Gandhinagar : કાયમી શિક્ષકોની ભરતીની માગ સાથે પહોંચેલા ટેટ ટાટ પાસ ઉમેદવારો સાથે પોલીસે દેખાડી નિષ્ઠુરતા! દ્રશ્યો જોઈ તમે કહેશો કે...


  • Published By :
  • Published Date : 2024-06-18 16:24:08

ગાંધીનગરમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો આજે આંદોલન કરી રહ્યા છે. ઉમેદવારોની માગ છે કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. ગાંધીનગરના રસ્તા પર ઉમેદવારો પોતાના હક માટે ઉતર્યા હતા. રસ્તા પર ઉતરેલા ઉમેદવારો કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. જે દ્રશ્યો ત્યાંથી સામે આવ્યા છે તેને જોઈ પોલીસની કામગીરી પર સવાલ ઉભા થાય છે.. જે નિષ્ઠુરતાથી ઉમેદવારોને ખસેડવામાં આવી રહ્યા, ઘસેડવામાં આવી રહ્યા છે  તે સવાલો કરે એમ છે. શાંતિથી વિરોધ કરી રહેલા ઉમેદવારોને પોલીસ એવી રીતે ખસેડી રહી છે જાણે તે કોઈ આતંકવાદી હોય! 

ઉમેદવારો જ્યારે રજૂઆત કરવા જાય છે ત્યારે...  

ગુજરાતની સરકાર અને ગુજરાતની પોલીસને રાજ્યના યુવાનો કશુંક કહી રહ્યા છે.. યુવાનો જે કહી રહ્યા છે તેને સાંભળો..શાંતિથી ઉમેદવારો આંદોલન કરી રહ્યા હતા, તેમને આશા હતી કે સરકાર તેમનો અવાજ સાંભળે પરંતુ ઉમેદવારોનો અવાજ સરકાર સુધી નથી પહોંચ્યો. અનેક વખત રજૂઆત કરી છતાંય સરકારના પેટનું પાણી પણ નથી હલતું.. પોતાની માગ સાથે ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા હતા. આંદોલનને લઈ પોલીસનો કાફલો ગોઠવી દેવાયો હતો અને સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું.. ઉમેદવારોની એટલી જ માગ છે કે સરકાર દ્વારા કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. કરાર આધારિત ભરતીનો ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. સરકારને રજૂઆત કરવા જ્યારે જાય છે ત્યારે તેમની સાથે કરવામાં આવતું વર્તન અનેક સવાલો ઉભા કરે છે.



આવી રીતે તો ઉમેદવારો જોડે વર્તન ના જ થવું જોઈએ...!

આજે પણ જ્યારે ઉમેદવારો આંદોલન કરવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા ત્યારે પોલીસે તેમની અટકાયત ટીંગાટોળી કરીને કરી હતી. મહિલા ઉમેદવારને પણ ખસેડવામાં આવી. જે રીતે તેમની સાથે વર્તન કરવામાં આવે છે તે કદાચ કોઈને પણ સ્વીકાર્ય નથી. આવી રીતે જ્યારે દેશના ભાવિનું ઘડતર કરનારા શિક્ષકો સાથે વર્તન કરવામાં આવે તે સ્વીકાર્ય નથી. આપણે એવું કહીએ કે પોલીસની તાકાત માત્ર આવા સામાન્ય માણસો સામે ચાલે છે તો પણ ખોટા નથી. 


 

જ્યારે ઉમેદવારો પોતાના હક માટે અવાજ ઉઠાવે છે ત્યારે.. 

પોલીસ આટલી આક્રામક તેવા લોકો સામે નથી દેખાઈ જે કાયદાનો ભંગ કરે છે. બુટલેગરો જે ખુલ્લેઆમ દારૂ વેચે છે, પોલીસ પર હુમલો કરે છે તેમની સામે પોલીસ હિંમત, દાદાગીરી નથી દેખાડતી.. પરંતુ પોલીસ દાદાગીરી પોતાના હક માટે, નોકરી માટે ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે તેમની સામે દેખાડી રહી છે.. મુખ્યમંત્રીને આપણે મૃદુ અને મક્કમ કહીએ છીએ પરંતુ આ કેસમાં નથી તો મુખ્યમંત્રીની મૃદુતા દેખાતી નથી અને નથી નિર્ણયોમાં મક્કમતા દેખાતી. શિક્ષકોની ભરતીની માગ સાથે ઉમેદવારો ગાંધીનગર રજૂઆત કરવા નહીં આવે તો ક્યાં જશે? જે રીતના ઉમેદવારોને ઘસેડવામાં આવે છે તેને લઈ પોલીસને એક પ્રશ્ન કરવો છે કે શું પોલીસ વિરોધ કરવા આવેલા ઉમેદવારો આતંકવાદી છે? ત્યારે તમારૂં શું માનવું છે આ મામલે અમને કમેન્ટમાં જણાવજો..   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.