સોશિયલ મીડિયા પર વાયરલ થયું ગદર -2 ફિલ્મનું ટીઝર! ગઈકાલે સિનેમાઘરોમાં બતાવાઈ ગદર ફિલ્મ! જાણો આ વખતે શું કહ્યું તારા સિંહે?


  • Published By :
  • Published Date : 2023-06-10 14:08:25

हिंदुस्तान ज़िंदाबाद है, ज़िंदाबाद था और ज़िंदाबाद रहेगा! આ ડાયલોગ સાંભળતા જ આપણને ગદર ફિલ્મની યાદ આવી જાય છે. ત્યારે ગઈકાલે સિનેમાઘરોમાં અનેક વર્ષો બાદ ગદર ફિલ્મ રિલીઝ કરાઈ હતી. ગદર 2 પણ થોડા સમય બાદ રિલીઝ થવાની છે. પરંતુ ફિલ્મની સિક્વલ રિલીઝ થાય તે પહેલા ઓરિજિનલ ફિલ્મને ફરી દર્શકો માટે રિલીઝ કરાઈ છે. ત્યારે ગઈકાલે ગદર 2 ફિલ્મનું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે આ ટીઝર ખાલી સિનેમાઘરોમાં જ રિલીઝ થયું છે યુટ્યુબ પર રિલીઝ નથી થયું. પરંતુ સોશિયલ મીડિયા પર ટીઝર વાયરલ થઈ રહ્યું છે.

  

અનેક વર્ષો બાદ સિનેમાઘરોમાં બતાવવામાં આવી ગદર!

2001માં અમિષા પટેલ અને સની દેઓલની ગદર ફિલ્મ રિલીઝ થઈ હતી. તે દરમિયાન દર્શકોનો ખૂબ પ્રેમ મળ્યો હતો. દમદાર ડાયલોગને કારણે આટલા વર્ષો બાદ પણ ફિલ્મ લોકોના દિલમાં વસી ગઈ છે. ત્યારે આટલા વર્ષો બાદ પણ ફિલ્મને લઈ લોકોમાં એટલો જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. અનેક વર્ષો બાદ ફિલ્મને ફરી એક વખત સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી હતી. જેમાં દર્શકોનો સારો રિસ્પોન્સ જોવા મળ્યો હતો. ફિલ્મ પૂર્ણ થઈ તે બાદ ગદર-2નું  ટીઝર પણ બતાવવામાં આવ્યું હતું. ટીઝર માત્ર સિનેમાઘરોમાં જ રિલીઝ થયું છે પરંતુ સોશિયલ મીડિયા પર તે ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.

  

સોશિયલ મીડિયા પર ટીઝર થયું વાયરલ!

વાયરલ થયેલા ફિલ્મના ટીઝરની વાત કરીએ તો ટીઝર એક દમદાર ડાયલોગથી શરૂ થાય છે. જેમાં એક મહિલા કહી રહી છે દામાદ હૈ વો પાકિસ્તાન કા, ઉસે નારિયસ દો, ટીકા લગાઓ, વરના ઈસ બાર વો દહેજમેં લાહોર લે જાયેંગા... ગણતરીના સિનેમાઘરોમાં ગદર ફિલ્મને રિલીઝ કરવામાં આવી હતી. ત્યારે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં સની દેઓલ પોતાની ફિલ્મ ગદરનો આઈકોનિક ડાયલોગ બોલી રહ્યા છે. ગદર- 2 ફિલ્મ 11 ઓગસ્ટના રોજ રિલીઝ થવાની છે.  



જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.