ઉત્તર પ્રદેશના બલિયામાં ભયાનક દુર્ઘટના, 40 લોકોને લઈ જતી હોડી પલટી જતા 3 મહિલાઓના મોત, બચાવ કામગીરી શરૂ


  • Published By :
  • Published Date : 2023-05-22 13:00:14

ઉત્તર પ્રદેશના બલિયાના ગંગાજીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ ગમખ્વાર ઘટના બલિયાના માલદેપુર ગંગા ઘાટ પર બની છે. 40 મુસાફરોથી ભરેલી બોટ પલટી ગઈ છે, જેમાં બે ડઝનથી વધુ લોકો ડૂબી જવાના સમાચાર છે. અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયા છે. માછીમારો અને ડાઇવર્સ સતત લોકોને બહાર કાઢવામાં વ્યસ્ત છે. પાણીમાંથી બહાર કાઢવામાં આવેલા લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે. હાલ, ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. સ્થાનિક વહીવટી અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે.


મુંડન સંસ્કાર માટે આવ્યા હતા લોકો


બલિયા જિલ્લાના માલદેપુર સંગમ ઘાટ પર હજારો લોકો સોમવારે મુંડન સમારોહ માટે એકઠા થયા હતા. મુંડન સંસ્કાર માટે ગંગા પાર જઈ રહેલા મુસાફરોથી ભરેલી બોટ અચાનક જ ડૂબી ગઈ છે. ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર, બોટમાં મોટી સંખ્યામાં લોકો સવાર હતા, જેના કારણે બોટ નદીની વચ્ચે પલટી ગઈ હતી. જેમાં ઘણા લોકો ડૂબી ગયા હોવાની આશંકા છે. ત્રણ મહિલાઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. સ્થાનિક બોટમેન અને પોલીસે 12 થી વધુ લોકોને નદીમાંથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા. પોલીસ અને ડાઇવર્સની ટીમ અન્ય લોકોને શોધી રહી છે. નદીમાંથી બહાર કાઢવામાં આવેલા લોકોમાંથી ત્રણ મહિલાઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. ઘાટના કિનારે ગ્રામજનોની ભારે ભીડ એકઠી થઈ ગઈ છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.