ઉત્તર પ્રદેશના બલિયામાં ભયાનક દુર્ઘટના, 40 લોકોને લઈ જતી હોડી પલટી જતા 3 મહિલાઓના મોત, બચાવ કામગીરી શરૂ


  • Published By :
  • Published Date : 2023-05-22 13:00:14

ઉત્તર પ્રદેશના બલિયાના ગંગાજીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ ગમખ્વાર ઘટના બલિયાના માલદેપુર ગંગા ઘાટ પર બની છે. 40 મુસાફરોથી ભરેલી બોટ પલટી ગઈ છે, જેમાં બે ડઝનથી વધુ લોકો ડૂબી જવાના સમાચાર છે. અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયા છે. માછીમારો અને ડાઇવર્સ સતત લોકોને બહાર કાઢવામાં વ્યસ્ત છે. પાણીમાંથી બહાર કાઢવામાં આવેલા લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે. હાલ, ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. સ્થાનિક વહીવટી અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે.


મુંડન સંસ્કાર માટે આવ્યા હતા લોકો


બલિયા જિલ્લાના માલદેપુર સંગમ ઘાટ પર હજારો લોકો સોમવારે મુંડન સમારોહ માટે એકઠા થયા હતા. મુંડન સંસ્કાર માટે ગંગા પાર જઈ રહેલા મુસાફરોથી ભરેલી બોટ અચાનક જ ડૂબી ગઈ છે. ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર, બોટમાં મોટી સંખ્યામાં લોકો સવાર હતા, જેના કારણે બોટ નદીની વચ્ચે પલટી ગઈ હતી. જેમાં ઘણા લોકો ડૂબી ગયા હોવાની આશંકા છે. ત્રણ મહિલાઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. સ્થાનિક બોટમેન અને પોલીસે 12 થી વધુ લોકોને નદીમાંથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા. પોલીસ અને ડાઇવર્સની ટીમ અન્ય લોકોને શોધી રહી છે. નદીમાંથી બહાર કાઢવામાં આવેલા લોકોમાંથી ત્રણ મહિલાઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. ઘાટના કિનારે ગ્રામજનોની ભારે ભીડ એકઠી થઈ ગઈ છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.