ગૌતમ અદાણીએ સર્જ્યો અનોખો રેકોર્ડ, બે દિવસમાં 25,43,28,36,00,00 રૂપિયાની સંપત્તિ ગુમાવી


  • Published By :
  • Published Date : 2023-01-29 18:31:53

એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી માટે આ સમય મુશ્કેલ છે. એક અમેરિકન રિસર્ચ ફર્મના રિપોર્ટે તેમની મુશ્કેલી વધારી દીધી છે. હિંડનબર્ગના રિપોર્ટથી અદાણી ગ્રુપના શેરને મોટો ફટકો પડ્યો છે. કંપનીના શેર સતત ઘટી રહ્યા છે. શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના શેરના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ રિપોર્ટમાં અદાણી ગ્રૂપ પર શેરની હેરાફેરી, ખાતામાં છેતરપિંડી, વધુ કિંમત જેવા અનેક ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. 106 પેજના આ રિપોર્ટમાં અદાણી ગ્રુપને 88 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ રિપોર્ટ આવ્યા બાદ ગૌતમ અદાણીની આવક (નેટવર્થ)માં જબરદસ્ત ઘટાડો થયો છે.


ત્રીજા ક્રમેથી સરકીને 7મા સ્થાને પહોંચ્યા


ફોર્બ્સના રિપોર્ટ અનુસાર, ગૌતમ અદાણીએ એક સપ્તાહમાં 32.2 અબજ ડોલર એટલે કે 25,43,28,36,00,00 રૂપિયા ગુમાવ્યા. આ સાથે જ હવે તે અબજપતિઓની યાદીમાં ત્રીજા નંબરેથી પછડાઈને સાતમા સ્થાને પહોંચી ગયા છે. તેમની નેટવર્થ 100 અબજ ડોલરની નીચે સરકી ગઈ છે. ફોર્બ્સની તાજેતરની બિલિયોનેરની યાદી અનુસાર, ગૌતમ અદાણીની કુલ સંપત્તિ ઘટીને 96.7 અબજ ડોલર થઈ ગઈ છે. હિંડનબર્ગે તેનો રિપોર્ટ 'અદાણી ગ્રૂપઃ હાઉ ધ વર્લ્ડસ થર્ડ રિચેસ્ટ મેન ઈઝ પુલિંગ ધ લાર્જેસ્ટ કોન ઈન કોર્પોરેટ હિસ્ટ્રી' પ્રકાશિત કર્યો હતો, જેણે હોબાળો મચાવ્યો હતો. અદાણીના શેરમાં ઘટાડા સાથે શેરબજારમાં પણ વેચવાલીનો સીલસીલો ચાલી રહ્યો છે. ફોર્બ્સની યાદી અનુસાર, જ્યાં ગૌતમ અદાણીએ આ અઠવાડિયે સૌથી વધુ સંપત્તિ (32.2 અબજ ડોલર) ગુમાવી છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.