ઉત્તર પ્રદેશના ગેંગસ્ટર સંજીવ ઉર્ફે જીવાની કોર્ટ રૂમમાં જ હત્યા, SIT કરશે હત્યાકાંડની તપાસ


  • Published By :
  • Published Date : 2023-06-07 22:57:35

ઉત્તર પ્રદેશના પાટનગર લખનૌના કૈસરબાગમાં પોસ્કો કોર્ટના ગેટ પર વકીલના પોશાકમાં સજ્જ એક યુવકે કુખ્યાત ગુનેગાર સંજીવ મહેશ્વરી ઉર્ફે જીવાને ગોળી મારી દીધી હતી. જેમાં ગુનેગાર સંજીવ ઉપરાંત એક છોકરી અને એક જવાન ઘાયલ થયા છે. લખનૌ કોર્ટની બહાર બનેલી આ ઘટનાએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, જેણે વકીલના સ્વાંગમાં આ ગુનાને અંજામ આપ્યો હતો. ગેંગસ્ટર સંજીવ ઉર્ફે જીવાને 5 ગોળીઓ વાગી છે. પોલીસે ગોળીબારની ધરપકડ કરી છે. ફાયરિંગમાં એક બાળકી (લક્ષ્મી)નું મોત થયું છે, જ્યારે ACP અને કોન્સ્ટેબલ ઘાયલ થયા છે. સંજીવ મહેશ્વરી જીવા શામલીમાં પોલીસના હાથે એકે-47 અને 1300 કારતુસ સાથે ઝડપાયો હતો. વકીલોએ દોડીને હુમલાખોરને પકડી લીધો, માર માર્યો અને પોલીસને હવાલે કર્યો હતો. ઘાયલોને ટ્રોમામાં દાખલ કરવામાં આવ્યા છે. ગુસ્સે ભરાયેલા વકીલોએ વિરોધ કર્યો અને પથ્થરમારો કર્યો હતો.  ભારે પોલીસ બંદોબસ્ત સાથે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી જતાં પરિસ્થિતિ કાબૂમાં આવી હતી. બીજી તરફ મુખ્યમંત્રી યોગીએ ઘટનાની તપાસ માટે SITની રચના કરી છે. મોહિત અગ્રવાલ, નિલાબ્જા ચૌધરી અને પ્રવીણ કુમાર એક સપ્તાહમાં તપાસ પૂર્ણ કરીને રિપોર્ટ સોંપશે.


કઈ રીતે થઈ જીવાની હત્યા?


ભાજપના નેતા બ્રહ્મદત્ત દ્વિવેદીની હત્યાના કેસમાં આજીવન કેદની સજા પામેલો મુઝફ્ફરનગરના શાહપુર આદમપુરનો રહેવાસી સંજીવ મહેશ્વરી ઉર્ફે જીવા છેલ્લા વીસ વર્ષથી જેલમાં હતો. તેની સામે બે ડઝન કેસ નોંધાયેલા છે. હત્યા અને SC/STના કેસમાં બુધવારે બપોરે તેને પોલીસ કસ્ટડીમાં રજૂ કરવામાં આવ્યો હતો. બપોરે લગભગ 3.50 વાગ્યે તેમના કેસનો વારો આવ્યો. જેવો તે ઉઠ્યો અને બહાર નીકળ્યો કે કોર્ટરૂમની અંદર વકીલના વેશમાં બેઠેલા હુમલાખોરે તેના પર ગોળીબાર શરૂ કરી દીધો. કોર્ટ રૂમથી લઈને સમગ્ર કેમ્પસમાં નાસભાગ મચી ગઈ હતી. સંજીવનો ચહેરો લોહી લુહાણ થઈ ગયો હતો હુમલાખોરે ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ત્યાં હાજર વકીલોએ તેને પકડી લીધો હતો. પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું કે તે જૌનપુરના કેરાકટનો રહેવાસી છે. તેનું નામ વિજય યાદવ છે. વકીલોએ તેને જોરદાર માર માર્યો હતો. જો કે કાર્યકારી પોલીસ કમિશનર, જોઈન્ટ પોલીસ કમિશનર સહિત વરિષ્ઠ અધિકારીઓ, પોલીસ ફોર્સ અને પીએસી જવાનો આવી પહોંચ્યા હતા. સંજીવને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. સંજીવ પર ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયની હત્યાનો પણ આરોપ હતો પરંતુ બાદમાં કોર્ટે તેને નિર્દોષ જાહેર કર્યો હતો.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.