.....આખરે ગુલામ નબીએ છોડી કોંગ્રેસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-26 13:45:56

કોંગ્રેસના અગ્રણી નેતા ગુલાબ નબી આઝાદે અચાનક જ રાજીનામુ આપી દેતા રાજકીય માહોલ ગરમાયો છે. તે છેલ્લા ઘણા સમયથી પાર્ટીથી નારાજ હતા. આઝાદે સોનિયા ગાંધીને 5 પેજનું રાજીનામું મોકલી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. પાર્ટીના વફાદાર અને જમ્મુ-કશ્મીરમાં કોંગ્રેસનો ચહેરો મનાતા ગુલામ નબી આઝાદે રાજીનામુ આપી  દેતા ચોક્કસપણે પક્ષને મોટો ફટકો પડ્યો છે.



કોંગ્રેસની દુર્દશા માટે રાહુલ જવાબદાર 


ગુલામ નબી આઝાદે સોનિયા ગાંધીને મોકલેલા પોતાના રાજીનામામાં પાર્ટીની હાલની સ્થિતી માટે રાહુલ ગાંધીને જવાબદાર ઠરાવ્યા છે, દુર્ભાગ્યથી પાર્ટીમાં જ્યારથી રાહુલ ગાંધીની એન્ટ્રી થઈ અને જાન્યુઆરી 2013માં જ્યારે તમે તેમને પાર્ટીના ઉપાધ્યક્ષ બનાવ્યા ત્યારથી તેમણે પાર્ટીના સલાહકાર તંત્રને સંપૂર્ણપણે બરબાદ કરી દીધું છે. 2014ની લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસની હાર માટે પણ તેમણે રાહુલ ગાંધીને જવાબદાર ઠરાવ્યા છે. રાજીનામામાં પોતાની ભડાશ કાઢતા ગુલામ નબીએ વધુમાં લખ્યું છે કે, રાહુલની એન્ટ્રી પછી સીનિયર અને અનુભવી નેતાઓને સાઈડલાઈન કરી દેવામાં આવ્યા છે. તેમણે બિનઅનુભવી અને ચાંપલુસોની મંડળી જ પાર્ટી ચલાવી રહી હોવાનો આરોપ લગાવ્યો છે. રાજ્યસભામાંથી નિવૃત્ત થયા બાદ આઝાદને ફરીથી ઉપલા ગૃહમાં મોકલવામાં આવ્યા ન હતા. કોંગ્રેસના G-23 જુથ ના ઘણા નેતાઓને તેમના કદ પ્રમાણે વેતરી નાંખ્યાનો આરોપ પણ સોનિયા-રાહુલ પર લાગતો રહ્યો છે.


G-23 જુથ શું છે?


કોંગ્રેસમાં G-23 અસંતુષ્ટ નેતાઓનું જુથ પાર્ટીના સંગઠનમાં આમુલ પરિવર્તનની માંગ કરી રહ્યું છે. આ જુથમાં ગુલામ નબી આઝાદ, કપિલ સિબ્બલ, આનંદ શર્મા, મનીષ તિવારી, સંદીપ દિક્ષિત અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડા સહિતના અગ્રણી નેતાઓનો સમાવેશ થાય છે. જો કે પાર્ટીમાં સુધારાની તેમની માંગ ન સંતોષાતા ઘણા નેતાઓ કોંગ્રેસ છોડી ચુક્યા છે. 


મોદી પણ થયા હતા ભાવુક


ગુલામ નબી આઝાદની  રાજ્ય સભા ટર્મ જ્યારે પુરી થઈ તે સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદાય ભાષણ આપ્યું હતું. મોદી તે વખતે ખુબ જ ભાવુક થઈ ગયા હતા. મોદીએ તેમના ભાષણમાં આઝાદને એક વિચક્ષણ નેતા ગણાવ્યા હતા. દેશ માટે આઝાદે આપેલા પ્રદાનને યાદ કરી તેમના ભરપેટ વખાણ કર્યા હતા. 







ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી