સોશિયલ મીડિયા પર વાયરલ થયું ગદર -2 ફિલ્મનું ટીઝર! ગઈકાલે સિનેમાઘરોમાં બતાવાઈ ગદર ફિલ્મ! જાણો આ વખતે શું કહ્યું તારા સિંહે?


  • Published By :
  • Published Date : 2023-06-10 14:08:25

हिंदुस्तान ज़िंदाबाद है, ज़िंदाबाद था और ज़िंदाबाद रहेगा! આ ડાયલોગ સાંભળતા જ આપણને ગદર ફિલ્મની યાદ આવી જાય છે. ત્યારે ગઈકાલે સિનેમાઘરોમાં અનેક વર્ષો બાદ ગદર ફિલ્મ રિલીઝ કરાઈ હતી. ગદર 2 પણ થોડા સમય બાદ રિલીઝ થવાની છે. પરંતુ ફિલ્મની સિક્વલ રિલીઝ થાય તે પહેલા ઓરિજિનલ ફિલ્મને ફરી દર્શકો માટે રિલીઝ કરાઈ છે. ત્યારે ગઈકાલે ગદર 2 ફિલ્મનું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે આ ટીઝર ખાલી સિનેમાઘરોમાં જ રિલીઝ થયું છે યુટ્યુબ પર રિલીઝ નથી થયું. પરંતુ સોશિયલ મીડિયા પર ટીઝર વાયરલ થઈ રહ્યું છે.

  

અનેક વર્ષો બાદ સિનેમાઘરોમાં બતાવવામાં આવી ગદર!

2001માં અમિષા પટેલ અને સની દેઓલની ગદર ફિલ્મ રિલીઝ થઈ હતી. તે દરમિયાન દર્શકોનો ખૂબ પ્રેમ મળ્યો હતો. દમદાર ડાયલોગને કારણે આટલા વર્ષો બાદ પણ ફિલ્મ લોકોના દિલમાં વસી ગઈ છે. ત્યારે આટલા વર્ષો બાદ પણ ફિલ્મને લઈ લોકોમાં એટલો જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. અનેક વર્ષો બાદ ફિલ્મને ફરી એક વખત સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી હતી. જેમાં દર્શકોનો સારો રિસ્પોન્સ જોવા મળ્યો હતો. ફિલ્મ પૂર્ણ થઈ તે બાદ ગદર-2નું  ટીઝર પણ બતાવવામાં આવ્યું હતું. ટીઝર માત્ર સિનેમાઘરોમાં જ રિલીઝ થયું છે પરંતુ સોશિયલ મીડિયા પર તે ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.

  

સોશિયલ મીડિયા પર ટીઝર થયું વાયરલ!

વાયરલ થયેલા ફિલ્મના ટીઝરની વાત કરીએ તો ટીઝર એક દમદાર ડાયલોગથી શરૂ થાય છે. જેમાં એક મહિલા કહી રહી છે દામાદ હૈ વો પાકિસ્તાન કા, ઉસે નારિયસ દો, ટીકા લગાઓ, વરના ઈસ બાર વો દહેજમેં લાહોર લે જાયેંગા... ગણતરીના સિનેમાઘરોમાં ગદર ફિલ્મને રિલીઝ કરવામાં આવી હતી. ત્યારે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં સની દેઓલ પોતાની ફિલ્મ ગદરનો આઈકોનિક ડાયલોગ બોલી રહ્યા છે. ગદર- 2 ફિલ્મ 11 ઓગસ્ટના રોજ રિલીઝ થવાની છે.  



રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.