ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં કોગ્રેસ સારૂ પ્રદર્શન કરે તેવી શુભેચ્છા: ગુલામ નબી આઝાદ


  • Published By :
  • Published Date : 2022-11-06 20:41:42


ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ રાજ્યમાં જોરશોરથી પ્રચાર અભિયાન ચલાવી રહ્યા છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપી જમ્મુ અને કાશ્મિરમાં નવી પાર્ટી બનાવનારા કોંગ્રેસના પૂર્વ નેતા ગુલામ નબી આઝાદે કોંગ્રેસ જીતે તેવી ઈચ્છા વ્યક્ત કરી છે.  ગુલામ નબી આઝાદે રવિવારે કોંગ્રેસનો ઉલ્લેખ કરી હિમાચલ પ્રદેશ અને ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટી સારૂ પ્રદર્શન કરે તેવી શુભેચ્છા પણ પાઠવી હતી.


ગુજરાતમાં માત્ર કોંગ્રેસ જ ભાજપને પડકારી શકે છે


ગુલામ નબી આઝાદે કહ્યું, "જો કે હું કોંગ્રેસથી અલગ થઈ ગયો છું, હું તેમની બિનસાંપ્રદાયિકતાની નીતિની વિરુદ્ધ નહોતો. તેનું કારણ પાર્ટી સિસ્ટમનું નબળું પડવું હતું. હું હજુ પણ ઇચ્છું છું કે કોંગ્રેસ ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં સારો દેખાવ કરે. AAP આ કરવા માટે સક્ષમ નથી.” તેમણે વધુમાં કહ્યું કે આમ આદમી પાર્ટી માત્ર દિલ્હીની પાર્ટી છે. તે પંજાબને પણ કાર્યક્ષમ રીતે ચલાવવામાં પણ સક્ષમ નથી. હિમાચલ અને ગુજરાતમાં માત્ર કોંગ્રેસ જ ભાજપને પડકારી શકે છે કારણ કે તેમની પાસે સમાવેશી નીતિ છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.