ઉત્તરપ્રદેશના ગેંગસ્ટર મુખ્તાર અંસારીને કોર્ટે 10 વર્ષની સજા અને 5 લાખનો દંડ ફટકાર્યો


  • Published By :
  • Published Date : 2022-12-15 20:29:52

ઉત્તરપ્રદેશના રાજકારણના બાહુબલી નેતા મુખ્તાર અંસારીને 10 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે. ગાઝીપુરની એમ પી- એમએલએ કોર્ટે અંસારીને 10 વર્ષની સજા સાથે 5 લાખનો દંડ ફટકાર્યો છે. હાલ બાંદા જેલમાં બંધ નેતા મુખ્તાર અંસારીને 16 વર્ષ જૂના ગેંગસ્ટર કેસમાં કોર્ટે આજે તેને દોષિત ઠેરવ્યો હતો. મુખ્તાર અંસારી સામે વર્ષ 1996માં કોંગ્રેસના ઝોનલ પ્રમુખ અજય રાયના ભાઈ અવદેશ રાયની હત્યાના ગુનામાં તેમને આ સજા સંભળાવવામાં આવી છે. આ કેસમાં મુખ્તાર અંસારીની સાથે ભીમ સિંહને પણ 10 વર્ષની સજા થઈ છે. 


2005થી  મુખ્તાર અંસારી જેલમાં 


કોર્ટે આ મામલે 12 ડિસેમ્બરે સુનાવણી પૂરી કરી હતી. સજા દરમિયાન ભીમ સિંહ કોર્ટમાં હાજર થયો હતો. મુખ્તાર અંસારીને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવ્યો હતો. આ કેસમાં અજય રાયે કોર્ટમાં મુખ્તાર અંસારી સામે જુબાની આપી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે મુખ્તાર અંસારી વર્ષ 2005થી જ અનેક જિલ્લાની અનેક જેલોમાં બંધ છે, પરંતું તે અનેક કેસમાં દોષમુક્ત થઈ ચુક્યો છે. મુખ્તાર અંસારી વર્તમાનમાં ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં બંધ છે.


મુખ્તાર અંસારી સામે 50થી વધુ કેસ


મની લોન્ડ્ર્રરિંગ કેસમાં મુખ્તાર અંસારી સામે ઉત્તર પ્રદેશના અનેક પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ નોંધાયેલી છે. મુખ્તાર અંસારી સામે 50થી વધુ કેસ નોંધાયેલા છે. જેમાં હત્યા અને હત્યાના પ્રયાસ સહિતના અનેક કેસમાં તપાસ ચાલી રહી છે. ઈડીએ પણ મુખ્તાર અંસારીના અનેક સંબંધીઓ અને સહયોગીની પૂછપરછ કરી છે અને વિવિધ સ્થળોએ દરોડા પણ પાડ્યા હતા. ઈડીએ મુખ્તાર અંસારીના સાંસદ ભાઈ અફઝલ અંસારી અને બનેવી આતિફને પણ નોટિસ ફટકારી હતી. ઈડીએ ઓક્ટોબરમાં મુખ્તાર અંસારીની 1.48 કરોડની સ્થાવર સંપત્તીની જપ્ત કરી હતી.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.