રાહુલ ગાંધીની સંસદ સદસ્યતા રદ્દ થવા મુદ્દે જર્મનીએ આપી પ્રતિક્રિયા, ન્યાય સ્વતંત્રતા અંગે ભારતને સલાહ આપતા કહ્યું...


  • Published By :
  • Published Date : 2023-03-30 11:35:19

થોડા દિવસો પહેલા રાહુલ ગાંધીની સાંસદ સદસ્યતા રદ્દ થઈ હતી. રાહુલ ગાંધીના આ સમાચારને ઈન્ટરનેશનલ મીડિયાએ પણ કવર કર્યું હતું. વિદેશના નેતાઓ આ અંગે પ્રતિક્રિયા આપી રહ્યા છે. થોડા સમય પહેલા અમેરિકા તરફથી આ મામલે નિવેદન આવ્યું હતું જ્યારે આજે જર્મની તરફથી આ વિશે નિવેદન આવ્યું છે. પોતાના નિવેદનમાં જર્મનીના વિદેશ મંત્રાલયે કહ્યું કે વિપક્ષી નેતા રાહુલ ગાંધીના કિસ્સામાં, ન્યાયિક સ્વતંત્રતાના ધોરણો અને મૂળભૂત લોકતાંત્રિક સિદ્ધાંતો લાગુ થવા જોઈએ. 

jagran

માનહાનિ કેસમાં કોર્ટે રાહુલ ગાંધીને ફટકારી હતી સજા    

2019માં પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરનેમને લઈ ટિપ્પણી કરી હતી. જે બાદ રાહુલ ગાંધી વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. માનહાનિના કેસમાં સુરત કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા. દોષિત જાહેર થયાના અમુક કલાકો બાદ જ તેમની સંસદની સદસ્યતા રદ્દ કરી દેવામાં આવી હતી. જે બાદ અમેરિકાના પ્રવક્તા તરફથી એક નિવેદન આપવામાં આવ્યું હતું જ્યારે આજે જર્મનીના વિદેશમંત્રાલય દ્વારા આ અંગે પ્રતિક્રિયા આપવામાં આવી છે.    



જર્મની વિદેશમંત્રાલય દ્વારા આપવામાં આવી પ્રતિક્રિયા 

પોતાના નિવેદનમાં કહ્યું કે અમારી માહિતી મુજબ રાહુલ ગાંધી ચુકાદા સામે અપીલ કરી શકે તેવી સ્થિતિમાં છે. અપીલ બાદ તે સ્પષ્ટ થશે કે નિર્ણય રહેશે કે નહીં અને તેની સંસદની સદસ્યતા રદ કરવા માટે કોઈ કારણ છે કે કેમ. અમે ન્યાયિક સ્વતંત્રતા અને મૂળભૂત લોકશાહી સિદ્ધાંતોનું પાલન કરવાની અપેક્ષા રાખીએ છીએ. 


અમેરિકા તરફથી પણ આવ્યું હતું નિવેદન 

રાહુલ ગાંધી મામલે આ પહેલા અમેરિકાએ પ્રતિક્રિયા આપી હતી. અમેરિકી વિદેશ વિભાગના મુખ્ય નાયબ પ્રવક્તા વેદાંત પટેલે કહ્યું હતું કે અમે ભારતીય અદાલતોમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના કેસ પર નજર રાખી રહ્યા છીએ. તેમણે એમ પણ કહ્યું કે અમેરિકા ભારતમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા સહિત લોકતાંત્રિક મૂલ્યો પ્રત્યેની સહિયારી પ્રતિબદ્ધતામાં ભારત સરકારની સાથે છે.




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.