ઉત્તર પ્રદેશના ગેંગસ્ટર સંજીવ ઉર્ફે જીવાની કોર્ટ રૂમમાં જ હત્યા, SIT કરશે હત્યાકાંડની તપાસ


  • Published By :
  • Published Date : 2023-06-07 22:57:35

ઉત્તર પ્રદેશના પાટનગર લખનૌના કૈસરબાગમાં પોસ્કો કોર્ટના ગેટ પર વકીલના પોશાકમાં સજ્જ એક યુવકે કુખ્યાત ગુનેગાર સંજીવ મહેશ્વરી ઉર્ફે જીવાને ગોળી મારી દીધી હતી. જેમાં ગુનેગાર સંજીવ ઉપરાંત એક છોકરી અને એક જવાન ઘાયલ થયા છે. લખનૌ કોર્ટની બહાર બનેલી આ ઘટનાએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, જેણે વકીલના સ્વાંગમાં આ ગુનાને અંજામ આપ્યો હતો. ગેંગસ્ટર સંજીવ ઉર્ફે જીવાને 5 ગોળીઓ વાગી છે. પોલીસે ગોળીબારની ધરપકડ કરી છે. ફાયરિંગમાં એક બાળકી (લક્ષ્મી)નું મોત થયું છે, જ્યારે ACP અને કોન્સ્ટેબલ ઘાયલ થયા છે. સંજીવ મહેશ્વરી જીવા શામલીમાં પોલીસના હાથે એકે-47 અને 1300 કારતુસ સાથે ઝડપાયો હતો. વકીલોએ દોડીને હુમલાખોરને પકડી લીધો, માર માર્યો અને પોલીસને હવાલે કર્યો હતો. ઘાયલોને ટ્રોમામાં દાખલ કરવામાં આવ્યા છે. ગુસ્સે ભરાયેલા વકીલોએ વિરોધ કર્યો અને પથ્થરમારો કર્યો હતો.  ભારે પોલીસ બંદોબસ્ત સાથે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી જતાં પરિસ્થિતિ કાબૂમાં આવી હતી. બીજી તરફ મુખ્યમંત્રી યોગીએ ઘટનાની તપાસ માટે SITની રચના કરી છે. મોહિત અગ્રવાલ, નિલાબ્જા ચૌધરી અને પ્રવીણ કુમાર એક સપ્તાહમાં તપાસ પૂર્ણ કરીને રિપોર્ટ સોંપશે.


કઈ રીતે થઈ જીવાની હત્યા?


ભાજપના નેતા બ્રહ્મદત્ત દ્વિવેદીની હત્યાના કેસમાં આજીવન કેદની સજા પામેલો મુઝફ્ફરનગરના શાહપુર આદમપુરનો રહેવાસી સંજીવ મહેશ્વરી ઉર્ફે જીવા છેલ્લા વીસ વર્ષથી જેલમાં હતો. તેની સામે બે ડઝન કેસ નોંધાયેલા છે. હત્યા અને SC/STના કેસમાં બુધવારે બપોરે તેને પોલીસ કસ્ટડીમાં રજૂ કરવામાં આવ્યો હતો. બપોરે લગભગ 3.50 વાગ્યે તેમના કેસનો વારો આવ્યો. જેવો તે ઉઠ્યો અને બહાર નીકળ્યો કે કોર્ટરૂમની અંદર વકીલના વેશમાં બેઠેલા હુમલાખોરે તેના પર ગોળીબાર શરૂ કરી દીધો. કોર્ટ રૂમથી લઈને સમગ્ર કેમ્પસમાં નાસભાગ મચી ગઈ હતી. સંજીવનો ચહેરો લોહી લુહાણ થઈ ગયો હતો હુમલાખોરે ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ત્યાં હાજર વકીલોએ તેને પકડી લીધો હતો. પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું કે તે જૌનપુરના કેરાકટનો રહેવાસી છે. તેનું નામ વિજય યાદવ છે. વકીલોએ તેને જોરદાર માર માર્યો હતો. જો કે કાર્યકારી પોલીસ કમિશનર, જોઈન્ટ પોલીસ કમિશનર સહિત વરિષ્ઠ અધિકારીઓ, પોલીસ ફોર્સ અને પીએસી જવાનો આવી પહોંચ્યા હતા. સંજીવને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. સંજીવ પર ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયની હત્યાનો પણ આરોપ હતો પરંતુ બાદમાં કોર્ટે તેને નિર્દોષ જાહેર કર્યો હતો.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.