ઉત્તર પ્રદેશના બલિયામાં ભયાનક દુર્ઘટના, 40 લોકોને લઈ જતી હોડી પલટી જતા 3 મહિલાઓના મોત, બચાવ કામગીરી શરૂ


  • Published By :
  • Published Date : 2023-05-22 13:00:14

ઉત્તર પ્રદેશના બલિયાના ગંગાજીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ ગમખ્વાર ઘટના બલિયાના માલદેપુર ગંગા ઘાટ પર બની છે. 40 મુસાફરોથી ભરેલી બોટ પલટી ગઈ છે, જેમાં બે ડઝનથી વધુ લોકો ડૂબી જવાના સમાચાર છે. અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયા છે. માછીમારો અને ડાઇવર્સ સતત લોકોને બહાર કાઢવામાં વ્યસ્ત છે. પાણીમાંથી બહાર કાઢવામાં આવેલા લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે. હાલ, ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. સ્થાનિક વહીવટી અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે.


મુંડન સંસ્કાર માટે આવ્યા હતા લોકો


બલિયા જિલ્લાના માલદેપુર સંગમ ઘાટ પર હજારો લોકો સોમવારે મુંડન સમારોહ માટે એકઠા થયા હતા. મુંડન સંસ્કાર માટે ગંગા પાર જઈ રહેલા મુસાફરોથી ભરેલી બોટ અચાનક જ ડૂબી ગઈ છે. ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર, બોટમાં મોટી સંખ્યામાં લોકો સવાર હતા, જેના કારણે બોટ નદીની વચ્ચે પલટી ગઈ હતી. જેમાં ઘણા લોકો ડૂબી ગયા હોવાની આશંકા છે. ત્રણ મહિલાઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. સ્થાનિક બોટમેન અને પોલીસે 12 થી વધુ લોકોને નદીમાંથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા. પોલીસ અને ડાઇવર્સની ટીમ અન્ય લોકોને શોધી રહી છે. નદીમાંથી બહાર કાઢવામાં આવેલા લોકોમાંથી ત્રણ મહિલાઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. ઘાટના કિનારે ગ્રામજનોની ભારે ભીડ એકઠી થઈ ગઈ છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.