પૂર્વ રાષ્ટ્રપતિના સમર્થકોએ રાષ્ટ્રપતિ ભવનમાં ઘૂસી કરી તોડફોડ, પોલીસે પ્રદર્શનકારી વિરૂદ્ધ કરી કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-01-09 11:20:08

બ્રાઝિલથી એવા દ્રશ્યો સામે આવ્યા છે જે હચમચાવી દે તેવા છે. બ્રાઝિલમાં હિંસા ફાટી નીકળી છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોના હજારો સમર્થકોએ સંસદમાં તોડફોડ કરી હતી. રવિવારે રાજધાની બ્રાસીલિયામાં પોલીસ બેરિકેટ તોડીને રાષ્ટ્રપતિ ભવન તેમજ સુપ્રીમ કોર્ટનો ઘેરાવો કર્યો હતો. આ વિરોધ રાષ્ટ્રપતિ લુઈજ ઈનાસિયો લૂલા ડી સિલ્વાએ શપથ લીધી તે બાદ કરવામાં આવ્યો હતો. પ્રદર્શન કરનાર 400 જેટલા પ્રદર્શનકારીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે.

 jagran

jagran

પ્રદર્શનકારીઓએ સંસદ પર કર્યો હુમલો 

ઓક્ટોબર મહિનામાં બ્રાઝિલમાં ચૂંટણી યોજાઈ હતી. જેમાં બોલ્સોનારોનો પરાજ્ય થયો હતો. લુઈસ ઈનાસિયો લુલા દા સિલ્વાની જીત થઈ હતી. જીત થવાને કારણે રાષ્ટ્રપતિના તેમણે શપથ લીધા. નવા રાષ્ટ્રપતિએ શપથ લીધા તે બાદ હિંસા ફાટી નિકળી હતી. 1 જાન્યુઆરીએ તેમણે શપથ લીધા હતા. જે બાદ બોલ્સોનારોના સમર્થકોએ પોલીસ બેરિકેટ તોડી સંસદ, સુપ્રીમ કોર્ટ અને રાષ્ટ્રપતિ ભવનનો ઘેરાવો કર્યો હતો.

jagran

jagran

jagran

jagran

અમેરિકામાં પણ બની હતી આવી જ ઘટના 

પ્રદર્શન કરનાર પ્રદર્શનકારીઓએ અનેક સરકારી ઈમારતોને નુકસાન પહોચાડ્યું છે. પોલીસે પ્રદર્શનકારીઓને બહાર કાઢી મૂક્યા હતા. આવી જ હિંસા 2 વર્ષ પહેલા અમેરિકામાં થઈ હતી. 6 જાન્યુઆરી 2021ના રોજ આવી હિંસા ફાટી નિકળી હતી જેમાં રાષ્ટ્રપતિ ડ્રોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી હારી ગયા હતા. તેમના સમર્થકોએ કેપિટલ હિલ, એટલે કે સંસદમાં ઘૂસી હુમલો કર્યો હતો. પ્રદર્શનકારીઓએ તોડફોડ પણ કરી હતી.     



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.