ભડકે બળી રહ્યું છે ફ્રાન્સ! 17 વર્ષના છોકરાના મોત બાદ શરૂ થયેલી હિંસા નથી થઈ શાંત, વાંચો શું હતો સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2023-07-03 17:09:51

ફ્રાંસમાં કેટલાય દિવસોથી અલગ અલગ વિસ્તારોમાં હિંસા ભડકી રહી છે. બોમ્બ ફૂટી રહ્યા છે, આગ લાગી રહી છે, ટ્રાફિક જામ કરવામાં આવી રહ્યો છે, ગાડીઓ સળગાવવામાં આવી રહી છે, સરકારી ઈમારતોને નુકસાન કરવામાં આવી રહ્યું છે અને હજુ પણ ઘણુંય થઈ રહ્યું છે ટૂંકમાં કહીએ કે ફ્રાંસ ભડકે બળી રહ્યું છે તો પણ ચાલે. પણ આવું બધું થઈ શા માટે રહ્યું છે એ જાણીએ તો ખબર પડે છે કે 27 જૂને ફ્રાંસમાં પોલીસે એક 17 વર્ષના છોકરાને ટ્રાફિકના નિયમોનું પાલન ન કરવા અને ટ્રાફિક ચેકિંગ દરમિયાન ઉભા ન રહેતા, અને પોલીસ પર ગાડી ચઢાવવાની ટ્રાય કરતા પોલીસે રસ્તા પરજ તેને ગોળી મારી દીધી હતી. આ યુવકનું નામ હતું નાહેલ. પણ હવે સવાલ થાય કે તો નાનો ટાબરિયો હતો કોણ. તો તે અલ્જીરીયાઈ મૂળનો ફ્રાંસીસી નાગરિક હતો, મા બાપનો એકનો એક દીકરો હતો નાહેલ. તે ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો અને પોતાના માતા મૌનિયા સાથે રહેતો હતો, બસ નાહેલના મોતના જ કારણે ફ્રાંસમાં દંગા થઈ રહ્યા છે. દંગાને તો આમ માણસના મોતના રીતે જોવાનું હતું પણ તેને ધાર્મિક દ્રષ્ટિએ જોવામાં આવી રહ્યા છે. ટૂંકમાં નાહેલ ઈસ્લામ ધર્મ પાળતો હતો તો તેના જ કારણે ઈસ્મામ ધર્મના લોકો આવું બધું કરી રહ્યા છે તેવું સમાચારોમાં આવી રહ્યું છે. 


ફ્રાન્સની સરકારે કરી કાયદેસર કાર્યવાહી 

ફ્રાંસની રાજધાની પેરિસ કે જેને પ્રકાશનું શહેર કહેવામાં આવે છે તે થોડા દિવસથી આગનું શહેર બની ગયું છે. પેરિસ સહિત અનેક વિસ્તારોમાં હિંસક વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. જો કે બીજી બાજુ ફ્રાન્સની સરકારે પણ આ મામલે કાયદેસરના પગલા લીધા છે અને પોતાની જવાબદારી સ્વીકારી છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોંએ કહ્યું છે કે નાના છોકરાએ કંઈ પણ કર્યું પણ તેને મારી નાખવો તે જરા પણ યોગ્ય ન કહેવાય. ગોળીમારવાવાળા પોલીસ જવાનની સામે પણ કેસ દાખલ કરી દેવામાં આવ્યો છે. જો કે બીજી બાજુ પોલીસનો તર્ક રાષ્ટ્રપતિની વિરુદ્ધ છે. પોલીસનું માનવું છે કે રાષ્ટ્રપતિએ પોલીસ સામે નિવેદન આપવું જોઈએ નહીં, પોલીસ બસ પોતાનું કામ કરી રહી છે. જો કે ફ્રાન્સ પોલીસના એક સમર્થિત ગ્રુપે તો નાહેલને ગોળી મારનાર પોલીસ અધિકારીને ગોળી મારી દીધી હતી. જો કે આ ટ્વીટથી વિવાદ વધતા ટ્વીટ ડિલિટ કરી દેવામાં આવી હતી.. આ ઘટના પર ફ્રાન્સના ગૃહમંત્રીએ કહ્યું છે કે ફ્રાન્સ પોલીસના સમર્થકોએ જેમણે પણ આ વિવાદિત ટ્વીટ કરી છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ બધી ઘટનાઓ બાદથી જ ફ્રાન્સમાં ચારેબાજુ કરફ્યુ લગાવી દેવામાં આવ્યું છે અને વાહન વ્યવહારો પણ બંધ કરી દેવામાં આવ્યા છે. 


2017માં ફ્રાંસ સરકાર લઈને આવી હતી કાયદો

વિવાદ ગોળીબારી પર થયો છે તેની વાત કરીએ તો વર્ષ 2017માં ફ્રાન્સમાં એક કાયદો ઘડવામાં આવ્યો હતો જેમાં પોલીસને ગોળી ચલાવવા પર ઢીલ આપવામાં આવી હતી. જો કે આની સામે માનવાધિકારી સંગઠનોએ વિરોધ કર્યો હતો કે આ કાયદાથી વિવાદ વધશે. માનવાધિકારોનું માનીએ તો 2017થી પોલીસની ગોળીબારી તેની સામે જ થઈ રહી છે જે અશ્વેત છે અથવા અરબના છે.  ફ્રાન્સની અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો હાલ 45 હજાર પોલીસના જવાનો રસ્તાઓ પર ઉતરી ગયા છે છતાં પણ હિંસાને રોકી નથી શકતા. ફ્રાન્સના સમાચાર પત્રો મુજબ હિંસા ભડકાવવા માટે બાજુના શહેરના લોકો પણ મસ્જિદ આવી રહ્યા છે અને હિંસા ફેલાવી રહ્યા છે.


પ્રદર્શનને કારણે ફ્રાન્સ ભડકે બળી રહ્યું છે

જો કે હવે પ્રદર્શનને રોકવાના પ્રયાસો થઈ રહ્યા છે કારણ કે ફ્રાન્સ આખું ભડકે બળી રહ્યું છે. રવિવારે 17 વર્ષના મૃતક નાહેલના દાદીને સામે આવવું પડ્યું છે. નાહેલના દાદીએ પ્રદર્શનકારી લોકોને શાંતિ રાખવા અપીલ કરી છે અને કહ્યું છે કે હિંસા ન કરો. નાહેલના દાદી કહી રહ્યા છે કે લોકો નાહેલને બહાનું બનાવીને બેખોફ હિંસા કરી રહ્યા છે. પણ આ અપીલની કેટલી અસર થશે તે જોવાનું રહેશે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી