આ કારણથી PM મોદીએ 3 CM સાથે માનગઢ હિલની મુલાકાત લીધી


  • Published By :
  • Published Date : 2022-11-01 21:33:13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે એ માનગઢ વિસ્તારની મુલાકાત લીધી હતી જ્યાં 1500 જેટલા આદિવાસી લોકો અંગ્રેજોની ગોળીએ વિંધાઈ ગયા હતા... 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે આદિવાસીઓના આસ્થા કેન્દ્ર માનગઢ હિલની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ 3 રાજ્યોના મુખ્યમંત્રીને એટલા માટે બોલાવ્યા હતા કારણ કે માનગઢ હિલ જે વિસ્તારમાં છે ત્યાં ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ એમ ત્રણેય રાજ્યની સરહદ છે. 


માનગઢ હિલ રાષ્ટ્રીય સ્મારક ના જાહેર કરાયું

આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ભાષણ આપ્યું હતું. ચર્ચાઓ ચાલી રહી હતી કે માનગઢ હિલને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવામાં આવશે પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માનગઢ હિલને રાષ્ટ્રીય સ્મારક જાહેર નહોતું કર્યું.


માનગઢ હિલ કેમ આદિવાસીઓ માટે ખાસ?

વર્ષ 1913માં ગોવિંદ ગુરુ નામના સમાજ સુધારકની આગેવાનીમાં હજારો આદિવાસીઓ માનગઢ હિલ ખાતે પહોંચ્યા હતા. અંગ્રેજોએ તમામને માનગઢ હિલ ખાલી કરી દેવાનો આદેશ આપ્યો હતો પરંતુ ગોવિંદ ગુરુએ માનગઢ ખાતેની ધૂણી ખાલી કરવાની ના પાડી દીધી હતી. કાર્યવાહીના ભાગરૂપે અંગ્રેજોએ નિર્દોષ આદિવાસીઓ પર ગોળીઓનો વરસાદ કર્યો હતો જેમાં 1500થી વધુ આદિવાસીઓનો નરસંહાર થયો હતો.  



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.