ફ્રાન્સમાં પેન્શન સુધારાના વિરોધમાં હિંસક પ્રદર્શનો, 441 પોલીસકર્મી ઘાયલ, બ્રિટનના કિંગ ચાર્લ્સનો પ્રવાસ રદ્દ


  • Published By :
  • Published Date : 2023-03-24 19:24:35

ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોનના પેન્શન સુધારાના વિરોધમાં દેશભરમાં પ્રદર્શનો ચાલી રહ્યા છે. જેમાં ટ્રેનનો ટ્રાફિક ધીમો પડી ગયો હતો અને માર્સિલેના વ્યાપારી બંદર પર ટ્રકોની કતાર લાગી હતી. બીજી તરફ ગુરુવારે દેશમાં વ્યાપક વિરોધ પ્રદર્શનને કારણે થયેલી તબાહી આજે પણ રસ્તાઓ પર જોવા મળી હતી. પેરિસ અને તેની આસપાસ 450 થી વધુ દેખાવકારોની ધરપકડ કરવામાં આવી હતી.


ડસ્ટબિન વિરોધનું પ્રતીક બની ગયું


ફ્રાન્સના ગૃહમંત્રી ગેરાલ્ડ ડારમૈનિને શુક્રવારે જણાવ્યું હતું કે માર્ચ દરમિયાન હિંસાને કારણે 441 પોલીસકર્મીઓ અને અન્ય અધિકારીઓ ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે એક દિવસ પહેલા જ ફ્રાન્સની રાજધાનીમાં વિરોધ પ્રદર્શનમાં 1,000 ડસ્ટબીન સળગાવી દેવામાં આવ્યા હતા. કચરો ઉઠાવનારા લોકો દ્વારા એક અઠવાડિયા સુધી ચાલેલી હડતાળ વચ્ચે ડસ્ટબિન વિરોધનું પ્રતીક બની ગયું છે. બીજી તરફ, એનર્જી ટ્રાન્ઝિશન મિનિસ્ટર એગ્નેસ પેનર રંચરના જણાવ્યા અનુસાર, પોલીસની દરમિયાનગીરી બાદ શુક્રવારે નોર્મેન્ડીમાં રિફાઇનરીમાં તેલનો પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો. જો કે, વિરોધીઓ રિફાઈનરીને પુરવઠો વધુ વિક્ષેપિત કરવા માટે બેઠકો કરી રહ્યા છે.


શા માટે તમામ વિવાદ


ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને વડા પ્રધાન એલિઝાબેથ બોર્નને વિશેષ બંધારણીય સત્તાનો ઉપયોગ કરવાનો આદેશ આપ્યો હતો. તેમના આદેશને પગલે, સંસદને નિવૃત્તિની વય 62 થી વધારીને 64 કરવા માટે બહુ વિવાદાસ્પદ બિલને મત વિના મંજૂર કરવાની ફરજ પડી હતી. ગુરુવારથી દેશમાં દેખાવો ચાલી રહ્યા છે. આ દેખાવો આ વર્ષે જાન્યુઆરીમાં શરૂ થયા હતા પરંતુ હવે તે હિંસક બની ગયા છે.


કિંગ  ચાર્લ્સ ફ્રાન્સ નહીં જાય 


ફ્રાન્સના દેખાવોને જોતા હવે બ્રિટનના કિંગ ચાર્લ્સે ફ્રાન્સની મુલાકાત ન લેવાનો નિર્ણય લીધો છે. ચાર્લ્સ પેરિસ અને બોર્ડિઓક્સ જવાના હતા. તેમનો પ્રવાસ રવિવારથી શરૂ થવાનો હતો. બકિંગહામ પેલેસ તરફથી કહેવામાં આવ્યું છે કે ફ્રાન્સની સ્થિતિને જોતા કિંગે હવે ત્યાં ન જવાનો નિર્ણય લીધો છે. ટૂંક સમયમાં તેમની મુલાકાતની નવી તારીખ અંગે નિર્ણય લેવામાં આવશે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .