પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાનને 10 વર્ષની જેલની સજા, કોર્ટે તેમને Cipher કેસમાં સજા સંભળાવી


  • Published By :
  • Published Date : 2024-01-30 14:24:00

પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી અને પીટીઆઈના વડા ઈમરાન ખાનને Cipher કેસમાં કોર્ટે 10 વર્ષની જેલની સજા સંભળાવી છે. ઈમરાને તેમના સહયોગી અને પૂર્વ વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીને પણ 10 વર્ષની સજા ફટકારી છે. ઈમરાન ખાન હાલ રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ છે અને આ જેલમાં જ તેમને ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો. સ્પેશિયલ કોર્ટના આ ચુકાદાને ઈમરાન ખાન માટે મોટો ઝટકો માનવામા આવી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે ઈમરાન ખાન પર આવા 150થી વધુ કેસ નોંધાઈ ચુક્યા છે. 

 

ઈમરાનની રાજનિતી પર પૂર્ણવિરામ


ઈમરાન ખાનને સજા ફટકારવામાં આવ્યા બાદ હવે તેમની રાજનિતી પર પૂર્ણ વિરામ મુકાઈ ગયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો કે હજું તેમની પાસે આ ચુકાદાને હાઈકોર્ટ અને ત્યાર બાદ સુપ્રીમ કોર્ટમાં પડકારવાનો વિકલ્પ છે. ઈમરાન ખાન પાકિસ્તાનમાં યોજાનારી પાર્લામેન્ટની ચૂંટણી લડવા ઈચ્છતા હતા પણ હવે તેમના ઈરાદાઓ પર પાણી ફરી વળ્યું છે. પીટીઆઈના બંને અગ્રણી નેતાઓને 10-10 વર્ષની સજા બાદ હવે સામાન્ય ચૂંટણી લડવાનો માર્ગ બંધ થઈ ગયો છે.


શું છે Cipher કેસ?


ઈમરાન ખાન અને શાહ મહમૂદ કુરેશી સામે  Cipherનો આ કેસ રાષ્ટ્રિય સુરક્ષા સાથે જોડાયેલો છે. ઈમરાન ખાન પર અત્યંત ગુપ્ત જાણકારી (Top Secret) નો ઉપયોગ પોતાના અંગત હિતો સાધવા માટે કરાયાનો આરોપ છે. સત્તામાં ફારેગ થયા બાદ ઈમરાન ખાને આરોપ લગાવ્યો હતો કે તેમને બરતરફ કરવા પાછળ અમેરિકાનો હાથ છે. તે માટે ઈમરાન ખાને કહ્યું હતું કે વોશિંગ્ટન સ્થિત પાક એમ્બેસીએ તેમને એક કેબલ (ટેપ કે ગુપ્ત  જાણકારી) મોકલ્યો હતો. ઈમરાન ખાને તેમના રાજકિય ફાયદા માટે એક વિવાદાસ્પદ વાતચીતને જાહેર કરી દીધી હતી. તેને ‘Cipher’કહેવામાં આવે છે.   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.