ઉત્તર પ્રદેશના ગેંગસ્ટર સંજીવ ઉર્ફે જીવાની કોર્ટ રૂમમાં જ હત્યા, SIT કરશે હત્યાકાંડની તપાસ


  • Published By :
  • Published Date : 2023-06-07 22:57:35

ઉત્તર પ્રદેશના પાટનગર લખનૌના કૈસરબાગમાં પોસ્કો કોર્ટના ગેટ પર વકીલના પોશાકમાં સજ્જ એક યુવકે કુખ્યાત ગુનેગાર સંજીવ મહેશ્વરી ઉર્ફે જીવાને ગોળી મારી દીધી હતી. જેમાં ગુનેગાર સંજીવ ઉપરાંત એક છોકરી અને એક જવાન ઘાયલ થયા છે. લખનૌ કોર્ટની બહાર બનેલી આ ઘટનાએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, જેણે વકીલના સ્વાંગમાં આ ગુનાને અંજામ આપ્યો હતો. ગેંગસ્ટર સંજીવ ઉર્ફે જીવાને 5 ગોળીઓ વાગી છે. પોલીસે ગોળીબારની ધરપકડ કરી છે. ફાયરિંગમાં એક બાળકી (લક્ષ્મી)નું મોત થયું છે, જ્યારે ACP અને કોન્સ્ટેબલ ઘાયલ થયા છે. સંજીવ મહેશ્વરી જીવા શામલીમાં પોલીસના હાથે એકે-47 અને 1300 કારતુસ સાથે ઝડપાયો હતો. વકીલોએ દોડીને હુમલાખોરને પકડી લીધો, માર માર્યો અને પોલીસને હવાલે કર્યો હતો. ઘાયલોને ટ્રોમામાં દાખલ કરવામાં આવ્યા છે. ગુસ્સે ભરાયેલા વકીલોએ વિરોધ કર્યો અને પથ્થરમારો કર્યો હતો.  ભારે પોલીસ બંદોબસ્ત સાથે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી જતાં પરિસ્થિતિ કાબૂમાં આવી હતી. બીજી તરફ મુખ્યમંત્રી યોગીએ ઘટનાની તપાસ માટે SITની રચના કરી છે. મોહિત અગ્રવાલ, નિલાબ્જા ચૌધરી અને પ્રવીણ કુમાર એક સપ્તાહમાં તપાસ પૂર્ણ કરીને રિપોર્ટ સોંપશે.


કઈ રીતે થઈ જીવાની હત્યા?


ભાજપના નેતા બ્રહ્મદત્ત દ્વિવેદીની હત્યાના કેસમાં આજીવન કેદની સજા પામેલો મુઝફ્ફરનગરના શાહપુર આદમપુરનો રહેવાસી સંજીવ મહેશ્વરી ઉર્ફે જીવા છેલ્લા વીસ વર્ષથી જેલમાં હતો. તેની સામે બે ડઝન કેસ નોંધાયેલા છે. હત્યા અને SC/STના કેસમાં બુધવારે બપોરે તેને પોલીસ કસ્ટડીમાં રજૂ કરવામાં આવ્યો હતો. બપોરે લગભગ 3.50 વાગ્યે તેમના કેસનો વારો આવ્યો. જેવો તે ઉઠ્યો અને બહાર નીકળ્યો કે કોર્ટરૂમની અંદર વકીલના વેશમાં બેઠેલા હુમલાખોરે તેના પર ગોળીબાર શરૂ કરી દીધો. કોર્ટ રૂમથી લઈને સમગ્ર કેમ્પસમાં નાસભાગ મચી ગઈ હતી. સંજીવનો ચહેરો લોહી લુહાણ થઈ ગયો હતો હુમલાખોરે ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ત્યાં હાજર વકીલોએ તેને પકડી લીધો હતો. પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું કે તે જૌનપુરના કેરાકટનો રહેવાસી છે. તેનું નામ વિજય યાદવ છે. વકીલોએ તેને જોરદાર માર માર્યો હતો. જો કે કાર્યકારી પોલીસ કમિશનર, જોઈન્ટ પોલીસ કમિશનર સહિત વરિષ્ઠ અધિકારીઓ, પોલીસ ફોર્સ અને પીએસી જવાનો આવી પહોંચ્યા હતા. સંજીવને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. સંજીવ પર ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયની હત્યાનો પણ આરોપ હતો પરંતુ બાદમાં કોર્ટે તેને નિર્દોષ જાહેર કર્યો હતો.



22 એપ્રિલથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોઢીની ભૂમિકા ભજવનાર ગુરૂચરન લાપતા હતા! તે 17મેના રોજ ઘરે પાછા આવ્યા છે. પોલીસે તેમની શોધખોળ હાથ ધરી પરંતુ તે મળ્યા ના હતા ત્યારે તે ઘરે પાછા આવ્યા છે જેને લઈ તેમના પરિવારે અને ફેન્સે રાહતનો શ્વાસ લીધો છે.

એક મોટી દુર્ઘટના હરિયાણાના નૂંહમાં બની છે.. નૂંહ જિલ્લાના તાવડુની સરહદ નજીક કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસ વે પર દુર્ઘટના બની હતી જેમાં અનેક લોકોના મોત બળી જવાને કારણે થયા છે... મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 9 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.

ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે જાહેરમાં તૂ તૂ મેં મેં થઈ હતી. મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી જે બાદ રાજનીતિ ગરમાઈ. ચૈતર વસાવા ત્યાં આવી ગયા અને બંને નેતાઓ બાજી પડ્યા..

કમોસમી વરસાદ અનેક જગ્યાઓ પર વરસ્યો જેને કારણે ઠંડક થઈ પરંતુ હવે તે બાદ હીટવેવની આગાહી કરવામાં આવી... રાજ્યના અનેક વિસ્તારો માટે હીટવેવની આગાહી કરાઈ છે જેમાં અમદાવાદનો પણ સમાવેશ થાય છે.. અમદાવાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે....