ગૌતમ અદાણીએ સર્જ્યો અનોખો રેકોર્ડ, બે દિવસમાં 25,43,28,36,00,00 રૂપિયાની સંપત્તિ ગુમાવી


  • Published By :
  • Published Date : 2023-01-29 18:31:53

એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી માટે આ સમય મુશ્કેલ છે. એક અમેરિકન રિસર્ચ ફર્મના રિપોર્ટે તેમની મુશ્કેલી વધારી દીધી છે. હિંડનબર્ગના રિપોર્ટથી અદાણી ગ્રુપના શેરને મોટો ફટકો પડ્યો છે. કંપનીના શેર સતત ઘટી રહ્યા છે. શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના શેરના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ રિપોર્ટમાં અદાણી ગ્રૂપ પર શેરની હેરાફેરી, ખાતામાં છેતરપિંડી, વધુ કિંમત જેવા અનેક ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. 106 પેજના આ રિપોર્ટમાં અદાણી ગ્રુપને 88 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ રિપોર્ટ આવ્યા બાદ ગૌતમ અદાણીની આવક (નેટવર્થ)માં જબરદસ્ત ઘટાડો થયો છે.


ત્રીજા ક્રમેથી સરકીને 7મા સ્થાને પહોંચ્યા


ફોર્બ્સના રિપોર્ટ અનુસાર, ગૌતમ અદાણીએ એક સપ્તાહમાં 32.2 અબજ ડોલર એટલે કે 25,43,28,36,00,00 રૂપિયા ગુમાવ્યા. આ સાથે જ હવે તે અબજપતિઓની યાદીમાં ત્રીજા નંબરેથી પછડાઈને સાતમા સ્થાને પહોંચી ગયા છે. તેમની નેટવર્થ 100 અબજ ડોલરની નીચે સરકી ગઈ છે. ફોર્બ્સની તાજેતરની બિલિયોનેરની યાદી અનુસાર, ગૌતમ અદાણીની કુલ સંપત્તિ ઘટીને 96.7 અબજ ડોલર થઈ ગઈ છે. હિંડનબર્ગે તેનો રિપોર્ટ 'અદાણી ગ્રૂપઃ હાઉ ધ વર્લ્ડસ થર્ડ રિચેસ્ટ મેન ઈઝ પુલિંગ ધ લાર્જેસ્ટ કોન ઈન કોર્પોરેટ હિસ્ટ્રી' પ્રકાશિત કર્યો હતો, જેણે હોબાળો મચાવ્યો હતો. અદાણીના શેરમાં ઘટાડા સાથે શેરબજારમાં પણ વેચવાલીનો સીલસીલો ચાલી રહ્યો છે. ફોર્બ્સની યાદી અનુસાર, જ્યાં ગૌતમ અદાણીએ આ અઠવાડિયે સૌથી વધુ સંપત્તિ (32.2 અબજ ડોલર) ગુમાવી છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.