ઓડિશા ટ્રેન દુર્ઘટના અંગે વિદેશના નેતાઓએ લીધી નોંધ, દુ:ખદ ઘટનાને લઈ શોક કર્યો પ્રગટ, ઓસ્ટ્રેલિયા સહિત આ દેશના નેતાઓએ આપી પ્રતિક્રિયા


  • Published By :
  • Published Date : 2023-06-03 12:22:25

ઓડિશામાં બનેલી રેલ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 238 જેટલા લોકોના મોત થઈ ગયા છે. આ દુર્ઘટનાને લઈ દેશમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. ઘટના સર્જાયા બાદ બ્લડ ડોનેટ કરવા મોટી સંખ્યામાં લોકો પહોંચી ગયા હતા. મૃતકોના પરિવારને સહાય ચૂકવવાની જાહેરાત પણ કરવામાં આવી છે. પીએમ મોદી, રેલવે મંત્રી સહિતના અનેક દિગ્ગ્જ નેતાઓએ આ દુર્ઘટના અંગે શોક પ્રગટ કર્યો છે. આજ સાંજ સુધી પીએમ મોદી ઘટના સ્થળની મુલાકાત લેવાના છે. તે સિવાય પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ઘટના સ્થળની મુલાકાત લેવાના છે. 


ઓસ્ટ્રેલિયાના મંત્રીએ ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું!

ભારતના રાજનેતાઓ દ્વારા ઘટનાને લઈ શોક પ્રગટ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ભારતના નેતાઓ સિવાય રૂસ, ઓસ્ટ્રેલિયા સહિત અનેક દેશના નેતાઓએ શોક પ્રગટ કર્યો છે. ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રીએ આ ઘટના અંગે દુ:ખ પ્રગટ કરતા કહ્યું કે અને અમે ભારતની સાથે અને રેસ્કયુ કરી રહેલા લોકોની સાથે છીએ. તે સિવાય રૂસના રાજદૂતે પણ આ ઘટનાને લઈ શોક પ્રગટ કર્યો છે. સંવેદનશીલતા દર્શાવી છે.  


શ્રીલંકાના વિદેશમંત્રીએ શોક વ્યક્ત કર્યો હતો!

શ્રીલંકાના વિદેશમંત્રીએ પણ આ ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું છે. આ ઘટનામાં મૃત્યુ પામનારા લોકો માટે શોક પ્રગટ કર્યો છે. વિદેશમંત્રીએ કહ્યું કે ઘટના અંગે જાણી ઘણું દુખ થયું. ઘટનામાં ઈજાગસ્ત થયેલા લોકો જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના. તે સિવાય નેપાળના વડાપ્રધાને પણ ઘટનાને લઈ દુખ વ્યક્ત કર્યું છે. મહત્વનું છે કે આ દુર્ઘટના ત્રણ ટ્રેન વચ્ચે સર્જાઈ હતી.   



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.