કર્ણાટકના પૂર્વમુખ્યમંત્રી જોડાયા કોંગ્રેસમાં, થોડા દિવસો પહેલા જગદીશ શેટ્ટરે ભાજપને કહ્યું હતું અલવિદા


  • Published By :
  • Published Date : 2023-04-17 11:16:21

2023માં અનેક રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે. દરેક પાર્ટી ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગઈ છે. કર્ણાટકમાં પણ ચૂંટણી યોજાવાની છે. પરંતુ તે પહેલા ભાજપને ફટકો પડ્યો છે.કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટરે થોડા દિવસો પહેલા ભાજપને અલવિદા કહી દીધું હતું ત્યારે આજે મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં તેમણે કોંગ્રેસનો હાથ થામી લીધો છે.


પૂર્વ મુખ્યમંત્રી થયા કોંગ્રેસના!

કર્ણાટકમાં ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને લઈ પાર્ટી દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ તેમજ ભાજપ દ્વારા અનેક ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી છે. ત્યારે ટિકિટ ન મળવા પર કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટરે ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યારે ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ આજે પૂર્વ મુખ્યમંત્રી કોંગ્રેસમાં સામેલ થયા છે. મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા.


ટિકિટ ન મળતા છોડી હતી પાર્ટી!

કોંગ્રેસમાં જોડાયા બાદ જ ભાજપ વિરૂદ્ધ જગદીશ શેટ્ટરે કહ્યું હતું. તેમણે કહ્યું કે મેં ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું અને આજે કોંગ્રેસમાં સામેલ થઈ ગયો છું. હું પૂરા મનથી કોંગ્રેસમાં સામેલ થયો છું. અનેક લોકો હેરાન છે કે પૂર્વ મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ રહી ચૂકેલા નેતાએ કોંગ્રેસની સદસ્યતા લીધી. પાર્ટીના વરિષ્ઠ નેતા હોવાને કારણે મને લાગ્યું કે મને ટિકિટ મળશે. પરંતુ જ્યારે મને ખબર પડી કે મને ટિકિટ નથી મળવાની તો હું હેરાન થઈ ગયો. આ મામલે મારી જોડે કોઈએ વાત ન કરી હતી. ના મને સમજાવવાની કોશિશ કરી.        




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.