જ્ઞાનવાપી મસ્જિદ મુદે્ સુપ્રીમનો મોટો ચુકાદો, શિવલિંગ રહેશે સંરક્ષિત નહીં કરી શકાય કોઈ છેડછાડ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-11 18:09:08


વારાણસીનો જ્ઞાનવાપી મામલાનો આજે મહત્વપૂર્ણ  દિવસ છે આ મુદે સુપ્રીમ કોર્ટે આગામી આદેશ સુધી શિવલિંગનું સંરક્ષણ કરવાનો આદેશ આપ્યો છે અને સાથે જ કોઇ શિવલિંગને છુપાવે નહીં તેવી વાત પણ કરી છે. આ પહેલા કોર્ટે 12 નવેમ્બર સુધી વજુખાનાનાં સંરક્ષણ માટેનો આદેશ આપ્યો હતો. અલ્હાબાદ કોર્ટ જ્ઞાનવાપી પરિસરનાં ASI સર્વે કરાવવાની માંગ પર હવે 28 નવેમ્બરનાં રોજ સુનાવણી કરશે. 


અદાલતે શું કર્યો આદેશ ?

દેશની સર્વોચ્ચ અદાલતે જ્ઞાનવાપી પરિસરમાં મળી આવેલ શિવલિંગ જેવી રચનાનું સંરક્ષણ કરવા સંબંધિત આદેશને આગળ વધારવાની માંગ પર સુનાવણી કરી તો બીજી તરફ હાઇકોર્ટની નીચલી અદાલતમાં આપવામાં આવેલ સર્વેક્ષણનાં આદેશનાં વિરુદ્ધમાં સુનાવણી થઇ. સુપ્રીમ કોર્ટે અરજદારોને છૂટ આપી છે કે તે જિલ્લા કોર્ટમાં પણ જઇ શકે છે. આ સાથે જ કોર્ટ હિન્દૂ પક્ષને પોતાના પક્ષ તરીકે રાખવા માટે 3 અઠવાડિયાનો સમય આપ્યો છે.


સુપ્રીમ કોર્ટમાં હિન્દુ પક્ષ પહોંચ્યો !

સુપ્રીમ કોર્ટે વારાણસીનાં જ્ઞાનવાપી મસ્જિદમાં મળેવ કથિત શિવલિંગને સંરક્ષિત કરવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ 12 નવેમ્બરનાં પૂર્ણ થઇ રહ્યો છે. તેવામાં હિન્દૂ પક્ષ સુપ્રીમ કોર્ટ પહોંચ્યું અને શિવલિંગને સંરક્ષિત રાખવાનાં અંતિમ આદેશને આગળ વધારવાની માંગ કરી જેને સીજેઆઇ ચંદ્રચૂડે પાછલી સુનાવણીમાં કહ્યું હતું કે સંરક્ષણને લઇને નવી બેન્ચ બનાવવી પડશે.




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.