કર્ણાટકના પૂર્વમુખ્યમંત્રી જોડાયા કોંગ્રેસમાં, થોડા દિવસો પહેલા જગદીશ શેટ્ટરે ભાજપને કહ્યું હતું અલવિદા


  • Published By :
  • Published Date : 2023-04-17 11:16:21

2023માં અનેક રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે. દરેક પાર્ટી ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગઈ છે. કર્ણાટકમાં પણ ચૂંટણી યોજાવાની છે. પરંતુ તે પહેલા ભાજપને ફટકો પડ્યો છે.કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટરે થોડા દિવસો પહેલા ભાજપને અલવિદા કહી દીધું હતું ત્યારે આજે મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં તેમણે કોંગ્રેસનો હાથ થામી લીધો છે.


પૂર્વ મુખ્યમંત્રી થયા કોંગ્રેસના!

કર્ણાટકમાં ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને લઈ પાર્ટી દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ તેમજ ભાજપ દ્વારા અનેક ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી છે. ત્યારે ટિકિટ ન મળવા પર કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટરે ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યારે ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ આજે પૂર્વ મુખ્યમંત્રી કોંગ્રેસમાં સામેલ થયા છે. મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા.


ટિકિટ ન મળતા છોડી હતી પાર્ટી!

કોંગ્રેસમાં જોડાયા બાદ જ ભાજપ વિરૂદ્ધ જગદીશ શેટ્ટરે કહ્યું હતું. તેમણે કહ્યું કે મેં ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું અને આજે કોંગ્રેસમાં સામેલ થઈ ગયો છું. હું પૂરા મનથી કોંગ્રેસમાં સામેલ થયો છું. અનેક લોકો હેરાન છે કે પૂર્વ મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ રહી ચૂકેલા નેતાએ કોંગ્રેસની સદસ્યતા લીધી. પાર્ટીના વરિષ્ઠ નેતા હોવાને કારણે મને લાગ્યું કે મને ટિકિટ મળશે. પરંતુ જ્યારે મને ખબર પડી કે મને ટિકિટ નથી મળવાની તો હું હેરાન થઈ ગયો. આ મામલે મારી જોડે કોઈએ વાત ન કરી હતી. ના મને સમજાવવાની કોશિશ કરી.        




રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.