વિનોદ અદાણીની મુશ્કેલી વધી, Forbes મેગેઝીને કર્યો આ મોટો ખુલાસો


  • Published By :
  • Published Date : 2023-02-20 15:39:10

શોર્ટ સેલર હિંડનબર્ગની નેગેટીવ રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની મુશ્કેલી સતત વધી રહી છે. જો કે હવે તેમના ભાઈ વિનોદ અદાણીને લઈ જાણીતા બિઝનેશ મેગેઝીન Forbesએ મોટો ખુલાસો કર્યો છે. Forbesએ વિનોદ  અદાણી પર એક રશિયન બેંક પાસેથી 240 કરોડ ડોલરની લોન લીધી હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.


Forbesએ શું કહ્યું?


Forbesની જાણકારી મુજબ ગૌતમ અદાણી તેમના ભાઈ વિનોદ અદાણીની ખુબ જ નજીક છે. Forbesએ વિનોદ  અદાણી અંગે ઘટસ્ફોટ કરતા લખ્યું છે કે વિનોદ અદાણીએ સિંગાપુર સ્થિત તેમની કંપની માટે એક રશિયન બેંક પાસેથી 240 કરોડ ડોલરની લોન લીધી છે. આ લોન માટે તેમણે ગૌતમ અદાણીની કંપનીના બેનામી સ્ટેકને ગીરો મુક્યો છે. આટલું જ નહીં તેમણે આ અંગેની માહિતી ભારતીય બેંકોને પણ આપી નથી. Forbesની આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્રમોટરના હિસ્સાને બેંકોંને જણાવ્યા વગર જ ગીરો મુક્યો છે.   


કોણ છે વિનોદ અદાણી?


વિનોદ શાંતિલાલ અદાણી દેશના જાણીતા બિઝનેશ મેન ગૌતમ અદાણીના મોટા ભાઈ છે, વિનોદ અદાણી સાયપ્રસના નાગરિક છે પરંતુ દુબઈમાં રહે છે. સાયપ્રસ એ યુરેશિયન ટાપુ દેશ છે જેની રાજધાની નિકોસિયા છે. વિનોદ અદાણી મુંબઈમાં ખાંડ, તેલ, એલ્યુમિનિયમ, કોપર અને આયર્ન સ્ક્રેપનો વેપાર કરે છે. તેની સાથે સિંગાપોર અને જકાર્તામાં બિઝનેસ વેન્ચરનું સંચાલન કરે છે હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ અનુસાર તેઓ વિશ્વના સૌથી અમીર બિનનિવાસી ભારતીય છે. તેઓ અદાણી ગ્રુપની ઓફશોર કંપનીઓ સંભાળે છે. હિંડનબર્ગની રિપોર્ટમાં પણ વિનોદ અદાણી પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. તેમના પર આરોપ છે કે તે અનેક શેલ કંપનીઓ ચલાવે છે. 



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.