ભારતની વસ્તી વધારા પર જર્મન મીડિયાનો કટાક્ષ! જાણો એ કાર્ટૂન જેણે સર્જ્યો વિવાદ!


  • Published By :
  • Published Date : 2023-04-26 16:29:03

થોડા દિવસો પહેલા  સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએનનો રિપોર્ટ સામે આવ્યો હતો. જેમાં ભારતની વસ્તી વિશ્વમાં સૌથી વધારે છે તેવો રિપોર્ટ આવ્યો હતો. ભારતની વસ્તી 142.57 કરોડ થઈ ચૂકી છે. આ વાતની ચર્ચા દરેક જગ્યાઓ પર થઈ હતી. ત્યારે જર્મનીની મેગેઝિનમાં આ વાતની મજાક ઉડાવવામાં આવી હોય તેવું એક કાર્ટૂન બહાર પાડવામાં આવ્યું હતું. આ કાર્ટૂનની મદદથી ભારતની વસ્તીને ચીનથી આગળ નીકળતી બતાવાઈ છે. 

Image

વસ્તી વધારા પર જર્મન મીડિયાએ બનાવ્યું કાર્ટૂન! 

જર્મનીની મેગેઝિન ડેર સ્પીગલે એક કાર્ટૂન પ્રકાશિત કરવામાં આવી હતી. જેમાં કાર્ટૂન સામે આવ્યું છે જેમાં બે ટ્રેન બતાવાઈ છે. એક તરફ જ્યાં લોકોથી ખીચોખીચ ભરેલી જર્જરિત જૂની ભારતીય ટ્રેનને બતાવાઈ છે જેના પર ભારતીય તિરંગો લઈને લોકો બેઠેલા છે. અને બીજી બાજુ અલગ ટ્રેક પર ચીનની બુલેટ ટ્રેન બતાવવામાં આવી છે જેમાં ફક્ત બે ચાલકો જ બેઠા છે. આ કાર્ટૂન સામે આવતા અનેક લોકોએ આ વાતની ટીકા કરી હતી.

                

આ ફોટા વિશે તમારૂં શું કહેવું છે?  

ઈલેક્ટ્રોનિક અને આઈટીમંત્રી રાજીવ ચંદ્રશેખરે આ કાર્ટૂનની ટીકા કરી છે. તેમણે કહ્યું કે આવનારા અમુક વર્ષોમાં ભારતનું અર્થતંત્ર જર્મની કરતા મોટું હશે. આ અંગે તેમણે ટ્વિટ કર્યું હતું. ત્યારે આ ફોટા અંગે તમારૂ શું માનવું છે? 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.