કર્ણાટકના પૂર્વમુખ્યમંત્રી જોડાયા કોંગ્રેસમાં, થોડા દિવસો પહેલા જગદીશ શેટ્ટરે ભાજપને કહ્યું હતું અલવિદા


  • Published By :
  • Published Date : 2023-04-17 11:16:21

2023માં અનેક રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે. દરેક પાર્ટી ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગઈ છે. કર્ણાટકમાં પણ ચૂંટણી યોજાવાની છે. પરંતુ તે પહેલા ભાજપને ફટકો પડ્યો છે.કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટરે થોડા દિવસો પહેલા ભાજપને અલવિદા કહી દીધું હતું ત્યારે આજે મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં તેમણે કોંગ્રેસનો હાથ થામી લીધો છે.


પૂર્વ મુખ્યમંત્રી થયા કોંગ્રેસના!

કર્ણાટકમાં ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને લઈ પાર્ટી દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ તેમજ ભાજપ દ્વારા અનેક ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી છે. ત્યારે ટિકિટ ન મળવા પર કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટરે ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યારે ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ આજે પૂર્વ મુખ્યમંત્રી કોંગ્રેસમાં સામેલ થયા છે. મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા.


ટિકિટ ન મળતા છોડી હતી પાર્ટી!

કોંગ્રેસમાં જોડાયા બાદ જ ભાજપ વિરૂદ્ધ જગદીશ શેટ્ટરે કહ્યું હતું. તેમણે કહ્યું કે મેં ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું અને આજે કોંગ્રેસમાં સામેલ થઈ ગયો છું. હું પૂરા મનથી કોંગ્રેસમાં સામેલ થયો છું. અનેક લોકો હેરાન છે કે પૂર્વ મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ રહી ચૂકેલા નેતાએ કોંગ્રેસની સદસ્યતા લીધી. પાર્ટીના વરિષ્ઠ નેતા હોવાને કારણે મને લાગ્યું કે મને ટિકિટ મળશે. પરંતુ જ્યારે મને ખબર પડી કે મને ટિકિટ નથી મળવાની તો હું હેરાન થઈ ગયો. આ મામલે મારી જોડે કોઈએ વાત ન કરી હતી. ના મને સમજાવવાની કોશિશ કરી.        




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.