ભારતમાં માત્ર વિદેશી યુનિવર્સિટીને ઓનલાઈન ક્લાસની જ મંજુરી, કેમ્પસ માટે UGCની પરવાનગી અનિવાર્ય


  • Published By :
  • Published Date : 2023-01-05 17:16:42

વિદેશી યુનિવર્સિટીઓ માટે યુજીસીએ ખાસ ગાઈડલાઈન્સ જાહેર કરી છે. યુજીસીના ચેરમેન એમ જગદીશ કુમારે આ ગુરૂવારે (5 જાન્યુઆરી 2022) ના દિવસે ઘોષણા કરી હતી કે ભારતમાં પોતાની શાખાઓ ખોલવા માટે તમામ વિદેશી યુનિવર્સિટીઝએ માત્ર ઓફલાઈન ક્લાસ સંચાલિત કરવાની મંજુરી આપી છે.


UGCની મંજુરીની અનિવાર્ય


યુજીસીના ચેરમેને જણાવ્યું કે કોઈ પણ વિદેશી યુનિવર્સિટીઝને મંજુરી વિના ભારતમાં પોતાનું કેમ્પસ ખોલવા દેવામાં આવશે. મંજુરીની શરતો પ્રમાણે શરૂઆતમાં 10 વર્ષ માટે પરવાનગી મળશે. જો કે તે નવમાં વર્ષે ફરી રીન્યુ કરી શકાશે. જો કે ઓનલાઈન ક્લાસ માટે મંજુરી મળશે નહીં. વિદેશી યુનિવર્સિટીઝ માત્ર ફિઝિકલ મોડમાં માત્ર ફુલટાઈમ કોર્સ જ રજુ કરી શકશે. જો કે તે માટે વિદેશી યુનિવર્સિટીએ તેની એન્ટ્રેસ્ટ એક્ઝામની પ્રક્રિયા સ્વતંત્ર રીતે આયોજીત કરવી પડશે. આ યુનિવર્સિટીઝએ તેમના શિક્ષણની ગુણવત્તા પણ મેઈન કેમ્પસ જેટલી જાળવવી પડશે. 


ફી માળખું પારદર્શક 


વિદેશી યુનિવર્સિટીઝ ફિ સ્ટ્રક્ચર જાતે જ નક્કી કરી શકે છે, પરંતુ યુનિવર્સિટીઝે તેની ફી પારદર્શક અને વ્યાજબી રાખવી પડશે. જો કે ફંડિગ સંબંધીત તમામ કેસ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ હેઠળ નિપટાવવામાં આવશે.આ અંગેની વધુ માહિતી જાન્યુઆરી 2023ના અંત સુધી નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. 



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.