ભડકે બળી રહ્યું છે ફ્રાન્સ! 17 વર્ષના છોકરાના મોત બાદ શરૂ થયેલી હિંસા નથી થઈ શાંત, વાંચો શું હતો સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2023-07-03 17:09:51

ફ્રાંસમાં કેટલાય દિવસોથી અલગ અલગ વિસ્તારોમાં હિંસા ભડકી રહી છે. બોમ્બ ફૂટી રહ્યા છે, આગ લાગી રહી છે, ટ્રાફિક જામ કરવામાં આવી રહ્યો છે, ગાડીઓ સળગાવવામાં આવી રહી છે, સરકારી ઈમારતોને નુકસાન કરવામાં આવી રહ્યું છે અને હજુ પણ ઘણુંય થઈ રહ્યું છે ટૂંકમાં કહીએ કે ફ્રાંસ ભડકે બળી રહ્યું છે તો પણ ચાલે. પણ આવું બધું થઈ શા માટે રહ્યું છે એ જાણીએ તો ખબર પડે છે કે 27 જૂને ફ્રાંસમાં પોલીસે એક 17 વર્ષના છોકરાને ટ્રાફિકના નિયમોનું પાલન ન કરવા અને ટ્રાફિક ચેકિંગ દરમિયાન ઉભા ન રહેતા, અને પોલીસ પર ગાડી ચઢાવવાની ટ્રાય કરતા પોલીસે રસ્તા પરજ તેને ગોળી મારી દીધી હતી. આ યુવકનું નામ હતું નાહેલ. પણ હવે સવાલ થાય કે તો નાનો ટાબરિયો હતો કોણ. તો તે અલ્જીરીયાઈ મૂળનો ફ્રાંસીસી નાગરિક હતો, મા બાપનો એકનો એક દીકરો હતો નાહેલ. તે ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો અને પોતાના માતા મૌનિયા સાથે રહેતો હતો, બસ નાહેલના મોતના જ કારણે ફ્રાંસમાં દંગા થઈ રહ્યા છે. દંગાને તો આમ માણસના મોતના રીતે જોવાનું હતું પણ તેને ધાર્મિક દ્રષ્ટિએ જોવામાં આવી રહ્યા છે. ટૂંકમાં નાહેલ ઈસ્લામ ધર્મ પાળતો હતો તો તેના જ કારણે ઈસ્મામ ધર્મના લોકો આવું બધું કરી રહ્યા છે તેવું સમાચારોમાં આવી રહ્યું છે. 


ફ્રાન્સની સરકારે કરી કાયદેસર કાર્યવાહી 

ફ્રાંસની રાજધાની પેરિસ કે જેને પ્રકાશનું શહેર કહેવામાં આવે છે તે થોડા દિવસથી આગનું શહેર બની ગયું છે. પેરિસ સહિત અનેક વિસ્તારોમાં હિંસક વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. જો કે બીજી બાજુ ફ્રાન્સની સરકારે પણ આ મામલે કાયદેસરના પગલા લીધા છે અને પોતાની જવાબદારી સ્વીકારી છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોંએ કહ્યું છે કે નાના છોકરાએ કંઈ પણ કર્યું પણ તેને મારી નાખવો તે જરા પણ યોગ્ય ન કહેવાય. ગોળીમારવાવાળા પોલીસ જવાનની સામે પણ કેસ દાખલ કરી દેવામાં આવ્યો છે. જો કે બીજી બાજુ પોલીસનો તર્ક રાષ્ટ્રપતિની વિરુદ્ધ છે. પોલીસનું માનવું છે કે રાષ્ટ્રપતિએ પોલીસ સામે નિવેદન આપવું જોઈએ નહીં, પોલીસ બસ પોતાનું કામ કરી રહી છે. જો કે ફ્રાન્સ પોલીસના એક સમર્થિત ગ્રુપે તો નાહેલને ગોળી મારનાર પોલીસ અધિકારીને ગોળી મારી દીધી હતી. જો કે આ ટ્વીટથી વિવાદ વધતા ટ્વીટ ડિલિટ કરી દેવામાં આવી હતી.. આ ઘટના પર ફ્રાન્સના ગૃહમંત્રીએ કહ્યું છે કે ફ્રાન્સ પોલીસના સમર્થકોએ જેમણે પણ આ વિવાદિત ટ્વીટ કરી છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ બધી ઘટનાઓ બાદથી જ ફ્રાન્સમાં ચારેબાજુ કરફ્યુ લગાવી દેવામાં આવ્યું છે અને વાહન વ્યવહારો પણ બંધ કરી દેવામાં આવ્યા છે. 


2017માં ફ્રાંસ સરકાર લઈને આવી હતી કાયદો

વિવાદ ગોળીબારી પર થયો છે તેની વાત કરીએ તો વર્ષ 2017માં ફ્રાન્સમાં એક કાયદો ઘડવામાં આવ્યો હતો જેમાં પોલીસને ગોળી ચલાવવા પર ઢીલ આપવામાં આવી હતી. જો કે આની સામે માનવાધિકારી સંગઠનોએ વિરોધ કર્યો હતો કે આ કાયદાથી વિવાદ વધશે. માનવાધિકારોનું માનીએ તો 2017થી પોલીસની ગોળીબારી તેની સામે જ થઈ રહી છે જે અશ્વેત છે અથવા અરબના છે.  ફ્રાન્સની અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો હાલ 45 હજાર પોલીસના જવાનો રસ્તાઓ પર ઉતરી ગયા છે છતાં પણ હિંસાને રોકી નથી શકતા. ફ્રાન્સના સમાચાર પત્રો મુજબ હિંસા ભડકાવવા માટે બાજુના શહેરના લોકો પણ મસ્જિદ આવી રહ્યા છે અને હિંસા ફેલાવી રહ્યા છે.


પ્રદર્શનને કારણે ફ્રાન્સ ભડકે બળી રહ્યું છે

જો કે હવે પ્રદર્શનને રોકવાના પ્રયાસો થઈ રહ્યા છે કારણ કે ફ્રાન્સ આખું ભડકે બળી રહ્યું છે. રવિવારે 17 વર્ષના મૃતક નાહેલના દાદીને સામે આવવું પડ્યું છે. નાહેલના દાદીએ પ્રદર્શનકારી લોકોને શાંતિ રાખવા અપીલ કરી છે અને કહ્યું છે કે હિંસા ન કરો. નાહેલના દાદી કહી રહ્યા છે કે લોકો નાહેલને બહાનું બનાવીને બેખોફ હિંસા કરી રહ્યા છે. પણ આ અપીલની કેટલી અસર થશે તે જોવાનું રહેશે.



નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.

રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.