બિઝનેશ મેગેઝીન ફોર્બ્સની યાદીમાં આ ત્રણ ભારતીય મહિલા ઉદ્યોગ સાહસિકો ઝળકી


  • Published By :
  • Published Date : 2022-11-08 21:39:15

વિશ્વ વિખ્યાત બિઝનેશ મેગેઝીન ફોર્બ્સે તેના નવેમ્બરના અંકમાં એશિયાની 20 મહિલા ઉદ્યોગ સાહસિકોની યાદી પ્રકાશિત કરી છે. આ 20 મહિલાઓમાં ત્રણ ભારતીય છે. આ યાદીમાં જેનો સમાવેશ થયો છે તેમાં (1) સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરપર્સન સોમા મંડલ, (2) એમક્યોર ફાર્માના ઇન્ડિયા બિઝનેસમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નમિતા થાપર અને (3) હોનાસા કન્ઝ્યુમરના કો-ફાઉન્ડર અને ચીફ ઇનોવેશન ઓફિસર ગજલ અલઘનો સમાવેશ થાય છે.

આ મહિલા ઉદ્યોગપતિઓની વિશેષતા શું છે?

ફોર્બ્સની યાદીમાં સામેલ આ મહિલા ઉદ્યોગપતિઓની સૌથી મોટી વિશિષ્ટતા એ છે કે તેમણે કોવિડ-19 મહામારી દરમિયાન ખુબ જ મુશ્કેલીનો સામનો કરીને પણ તેમના બિઝનેશને ટકાવી રાખ્યો હતો. કોરોના કાળમાં ખુબ જ વિપરીત પરિસ્થિતીમાં આ મહિલાઓએ તેમના ક્ષેત્રે વ્યવસાયિક સફળતા મેળવી હતી. આ યાદીમાં ભારત ઉપરાંત અન્ય 17 દેશો જેવા કે ઓસ્ટ્રેલિયા, ચીન, દક્ષિણ કોરિયા, ઈન્ડોનેશિયા, જાપાન, સિંગાપોર, તાઈવાન અને થાઈલેન્ડની મહિલા ઉદ્યોગ સાહસિકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ મહિલાઓ રિયલ એસ્ટેટ, કન્સ્ટ્રક્સન, શિપિંગ, આઈ ટી, મેડિસિન સહિતના સેક્ટરમાં કામ કરી રહી છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.