કડકડતી ઠંડી માટે થઈ જાવ તૈયાર, ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ગગડશે તાપમાનનો પારો


  • Published By :
  • Published Date : 2022-12-23 09:19:13

દેશના અનેક રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ઉત્તર ભારત તાપમાનનો પારો સતત ઘટી રહ્યો છે. વધતી ઠંડીને કારણે ધુમ્મસ જેવું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. ધુમ્મસને વધતા  વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. પરંતુ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનાર સમયમાં ઠંડીનું જોર આના કરતા પણ વધી શકે છે. ઉપરાંત વાતાવરણમાં પણ ધુમ્મસ જોવા મળી શકે છે. દિલ્હી, ઉત્તરપ્રદેશ, પંજાબ જેવા રાજ્યોમાં તાપમાન ગગડી શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.


અનેક સ્થળો પર તાપમાન માઈનસમાં પણ જઈ શકે છે 

ઠંડીની સાથે સાથે હવામાન વિભાગે અનેક રાજ્યોમાં વરસાદની પણ આગાહી કરી છે. અનેક જગ્યાઓ પર શીત લહેરની સાથે વરસાદ પણ વરસી શકે છે. આગાહી પ્રમાણે જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં હિમવર્ષા થઈ શકે છે જેને કારણે તાપમાન ઘટી શકે છે. અનેક જગ્યાઓ પર તાપમાન માઈનસમાં પણ જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. વધતી ઠંડીને કારણે પાણી પણ બરફમાં ફેરવાઈ જશે. જેને કારણે પીવાના પાણીની સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે. ઠંડીનું પ્રમાણ કેરળ, કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશમાં પણ વધી શકે છે.


ઉત્તરપ્રદેશમાં યેલો એલર્ટ જાહેર 

ઠંડીને કારણે દિલ્હીના તાપમાનમાં ઘટાડો નોંધાશે. ઉપરાંત ધુમ્મસભર્યા વાતાવરણ પણ રહેવાની આગાહી કરવામાં આવી છે. વધતી ઠંડીને જોતા દિલ્હી સરકારે શાળાઓમાં થોડા દિવસોનું વેકેશન જાહેર કરી દીધું છે. ઉપરાંત ઉત્તરપ્રદેશમાં પણ ઠંડીને જોતા યેલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. લખનઉમાં પણ ઠંડીને કારણે બે ડિગ્રી જેટલું તાપમાન ગગડી શકે છે. ઠંડીની સાથે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. ઉત્તરાખંડમાં ઠંડીના સાથે સાથે વરસાદ વરસવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.  




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.