મધ્યપ્રદેશમાં ગેસ લીક થયો, લોકોએ ઊલટી કરી, મહિલાઓ બાળકો લઈને ભાગી


  • Published By :
  • Published Date : 2022-10-27 14:40:14

મધ્યપ્રદેશની ભોપાલ ગેસ ટ્રેજડીથી દેશ આખો પરિચીત છે. આ દુર્ઘટનામાં સરકારી ચોપડે 3 હજાર 787 મોત થયા હતા જ્યારે લોકોનું કહેવું છે કે 16 હજારથી વધુ મોત થયા છે. એ જ શહેરમાં ગઈકાલે રાત્રે ફરીવાર ક્લોરીન ગેસ લીક થતાં 15 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 


રાત્રે અચાનક લોકોના શ્વાસ રોકાયા, ઉલટી શરૂ થઈ

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલના મધર ઈન્ડિયા કોલોનીમાં રાત્રે અચાનક ભાગદોડ થઈ ગઈ હતી. લોકો પોતાના પરિવાર સાથે રાત્રે ઘર છોડીને ભાગી ગયા હતા અને માતાઓ પાતાને બાળકોનેં તેડીને ભાગવા લાગી હતી. આ વિસ્તારના લોકોએ આખી રાત પોતાના ઘરથી દૂર વિતાવી હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે દુર્ઘટના સમયે ગળામાં બળવા લાગ્યું હતું, ઉલટી થવા લાગી હતી, આંખો બળવા લાગી હતી, શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. 


ક્લોરિન ગેસનો બાટલો થયો હતો લિક 

ભોપાલમાં ઈદગાહ વોટર ફિલ્ટર પ્લાન્ટમાં પાણી સાફ કરવામાં આવે છે. સાંજે પાંચ વાગ્યે ખબર પડી હતી કે બાટલો લીક છે. એન્જિનિયર્સને સમગ્ર ઘટનાની જાણ થતાં તેમણે ગેસ લીકેજને રોકવાની કામગીરી શરૂ કરી દીધી હતી. ત્યાર બાદ એક્સપર્ટ ટીમને બોલાવવી પડી હતી અને તેમણે ગેસ લીકેજ કાબૂમાં લીધી હતી. સિલિન્ડર બદલવા દરમિયાન લીકેજ રહી ગયું હોય તેવું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 


શું છે 1984ની ભોપાલ ગેસ લીક થવાની દુર્ઘટના? 

મધ્યપ્રદેશના ભોપાલમાં 2-3 ડિસેમ્બર 1984ના રોજ દવા બનાવવાની કંપની યુસીઆઈએલમાં ગેસ લીક થવાની કેમિકલ દુર્ઘટના થઈ હતી. MIC એટલે કે મિથાઈલ આઈસો સાઈનાઈડ નામનો ગેસ લીક ખયો હતો જેમાં સરકારી ચોપડે 3 હજાર 787 લોકોના મોત થયા હતા જ્યારે સ્થાનિક લોકોનું કહેવું છે કે ઘરોના ઘરો ખાલી થઈ ગયા હતા અને એક અંદાજા મુજબ 16 હજાર મોત થયા હતા. આ દુર્ઘટનામાં સાડા પાંચ લાખથી વધુ લોકોને અસર થઈ હતી. વર્ષ 2018માં ધ એટલાન્ટિકે આ દુર્ઘટનાને "દુનિયાની સૌથી ખરાબ ઈન્ડસ્ટ્રિયલ દુર્ઘટના" ગણાવી હતી. 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.