ભડકે બળી રહ્યું છે ફ્રાન્સ! 17 વર્ષના છોકરાના મોત બાદ શરૂ થયેલી હિંસા નથી થઈ શાંત, વાંચો શું હતો સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2023-07-03 17:09:51

ફ્રાંસમાં કેટલાય દિવસોથી અલગ અલગ વિસ્તારોમાં હિંસા ભડકી રહી છે. બોમ્બ ફૂટી રહ્યા છે, આગ લાગી રહી છે, ટ્રાફિક જામ કરવામાં આવી રહ્યો છે, ગાડીઓ સળગાવવામાં આવી રહી છે, સરકારી ઈમારતોને નુકસાન કરવામાં આવી રહ્યું છે અને હજુ પણ ઘણુંય થઈ રહ્યું છે ટૂંકમાં કહીએ કે ફ્રાંસ ભડકે બળી રહ્યું છે તો પણ ચાલે. પણ આવું બધું થઈ શા માટે રહ્યું છે એ જાણીએ તો ખબર પડે છે કે 27 જૂને ફ્રાંસમાં પોલીસે એક 17 વર્ષના છોકરાને ટ્રાફિકના નિયમોનું પાલન ન કરવા અને ટ્રાફિક ચેકિંગ દરમિયાન ઉભા ન રહેતા, અને પોલીસ પર ગાડી ચઢાવવાની ટ્રાય કરતા પોલીસે રસ્તા પરજ તેને ગોળી મારી દીધી હતી. આ યુવકનું નામ હતું નાહેલ. પણ હવે સવાલ થાય કે તો નાનો ટાબરિયો હતો કોણ. તો તે અલ્જીરીયાઈ મૂળનો ફ્રાંસીસી નાગરિક હતો, મા બાપનો એકનો એક દીકરો હતો નાહેલ. તે ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો અને પોતાના માતા મૌનિયા સાથે રહેતો હતો, બસ નાહેલના મોતના જ કારણે ફ્રાંસમાં દંગા થઈ રહ્યા છે. દંગાને તો આમ માણસના મોતના રીતે જોવાનું હતું પણ તેને ધાર્મિક દ્રષ્ટિએ જોવામાં આવી રહ્યા છે. ટૂંકમાં નાહેલ ઈસ્લામ ધર્મ પાળતો હતો તો તેના જ કારણે ઈસ્મામ ધર્મના લોકો આવું બધું કરી રહ્યા છે તેવું સમાચારોમાં આવી રહ્યું છે. 


ફ્રાન્સની સરકારે કરી કાયદેસર કાર્યવાહી 

ફ્રાંસની રાજધાની પેરિસ કે જેને પ્રકાશનું શહેર કહેવામાં આવે છે તે થોડા દિવસથી આગનું શહેર બની ગયું છે. પેરિસ સહિત અનેક વિસ્તારોમાં હિંસક વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. જો કે બીજી બાજુ ફ્રાન્સની સરકારે પણ આ મામલે કાયદેસરના પગલા લીધા છે અને પોતાની જવાબદારી સ્વીકારી છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોંએ કહ્યું છે કે નાના છોકરાએ કંઈ પણ કર્યું પણ તેને મારી નાખવો તે જરા પણ યોગ્ય ન કહેવાય. ગોળીમારવાવાળા પોલીસ જવાનની સામે પણ કેસ દાખલ કરી દેવામાં આવ્યો છે. જો કે બીજી બાજુ પોલીસનો તર્ક રાષ્ટ્રપતિની વિરુદ્ધ છે. પોલીસનું માનવું છે કે રાષ્ટ્રપતિએ પોલીસ સામે નિવેદન આપવું જોઈએ નહીં, પોલીસ બસ પોતાનું કામ કરી રહી છે. જો કે ફ્રાન્સ પોલીસના એક સમર્થિત ગ્રુપે તો નાહેલને ગોળી મારનાર પોલીસ અધિકારીને ગોળી મારી દીધી હતી. જો કે આ ટ્વીટથી વિવાદ વધતા ટ્વીટ ડિલિટ કરી દેવામાં આવી હતી.. આ ઘટના પર ફ્રાન્સના ગૃહમંત્રીએ કહ્યું છે કે ફ્રાન્સ પોલીસના સમર્થકોએ જેમણે પણ આ વિવાદિત ટ્વીટ કરી છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ બધી ઘટનાઓ બાદથી જ ફ્રાન્સમાં ચારેબાજુ કરફ્યુ લગાવી દેવામાં આવ્યું છે અને વાહન વ્યવહારો પણ બંધ કરી દેવામાં આવ્યા છે. 


2017માં ફ્રાંસ સરકાર લઈને આવી હતી કાયદો

વિવાદ ગોળીબારી પર થયો છે તેની વાત કરીએ તો વર્ષ 2017માં ફ્રાન્સમાં એક કાયદો ઘડવામાં આવ્યો હતો જેમાં પોલીસને ગોળી ચલાવવા પર ઢીલ આપવામાં આવી હતી. જો કે આની સામે માનવાધિકારી સંગઠનોએ વિરોધ કર્યો હતો કે આ કાયદાથી વિવાદ વધશે. માનવાધિકારોનું માનીએ તો 2017થી પોલીસની ગોળીબારી તેની સામે જ થઈ રહી છે જે અશ્વેત છે અથવા અરબના છે.  ફ્રાન્સની અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો હાલ 45 હજાર પોલીસના જવાનો રસ્તાઓ પર ઉતરી ગયા છે છતાં પણ હિંસાને રોકી નથી શકતા. ફ્રાન્સના સમાચાર પત્રો મુજબ હિંસા ભડકાવવા માટે બાજુના શહેરના લોકો પણ મસ્જિદ આવી રહ્યા છે અને હિંસા ફેલાવી રહ્યા છે.


પ્રદર્શનને કારણે ફ્રાન્સ ભડકે બળી રહ્યું છે

જો કે હવે પ્રદર્શનને રોકવાના પ્રયાસો થઈ રહ્યા છે કારણ કે ફ્રાન્સ આખું ભડકે બળી રહ્યું છે. રવિવારે 17 વર્ષના મૃતક નાહેલના દાદીને સામે આવવું પડ્યું છે. નાહેલના દાદીએ પ્રદર્શનકારી લોકોને શાંતિ રાખવા અપીલ કરી છે અને કહ્યું છે કે હિંસા ન કરો. નાહેલના દાદી કહી રહ્યા છે કે લોકો નાહેલને બહાનું બનાવીને બેખોફ હિંસા કરી રહ્યા છે. પણ આ અપીલની કેટલી અસર થશે તે જોવાનું રહેશે.



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.