ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં કોગ્રેસ સારૂ પ્રદર્શન કરે તેવી શુભેચ્છા: ગુલામ નબી આઝાદ


  • Published By :
  • Published Date : 2022-11-06 20:41:42


ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ રાજ્યમાં જોરશોરથી પ્રચાર અભિયાન ચલાવી રહ્યા છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપી જમ્મુ અને કાશ્મિરમાં નવી પાર્ટી બનાવનારા કોંગ્રેસના પૂર્વ નેતા ગુલામ નબી આઝાદે કોંગ્રેસ જીતે તેવી ઈચ્છા વ્યક્ત કરી છે.  ગુલામ નબી આઝાદે રવિવારે કોંગ્રેસનો ઉલ્લેખ કરી હિમાચલ પ્રદેશ અને ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટી સારૂ પ્રદર્શન કરે તેવી શુભેચ્છા પણ પાઠવી હતી.


ગુજરાતમાં માત્ર કોંગ્રેસ જ ભાજપને પડકારી શકે છે


ગુલામ નબી આઝાદે કહ્યું, "જો કે હું કોંગ્રેસથી અલગ થઈ ગયો છું, હું તેમની બિનસાંપ્રદાયિકતાની નીતિની વિરુદ્ધ નહોતો. તેનું કારણ પાર્ટી સિસ્ટમનું નબળું પડવું હતું. હું હજુ પણ ઇચ્છું છું કે કોંગ્રેસ ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં સારો દેખાવ કરે. AAP આ કરવા માટે સક્ષમ નથી.” તેમણે વધુમાં કહ્યું કે આમ આદમી પાર્ટી માત્ર દિલ્હીની પાર્ટી છે. તે પંજાબને પણ કાર્યક્ષમ રીતે ચલાવવામાં પણ સક્ષમ નથી. હિમાચલ અને ગુજરાતમાં માત્ર કોંગ્રેસ જ ભાજપને પડકારી શકે છે કારણ કે તેમની પાસે સમાવેશી નીતિ છે.



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.