ભડકે બળી રહ્યું છે ફ્રાન્સ! 17 વર્ષના છોકરાના મોત બાદ શરૂ થયેલી હિંસા નથી થઈ શાંત, વાંચો શું હતો સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2023-07-03 17:09:51

ફ્રાંસમાં કેટલાય દિવસોથી અલગ અલગ વિસ્તારોમાં હિંસા ભડકી રહી છે. બોમ્બ ફૂટી રહ્યા છે, આગ લાગી રહી છે, ટ્રાફિક જામ કરવામાં આવી રહ્યો છે, ગાડીઓ સળગાવવામાં આવી રહી છે, સરકારી ઈમારતોને નુકસાન કરવામાં આવી રહ્યું છે અને હજુ પણ ઘણુંય થઈ રહ્યું છે ટૂંકમાં કહીએ કે ફ્રાંસ ભડકે બળી રહ્યું છે તો પણ ચાલે. પણ આવું બધું થઈ શા માટે રહ્યું છે એ જાણીએ તો ખબર પડે છે કે 27 જૂને ફ્રાંસમાં પોલીસે એક 17 વર્ષના છોકરાને ટ્રાફિકના નિયમોનું પાલન ન કરવા અને ટ્રાફિક ચેકિંગ દરમિયાન ઉભા ન રહેતા, અને પોલીસ પર ગાડી ચઢાવવાની ટ્રાય કરતા પોલીસે રસ્તા પરજ તેને ગોળી મારી દીધી હતી. આ યુવકનું નામ હતું નાહેલ. પણ હવે સવાલ થાય કે તો નાનો ટાબરિયો હતો કોણ. તો તે અલ્જીરીયાઈ મૂળનો ફ્રાંસીસી નાગરિક હતો, મા બાપનો એકનો એક દીકરો હતો નાહેલ. તે ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો અને પોતાના માતા મૌનિયા સાથે રહેતો હતો, બસ નાહેલના મોતના જ કારણે ફ્રાંસમાં દંગા થઈ રહ્યા છે. દંગાને તો આમ માણસના મોતના રીતે જોવાનું હતું પણ તેને ધાર્મિક દ્રષ્ટિએ જોવામાં આવી રહ્યા છે. ટૂંકમાં નાહેલ ઈસ્લામ ધર્મ પાળતો હતો તો તેના જ કારણે ઈસ્મામ ધર્મના લોકો આવું બધું કરી રહ્યા છે તેવું સમાચારોમાં આવી રહ્યું છે. 


ફ્રાન્સની સરકારે કરી કાયદેસર કાર્યવાહી 

ફ્રાંસની રાજધાની પેરિસ કે જેને પ્રકાશનું શહેર કહેવામાં આવે છે તે થોડા દિવસથી આગનું શહેર બની ગયું છે. પેરિસ સહિત અનેક વિસ્તારોમાં હિંસક વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. જો કે બીજી બાજુ ફ્રાન્સની સરકારે પણ આ મામલે કાયદેસરના પગલા લીધા છે અને પોતાની જવાબદારી સ્વીકારી છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોંએ કહ્યું છે કે નાના છોકરાએ કંઈ પણ કર્યું પણ તેને મારી નાખવો તે જરા પણ યોગ્ય ન કહેવાય. ગોળીમારવાવાળા પોલીસ જવાનની સામે પણ કેસ દાખલ કરી દેવામાં આવ્યો છે. જો કે બીજી બાજુ પોલીસનો તર્ક રાષ્ટ્રપતિની વિરુદ્ધ છે. પોલીસનું માનવું છે કે રાષ્ટ્રપતિએ પોલીસ સામે નિવેદન આપવું જોઈએ નહીં, પોલીસ બસ પોતાનું કામ કરી રહી છે. જો કે ફ્રાન્સ પોલીસના એક સમર્થિત ગ્રુપે તો નાહેલને ગોળી મારનાર પોલીસ અધિકારીને ગોળી મારી દીધી હતી. જો કે આ ટ્વીટથી વિવાદ વધતા ટ્વીટ ડિલિટ કરી દેવામાં આવી હતી.. આ ઘટના પર ફ્રાન્સના ગૃહમંત્રીએ કહ્યું છે કે ફ્રાન્સ પોલીસના સમર્થકોએ જેમણે પણ આ વિવાદિત ટ્વીટ કરી છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ બધી ઘટનાઓ બાદથી જ ફ્રાન્સમાં ચારેબાજુ કરફ્યુ લગાવી દેવામાં આવ્યું છે અને વાહન વ્યવહારો પણ બંધ કરી દેવામાં આવ્યા છે. 


2017માં ફ્રાંસ સરકાર લઈને આવી હતી કાયદો

વિવાદ ગોળીબારી પર થયો છે તેની વાત કરીએ તો વર્ષ 2017માં ફ્રાન્સમાં એક કાયદો ઘડવામાં આવ્યો હતો જેમાં પોલીસને ગોળી ચલાવવા પર ઢીલ આપવામાં આવી હતી. જો કે આની સામે માનવાધિકારી સંગઠનોએ વિરોધ કર્યો હતો કે આ કાયદાથી વિવાદ વધશે. માનવાધિકારોનું માનીએ તો 2017થી પોલીસની ગોળીબારી તેની સામે જ થઈ રહી છે જે અશ્વેત છે અથવા અરબના છે.  ફ્રાન્સની અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો હાલ 45 હજાર પોલીસના જવાનો રસ્તાઓ પર ઉતરી ગયા છે છતાં પણ હિંસાને રોકી નથી શકતા. ફ્રાન્સના સમાચાર પત્રો મુજબ હિંસા ભડકાવવા માટે બાજુના શહેરના લોકો પણ મસ્જિદ આવી રહ્યા છે અને હિંસા ફેલાવી રહ્યા છે.


પ્રદર્શનને કારણે ફ્રાન્સ ભડકે બળી રહ્યું છે

જો કે હવે પ્રદર્શનને રોકવાના પ્રયાસો થઈ રહ્યા છે કારણ કે ફ્રાન્સ આખું ભડકે બળી રહ્યું છે. રવિવારે 17 વર્ષના મૃતક નાહેલના દાદીને સામે આવવું પડ્યું છે. નાહેલના દાદીએ પ્રદર્શનકારી લોકોને શાંતિ રાખવા અપીલ કરી છે અને કહ્યું છે કે હિંસા ન કરો. નાહેલના દાદી કહી રહ્યા છે કે લોકો નાહેલને બહાનું બનાવીને બેખોફ હિંસા કરી રહ્યા છે. પણ આ અપીલની કેટલી અસર થશે તે જોવાનું રહેશે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.