ઉત્તરપ્રદેશના ગેંગસ્ટર મુખ્તાર અંસારીને કોર્ટે 10 વર્ષની સજા અને 5 લાખનો દંડ ફટકાર્યો


  • Published By :
  • Published Date : 2022-12-15 20:29:52

ઉત્તરપ્રદેશના રાજકારણના બાહુબલી નેતા મુખ્તાર અંસારીને 10 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે. ગાઝીપુરની એમ પી- એમએલએ કોર્ટે અંસારીને 10 વર્ષની સજા સાથે 5 લાખનો દંડ ફટકાર્યો છે. હાલ બાંદા જેલમાં બંધ નેતા મુખ્તાર અંસારીને 16 વર્ષ જૂના ગેંગસ્ટર કેસમાં કોર્ટે આજે તેને દોષિત ઠેરવ્યો હતો. મુખ્તાર અંસારી સામે વર્ષ 1996માં કોંગ્રેસના ઝોનલ પ્રમુખ અજય રાયના ભાઈ અવદેશ રાયની હત્યાના ગુનામાં તેમને આ સજા સંભળાવવામાં આવી છે. આ કેસમાં મુખ્તાર અંસારીની સાથે ભીમ સિંહને પણ 10 વર્ષની સજા થઈ છે. 


2005થી  મુખ્તાર અંસારી જેલમાં 


કોર્ટે આ મામલે 12 ડિસેમ્બરે સુનાવણી પૂરી કરી હતી. સજા દરમિયાન ભીમ સિંહ કોર્ટમાં હાજર થયો હતો. મુખ્તાર અંસારીને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવ્યો હતો. આ કેસમાં અજય રાયે કોર્ટમાં મુખ્તાર અંસારી સામે જુબાની આપી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે મુખ્તાર અંસારી વર્ષ 2005થી જ અનેક જિલ્લાની અનેક જેલોમાં બંધ છે, પરંતું તે અનેક કેસમાં દોષમુક્ત થઈ ચુક્યો છે. મુખ્તાર અંસારી વર્તમાનમાં ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં બંધ છે.


મુખ્તાર અંસારી સામે 50થી વધુ કેસ


મની લોન્ડ્ર્રરિંગ કેસમાં મુખ્તાર અંસારી સામે ઉત્તર પ્રદેશના અનેક પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ નોંધાયેલી છે. મુખ્તાર અંસારી સામે 50થી વધુ કેસ નોંધાયેલા છે. જેમાં હત્યા અને હત્યાના પ્રયાસ સહિતના અનેક કેસમાં તપાસ ચાલી રહી છે. ઈડીએ પણ મુખ્તાર અંસારીના અનેક સંબંધીઓ અને સહયોગીની પૂછપરછ કરી છે અને વિવિધ સ્થળોએ દરોડા પણ પાડ્યા હતા. ઈડીએ મુખ્તાર અંસારીના સાંસદ ભાઈ અફઝલ અંસારી અને બનેવી આતિફને પણ નોટિસ ફટકારી હતી. ઈડીએ ઓક્ટોબરમાં મુખ્તાર અંસારીની 1.48 કરોડની સ્થાવર સંપત્તીની જપ્ત કરી હતી.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.