બિઝનેશ મેગેઝીન ફોર્બ્સની યાદીમાં આ ત્રણ ભારતીય મહિલા ઉદ્યોગ સાહસિકો ઝળકી


  • Published By :
  • Published Date : 2022-11-08 21:39:15

વિશ્વ વિખ્યાત બિઝનેશ મેગેઝીન ફોર્બ્સે તેના નવેમ્બરના અંકમાં એશિયાની 20 મહિલા ઉદ્યોગ સાહસિકોની યાદી પ્રકાશિત કરી છે. આ 20 મહિલાઓમાં ત્રણ ભારતીય છે. આ યાદીમાં જેનો સમાવેશ થયો છે તેમાં (1) સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરપર્સન સોમા મંડલ, (2) એમક્યોર ફાર્માના ઇન્ડિયા બિઝનેસમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નમિતા થાપર અને (3) હોનાસા કન્ઝ્યુમરના કો-ફાઉન્ડર અને ચીફ ઇનોવેશન ઓફિસર ગજલ અલઘનો સમાવેશ થાય છે.

આ મહિલા ઉદ્યોગપતિઓની વિશેષતા શું છે?

ફોર્બ્સની યાદીમાં સામેલ આ મહિલા ઉદ્યોગપતિઓની સૌથી મોટી વિશિષ્ટતા એ છે કે તેમણે કોવિડ-19 મહામારી દરમિયાન ખુબ જ મુશ્કેલીનો સામનો કરીને પણ તેમના બિઝનેશને ટકાવી રાખ્યો હતો. કોરોના કાળમાં ખુબ જ વિપરીત પરિસ્થિતીમાં આ મહિલાઓએ તેમના ક્ષેત્રે વ્યવસાયિક સફળતા મેળવી હતી. આ યાદીમાં ભારત ઉપરાંત અન્ય 17 દેશો જેવા કે ઓસ્ટ્રેલિયા, ચીન, દક્ષિણ કોરિયા, ઈન્ડોનેશિયા, જાપાન, સિંગાપોર, તાઈવાન અને થાઈલેન્ડની મહિલા ઉદ્યોગ સાહસિકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ મહિલાઓ રિયલ એસ્ટેટ, કન્સ્ટ્રક્સન, શિપિંગ, આઈ ટી, મેડિસિન સહિતના સેક્ટરમાં કામ કરી રહી છે.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.