પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાનને 10 વર્ષની જેલની સજા, કોર્ટે તેમને Cipher કેસમાં સજા સંભળાવી


  • Published By :
  • Published Date : 2024-01-30 14:24:00

પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી અને પીટીઆઈના વડા ઈમરાન ખાનને Cipher કેસમાં કોર્ટે 10 વર્ષની જેલની સજા સંભળાવી છે. ઈમરાને તેમના સહયોગી અને પૂર્વ વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીને પણ 10 વર્ષની સજા ફટકારી છે. ઈમરાન ખાન હાલ રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ છે અને આ જેલમાં જ તેમને ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો. સ્પેશિયલ કોર્ટના આ ચુકાદાને ઈમરાન ખાન માટે મોટો ઝટકો માનવામા આવી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે ઈમરાન ખાન પર આવા 150થી વધુ કેસ નોંધાઈ ચુક્યા છે. 

 

ઈમરાનની રાજનિતી પર પૂર્ણવિરામ


ઈમરાન ખાનને સજા ફટકારવામાં આવ્યા બાદ હવે તેમની રાજનિતી પર પૂર્ણ વિરામ મુકાઈ ગયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો કે હજું તેમની પાસે આ ચુકાદાને હાઈકોર્ટ અને ત્યાર બાદ સુપ્રીમ કોર્ટમાં પડકારવાનો વિકલ્પ છે. ઈમરાન ખાન પાકિસ્તાનમાં યોજાનારી પાર્લામેન્ટની ચૂંટણી લડવા ઈચ્છતા હતા પણ હવે તેમના ઈરાદાઓ પર પાણી ફરી વળ્યું છે. પીટીઆઈના બંને અગ્રણી નેતાઓને 10-10 વર્ષની સજા બાદ હવે સામાન્ય ચૂંટણી લડવાનો માર્ગ બંધ થઈ ગયો છે.


શું છે Cipher કેસ?


ઈમરાન ખાન અને શાહ મહમૂદ કુરેશી સામે  Cipherનો આ કેસ રાષ્ટ્રિય સુરક્ષા સાથે જોડાયેલો છે. ઈમરાન ખાન પર અત્યંત ગુપ્ત જાણકારી (Top Secret) નો ઉપયોગ પોતાના અંગત હિતો સાધવા માટે કરાયાનો આરોપ છે. સત્તામાં ફારેગ થયા બાદ ઈમરાન ખાને આરોપ લગાવ્યો હતો કે તેમને બરતરફ કરવા પાછળ અમેરિકાનો હાથ છે. તે માટે ઈમરાન ખાને કહ્યું હતું કે વોશિંગ્ટન સ્થિત પાક એમ્બેસીએ તેમને એક કેબલ (ટેપ કે ગુપ્ત  જાણકારી) મોકલ્યો હતો. ઈમરાન ખાને તેમના રાજકિય ફાયદા માટે એક વિવાદાસ્પદ વાતચીતને જાહેર કરી દીધી હતી. તેને ‘Cipher’કહેવામાં આવે છે.   



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.