ગીતા પ્રેસને વર્ષ 2021નું ગાંધી શાંતિ પુરસ્કારની જાહેરાત બાદ રાજકારણ ગરમાયું , કોંગ્રેસે સરકારના નિર્ણયનો વિરોધ કરતા, ભાજપે કર્યો વળતો પ્રહાર


  • Published By :
  • Published Date : 2023-06-19 16:17:17

ધર્મ, સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિની પરંપરાની જાળવણીમાં મહત્વનું પ્રદાન કરનારા ગીતા પ્રેસને વર્ષ 2021નું ગાંધી શાંતિ પુરસ્કાર આપવાની જાહેરાત થઈ છે. જો કે આ જાહેરાત બાદ તેને લઈ રાજકારણ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસ પાર્ટી ગીતા પ્રેસને શાંતિ પુરસ્કાર આપવાને લઈ વિરોધ કરી રહી છે. કોંગ્રેસના અગ્રણી નેતા જયરામ રમેશે કહ્યું ગીતા પ્રેસને શાંતિ પુરસ્કાર આપવા અંગે કહ્યું  કે આ તો સાવરકર અને ગોડસેને પુરસ્કૃત કરવા જેવું છે. આ અંગે આસામના સીએમ હિમંત બિસ્વા શર્માએ વળતો પ્રહાર કર્યો છે.  તેમણે કહ્યું કે કર્ણાટક ચુંટણીમાં જીત મળતા કોંગ્રેસ ઘમંડમાં આવીને ભારતીય સંસ્કૃતિ પર ખુલ્લા પ્રહારો કરી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે ગીતા પ્રેસને વર્ષ 2021નું ગાંધી શાંતિ પુરસ્કાર મળ્યું તેની પીએમ મોદી તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ભરપુર પ્રશંસા કરી છે અને પ્રેસના કાર્યને બિરદાવ્યું છે.


સમગ્ર મામલો શું છે?


ગાંધી શાંતિ પુરસ્કાર મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત આદર્શોને શ્રધ્ધાંજલિ અર્પવા માટે ભારત સરકાર દ્વારા સ્થાપિત એક વાર્ષિક પુરસ્કાર છે. સંસ્કૃતિ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી જુરીની બેઠકમાં સર્વ સંમત્તીથી ગીતા પ્રેસ, ગોરખપુરને શાંતિ પુરસ્કારના રૂપમાં પસંદ કરવામાં આવી છે.


ગીતા પ્રેસને 100 વર્ષ પૂર્ણ


અત્રે ઉલ્લેખનિય છે કે આ વર્ષે જ ગીતા પ્રેસ ગોરખપુરની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થયા છે. તેની સ્થાપક રાજસ્થાનના ચુરૂના વતની જયદયાલજી (સેઠજી) ગીતા-પાઠ, પ્રવચનોમાં ખુબ જ રૂચી લેતા હતા. વેપારના કામ માટે તેમને અવારનવાર કોલકાતા જવાનું થતું હતું. ત્યાં તે દુકાનમાં પણ સત્સંગ કર્યા કરતા હતાં. ધીરે-ધીરે સત્સંગીઓની સંખ્યા એટલી વધી ગઈ કે જગ્યા પણ નાની પડવા લાગી. ત્યાર બાદ બિરલા પરિવારના એક ગોડાઉનને ભાડે લેવામાં આવ્યું, જેનું નામ ગોવિંદધામ રાખવામાં આવ્યું હતું. વિશ્વના સૌથી મોટા પ્રકાશકોમાંના એક ગીતા પ્રેસની સ્થાપના 1923માં થઈ હતી. કેન્દ્રીય મંત્રાલયના એક નિવેદન અનુસાર, તેણે 14 ભાષાઓમાં 41.7 કરોડ પુસ્તકો પ્રકાશિત કર્યા છે, જેમાં શ્રીમદ ભગવદ ગીતાના 116.2 કરોડ  પુસ્તકોનો સમાવેશ થાય છે.


કોંગ્રેસ શા માટે વિરોધ કરે છે?


કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે અક્ષય મુકુલ દ્વારા લખાયેલ 'ગીતા પ્રેસ એન્ડ ધ મેકિંગ ઓફ હિંદુ ઈન્ડિયા'નું કવર પેજ શેર કર્યું છે. તે સાથે જ દલીલ કરતાં કહ્યું કે આ પુસ્તક બહુ સારું જીવનચરિત્ર છે. તેમણે કહ્યું કે લેખકે મહાત્મા સાથેના સંગઠનના ખંડિત સંબંધો અને તેમની સાથે રાજકીય, ધાર્મિક અને સામાજિક એજન્ડા પર ચાલી રહેલી લડાઈઓને ઉજાગર કરી છે. ગીતા પ્રેસને ગાંધી શાંતિ પુરસ્કાર 2021 આપવો એ 'સાવરકર અને ગોડસેને પુરસ્કાર આપવા' સમાન છે. આ નિર્ણય હાસ્યાસ્પદ છે.



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.