મધ્યપ્રદેશમાં ગેસ લીક થયો, લોકોએ ઊલટી કરી, મહિલાઓ બાળકો લઈને ભાગી


  • Published By :
  • Published Date : 2022-10-27 14:40:14

મધ્યપ્રદેશની ભોપાલ ગેસ ટ્રેજડીથી દેશ આખો પરિચીત છે. આ દુર્ઘટનામાં સરકારી ચોપડે 3 હજાર 787 મોત થયા હતા જ્યારે લોકોનું કહેવું છે કે 16 હજારથી વધુ મોત થયા છે. એ જ શહેરમાં ગઈકાલે રાત્રે ફરીવાર ક્લોરીન ગેસ લીક થતાં 15 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 


રાત્રે અચાનક લોકોના શ્વાસ રોકાયા, ઉલટી શરૂ થઈ

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલના મધર ઈન્ડિયા કોલોનીમાં રાત્રે અચાનક ભાગદોડ થઈ ગઈ હતી. લોકો પોતાના પરિવાર સાથે રાત્રે ઘર છોડીને ભાગી ગયા હતા અને માતાઓ પાતાને બાળકોનેં તેડીને ભાગવા લાગી હતી. આ વિસ્તારના લોકોએ આખી રાત પોતાના ઘરથી દૂર વિતાવી હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે દુર્ઘટના સમયે ગળામાં બળવા લાગ્યું હતું, ઉલટી થવા લાગી હતી, આંખો બળવા લાગી હતી, શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. 


ક્લોરિન ગેસનો બાટલો થયો હતો લિક 

ભોપાલમાં ઈદગાહ વોટર ફિલ્ટર પ્લાન્ટમાં પાણી સાફ કરવામાં આવે છે. સાંજે પાંચ વાગ્યે ખબર પડી હતી કે બાટલો લીક છે. એન્જિનિયર્સને સમગ્ર ઘટનાની જાણ થતાં તેમણે ગેસ લીકેજને રોકવાની કામગીરી શરૂ કરી દીધી હતી. ત્યાર બાદ એક્સપર્ટ ટીમને બોલાવવી પડી હતી અને તેમણે ગેસ લીકેજ કાબૂમાં લીધી હતી. સિલિન્ડર બદલવા દરમિયાન લીકેજ રહી ગયું હોય તેવું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 


શું છે 1984ની ભોપાલ ગેસ લીક થવાની દુર્ઘટના? 

મધ્યપ્રદેશના ભોપાલમાં 2-3 ડિસેમ્બર 1984ના રોજ દવા બનાવવાની કંપની યુસીઆઈએલમાં ગેસ લીક થવાની કેમિકલ દુર્ઘટના થઈ હતી. MIC એટલે કે મિથાઈલ આઈસો સાઈનાઈડ નામનો ગેસ લીક ખયો હતો જેમાં સરકારી ચોપડે 3 હજાર 787 લોકોના મોત થયા હતા જ્યારે સ્થાનિક લોકોનું કહેવું છે કે ઘરોના ઘરો ખાલી થઈ ગયા હતા અને એક અંદાજા મુજબ 16 હજાર મોત થયા હતા. આ દુર્ઘટનામાં સાડા પાંચ લાખથી વધુ લોકોને અસર થઈ હતી. વર્ષ 2018માં ધ એટલાન્ટિકે આ દુર્ઘટનાને "દુનિયાની સૌથી ખરાબ ઈન્ડસ્ટ્રિયલ દુર્ઘટના" ગણાવી હતી. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે