મધ્યપ્રદેશમાં ગેસ લીક થયો, લોકોએ ઊલટી કરી, મહિલાઓ બાળકો લઈને ભાગી


  • Published By :
  • Published Date : 2022-10-27 14:40:14

મધ્યપ્રદેશની ભોપાલ ગેસ ટ્રેજડીથી દેશ આખો પરિચીત છે. આ દુર્ઘટનામાં સરકારી ચોપડે 3 હજાર 787 મોત થયા હતા જ્યારે લોકોનું કહેવું છે કે 16 હજારથી વધુ મોત થયા છે. એ જ શહેરમાં ગઈકાલે રાત્રે ફરીવાર ક્લોરીન ગેસ લીક થતાં 15 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 


રાત્રે અચાનક લોકોના શ્વાસ રોકાયા, ઉલટી શરૂ થઈ

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલના મધર ઈન્ડિયા કોલોનીમાં રાત્રે અચાનક ભાગદોડ થઈ ગઈ હતી. લોકો પોતાના પરિવાર સાથે રાત્રે ઘર છોડીને ભાગી ગયા હતા અને માતાઓ પાતાને બાળકોનેં તેડીને ભાગવા લાગી હતી. આ વિસ્તારના લોકોએ આખી રાત પોતાના ઘરથી દૂર વિતાવી હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે દુર્ઘટના સમયે ગળામાં બળવા લાગ્યું હતું, ઉલટી થવા લાગી હતી, આંખો બળવા લાગી હતી, શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. 


ક્લોરિન ગેસનો બાટલો થયો હતો લિક 

ભોપાલમાં ઈદગાહ વોટર ફિલ્ટર પ્લાન્ટમાં પાણી સાફ કરવામાં આવે છે. સાંજે પાંચ વાગ્યે ખબર પડી હતી કે બાટલો લીક છે. એન્જિનિયર્સને સમગ્ર ઘટનાની જાણ થતાં તેમણે ગેસ લીકેજને રોકવાની કામગીરી શરૂ કરી દીધી હતી. ત્યાર બાદ એક્સપર્ટ ટીમને બોલાવવી પડી હતી અને તેમણે ગેસ લીકેજ કાબૂમાં લીધી હતી. સિલિન્ડર બદલવા દરમિયાન લીકેજ રહી ગયું હોય તેવું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 


શું છે 1984ની ભોપાલ ગેસ લીક થવાની દુર્ઘટના? 

મધ્યપ્રદેશના ભોપાલમાં 2-3 ડિસેમ્બર 1984ના રોજ દવા બનાવવાની કંપની યુસીઆઈએલમાં ગેસ લીક થવાની કેમિકલ દુર્ઘટના થઈ હતી. MIC એટલે કે મિથાઈલ આઈસો સાઈનાઈડ નામનો ગેસ લીક ખયો હતો જેમાં સરકારી ચોપડે 3 હજાર 787 લોકોના મોત થયા હતા જ્યારે સ્થાનિક લોકોનું કહેવું છે કે ઘરોના ઘરો ખાલી થઈ ગયા હતા અને એક અંદાજા મુજબ 16 હજાર મોત થયા હતા. આ દુર્ઘટનામાં સાડા પાંચ લાખથી વધુ લોકોને અસર થઈ હતી. વર્ષ 2018માં ધ એટલાન્ટિકે આ દુર્ઘટનાને "દુનિયાની સૌથી ખરાબ ઈન્ડસ્ટ્રિયલ દુર્ઘટના" ગણાવી હતી. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.