ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં કોગ્રેસ સારૂ પ્રદર્શન કરે તેવી શુભેચ્છા: ગુલામ નબી આઝાદ


  • Published By :
  • Published Date : 2022-11-06 20:41:42


ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ રાજ્યમાં જોરશોરથી પ્રચાર અભિયાન ચલાવી રહ્યા છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપી જમ્મુ અને કાશ્મિરમાં નવી પાર્ટી બનાવનારા કોંગ્રેસના પૂર્વ નેતા ગુલામ નબી આઝાદે કોંગ્રેસ જીતે તેવી ઈચ્છા વ્યક્ત કરી છે.  ગુલામ નબી આઝાદે રવિવારે કોંગ્રેસનો ઉલ્લેખ કરી હિમાચલ પ્રદેશ અને ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટી સારૂ પ્રદર્શન કરે તેવી શુભેચ્છા પણ પાઠવી હતી.


ગુજરાતમાં માત્ર કોંગ્રેસ જ ભાજપને પડકારી શકે છે


ગુલામ નબી આઝાદે કહ્યું, "જો કે હું કોંગ્રેસથી અલગ થઈ ગયો છું, હું તેમની બિનસાંપ્રદાયિકતાની નીતિની વિરુદ્ધ નહોતો. તેનું કારણ પાર્ટી સિસ્ટમનું નબળું પડવું હતું. હું હજુ પણ ઇચ્છું છું કે કોંગ્રેસ ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં સારો દેખાવ કરે. AAP આ કરવા માટે સક્ષમ નથી.” તેમણે વધુમાં કહ્યું કે આમ આદમી પાર્ટી માત્ર દિલ્હીની પાર્ટી છે. તે પંજાબને પણ કાર્યક્ષમ રીતે ચલાવવામાં પણ સક્ષમ નથી. હિમાચલ અને ગુજરાતમાં માત્ર કોંગ્રેસ જ ભાજપને પડકારી શકે છે કારણ કે તેમની પાસે સમાવેશી નીતિ છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.