AIના ગોડ ફાધરે છોડી ગુગલની નોકરી, 'આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ બનાવીને પછતાઈ રહ્યો છું'


  • Published By :
  • Published Date : 2023-05-02 20:24:01

દુનિયામાં જેમ જેમ AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)ની ભૂમિકા વધી રહી છે, તેમ- તેમ તેના જોખમો પણ સામે આવી રહ્યા છે અને નિષ્ણાતોએ તેના વિશે ખુલીને વાત કરવાનું શરૂ કરી દીધું છે. 'ગોડફાધર ઓફ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)' તરીકે ઓળખાતા જ્યોફ્રે હિન્ટને ગયા અઠવાડિયે ગૂગલમાંથી રાજીનામું આપ્યું હતું. તેમણે પોતે આ વાતની પુષ્ટિ કરી છે. હિન્ટને AIના જોખમો અંગે દુનિયાને ખુલ્લીને જણાવવા માટે પોતાની નોકરી છોડી દીધી છે. AI ટેકનોલોજીને વિકસીત કરવા માટે તેમણે પણ મદદ કરી હતી.


હિન્ટને  ટ્વીટ દ્વારા વેદના વર્ણવી


ન્યૂ યોર્ક ટાઈમ્સને આપેલા નિવેદનમાં, હિન્ટને ગૂગલમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી, અને કહ્યું હતું કે તેઓ "હવે તેમને તેમના આ કાર્ય માટે પસ્તાવો થઈ રહ્યો છે". હિન્ટને ટ્વીટ કર્યું કે તેણે ગૂગલની નોકરી છોડી દીધી જેથી તે AIના જોખમો વિશે ખુલીને વાત કરી શકે. પોતાના ટ્વીટમાં તેમણે લખ્યું કે, 'મેં મારી નોકરી એટલા માટે છોડી દીધી છે કે હું AIના ખતરા વિશે વાત કરી શકું અને તેની અસર ગૂગલ પર પણ ન પડે. ગૂગલે ખૂબ જ જવાબદારીપૂર્વક કામ કર્યું છે'


'હવે હું મુક્તપણે બોલી શકું છું'


તાજેતરના BBC ઈન્ટરવ્યુમાં, તેમણે કહ્યું, 'હું હવે ખુલ્લેઆમ કહી શકું છું કે મને AIના શું ખતરા  દેખાઈ રહ્યા છે અને તેમાંથી કેટલીક બાબતો ખુબ જ ભયાનક છે.' તેમણે કહ્યું, 'અત્યારે, જ્યાં સુધી હું કહી શકું છું, તે AI આપણા કરતાં વધુ બુદ્ધિશાળી નથી. પરંતુ મને લાગે છે કે તે ટૂંક સમયમાં થઈ શકે છે. હિન્ટને એક દાયકા કરતાં વધુ સમય સુધી Google માટે કામ કર્યું અને તે ક્ષેત્રના સૌથી પ્રતિષ્ઠિત અવાજોમાંના એક હતા. ટોરેન્ટોમાં બે સ્નાતક વિદ્યાર્થીઓ સાથે કામ કરતી વખતે તેમણે 2012 માં AI માં મોટી સફળતા મેળવી હતી.



સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો છે જે અનેક સવાલ ઉભા કરે છે. બુથ પર હાજર અધિકારી, ત્યાં હાજર પોલીસ અધિકારી.. જો વીડિયો વાયરલ ના થયો હોત તો ખબર જ ના પડત તે આવી ઘટના બની છે.

નાની નાની વાતોમાં સુખ રહેલું છે તે આપણે માનીએ તો પણ જીવનને જોવાનો આપણો અભિગમ બદલાઈ જાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચંદ્રકાન્ત બક્ષીની રચના જેમાં આ વાતને સમજાવવામાં આવી છે.

વલસાડ લોકસભા બેઠક પણ ચર્ચામાં રહી પોતાના ઉમેદવારોને કારણે.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ટિકીટ આપવામાં આવી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ધવલ પટેલને ટિકીટ આપી છે.. જમાવટની ટીમે ધવલ પટેલ સાથે ટેલિફોનિક વાત કરી હતી.

ચૂંટણી પૂર્ણ થયા બાદ પરષોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું જેમાં તેમણે ક્ષત્રિય સમાજની માફી માગી હતી. આ બાદ ક્ષત્રિય સમાજે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાને જણાવ્યું છે કે,‘કદાચ તેમને આગળ કોઇ પદભાર મેળવવું હોય તેથી આજે તેમણે અમારી ફરીથી માફી માંગી છે તેવું અમારું માનવું છે.'