કડકડતી ઠંડી માટે થઈ જાવ તૈયાર, ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ગગડશે તાપમાનનો પારો


  • Published By :
  • Published Date : 2022-12-23 09:19:13

દેશના અનેક રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ઉત્તર ભારત તાપમાનનો પારો સતત ઘટી રહ્યો છે. વધતી ઠંડીને કારણે ધુમ્મસ જેવું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. ધુમ્મસને વધતા  વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. પરંતુ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનાર સમયમાં ઠંડીનું જોર આના કરતા પણ વધી શકે છે. ઉપરાંત વાતાવરણમાં પણ ધુમ્મસ જોવા મળી શકે છે. દિલ્હી, ઉત્તરપ્રદેશ, પંજાબ જેવા રાજ્યોમાં તાપમાન ગગડી શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.


અનેક સ્થળો પર તાપમાન માઈનસમાં પણ જઈ શકે છે 

ઠંડીની સાથે સાથે હવામાન વિભાગે અનેક રાજ્યોમાં વરસાદની પણ આગાહી કરી છે. અનેક જગ્યાઓ પર શીત લહેરની સાથે વરસાદ પણ વરસી શકે છે. આગાહી પ્રમાણે જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં હિમવર્ષા થઈ શકે છે જેને કારણે તાપમાન ઘટી શકે છે. અનેક જગ્યાઓ પર તાપમાન માઈનસમાં પણ જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. વધતી ઠંડીને કારણે પાણી પણ બરફમાં ફેરવાઈ જશે. જેને કારણે પીવાના પાણીની સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે. ઠંડીનું પ્રમાણ કેરળ, કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશમાં પણ વધી શકે છે.


ઉત્તરપ્રદેશમાં યેલો એલર્ટ જાહેર 

ઠંડીને કારણે દિલ્હીના તાપમાનમાં ઘટાડો નોંધાશે. ઉપરાંત ધુમ્મસભર્યા વાતાવરણ પણ રહેવાની આગાહી કરવામાં આવી છે. વધતી ઠંડીને જોતા દિલ્હી સરકારે શાળાઓમાં થોડા દિવસોનું વેકેશન જાહેર કરી દીધું છે. ઉપરાંત ઉત્તરપ્રદેશમાં પણ ઠંડીને જોતા યેલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. લખનઉમાં પણ ઠંડીને કારણે બે ડિગ્રી જેટલું તાપમાન ગગડી શકે છે. ઠંડીની સાથે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. ઉત્તરાખંડમાં ઠંડીના સાથે સાથે વરસાદ વરસવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.  




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.