ભારતમાં માત્ર વિદેશી યુનિવર્સિટીને ઓનલાઈન ક્લાસની જ મંજુરી, કેમ્પસ માટે UGCની પરવાનગી અનિવાર્ય


  • Published By :
  • Published Date : 2023-01-05 17:16:42

વિદેશી યુનિવર્સિટીઓ માટે યુજીસીએ ખાસ ગાઈડલાઈન્સ જાહેર કરી છે. યુજીસીના ચેરમેન એમ જગદીશ કુમારે આ ગુરૂવારે (5 જાન્યુઆરી 2022) ના દિવસે ઘોષણા કરી હતી કે ભારતમાં પોતાની શાખાઓ ખોલવા માટે તમામ વિદેશી યુનિવર્સિટીઝએ માત્ર ઓફલાઈન ક્લાસ સંચાલિત કરવાની મંજુરી આપી છે.


UGCની મંજુરીની અનિવાર્ય


યુજીસીના ચેરમેને જણાવ્યું કે કોઈ પણ વિદેશી યુનિવર્સિટીઝને મંજુરી વિના ભારતમાં પોતાનું કેમ્પસ ખોલવા દેવામાં આવશે. મંજુરીની શરતો પ્રમાણે શરૂઆતમાં 10 વર્ષ માટે પરવાનગી મળશે. જો કે તે નવમાં વર્ષે ફરી રીન્યુ કરી શકાશે. જો કે ઓનલાઈન ક્લાસ માટે મંજુરી મળશે નહીં. વિદેશી યુનિવર્સિટીઝ માત્ર ફિઝિકલ મોડમાં માત્ર ફુલટાઈમ કોર્સ જ રજુ કરી શકશે. જો કે તે માટે વિદેશી યુનિવર્સિટીએ તેની એન્ટ્રેસ્ટ એક્ઝામની પ્રક્રિયા સ્વતંત્ર રીતે આયોજીત કરવી પડશે. આ યુનિવર્સિટીઝએ તેમના શિક્ષણની ગુણવત્તા પણ મેઈન કેમ્પસ જેટલી જાળવવી પડશે. 


ફી માળખું પારદર્શક 


વિદેશી યુનિવર્સિટીઝ ફિ સ્ટ્રક્ચર જાતે જ નક્કી કરી શકે છે, પરંતુ યુનિવર્સિટીઝે તેની ફી પારદર્શક અને વ્યાજબી રાખવી પડશે. જો કે ફંડિગ સંબંધીત તમામ કેસ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ હેઠળ નિપટાવવામાં આવશે.આ અંગેની વધુ માહિતી જાન્યુઆરી 2023ના અંત સુધી નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.