ઈટાલીની સંસદમાં પહેલીવાર મહિલા સાંસદે બાળકને કરાવ્યું સ્તનપાન, તમામ સાંસદોએ તાળીઓ પાડીને તેમના આ કાર્યને આવકાર્યું


  • Published By :
  • Published Date : 2023-06-08 19:40:39

ઈટાલીમાં પહેલીવાર મહિલા સંસદ સભ્યએ સંસદમાં પોતાના બાળકને સ્તનપાન કરાવ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સંસદ સભ્ય ગિલ્ડા સ્પોર્ટિએલો સંસદના નીચલા ગૃહમાં પોતાના પુત્રને સ્તનપાન કરાવતી હતી, તેને જોઈને તમામ સાંસદોએ તાળીઓ પાડીને તેના આ પગલાને આવકાર્યું હતું. ગિલ્ડા સ્પોર્ટિએલો બુધવારે નીચલા ગૃહમાં તેના નવજાત શિશુને સ્તનપાન કરાવનારી પ્રથમ ઇટાલિયન સાંસદ બની હતી.


અધ્યક્ષ જ્યોર્જિયો મુલે આપી શુભકામના


ઈટાલી જેવા પુરુષપ્રધાન દેશમાં આવું પહેલીવાર બન્યું છે. સંસદીય સત્રની અધ્યક્ષતા કરતી વખતે, જ્યોર્જિયો મુલેએ કહ્યું- 'આવું પ્રથમ વખત બન્યું છે. Gilda Sportiello ને મુક્ત, લાંબા અને શાંતિપૂર્ણ જીવન માટે શુભેચ્છાઓ. હવે આપણે ધીમે ધીમે બોલીશું.


ઈટાલીમાં સાંસદને છે સ્તનપાનની પરવાનગી


Gilda Sportiello ડાબેરી ઝુકાવ ધરાવતી ફાઇવ-સ્ટાર મૂવમેન્ટમાંની સભ્ય છે. અત્રે ઉલ્લેખનિય છે કે તે એ જ સાંસદ છે જેમણે સંસદીય સત્ર દરમિયાન મહિલાઓને તેમના બાળકોના ઉછેર અને સ્તનપાન કરવાની મંજૂરી આપવા સંબંધિત નિયમ માટે લડત ચલાવી હતી. ગયા વર્ષે, સંસદીય નિયમોની પેનલે મહિલા સાંસદોને તેમના બાળકો સાથે ચેમ્બરમાં પ્રવેશવાની અને બાળક એક વર્ષનું થાય ત્યાં સુધી તેને સ્તનપાન કરાવવાની મંજૂરી આપી હતી. સ્પોર્ટીલોએ સ્તનપાન કરાવ્યા બાદ કહ્યું હતું કે 'ઘણી મહિલાઓએ સમયના અભાવે પોતાના બાળકોને સ્તનપાન કરાવવાનું બંધ કરી દીધું છે. આમ કરવાની તેની ઈચ્છા ન હતી, પણ કામના કારણે તેમણે આમ કરવું પડતું હોય છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.