ગીતા પ્રેસને વર્ષ 2021નું ગાંધી શાંતિ પુરસ્કારની જાહેરાત બાદ રાજકારણ ગરમાયું , કોંગ્રેસે સરકારના નિર્ણયનો વિરોધ કરતા, ભાજપે કર્યો વળતો પ્રહાર


  • Published By :
  • Published Date : 2023-06-19 16:17:17

ધર્મ, સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિની પરંપરાની જાળવણીમાં મહત્વનું પ્રદાન કરનારા ગીતા પ્રેસને વર્ષ 2021નું ગાંધી શાંતિ પુરસ્કાર આપવાની જાહેરાત થઈ છે. જો કે આ જાહેરાત બાદ તેને લઈ રાજકારણ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસ પાર્ટી ગીતા પ્રેસને શાંતિ પુરસ્કાર આપવાને લઈ વિરોધ કરી રહી છે. કોંગ્રેસના અગ્રણી નેતા જયરામ રમેશે કહ્યું ગીતા પ્રેસને શાંતિ પુરસ્કાર આપવા અંગે કહ્યું  કે આ તો સાવરકર અને ગોડસેને પુરસ્કૃત કરવા જેવું છે. આ અંગે આસામના સીએમ હિમંત બિસ્વા શર્માએ વળતો પ્રહાર કર્યો છે.  તેમણે કહ્યું કે કર્ણાટક ચુંટણીમાં જીત મળતા કોંગ્રેસ ઘમંડમાં આવીને ભારતીય સંસ્કૃતિ પર ખુલ્લા પ્રહારો કરી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે ગીતા પ્રેસને વર્ષ 2021નું ગાંધી શાંતિ પુરસ્કાર મળ્યું તેની પીએમ મોદી તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ભરપુર પ્રશંસા કરી છે અને પ્રેસના કાર્યને બિરદાવ્યું છે.


સમગ્ર મામલો શું છે?


ગાંધી શાંતિ પુરસ્કાર મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત આદર્શોને શ્રધ્ધાંજલિ અર્પવા માટે ભારત સરકાર દ્વારા સ્થાપિત એક વાર્ષિક પુરસ્કાર છે. સંસ્કૃતિ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી જુરીની બેઠકમાં સર્વ સંમત્તીથી ગીતા પ્રેસ, ગોરખપુરને શાંતિ પુરસ્કારના રૂપમાં પસંદ કરવામાં આવી છે.


ગીતા પ્રેસને 100 વર્ષ પૂર્ણ


અત્રે ઉલ્લેખનિય છે કે આ વર્ષે જ ગીતા પ્રેસ ગોરખપુરની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થયા છે. તેની સ્થાપક રાજસ્થાનના ચુરૂના વતની જયદયાલજી (સેઠજી) ગીતા-પાઠ, પ્રવચનોમાં ખુબ જ રૂચી લેતા હતા. વેપારના કામ માટે તેમને અવારનવાર કોલકાતા જવાનું થતું હતું. ત્યાં તે દુકાનમાં પણ સત્સંગ કર્યા કરતા હતાં. ધીરે-ધીરે સત્સંગીઓની સંખ્યા એટલી વધી ગઈ કે જગ્યા પણ નાની પડવા લાગી. ત્યાર બાદ બિરલા પરિવારના એક ગોડાઉનને ભાડે લેવામાં આવ્યું, જેનું નામ ગોવિંદધામ રાખવામાં આવ્યું હતું. વિશ્વના સૌથી મોટા પ્રકાશકોમાંના એક ગીતા પ્રેસની સ્થાપના 1923માં થઈ હતી. કેન્દ્રીય મંત્રાલયના એક નિવેદન અનુસાર, તેણે 14 ભાષાઓમાં 41.7 કરોડ પુસ્તકો પ્રકાશિત કર્યા છે, જેમાં શ્રીમદ ભગવદ ગીતાના 116.2 કરોડ  પુસ્તકોનો સમાવેશ થાય છે.


કોંગ્રેસ શા માટે વિરોધ કરે છે?


કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે અક્ષય મુકુલ દ્વારા લખાયેલ 'ગીતા પ્રેસ એન્ડ ધ મેકિંગ ઓફ હિંદુ ઈન્ડિયા'નું કવર પેજ શેર કર્યું છે. તે સાથે જ દલીલ કરતાં કહ્યું કે આ પુસ્તક બહુ સારું જીવનચરિત્ર છે. તેમણે કહ્યું કે લેખકે મહાત્મા સાથેના સંગઠનના ખંડિત સંબંધો અને તેમની સાથે રાજકીય, ધાર્મિક અને સામાજિક એજન્ડા પર ચાલી રહેલી લડાઈઓને ઉજાગર કરી છે. ગીતા પ્રેસને ગાંધી શાંતિ પુરસ્કાર 2021 આપવો એ 'સાવરકર અને ગોડસેને પુરસ્કાર આપવા' સમાન છે. આ નિર્ણય હાસ્યાસ્પદ છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.