાત પર ભાજપે વળતો જવાબ આપ્યો છે. દિલ્હી પ્રદેશના ભાજપ અધ્યક્ષે કહ્યું કે આ ચૂંટણીમાં ભાજપે કહ્યું કે તેની 180 સીટોથી વધારે આવવાની છે. આપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી કહે છે કંઈક અને કરે છે કંઈક. દિલ્હીમાં એવી એક ગલી નથી જ્યાં ભાજપ નથી પહોંચી. ત્યારે જોવું એ રહ્યું કે એમસીડી ચૂંટણીમાં કઈ પાર્ટીનો વિજય થાય છે. 

दिल्ली भाजपा अध्यक्ष आदेश गुप्ता



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે