વિનોદ અદાણીની મુશ્કેલી વધી, Forbes મેગેઝીને કર્યો આ મોટો ખુલાસો


  • Published By :
  • Published Date : 2023-02-20 15:39:10

શોર્ટ સેલર હિંડનબર્ગની નેગેટીવ રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની મુશ્કેલી સતત વધી રહી છે. જો કે હવે તેમના ભાઈ વિનોદ અદાણીને લઈ જાણીતા બિઝનેશ મેગેઝીન Forbesએ મોટો ખુલાસો કર્યો છે. Forbesએ વિનોદ  અદાણી પર એક રશિયન બેંક પાસેથી 240 કરોડ ડોલરની લોન લીધી હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.


Forbesએ શું કહ્યું?


Forbesની જાણકારી મુજબ ગૌતમ અદાણી તેમના ભાઈ વિનોદ અદાણીની ખુબ જ નજીક છે. Forbesએ વિનોદ  અદાણી અંગે ઘટસ્ફોટ કરતા લખ્યું છે કે વિનોદ અદાણીએ સિંગાપુર સ્થિત તેમની કંપની માટે એક રશિયન બેંક પાસેથી 240 કરોડ ડોલરની લોન લીધી છે. આ લોન માટે તેમણે ગૌતમ અદાણીની કંપનીના બેનામી સ્ટેકને ગીરો મુક્યો છે. આટલું જ નહીં તેમણે આ અંગેની માહિતી ભારતીય બેંકોને પણ આપી નથી. Forbesની આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્રમોટરના હિસ્સાને બેંકોંને જણાવ્યા વગર જ ગીરો મુક્યો છે.   


કોણ છે વિનોદ અદાણી?


વિનોદ શાંતિલાલ અદાણી દેશના જાણીતા બિઝનેશ મેન ગૌતમ અદાણીના મોટા ભાઈ છે, વિનોદ અદાણી સાયપ્રસના નાગરિક છે પરંતુ દુબઈમાં રહે છે. સાયપ્રસ એ યુરેશિયન ટાપુ દેશ છે જેની રાજધાની નિકોસિયા છે. વિનોદ અદાણી મુંબઈમાં ખાંડ, તેલ, એલ્યુમિનિયમ, કોપર અને આયર્ન સ્ક્રેપનો વેપાર કરે છે. તેની સાથે સિંગાપોર અને જકાર્તામાં બિઝનેસ વેન્ચરનું સંચાલન કરે છે હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ અનુસાર તેઓ વિશ્વના સૌથી અમીર બિનનિવાસી ભારતીય છે. તેઓ અદાણી ગ્રુપની ઓફશોર કંપનીઓ સંભાળે છે. હિંડનબર્ગની રિપોર્ટમાં પણ વિનોદ અદાણી પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. તેમના પર આરોપ છે કે તે અનેક શેલ કંપનીઓ ચલાવે છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.