કડકડતી ઠંડી માટે થઈ જાવ તૈયાર, ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ગગડશે તાપમાનનો પારો


  • Published By :
  • Published Date : 2022-12-23 09:19:13

દેશના અનેક રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ઉત્તર ભારત તાપમાનનો પારો સતત ઘટી રહ્યો છે. વધતી ઠંડીને કારણે ધુમ્મસ જેવું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. ધુમ્મસને વધતા  વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. પરંતુ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનાર સમયમાં ઠંડીનું જોર આના કરતા પણ વધી શકે છે. ઉપરાંત વાતાવરણમાં પણ ધુમ્મસ જોવા મળી શકે છે. દિલ્હી, ઉત્તરપ્રદેશ, પંજાબ જેવા રાજ્યોમાં તાપમાન ગગડી શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.


અનેક સ્થળો પર તાપમાન માઈનસમાં પણ જઈ શકે છે 

ઠંડીની સાથે સાથે હવામાન વિભાગે અનેક રાજ્યોમાં વરસાદની પણ આગાહી કરી છે. અનેક જગ્યાઓ પર શીત લહેરની સાથે વરસાદ પણ વરસી શકે છે. આગાહી પ્રમાણે જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં હિમવર્ષા થઈ શકે છે જેને કારણે તાપમાન ઘટી શકે છે. અનેક જગ્યાઓ પર તાપમાન માઈનસમાં પણ જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. વધતી ઠંડીને કારણે પાણી પણ બરફમાં ફેરવાઈ જશે. જેને કારણે પીવાના પાણીની સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે. ઠંડીનું પ્રમાણ કેરળ, કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશમાં પણ વધી શકે છે.


ઉત્તરપ્રદેશમાં યેલો એલર્ટ જાહેર 

ઠંડીને કારણે દિલ્હીના તાપમાનમાં ઘટાડો નોંધાશે. ઉપરાંત ધુમ્મસભર્યા વાતાવરણ પણ રહેવાની આગાહી કરવામાં આવી છે. વધતી ઠંડીને જોતા દિલ્હી સરકારે શાળાઓમાં થોડા દિવસોનું વેકેશન જાહેર કરી દીધું છે. ઉપરાંત ઉત્તરપ્રદેશમાં પણ ઠંડીને જોતા યેલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. લખનઉમાં પણ ઠંડીને કારણે બે ડિગ્રી જેટલું તાપમાન ગગડી શકે છે. ઠંડીની સાથે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. ઉત્તરાખંડમાં ઠંડીના સાથે સાથે વરસાદ વરસવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.  




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.