ભારતની વસ્તી વધારા પર જર્મન મીડિયાનો કટાક્ષ! જાણો એ કાર્ટૂન જેણે સર્જ્યો વિવાદ!


  • Published By :
  • Published Date : 2023-04-26 16:29:03

થોડા દિવસો પહેલા  સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએનનો રિપોર્ટ સામે આવ્યો હતો. જેમાં ભારતની વસ્તી વિશ્વમાં સૌથી વધારે છે તેવો રિપોર્ટ આવ્યો હતો. ભારતની વસ્તી 142.57 કરોડ થઈ ચૂકી છે. આ વાતની ચર્ચા દરેક જગ્યાઓ પર થઈ હતી. ત્યારે જર્મનીની મેગેઝિનમાં આ વાતની મજાક ઉડાવવામાં આવી હોય તેવું એક કાર્ટૂન બહાર પાડવામાં આવ્યું હતું. આ કાર્ટૂનની મદદથી ભારતની વસ્તીને ચીનથી આગળ નીકળતી બતાવાઈ છે. 

Image

વસ્તી વધારા પર જર્મન મીડિયાએ બનાવ્યું કાર્ટૂન! 

જર્મનીની મેગેઝિન ડેર સ્પીગલે એક કાર્ટૂન પ્રકાશિત કરવામાં આવી હતી. જેમાં કાર્ટૂન સામે આવ્યું છે જેમાં બે ટ્રેન બતાવાઈ છે. એક તરફ જ્યાં લોકોથી ખીચોખીચ ભરેલી જર્જરિત જૂની ભારતીય ટ્રેનને બતાવાઈ છે જેના પર ભારતીય તિરંગો લઈને લોકો બેઠેલા છે. અને બીજી બાજુ અલગ ટ્રેક પર ચીનની બુલેટ ટ્રેન બતાવવામાં આવી છે જેમાં ફક્ત બે ચાલકો જ બેઠા છે. આ કાર્ટૂન સામે આવતા અનેક લોકોએ આ વાતની ટીકા કરી હતી.

                

આ ફોટા વિશે તમારૂં શું કહેવું છે?  

ઈલેક્ટ્રોનિક અને આઈટીમંત્રી રાજીવ ચંદ્રશેખરે આ કાર્ટૂનની ટીકા કરી છે. તેમણે કહ્યું કે આવનારા અમુક વર્ષોમાં ભારતનું અર્થતંત્ર જર્મની કરતા મોટું હશે. આ અંગે તેમણે ટ્વિટ કર્યું હતું. ત્યારે આ ફોટા અંગે તમારૂ શું માનવું છે? 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.