બિઝનેશ મેગેઝીન ફોર્બ્સની યાદીમાં આ ત્રણ ભારતીય મહિલા ઉદ્યોગ સાહસિકો ઝળકી


  • Published By :
  • Published Date : 2022-11-08 21:39:15

વિશ્વ વિખ્યાત બિઝનેશ મેગેઝીન ફોર્બ્સે તેના નવેમ્બરના અંકમાં એશિયાની 20 મહિલા ઉદ્યોગ સાહસિકોની યાદી પ્રકાશિત કરી છે. આ 20 મહિલાઓમાં ત્રણ ભારતીય છે. આ યાદીમાં જેનો સમાવેશ થયો છે તેમાં (1) સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરપર્સન સોમા મંડલ, (2) એમક્યોર ફાર્માના ઇન્ડિયા બિઝનેસમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નમિતા થાપર અને (3) હોનાસા કન્ઝ્યુમરના કો-ફાઉન્ડર અને ચીફ ઇનોવેશન ઓફિસર ગજલ અલઘનો સમાવેશ થાય છે.

આ મહિલા ઉદ્યોગપતિઓની વિશેષતા શું છે?

ફોર્બ્સની યાદીમાં સામેલ આ મહિલા ઉદ્યોગપતિઓની સૌથી મોટી વિશિષ્ટતા એ છે કે તેમણે કોવિડ-19 મહામારી દરમિયાન ખુબ જ મુશ્કેલીનો સામનો કરીને પણ તેમના બિઝનેશને ટકાવી રાખ્યો હતો. કોરોના કાળમાં ખુબ જ વિપરીત પરિસ્થિતીમાં આ મહિલાઓએ તેમના ક્ષેત્રે વ્યવસાયિક સફળતા મેળવી હતી. આ યાદીમાં ભારત ઉપરાંત અન્ય 17 દેશો જેવા કે ઓસ્ટ્રેલિયા, ચીન, દક્ષિણ કોરિયા, ઈન્ડોનેશિયા, જાપાન, સિંગાપોર, તાઈવાન અને થાઈલેન્ડની મહિલા ઉદ્યોગ સાહસિકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ મહિલાઓ રિયલ એસ્ટેટ, કન્સ્ટ્રક્સન, શિપિંગ, આઈ ટી, મેડિસિન સહિતના સેક્ટરમાં કામ કરી રહી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે