Gandhinagar : કાયમી શિક્ષકોની ભરતીની માગ સાથે પહોંચેલા ટેટ ટાટ પાસ ઉમેદવારો સાથે પોલીસે દેખાડી નિષ્ઠુરતા! દ્રશ્યો જોઈ તમે કહેશો કે...


  • Published By :
  • Published Date : 2024-06-18 16:24:08

ગાંધીનગરમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો આજે આંદોલન કરી રહ્યા છે. ઉમેદવારોની માગ છે કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. ગાંધીનગરના રસ્તા પર ઉમેદવારો પોતાના હક માટે ઉતર્યા હતા. રસ્તા પર ઉતરેલા ઉમેદવારો કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. જે દ્રશ્યો ત્યાંથી સામે આવ્યા છે તેને જોઈ પોલીસની કામગીરી પર સવાલ ઉભા થાય છે.. જે નિષ્ઠુરતાથી ઉમેદવારોને ખસેડવામાં આવી રહ્યા, ઘસેડવામાં આવી રહ્યા છે  તે સવાલો કરે એમ છે. શાંતિથી વિરોધ કરી રહેલા ઉમેદવારોને પોલીસ એવી રીતે ખસેડી રહી છે જાણે તે કોઈ આતંકવાદી હોય! 

ઉમેદવારો જ્યારે રજૂઆત કરવા જાય છે ત્યારે...  

ગુજરાતની સરકાર અને ગુજરાતની પોલીસને રાજ્યના યુવાનો કશુંક કહી રહ્યા છે.. યુવાનો જે કહી રહ્યા છે તેને સાંભળો..શાંતિથી ઉમેદવારો આંદોલન કરી રહ્યા હતા, તેમને આશા હતી કે સરકાર તેમનો અવાજ સાંભળે પરંતુ ઉમેદવારોનો અવાજ સરકાર સુધી નથી પહોંચ્યો. અનેક વખત રજૂઆત કરી છતાંય સરકારના પેટનું પાણી પણ નથી હલતું.. પોતાની માગ સાથે ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા હતા. આંદોલનને લઈ પોલીસનો કાફલો ગોઠવી દેવાયો હતો અને સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું.. ઉમેદવારોની એટલી જ માગ છે કે સરકાર દ્વારા કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. કરાર આધારિત ભરતીનો ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. સરકારને રજૂઆત કરવા જ્યારે જાય છે ત્યારે તેમની સાથે કરવામાં આવતું વર્તન અનેક સવાલો ઉભા કરે છે.



આવી રીતે તો ઉમેદવારો જોડે વર્તન ના જ થવું જોઈએ...!

આજે પણ જ્યારે ઉમેદવારો આંદોલન કરવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા ત્યારે પોલીસે તેમની અટકાયત ટીંગાટોળી કરીને કરી હતી. મહિલા ઉમેદવારને પણ ખસેડવામાં આવી. જે રીતે તેમની સાથે વર્તન કરવામાં આવે છે તે કદાચ કોઈને પણ સ્વીકાર્ય નથી. આવી રીતે જ્યારે દેશના ભાવિનું ઘડતર કરનારા શિક્ષકો સાથે વર્તન કરવામાં આવે તે સ્વીકાર્ય નથી. આપણે એવું કહીએ કે પોલીસની તાકાત માત્ર આવા સામાન્ય માણસો સામે ચાલે છે તો પણ ખોટા નથી. 


 

જ્યારે ઉમેદવારો પોતાના હક માટે અવાજ ઉઠાવે છે ત્યારે.. 

પોલીસ આટલી આક્રામક તેવા લોકો સામે નથી દેખાઈ જે કાયદાનો ભંગ કરે છે. બુટલેગરો જે ખુલ્લેઆમ દારૂ વેચે છે, પોલીસ પર હુમલો કરે છે તેમની સામે પોલીસ હિંમત, દાદાગીરી નથી દેખાડતી.. પરંતુ પોલીસ દાદાગીરી પોતાના હક માટે, નોકરી માટે ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે તેમની સામે દેખાડી રહી છે.. મુખ્યમંત્રીને આપણે મૃદુ અને મક્કમ કહીએ છીએ પરંતુ આ કેસમાં નથી તો મુખ્યમંત્રીની મૃદુતા દેખાતી નથી અને નથી નિર્ણયોમાં મક્કમતા દેખાતી. શિક્ષકોની ભરતીની માગ સાથે ઉમેદવારો ગાંધીનગર રજૂઆત કરવા નહીં આવે તો ક્યાં જશે? જે રીતના ઉમેદવારોને ઘસેડવામાં આવે છે તેને લઈ પોલીસને એક પ્રશ્ન કરવો છે કે શું પોલીસ વિરોધ કરવા આવેલા ઉમેદવારો આતંકવાદી છે? ત્યારે તમારૂં શું માનવું છે આ મામલે અમને કમેન્ટમાં જણાવજો..   



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.