ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં કોગ્રેસ સારૂ પ્રદર્શન કરે તેવી શુભેચ્છા: ગુલામ નબી આઝાદ


  • Published By :
  • Published Date : 2022-11-06 20:41:42


ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ રાજ્યમાં જોરશોરથી પ્રચાર અભિયાન ચલાવી રહ્યા છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપી જમ્મુ અને કાશ્મિરમાં નવી પાર્ટી બનાવનારા કોંગ્રેસના પૂર્વ નેતા ગુલામ નબી આઝાદે કોંગ્રેસ જીતે તેવી ઈચ્છા વ્યક્ત કરી છે.  ગુલામ નબી આઝાદે રવિવારે કોંગ્રેસનો ઉલ્લેખ કરી હિમાચલ પ્રદેશ અને ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટી સારૂ પ્રદર્શન કરે તેવી શુભેચ્છા પણ પાઠવી હતી.


ગુજરાતમાં માત્ર કોંગ્રેસ જ ભાજપને પડકારી શકે છે


ગુલામ નબી આઝાદે કહ્યું, "જો કે હું કોંગ્રેસથી અલગ થઈ ગયો છું, હું તેમની બિનસાંપ્રદાયિકતાની નીતિની વિરુદ્ધ નહોતો. તેનું કારણ પાર્ટી સિસ્ટમનું નબળું પડવું હતું. હું હજુ પણ ઇચ્છું છું કે કોંગ્રેસ ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં સારો દેખાવ કરે. AAP આ કરવા માટે સક્ષમ નથી.” તેમણે વધુમાં કહ્યું કે આમ આદમી પાર્ટી માત્ર દિલ્હીની પાર્ટી છે. તે પંજાબને પણ કાર્યક્ષમ રીતે ચલાવવામાં પણ સક્ષમ નથી. હિમાચલ અને ગુજરાતમાં માત્ર કોંગ્રેસ જ ભાજપને પડકારી શકે છે કારણ કે તેમની પાસે સમાવેશી નીતિ છે.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.