આ કારણથી PM મોદીએ 3 CM સાથે માનગઢ હિલની મુલાકાત લીધી


  • Published By :
  • Published Date : 2022-11-01 21:33:13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે એ માનગઢ વિસ્તારની મુલાકાત લીધી હતી જ્યાં 1500 જેટલા આદિવાસી લોકો અંગ્રેજોની ગોળીએ વિંધાઈ ગયા હતા... 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે આદિવાસીઓના આસ્થા કેન્દ્ર માનગઢ હિલની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ 3 રાજ્યોના મુખ્યમંત્રીને એટલા માટે બોલાવ્યા હતા કારણ કે માનગઢ હિલ જે વિસ્તારમાં છે ત્યાં ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ એમ ત્રણેય રાજ્યની સરહદ છે. 


માનગઢ હિલ રાષ્ટ્રીય સ્મારક ના જાહેર કરાયું

આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ભાષણ આપ્યું હતું. ચર્ચાઓ ચાલી રહી હતી કે માનગઢ હિલને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવામાં આવશે પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માનગઢ હિલને રાષ્ટ્રીય સ્મારક જાહેર નહોતું કર્યું.


માનગઢ હિલ કેમ આદિવાસીઓ માટે ખાસ?

વર્ષ 1913માં ગોવિંદ ગુરુ નામના સમાજ સુધારકની આગેવાનીમાં હજારો આદિવાસીઓ માનગઢ હિલ ખાતે પહોંચ્યા હતા. અંગ્રેજોએ તમામને માનગઢ હિલ ખાલી કરી દેવાનો આદેશ આપ્યો હતો પરંતુ ગોવિંદ ગુરુએ માનગઢ ખાતેની ધૂણી ખાલી કરવાની ના પાડી દીધી હતી. કાર્યવાહીના ભાગરૂપે અંગ્રેજોએ નિર્દોષ આદિવાસીઓ પર ગોળીઓનો વરસાદ કર્યો હતો જેમાં 1500થી વધુ આદિવાસીઓનો નરસંહાર થયો હતો.  



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.