ઓડિશા ટ્રેન દુર્ઘટના અંગે વિદેશના નેતાઓએ લીધી નોંધ, દુ:ખદ ઘટનાને લઈ શોક કર્યો પ્રગટ, ઓસ્ટ્રેલિયા સહિત આ દેશના નેતાઓએ આપી પ્રતિક્રિયા


  • Published By :
  • Published Date : 2023-06-03 12:22:25

ઓડિશામાં બનેલી રેલ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 238 જેટલા લોકોના મોત થઈ ગયા છે. આ દુર્ઘટનાને લઈ દેશમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. ઘટના સર્જાયા બાદ બ્લડ ડોનેટ કરવા મોટી સંખ્યામાં લોકો પહોંચી ગયા હતા. મૃતકોના પરિવારને સહાય ચૂકવવાની જાહેરાત પણ કરવામાં આવી છે. પીએમ મોદી, રેલવે મંત્રી સહિતના અનેક દિગ્ગ્જ નેતાઓએ આ દુર્ઘટના અંગે શોક પ્રગટ કર્યો છે. આજ સાંજ સુધી પીએમ મોદી ઘટના સ્થળની મુલાકાત લેવાના છે. તે સિવાય પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ઘટના સ્થળની મુલાકાત લેવાના છે. 


ઓસ્ટ્રેલિયાના મંત્રીએ ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું!

ભારતના રાજનેતાઓ દ્વારા ઘટનાને લઈ શોક પ્રગટ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ભારતના નેતાઓ સિવાય રૂસ, ઓસ્ટ્રેલિયા સહિત અનેક દેશના નેતાઓએ શોક પ્રગટ કર્યો છે. ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રીએ આ ઘટના અંગે દુ:ખ પ્રગટ કરતા કહ્યું કે અને અમે ભારતની સાથે અને રેસ્કયુ કરી રહેલા લોકોની સાથે છીએ. તે સિવાય રૂસના રાજદૂતે પણ આ ઘટનાને લઈ શોક પ્રગટ કર્યો છે. સંવેદનશીલતા દર્શાવી છે.  


શ્રીલંકાના વિદેશમંત્રીએ શોક વ્યક્ત કર્યો હતો!

શ્રીલંકાના વિદેશમંત્રીએ પણ આ ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું છે. આ ઘટનામાં મૃત્યુ પામનારા લોકો માટે શોક પ્રગટ કર્યો છે. વિદેશમંત્રીએ કહ્યું કે ઘટના અંગે જાણી ઘણું દુખ થયું. ઘટનામાં ઈજાગસ્ત થયેલા લોકો જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના. તે સિવાય નેપાળના વડાપ્રધાને પણ ઘટનાને લઈ દુખ વ્યક્ત કર્યું છે. મહત્વનું છે કે આ દુર્ઘટના ત્રણ ટ્રેન વચ્ચે સર્જાઈ હતી.   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.