AIના ગોડ ફાધરે છોડી ગુગલની નોકરી, 'આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ બનાવીને પછતાઈ રહ્યો છું'


  • Published By :
  • Published Date : 2023-05-02 20:24:01

દુનિયામાં જેમ જેમ AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)ની ભૂમિકા વધી રહી છે, તેમ- તેમ તેના જોખમો પણ સામે આવી રહ્યા છે અને નિષ્ણાતોએ તેના વિશે ખુલીને વાત કરવાનું શરૂ કરી દીધું છે. 'ગોડફાધર ઓફ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)' તરીકે ઓળખાતા જ્યોફ્રે હિન્ટને ગયા અઠવાડિયે ગૂગલમાંથી રાજીનામું આપ્યું હતું. તેમણે પોતે આ વાતની પુષ્ટિ કરી છે. હિન્ટને AIના જોખમો અંગે દુનિયાને ખુલ્લીને જણાવવા માટે પોતાની નોકરી છોડી દીધી છે. AI ટેકનોલોજીને વિકસીત કરવા માટે તેમણે પણ મદદ કરી હતી.


હિન્ટને  ટ્વીટ દ્વારા વેદના વર્ણવી


ન્યૂ યોર્ક ટાઈમ્સને આપેલા નિવેદનમાં, હિન્ટને ગૂગલમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી, અને કહ્યું હતું કે તેઓ "હવે તેમને તેમના આ કાર્ય માટે પસ્તાવો થઈ રહ્યો છે". હિન્ટને ટ્વીટ કર્યું કે તેણે ગૂગલની નોકરી છોડી દીધી જેથી તે AIના જોખમો વિશે ખુલીને વાત કરી શકે. પોતાના ટ્વીટમાં તેમણે લખ્યું કે, 'મેં મારી નોકરી એટલા માટે છોડી દીધી છે કે હું AIના ખતરા વિશે વાત કરી શકું અને તેની અસર ગૂગલ પર પણ ન પડે. ગૂગલે ખૂબ જ જવાબદારીપૂર્વક કામ કર્યું છે'


'હવે હું મુક્તપણે બોલી શકું છું'


તાજેતરના BBC ઈન્ટરવ્યુમાં, તેમણે કહ્યું, 'હું હવે ખુલ્લેઆમ કહી શકું છું કે મને AIના શું ખતરા  દેખાઈ રહ્યા છે અને તેમાંથી કેટલીક બાબતો ખુબ જ ભયાનક છે.' તેમણે કહ્યું, 'અત્યારે, જ્યાં સુધી હું કહી શકું છું, તે AI આપણા કરતાં વધુ બુદ્ધિશાળી નથી. પરંતુ મને લાગે છે કે તે ટૂંક સમયમાં થઈ શકે છે. હિન્ટને એક દાયકા કરતાં વધુ સમય સુધી Google માટે કામ કર્યું અને તે ક્ષેત્રના સૌથી પ્રતિષ્ઠિત અવાજોમાંના એક હતા. ટોરેન્ટોમાં બે સ્નાતક વિદ્યાર્થીઓ સાથે કામ કરતી વખતે તેમણે 2012 માં AI માં મોટી સફળતા મેળવી હતી.



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.