બિઝનેશ મેગેઝીન ફોર્બ્સની યાદીમાં આ ત્રણ ભારતીય મહિલા ઉદ્યોગ સાહસિકો ઝળકી


  • Published By :
  • Published Date : 2022-11-08 21:39:15

વિશ્વ વિખ્યાત બિઝનેશ મેગેઝીન ફોર્બ્સે તેના નવેમ્બરના અંકમાં એશિયાની 20 મહિલા ઉદ્યોગ સાહસિકોની યાદી પ્રકાશિત કરી છે. આ 20 મહિલાઓમાં ત્રણ ભારતીય છે. આ યાદીમાં જેનો સમાવેશ થયો છે તેમાં (1) સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરપર્સન સોમા મંડલ, (2) એમક્યોર ફાર્માના ઇન્ડિયા બિઝનેસમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નમિતા થાપર અને (3) હોનાસા કન્ઝ્યુમરના કો-ફાઉન્ડર અને ચીફ ઇનોવેશન ઓફિસર ગજલ અલઘનો સમાવેશ થાય છે.

આ મહિલા ઉદ્યોગપતિઓની વિશેષતા શું છે?

ફોર્બ્સની યાદીમાં સામેલ આ મહિલા ઉદ્યોગપતિઓની સૌથી મોટી વિશિષ્ટતા એ છે કે તેમણે કોવિડ-19 મહામારી દરમિયાન ખુબ જ મુશ્કેલીનો સામનો કરીને પણ તેમના બિઝનેશને ટકાવી રાખ્યો હતો. કોરોના કાળમાં ખુબ જ વિપરીત પરિસ્થિતીમાં આ મહિલાઓએ તેમના ક્ષેત્રે વ્યવસાયિક સફળતા મેળવી હતી. આ યાદીમાં ભારત ઉપરાંત અન્ય 17 દેશો જેવા કે ઓસ્ટ્રેલિયા, ચીન, દક્ષિણ કોરિયા, ઈન્ડોનેશિયા, જાપાન, સિંગાપોર, તાઈવાન અને થાઈલેન્ડની મહિલા ઉદ્યોગ સાહસિકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ મહિલાઓ રિયલ એસ્ટેટ, કન્સ્ટ્રક્સન, શિપિંગ, આઈ ટી, મેડિસિન સહિતના સેક્ટરમાં કામ કરી રહી છે.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.