પૂર્વ રાષ્ટ્રપતિના સમર્થકોએ રાષ્ટ્રપતિ ભવનમાં ઘૂસી કરી તોડફોડ, પોલીસે પ્રદર્શનકારી વિરૂદ્ધ કરી કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-01-09 11:20:08

બ્રાઝિલથી એવા દ્રશ્યો સામે આવ્યા છે જે હચમચાવી દે તેવા છે. બ્રાઝિલમાં હિંસા ફાટી નીકળી છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોના હજારો સમર્થકોએ સંસદમાં તોડફોડ કરી હતી. રવિવારે રાજધાની બ્રાસીલિયામાં પોલીસ બેરિકેટ તોડીને રાષ્ટ્રપતિ ભવન તેમજ સુપ્રીમ કોર્ટનો ઘેરાવો કર્યો હતો. આ વિરોધ રાષ્ટ્રપતિ લુઈજ ઈનાસિયો લૂલા ડી સિલ્વાએ શપથ લીધી તે બાદ કરવામાં આવ્યો હતો. પ્રદર્શન કરનાર 400 જેટલા પ્રદર્શનકારીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે.

 jagran

jagran

પ્રદર્શનકારીઓએ સંસદ પર કર્યો હુમલો 

ઓક્ટોબર મહિનામાં બ્રાઝિલમાં ચૂંટણી યોજાઈ હતી. જેમાં બોલ્સોનારોનો પરાજ્ય થયો હતો. લુઈસ ઈનાસિયો લુલા દા સિલ્વાની જીત થઈ હતી. જીત થવાને કારણે રાષ્ટ્રપતિના તેમણે શપથ લીધા. નવા રાષ્ટ્રપતિએ શપથ લીધા તે બાદ હિંસા ફાટી નિકળી હતી. 1 જાન્યુઆરીએ તેમણે શપથ લીધા હતા. જે બાદ બોલ્સોનારોના સમર્થકોએ પોલીસ બેરિકેટ તોડી સંસદ, સુપ્રીમ કોર્ટ અને રાષ્ટ્રપતિ ભવનનો ઘેરાવો કર્યો હતો.

jagran

jagran

jagran

jagran

અમેરિકામાં પણ બની હતી આવી જ ઘટના 

પ્રદર્શન કરનાર પ્રદર્શનકારીઓએ અનેક સરકારી ઈમારતોને નુકસાન પહોચાડ્યું છે. પોલીસે પ્રદર્શનકારીઓને બહાર કાઢી મૂક્યા હતા. આવી જ હિંસા 2 વર્ષ પહેલા અમેરિકામાં થઈ હતી. 6 જાન્યુઆરી 2021ના રોજ આવી હિંસા ફાટી નિકળી હતી જેમાં રાષ્ટ્રપતિ ડ્રોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી હારી ગયા હતા. તેમના સમર્થકોએ કેપિટલ હિલ, એટલે કે સંસદમાં ઘૂસી હુમલો કર્યો હતો. પ્રદર્શનકારીઓએ તોડફોડ પણ કરી હતી.     



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.