જ્ઞાનવાપી મસ્જિદ મુદે્ સુપ્રીમનો મોટો ચુકાદો, શિવલિંગ રહેશે સંરક્ષિત નહીં કરી શકાય કોઈ છેડછાડ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-11 18:09:08


વારાણસીનો જ્ઞાનવાપી મામલાનો આજે મહત્વપૂર્ણ  દિવસ છે આ મુદે સુપ્રીમ કોર્ટે આગામી આદેશ સુધી શિવલિંગનું સંરક્ષણ કરવાનો આદેશ આપ્યો છે અને સાથે જ કોઇ શિવલિંગને છુપાવે નહીં તેવી વાત પણ કરી છે. આ પહેલા કોર્ટે 12 નવેમ્બર સુધી વજુખાનાનાં સંરક્ષણ માટેનો આદેશ આપ્યો હતો. અલ્હાબાદ કોર્ટ જ્ઞાનવાપી પરિસરનાં ASI સર્વે કરાવવાની માંગ પર હવે 28 નવેમ્બરનાં રોજ સુનાવણી કરશે. 


અદાલતે શું કર્યો આદેશ ?

દેશની સર્વોચ્ચ અદાલતે જ્ઞાનવાપી પરિસરમાં મળી આવેલ શિવલિંગ જેવી રચનાનું સંરક્ષણ કરવા સંબંધિત આદેશને આગળ વધારવાની માંગ પર સુનાવણી કરી તો બીજી તરફ હાઇકોર્ટની નીચલી અદાલતમાં આપવામાં આવેલ સર્વેક્ષણનાં આદેશનાં વિરુદ્ધમાં સુનાવણી થઇ. સુપ્રીમ કોર્ટે અરજદારોને છૂટ આપી છે કે તે જિલ્લા કોર્ટમાં પણ જઇ શકે છે. આ સાથે જ કોર્ટ હિન્દૂ પક્ષને પોતાના પક્ષ તરીકે રાખવા માટે 3 અઠવાડિયાનો સમય આપ્યો છે.


સુપ્રીમ કોર્ટમાં હિન્દુ પક્ષ પહોંચ્યો !

સુપ્રીમ કોર્ટે વારાણસીનાં જ્ઞાનવાપી મસ્જિદમાં મળેવ કથિત શિવલિંગને સંરક્ષિત કરવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ 12 નવેમ્બરનાં પૂર્ણ થઇ રહ્યો છે. તેવામાં હિન્દૂ પક્ષ સુપ્રીમ કોર્ટ પહોંચ્યું અને શિવલિંગને સંરક્ષિત રાખવાનાં અંતિમ આદેશને આગળ વધારવાની માંગ કરી જેને સીજેઆઇ ચંદ્રચૂડે પાછલી સુનાવણીમાં કહ્યું હતું કે સંરક્ષણને લઇને નવી બેન્ચ બનાવવી પડશે.




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.