સોશિયલ મીડિયા પર વાયરલ થયું ગદર -2 ફિલ્મનું ટીઝર! ગઈકાલે સિનેમાઘરોમાં બતાવાઈ ગદર ફિલ્મ! જાણો આ વખતે શું કહ્યું તારા સિંહે?


  • Published By :
  • Published Date : 2023-06-10 14:08:25

हिंदुस्तान ज़िंदाबाद है, ज़िंदाबाद था और ज़िंदाबाद रहेगा! આ ડાયલોગ સાંભળતા જ આપણને ગદર ફિલ્મની યાદ આવી જાય છે. ત્યારે ગઈકાલે સિનેમાઘરોમાં અનેક વર્ષો બાદ ગદર ફિલ્મ રિલીઝ કરાઈ હતી. ગદર 2 પણ થોડા સમય બાદ રિલીઝ થવાની છે. પરંતુ ફિલ્મની સિક્વલ રિલીઝ થાય તે પહેલા ઓરિજિનલ ફિલ્મને ફરી દર્શકો માટે રિલીઝ કરાઈ છે. ત્યારે ગઈકાલે ગદર 2 ફિલ્મનું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે આ ટીઝર ખાલી સિનેમાઘરોમાં જ રિલીઝ થયું છે યુટ્યુબ પર રિલીઝ નથી થયું. પરંતુ સોશિયલ મીડિયા પર ટીઝર વાયરલ થઈ રહ્યું છે.

  

અનેક વર્ષો બાદ સિનેમાઘરોમાં બતાવવામાં આવી ગદર!

2001માં અમિષા પટેલ અને સની દેઓલની ગદર ફિલ્મ રિલીઝ થઈ હતી. તે દરમિયાન દર્શકોનો ખૂબ પ્રેમ મળ્યો હતો. દમદાર ડાયલોગને કારણે આટલા વર્ષો બાદ પણ ફિલ્મ લોકોના દિલમાં વસી ગઈ છે. ત્યારે આટલા વર્ષો બાદ પણ ફિલ્મને લઈ લોકોમાં એટલો જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. અનેક વર્ષો બાદ ફિલ્મને ફરી એક વખત સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી હતી. જેમાં દર્શકોનો સારો રિસ્પોન્સ જોવા મળ્યો હતો. ફિલ્મ પૂર્ણ થઈ તે બાદ ગદર-2નું  ટીઝર પણ બતાવવામાં આવ્યું હતું. ટીઝર માત્ર સિનેમાઘરોમાં જ રિલીઝ થયું છે પરંતુ સોશિયલ મીડિયા પર તે ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.

  

સોશિયલ મીડિયા પર ટીઝર થયું વાયરલ!

વાયરલ થયેલા ફિલ્મના ટીઝરની વાત કરીએ તો ટીઝર એક દમદાર ડાયલોગથી શરૂ થાય છે. જેમાં એક મહિલા કહી રહી છે દામાદ હૈ વો પાકિસ્તાન કા, ઉસે નારિયસ દો, ટીકા લગાઓ, વરના ઈસ બાર વો દહેજમેં લાહોર લે જાયેંગા... ગણતરીના સિનેમાઘરોમાં ગદર ફિલ્મને રિલીઝ કરવામાં આવી હતી. ત્યારે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં સની દેઓલ પોતાની ફિલ્મ ગદરનો આઈકોનિક ડાયલોગ બોલી રહ્યા છે. ગદર- 2 ફિલ્મ 11 ઓગસ્ટના રોજ રિલીઝ થવાની છે.  



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી