Gandhinagar : કાયમી શિક્ષકોની ભરતીની માગ સાથે પહોંચેલા ટેટ ટાટ પાસ ઉમેદવારો સાથે પોલીસે દેખાડી નિષ્ઠુરતા! દ્રશ્યો જોઈ તમે કહેશો કે...


  • Published By :
  • Published Date : 2024-06-18 16:24:08

ગાંધીનગરમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો આજે આંદોલન કરી રહ્યા છે. ઉમેદવારોની માગ છે કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. ગાંધીનગરના રસ્તા પર ઉમેદવારો પોતાના હક માટે ઉતર્યા હતા. રસ્તા પર ઉતરેલા ઉમેદવારો કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. જે દ્રશ્યો ત્યાંથી સામે આવ્યા છે તેને જોઈ પોલીસની કામગીરી પર સવાલ ઉભા થાય છે.. જે નિષ્ઠુરતાથી ઉમેદવારોને ખસેડવામાં આવી રહ્યા, ઘસેડવામાં આવી રહ્યા છે  તે સવાલો કરે એમ છે. શાંતિથી વિરોધ કરી રહેલા ઉમેદવારોને પોલીસ એવી રીતે ખસેડી રહી છે જાણે તે કોઈ આતંકવાદી હોય! 

ઉમેદવારો જ્યારે રજૂઆત કરવા જાય છે ત્યારે...  

ગુજરાતની સરકાર અને ગુજરાતની પોલીસને રાજ્યના યુવાનો કશુંક કહી રહ્યા છે.. યુવાનો જે કહી રહ્યા છે તેને સાંભળો..શાંતિથી ઉમેદવારો આંદોલન કરી રહ્યા હતા, તેમને આશા હતી કે સરકાર તેમનો અવાજ સાંભળે પરંતુ ઉમેદવારોનો અવાજ સરકાર સુધી નથી પહોંચ્યો. અનેક વખત રજૂઆત કરી છતાંય સરકારના પેટનું પાણી પણ નથી હલતું.. પોતાની માગ સાથે ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા હતા. આંદોલનને લઈ પોલીસનો કાફલો ગોઠવી દેવાયો હતો અને સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું.. ઉમેદવારોની એટલી જ માગ છે કે સરકાર દ્વારા કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. કરાર આધારિત ભરતીનો ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. સરકારને રજૂઆત કરવા જ્યારે જાય છે ત્યારે તેમની સાથે કરવામાં આવતું વર્તન અનેક સવાલો ઉભા કરે છે.



આવી રીતે તો ઉમેદવારો જોડે વર્તન ના જ થવું જોઈએ...!

આજે પણ જ્યારે ઉમેદવારો આંદોલન કરવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા ત્યારે પોલીસે તેમની અટકાયત ટીંગાટોળી કરીને કરી હતી. મહિલા ઉમેદવારને પણ ખસેડવામાં આવી. જે રીતે તેમની સાથે વર્તન કરવામાં આવે છે તે કદાચ કોઈને પણ સ્વીકાર્ય નથી. આવી રીતે જ્યારે દેશના ભાવિનું ઘડતર કરનારા શિક્ષકો સાથે વર્તન કરવામાં આવે તે સ્વીકાર્ય નથી. આપણે એવું કહીએ કે પોલીસની તાકાત માત્ર આવા સામાન્ય માણસો સામે ચાલે છે તો પણ ખોટા નથી. 


 

જ્યારે ઉમેદવારો પોતાના હક માટે અવાજ ઉઠાવે છે ત્યારે.. 

પોલીસ આટલી આક્રામક તેવા લોકો સામે નથી દેખાઈ જે કાયદાનો ભંગ કરે છે. બુટલેગરો જે ખુલ્લેઆમ દારૂ વેચે છે, પોલીસ પર હુમલો કરે છે તેમની સામે પોલીસ હિંમત, દાદાગીરી નથી દેખાડતી.. પરંતુ પોલીસ દાદાગીરી પોતાના હક માટે, નોકરી માટે ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે તેમની સામે દેખાડી રહી છે.. મુખ્યમંત્રીને આપણે મૃદુ અને મક્કમ કહીએ છીએ પરંતુ આ કેસમાં નથી તો મુખ્યમંત્રીની મૃદુતા દેખાતી નથી અને નથી નિર્ણયોમાં મક્કમતા દેખાતી. શિક્ષકોની ભરતીની માગ સાથે ઉમેદવારો ગાંધીનગર રજૂઆત કરવા નહીં આવે તો ક્યાં જશે? જે રીતના ઉમેદવારોને ઘસેડવામાં આવે છે તેને લઈ પોલીસને એક પ્રશ્ન કરવો છે કે શું પોલીસ વિરોધ કરવા આવેલા ઉમેદવારો આતંકવાદી છે? ત્યારે તમારૂં શું માનવું છે આ મામલે અમને કમેન્ટમાં જણાવજો..   



જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે.

ભાવનગરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઇને એક ખુબ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં થોડાક દિવસો પહેલા , ઘોઘા તાલુકાના વાળુકડ ગામે લાલા રબારી નામના યુવકનો નિર્દયતા પૂર્વક જીવ લઇ લેવામાં આવ્યો હતો. આ પછી , ઘટનાના ફૂટેજ સોશ્યિલ મીડિયામાં ખુબ વાઇરલ થયા હતા. જેનાથી સમગ્ર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ જામી ગયો હતો. હવે પોલીસ દ્વારા આ ઘટનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમને વાળુકડ ગામ ખાતે પંચનામું કરવા માટે લાવવામાં આવ્યા છે. જ્યાં તેમનું સરઘસ પણ કાઢવામાં આવ્યું છે.

રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.