ભારતની વસ્તી વધારા પર જર્મન મીડિયાનો કટાક્ષ! જાણો એ કાર્ટૂન જેણે સર્જ્યો વિવાદ!


  • Published By :
  • Published Date : 2023-04-26 16:29:03

થોડા દિવસો પહેલા  સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએનનો રિપોર્ટ સામે આવ્યો હતો. જેમાં ભારતની વસ્તી વિશ્વમાં સૌથી વધારે છે તેવો રિપોર્ટ આવ્યો હતો. ભારતની વસ્તી 142.57 કરોડ થઈ ચૂકી છે. આ વાતની ચર્ચા દરેક જગ્યાઓ પર થઈ હતી. ત્યારે જર્મનીની મેગેઝિનમાં આ વાતની મજાક ઉડાવવામાં આવી હોય તેવું એક કાર્ટૂન બહાર પાડવામાં આવ્યું હતું. આ કાર્ટૂનની મદદથી ભારતની વસ્તીને ચીનથી આગળ નીકળતી બતાવાઈ છે. 

Image

વસ્તી વધારા પર જર્મન મીડિયાએ બનાવ્યું કાર્ટૂન! 

જર્મનીની મેગેઝિન ડેર સ્પીગલે એક કાર્ટૂન પ્રકાશિત કરવામાં આવી હતી. જેમાં કાર્ટૂન સામે આવ્યું છે જેમાં બે ટ્રેન બતાવાઈ છે. એક તરફ જ્યાં લોકોથી ખીચોખીચ ભરેલી જર્જરિત જૂની ભારતીય ટ્રેનને બતાવાઈ છે જેના પર ભારતીય તિરંગો લઈને લોકો બેઠેલા છે. અને બીજી બાજુ અલગ ટ્રેક પર ચીનની બુલેટ ટ્રેન બતાવવામાં આવી છે જેમાં ફક્ત બે ચાલકો જ બેઠા છે. આ કાર્ટૂન સામે આવતા અનેક લોકોએ આ વાતની ટીકા કરી હતી.

                

આ ફોટા વિશે તમારૂં શું કહેવું છે?  

ઈલેક્ટ્રોનિક અને આઈટીમંત્રી રાજીવ ચંદ્રશેખરે આ કાર્ટૂનની ટીકા કરી છે. તેમણે કહ્યું કે આવનારા અમુક વર્ષોમાં ભારતનું અર્થતંત્ર જર્મની કરતા મોટું હશે. આ અંગે તેમણે ટ્વિટ કર્યું હતું. ત્યારે આ ફોટા અંગે તમારૂ શું માનવું છે? 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.