સોશિયલ મીડિયા પર વાયરલ થયું ગદર -2 ફિલ્મનું ટીઝર! ગઈકાલે સિનેમાઘરોમાં બતાવાઈ ગદર ફિલ્મ! જાણો આ વખતે શું કહ્યું તારા સિંહે?


  • Published By :
  • Published Date : 2023-06-10 14:08:25

हिंदुस्तान ज़िंदाबाद है, ज़िंदाबाद था और ज़िंदाबाद रहेगा! આ ડાયલોગ સાંભળતા જ આપણને ગદર ફિલ્મની યાદ આવી જાય છે. ત્યારે ગઈકાલે સિનેમાઘરોમાં અનેક વર્ષો બાદ ગદર ફિલ્મ રિલીઝ કરાઈ હતી. ગદર 2 પણ થોડા સમય બાદ રિલીઝ થવાની છે. પરંતુ ફિલ્મની સિક્વલ રિલીઝ થાય તે પહેલા ઓરિજિનલ ફિલ્મને ફરી દર્શકો માટે રિલીઝ કરાઈ છે. ત્યારે ગઈકાલે ગદર 2 ફિલ્મનું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે આ ટીઝર ખાલી સિનેમાઘરોમાં જ રિલીઝ થયું છે યુટ્યુબ પર રિલીઝ નથી થયું. પરંતુ સોશિયલ મીડિયા પર ટીઝર વાયરલ થઈ રહ્યું છે.

  

અનેક વર્ષો બાદ સિનેમાઘરોમાં બતાવવામાં આવી ગદર!

2001માં અમિષા પટેલ અને સની દેઓલની ગદર ફિલ્મ રિલીઝ થઈ હતી. તે દરમિયાન દર્શકોનો ખૂબ પ્રેમ મળ્યો હતો. દમદાર ડાયલોગને કારણે આટલા વર્ષો બાદ પણ ફિલ્મ લોકોના દિલમાં વસી ગઈ છે. ત્યારે આટલા વર્ષો બાદ પણ ફિલ્મને લઈ લોકોમાં એટલો જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. અનેક વર્ષો બાદ ફિલ્મને ફરી એક વખત સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી હતી. જેમાં દર્શકોનો સારો રિસ્પોન્સ જોવા મળ્યો હતો. ફિલ્મ પૂર્ણ થઈ તે બાદ ગદર-2નું  ટીઝર પણ બતાવવામાં આવ્યું હતું. ટીઝર માત્ર સિનેમાઘરોમાં જ રિલીઝ થયું છે પરંતુ સોશિયલ મીડિયા પર તે ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.

  

સોશિયલ મીડિયા પર ટીઝર થયું વાયરલ!

વાયરલ થયેલા ફિલ્મના ટીઝરની વાત કરીએ તો ટીઝર એક દમદાર ડાયલોગથી શરૂ થાય છે. જેમાં એક મહિલા કહી રહી છે દામાદ હૈ વો પાકિસ્તાન કા, ઉસે નારિયસ દો, ટીકા લગાઓ, વરના ઈસ બાર વો દહેજમેં લાહોર લે જાયેંગા... ગણતરીના સિનેમાઘરોમાં ગદર ફિલ્મને રિલીઝ કરવામાં આવી હતી. ત્યારે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં સની દેઓલ પોતાની ફિલ્મ ગદરનો આઈકોનિક ડાયલોગ બોલી રહ્યા છે. ગદર- 2 ફિલ્મ 11 ઓગસ્ટના રોજ રિલીઝ થવાની છે.  



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.