કડકડતી ઠંડી માટે થઈ જાવ તૈયાર, ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ગગડશે તાપમાનનો પારો


  • Published By :
  • Published Date : 2022-12-23 09:19:13

દેશના અનેક રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ઉત્તર ભારત તાપમાનનો પારો સતત ઘટી રહ્યો છે. વધતી ઠંડીને કારણે ધુમ્મસ જેવું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. ધુમ્મસને વધતા  વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. પરંતુ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનાર સમયમાં ઠંડીનું જોર આના કરતા પણ વધી શકે છે. ઉપરાંત વાતાવરણમાં પણ ધુમ્મસ જોવા મળી શકે છે. દિલ્હી, ઉત્તરપ્રદેશ, પંજાબ જેવા રાજ્યોમાં તાપમાન ગગડી શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.


અનેક સ્થળો પર તાપમાન માઈનસમાં પણ જઈ શકે છે 

ઠંડીની સાથે સાથે હવામાન વિભાગે અનેક રાજ્યોમાં વરસાદની પણ આગાહી કરી છે. અનેક જગ્યાઓ પર શીત લહેરની સાથે વરસાદ પણ વરસી શકે છે. આગાહી પ્રમાણે જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં હિમવર્ષા થઈ શકે છે જેને કારણે તાપમાન ઘટી શકે છે. અનેક જગ્યાઓ પર તાપમાન માઈનસમાં પણ જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. વધતી ઠંડીને કારણે પાણી પણ બરફમાં ફેરવાઈ જશે. જેને કારણે પીવાના પાણીની સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે. ઠંડીનું પ્રમાણ કેરળ, કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશમાં પણ વધી શકે છે.


ઉત્તરપ્રદેશમાં યેલો એલર્ટ જાહેર 

ઠંડીને કારણે દિલ્હીના તાપમાનમાં ઘટાડો નોંધાશે. ઉપરાંત ધુમ્મસભર્યા વાતાવરણ પણ રહેવાની આગાહી કરવામાં આવી છે. વધતી ઠંડીને જોતા દિલ્હી સરકારે શાળાઓમાં થોડા દિવસોનું વેકેશન જાહેર કરી દીધું છે. ઉપરાંત ઉત્તરપ્રદેશમાં પણ ઠંડીને જોતા યેલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. લખનઉમાં પણ ઠંડીને કારણે બે ડિગ્રી જેટલું તાપમાન ગગડી શકે છે. ઠંડીની સાથે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. ઉત્તરાખંડમાં ઠંડીના સાથે સાથે વરસાદ વરસવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.  




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.