પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાનને 10 વર્ષની જેલની સજા, કોર્ટે તેમને Cipher કેસમાં સજા સંભળાવી


  • Published By :
  • Published Date : 2024-01-30 14:24:00

પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી અને પીટીઆઈના વડા ઈમરાન ખાનને Cipher કેસમાં કોર્ટે 10 વર્ષની જેલની સજા સંભળાવી છે. ઈમરાને તેમના સહયોગી અને પૂર્વ વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીને પણ 10 વર્ષની સજા ફટકારી છે. ઈમરાન ખાન હાલ રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ છે અને આ જેલમાં જ તેમને ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો. સ્પેશિયલ કોર્ટના આ ચુકાદાને ઈમરાન ખાન માટે મોટો ઝટકો માનવામા આવી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે ઈમરાન ખાન પર આવા 150થી વધુ કેસ નોંધાઈ ચુક્યા છે. 

 

ઈમરાનની રાજનિતી પર પૂર્ણવિરામ


ઈમરાન ખાનને સજા ફટકારવામાં આવ્યા બાદ હવે તેમની રાજનિતી પર પૂર્ણ વિરામ મુકાઈ ગયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો કે હજું તેમની પાસે આ ચુકાદાને હાઈકોર્ટ અને ત્યાર બાદ સુપ્રીમ કોર્ટમાં પડકારવાનો વિકલ્પ છે. ઈમરાન ખાન પાકિસ્તાનમાં યોજાનારી પાર્લામેન્ટની ચૂંટણી લડવા ઈચ્છતા હતા પણ હવે તેમના ઈરાદાઓ પર પાણી ફરી વળ્યું છે. પીટીઆઈના બંને અગ્રણી નેતાઓને 10-10 વર્ષની સજા બાદ હવે સામાન્ય ચૂંટણી લડવાનો માર્ગ બંધ થઈ ગયો છે.


શું છે Cipher કેસ?


ઈમરાન ખાન અને શાહ મહમૂદ કુરેશી સામે  Cipherનો આ કેસ રાષ્ટ્રિય સુરક્ષા સાથે જોડાયેલો છે. ઈમરાન ખાન પર અત્યંત ગુપ્ત જાણકારી (Top Secret) નો ઉપયોગ પોતાના અંગત હિતો સાધવા માટે કરાયાનો આરોપ છે. સત્તામાં ફારેગ થયા બાદ ઈમરાન ખાને આરોપ લગાવ્યો હતો કે તેમને બરતરફ કરવા પાછળ અમેરિકાનો હાથ છે. તે માટે ઈમરાન ખાને કહ્યું હતું કે વોશિંગ્ટન સ્થિત પાક એમ્બેસીએ તેમને એક કેબલ (ટેપ કે ગુપ્ત  જાણકારી) મોકલ્યો હતો. ઈમરાન ખાને તેમના રાજકિય ફાયદા માટે એક વિવાદાસ્પદ વાતચીતને જાહેર કરી દીધી હતી. તેને ‘Cipher’કહેવામાં આવે છે.   



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .