ભારતમાં માત્ર વિદેશી યુનિવર્સિટીને ઓનલાઈન ક્લાસની જ મંજુરી, કેમ્પસ માટે UGCની પરવાનગી અનિવાર્ય


  • Published By :
  • Published Date : 2023-01-05 17:16:42

વિદેશી યુનિવર્સિટીઓ માટે યુજીસીએ ખાસ ગાઈડલાઈન્સ જાહેર કરી છે. યુજીસીના ચેરમેન એમ જગદીશ કુમારે આ ગુરૂવારે (5 જાન્યુઆરી 2022) ના દિવસે ઘોષણા કરી હતી કે ભારતમાં પોતાની શાખાઓ ખોલવા માટે તમામ વિદેશી યુનિવર્સિટીઝએ માત્ર ઓફલાઈન ક્લાસ સંચાલિત કરવાની મંજુરી આપી છે.


UGCની મંજુરીની અનિવાર્ય


યુજીસીના ચેરમેને જણાવ્યું કે કોઈ પણ વિદેશી યુનિવર્સિટીઝને મંજુરી વિના ભારતમાં પોતાનું કેમ્પસ ખોલવા દેવામાં આવશે. મંજુરીની શરતો પ્રમાણે શરૂઆતમાં 10 વર્ષ માટે પરવાનગી મળશે. જો કે તે નવમાં વર્ષે ફરી રીન્યુ કરી શકાશે. જો કે ઓનલાઈન ક્લાસ માટે મંજુરી મળશે નહીં. વિદેશી યુનિવર્સિટીઝ માત્ર ફિઝિકલ મોડમાં માત્ર ફુલટાઈમ કોર્સ જ રજુ કરી શકશે. જો કે તે માટે વિદેશી યુનિવર્સિટીએ તેની એન્ટ્રેસ્ટ એક્ઝામની પ્રક્રિયા સ્વતંત્ર રીતે આયોજીત કરવી પડશે. આ યુનિવર્સિટીઝએ તેમના શિક્ષણની ગુણવત્તા પણ મેઈન કેમ્પસ જેટલી જાળવવી પડશે. 


ફી માળખું પારદર્શક 


વિદેશી યુનિવર્સિટીઝ ફિ સ્ટ્રક્ચર જાતે જ નક્કી કરી શકે છે, પરંતુ યુનિવર્સિટીઝે તેની ફી પારદર્શક અને વ્યાજબી રાખવી પડશે. જો કે ફંડિગ સંબંધીત તમામ કેસ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ હેઠળ નિપટાવવામાં આવશે.આ અંગેની વધુ માહિતી જાન્યુઆરી 2023ના અંત સુધી નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. 



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.