રાહુલ ગાંધીની સંસદ સદસ્યતા રદ્દ થવા મુદ્દે જર્મનીએ આપી પ્રતિક્રિયા, ન્યાય સ્વતંત્રતા અંગે ભારતને સલાહ આપતા કહ્યું...


  • Published By :
  • Published Date : 2023-03-30 11:35:19

થોડા દિવસો પહેલા રાહુલ ગાંધીની સાંસદ સદસ્યતા રદ્દ થઈ હતી. રાહુલ ગાંધીના આ સમાચારને ઈન્ટરનેશનલ મીડિયાએ પણ કવર કર્યું હતું. વિદેશના નેતાઓ આ અંગે પ્રતિક્રિયા આપી રહ્યા છે. થોડા સમય પહેલા અમેરિકા તરફથી આ મામલે નિવેદન આવ્યું હતું જ્યારે આજે જર્મની તરફથી આ વિશે નિવેદન આવ્યું છે. પોતાના નિવેદનમાં જર્મનીના વિદેશ મંત્રાલયે કહ્યું કે વિપક્ષી નેતા રાહુલ ગાંધીના કિસ્સામાં, ન્યાયિક સ્વતંત્રતાના ધોરણો અને મૂળભૂત લોકતાંત્રિક સિદ્ધાંતો લાગુ થવા જોઈએ. 

jagran

માનહાનિ કેસમાં કોર્ટે રાહુલ ગાંધીને ફટકારી હતી સજા    

2019માં પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરનેમને લઈ ટિપ્પણી કરી હતી. જે બાદ રાહુલ ગાંધી વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. માનહાનિના કેસમાં સુરત કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા. દોષિત જાહેર થયાના અમુક કલાકો બાદ જ તેમની સંસદની સદસ્યતા રદ્દ કરી દેવામાં આવી હતી. જે બાદ અમેરિકાના પ્રવક્તા તરફથી એક નિવેદન આપવામાં આવ્યું હતું જ્યારે આજે જર્મનીના વિદેશમંત્રાલય દ્વારા આ અંગે પ્રતિક્રિયા આપવામાં આવી છે.    



જર્મની વિદેશમંત્રાલય દ્વારા આપવામાં આવી પ્રતિક્રિયા 

પોતાના નિવેદનમાં કહ્યું કે અમારી માહિતી મુજબ રાહુલ ગાંધી ચુકાદા સામે અપીલ કરી શકે તેવી સ્થિતિમાં છે. અપીલ બાદ તે સ્પષ્ટ થશે કે નિર્ણય રહેશે કે નહીં અને તેની સંસદની સદસ્યતા રદ કરવા માટે કોઈ કારણ છે કે કેમ. અમે ન્યાયિક સ્વતંત્રતા અને મૂળભૂત લોકશાહી સિદ્ધાંતોનું પાલન કરવાની અપેક્ષા રાખીએ છીએ. 


અમેરિકા તરફથી પણ આવ્યું હતું નિવેદન 

રાહુલ ગાંધી મામલે આ પહેલા અમેરિકાએ પ્રતિક્રિયા આપી હતી. અમેરિકી વિદેશ વિભાગના મુખ્ય નાયબ પ્રવક્તા વેદાંત પટેલે કહ્યું હતું કે અમે ભારતીય અદાલતોમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના કેસ પર નજર રાખી રહ્યા છીએ. તેમણે એમ પણ કહ્યું કે અમેરિકા ભારતમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા સહિત લોકતાંત્રિક મૂલ્યો પ્રત્યેની સહિયારી પ્રતિબદ્ધતામાં ભારત સરકારની સાથે છે.




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.