ગૌતમ અદાણીએ સર્જ્યો અનોખો રેકોર્ડ, બે દિવસમાં 25,43,28,36,00,00 રૂપિયાની સંપત્તિ ગુમાવી


  • Published By :
  • Published Date : 2023-01-29 18:31:53

એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી માટે આ સમય મુશ્કેલ છે. એક અમેરિકન રિસર્ચ ફર્મના રિપોર્ટે તેમની મુશ્કેલી વધારી દીધી છે. હિંડનબર્ગના રિપોર્ટથી અદાણી ગ્રુપના શેરને મોટો ફટકો પડ્યો છે. કંપનીના શેર સતત ઘટી રહ્યા છે. શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના શેરના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ રિપોર્ટમાં અદાણી ગ્રૂપ પર શેરની હેરાફેરી, ખાતામાં છેતરપિંડી, વધુ કિંમત જેવા અનેક ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. 106 પેજના આ રિપોર્ટમાં અદાણી ગ્રુપને 88 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ રિપોર્ટ આવ્યા બાદ ગૌતમ અદાણીની આવક (નેટવર્થ)માં જબરદસ્ત ઘટાડો થયો છે.


ત્રીજા ક્રમેથી સરકીને 7મા સ્થાને પહોંચ્યા


ફોર્બ્સના રિપોર્ટ અનુસાર, ગૌતમ અદાણીએ એક સપ્તાહમાં 32.2 અબજ ડોલર એટલે કે 25,43,28,36,00,00 રૂપિયા ગુમાવ્યા. આ સાથે જ હવે તે અબજપતિઓની યાદીમાં ત્રીજા નંબરેથી પછડાઈને સાતમા સ્થાને પહોંચી ગયા છે. તેમની નેટવર્થ 100 અબજ ડોલરની નીચે સરકી ગઈ છે. ફોર્બ્સની તાજેતરની બિલિયોનેરની યાદી અનુસાર, ગૌતમ અદાણીની કુલ સંપત્તિ ઘટીને 96.7 અબજ ડોલર થઈ ગઈ છે. હિંડનબર્ગે તેનો રિપોર્ટ 'અદાણી ગ્રૂપઃ હાઉ ધ વર્લ્ડસ થર્ડ રિચેસ્ટ મેન ઈઝ પુલિંગ ધ લાર્જેસ્ટ કોન ઈન કોર્પોરેટ હિસ્ટ્રી' પ્રકાશિત કર્યો હતો, જેણે હોબાળો મચાવ્યો હતો. અદાણીના શેરમાં ઘટાડા સાથે શેરબજારમાં પણ વેચવાલીનો સીલસીલો ચાલી રહ્યો છે. ફોર્બ્સની યાદી અનુસાર, જ્યાં ગૌતમ અદાણીએ આ અઠવાડિયે સૌથી વધુ સંપત્તિ (32.2 અબજ ડોલર) ગુમાવી છે.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.