ઉત્તરપ્રદેશના ગેંગસ્ટર મુખ્તાર અંસારીને કોર્ટે 10 વર્ષની સજા અને 5 લાખનો દંડ ફટકાર્યો


  • Published By :
  • Published Date : 2022-12-15 20:29:52

ઉત્તરપ્રદેશના રાજકારણના બાહુબલી નેતા મુખ્તાર અંસારીને 10 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે. ગાઝીપુરની એમ પી- એમએલએ કોર્ટે અંસારીને 10 વર્ષની સજા સાથે 5 લાખનો દંડ ફટકાર્યો છે. હાલ બાંદા જેલમાં બંધ નેતા મુખ્તાર અંસારીને 16 વર્ષ જૂના ગેંગસ્ટર કેસમાં કોર્ટે આજે તેને દોષિત ઠેરવ્યો હતો. મુખ્તાર અંસારી સામે વર્ષ 1996માં કોંગ્રેસના ઝોનલ પ્રમુખ અજય રાયના ભાઈ અવદેશ રાયની હત્યાના ગુનામાં તેમને આ સજા સંભળાવવામાં આવી છે. આ કેસમાં મુખ્તાર અંસારીની સાથે ભીમ સિંહને પણ 10 વર્ષની સજા થઈ છે. 


2005થી  મુખ્તાર અંસારી જેલમાં 


કોર્ટે આ મામલે 12 ડિસેમ્બરે સુનાવણી પૂરી કરી હતી. સજા દરમિયાન ભીમ સિંહ કોર્ટમાં હાજર થયો હતો. મુખ્તાર અંસારીને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવ્યો હતો. આ કેસમાં અજય રાયે કોર્ટમાં મુખ્તાર અંસારી સામે જુબાની આપી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે મુખ્તાર અંસારી વર્ષ 2005થી જ અનેક જિલ્લાની અનેક જેલોમાં બંધ છે, પરંતું તે અનેક કેસમાં દોષમુક્ત થઈ ચુક્યો છે. મુખ્તાર અંસારી વર્તમાનમાં ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં બંધ છે.


મુખ્તાર અંસારી સામે 50થી વધુ કેસ


મની લોન્ડ્ર્રરિંગ કેસમાં મુખ્તાર અંસારી સામે ઉત્તર પ્રદેશના અનેક પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ નોંધાયેલી છે. મુખ્તાર અંસારી સામે 50થી વધુ કેસ નોંધાયેલા છે. જેમાં હત્યા અને હત્યાના પ્રયાસ સહિતના અનેક કેસમાં તપાસ ચાલી રહી છે. ઈડીએ પણ મુખ્તાર અંસારીના અનેક સંબંધીઓ અને સહયોગીની પૂછપરછ કરી છે અને વિવિધ સ્થળોએ દરોડા પણ પાડ્યા હતા. ઈડીએ મુખ્તાર અંસારીના સાંસદ ભાઈ અફઝલ અંસારી અને બનેવી આતિફને પણ નોટિસ ફટકારી હતી. ઈડીએ ઓક્ટોબરમાં મુખ્તાર અંસારીની 1.48 કરોડની સ્થાવર સંપત્તીની જપ્ત કરી હતી.



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.