પૂર્વ રાષ્ટ્રપતિના સમર્થકોએ રાષ્ટ્રપતિ ભવનમાં ઘૂસી કરી તોડફોડ, પોલીસે પ્રદર્શનકારી વિરૂદ્ધ કરી કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-01-09 11:20:08

બ્રાઝિલથી એવા દ્રશ્યો સામે આવ્યા છે જે હચમચાવી દે તેવા છે. બ્રાઝિલમાં હિંસા ફાટી નીકળી છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોના હજારો સમર્થકોએ સંસદમાં તોડફોડ કરી હતી. રવિવારે રાજધાની બ્રાસીલિયામાં પોલીસ બેરિકેટ તોડીને રાષ્ટ્રપતિ ભવન તેમજ સુપ્રીમ કોર્ટનો ઘેરાવો કર્યો હતો. આ વિરોધ રાષ્ટ્રપતિ લુઈજ ઈનાસિયો લૂલા ડી સિલ્વાએ શપથ લીધી તે બાદ કરવામાં આવ્યો હતો. પ્રદર્શન કરનાર 400 જેટલા પ્રદર્શનકારીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે.

 jagran

jagran

પ્રદર્શનકારીઓએ સંસદ પર કર્યો હુમલો 

ઓક્ટોબર મહિનામાં બ્રાઝિલમાં ચૂંટણી યોજાઈ હતી. જેમાં બોલ્સોનારોનો પરાજ્ય થયો હતો. લુઈસ ઈનાસિયો લુલા દા સિલ્વાની જીત થઈ હતી. જીત થવાને કારણે રાષ્ટ્રપતિના તેમણે શપથ લીધા. નવા રાષ્ટ્રપતિએ શપથ લીધા તે બાદ હિંસા ફાટી નિકળી હતી. 1 જાન્યુઆરીએ તેમણે શપથ લીધા હતા. જે બાદ બોલ્સોનારોના સમર્થકોએ પોલીસ બેરિકેટ તોડી સંસદ, સુપ્રીમ કોર્ટ અને રાષ્ટ્રપતિ ભવનનો ઘેરાવો કર્યો હતો.

jagran

jagran

jagran

jagran

અમેરિકામાં પણ બની હતી આવી જ ઘટના 

પ્રદર્શન કરનાર પ્રદર્શનકારીઓએ અનેક સરકારી ઈમારતોને નુકસાન પહોચાડ્યું છે. પોલીસે પ્રદર્શનકારીઓને બહાર કાઢી મૂક્યા હતા. આવી જ હિંસા 2 વર્ષ પહેલા અમેરિકામાં થઈ હતી. 6 જાન્યુઆરી 2021ના રોજ આવી હિંસા ફાટી નિકળી હતી જેમાં રાષ્ટ્રપતિ ડ્રોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી હારી ગયા હતા. તેમના સમર્થકોએ કેપિટલ હિલ, એટલે કે સંસદમાં ઘૂસી હુમલો કર્યો હતો. પ્રદર્શનકારીઓએ તોડફોડ પણ કરી હતી.     



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.