દિલ્હી MCD ચૂંટણી માટે ભાજપે કર્યો 180 સીટનો દાવો જ્યારે આપે કર્યો 230 સીટ જીતવાનો દાવો


  • Published By :
  • Published Date : 2022-11-29 08:04:27

દિલ્હીમાં MCD ચૂંટણી યોજાવાની છે. દિલ્હીની ચૂંટણી જીતવા દરેક પાર્ટી તનતોડ મહેનત કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી અને ભાજપ પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ દાવો કર્યો કે આ ચૂંટણીમાં 230 સીટ આવાની છે. જ્યારે દિલ્હી પ્રદેશના ભાજપ અધ્યક્ષે કહ્યું કે આ ચૂંટણીમાં ભાજપે કહ્યું કે તેની 180 સીટોથી વધારે આવવાની છે.

દિલ્હીમાં MCD ચૂંટણીમાં આપ 230 સીટ જીતશે - રાઘવ ચઢ્ઢા 

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. તેની સાથે સાથે દિલ્હીમાં MCD ચૂંટણી પણ યોજાવાની છે. ચૂંટણીને લઈ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે આરોપ-પ્રતિઆરોપ લાગતા રહે છે. ઉપરાંત પોતાની પાર્ટીને કેટલી સીટો મળશે તે અંગે પણ દાવો કરતા હોય છે. ત્યારે રવિવારે રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ દિલ્હીની ચૂંટણીને લઈ દાવો કર્યો કે આ વખતે આમ આદમી પાર્ટીને 250 સીટમાંથી 230 સીટ મળવાની છે. રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે દિલ્હી સરકારની જેમ એમસીડીમાં પણ આમ આદમી પાર્ટીની જીત થશે. 4 ડિસેમ્બરે દિલ્હી વાસીઓ ઝાડુને વોટ આપી ન માત્ર કચરો સાફ કરશે ઉપરાંત ભાજપના નેતાઓમાં રહેલા કચરાને પણ સાફ કરશે.

Raghav Chadha Biography: Birth, Age, Family, Education, Career, Net Worth,  and More about Delhi MLA

ભાજપે ચૂંટણીમાં 180 સીટથી વધુ સીટ મેળવવાનો કર્યો દાવો 

રાઘવ ચઢ્ઢાની વાત પર ભાજપે વળતો જવાબ આપ્યો છે. દિલ્હી પ્રદેશના ભાજપ અધ્યક્ષે કહ્યું કે આ ચૂંટણીમાં ભાજપે કહ્યું કે તેની 180 સીટોથી વધારે આવવાની છે. આપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી કહે છે કંઈક અને કરે છે કંઈક. દિલ્હીમાં એવી એક ગલી નથી જ્યાં ભાજપ નથી પહોંચી. ત્યારે જોવું એ રહ્યું કે એમસીડી ચૂંટણીમાં કઈ પાર્ટીનો વિજય થાય છે. 

दिल्ली भाजपा अध्यक्ष आदेश गुप्ता



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.