ઉત્તર પ્રદેશના બલિયામાં ભયાનક દુર્ઘટના, 40 લોકોને લઈ જતી હોડી પલટી જતા 3 મહિલાઓના મોત, બચાવ કામગીરી શરૂ


  • Published By :
  • Published Date : 2023-05-22 13:00:14

ઉત્તર પ્રદેશના બલિયાના ગંગાજીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ ગમખ્વાર ઘટના બલિયાના માલદેપુર ગંગા ઘાટ પર બની છે. 40 મુસાફરોથી ભરેલી બોટ પલટી ગઈ છે, જેમાં બે ડઝનથી વધુ લોકો ડૂબી જવાના સમાચાર છે. અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયા છે. માછીમારો અને ડાઇવર્સ સતત લોકોને બહાર કાઢવામાં વ્યસ્ત છે. પાણીમાંથી બહાર કાઢવામાં આવેલા લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે. હાલ, ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. સ્થાનિક વહીવટી અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે.


મુંડન સંસ્કાર માટે આવ્યા હતા લોકો


બલિયા જિલ્લાના માલદેપુર સંગમ ઘાટ પર હજારો લોકો સોમવારે મુંડન સમારોહ માટે એકઠા થયા હતા. મુંડન સંસ્કાર માટે ગંગા પાર જઈ રહેલા મુસાફરોથી ભરેલી બોટ અચાનક જ ડૂબી ગઈ છે. ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર, બોટમાં મોટી સંખ્યામાં લોકો સવાર હતા, જેના કારણે બોટ નદીની વચ્ચે પલટી ગઈ હતી. જેમાં ઘણા લોકો ડૂબી ગયા હોવાની આશંકા છે. ત્રણ મહિલાઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. સ્થાનિક બોટમેન અને પોલીસે 12 થી વધુ લોકોને નદીમાંથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા. પોલીસ અને ડાઇવર્સની ટીમ અન્ય લોકોને શોધી રહી છે. નદીમાંથી બહાર કાઢવામાં આવેલા લોકોમાંથી ત્રણ મહિલાઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. ઘાટના કિનારે ગ્રામજનોની ભારે ભીડ એકઠી થઈ ગઈ છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.