જ્ઞાનવાપી મસ્જિદ મુદે્ સુપ્રીમનો મોટો ચુકાદો, શિવલિંગ રહેશે સંરક્ષિત નહીં કરી શકાય કોઈ છેડછાડ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-11 18:09:08


વારાણસીનો જ્ઞાનવાપી મામલાનો આજે મહત્વપૂર્ણ  દિવસ છે આ મુદે સુપ્રીમ કોર્ટે આગામી આદેશ સુધી શિવલિંગનું સંરક્ષણ કરવાનો આદેશ આપ્યો છે અને સાથે જ કોઇ શિવલિંગને છુપાવે નહીં તેવી વાત પણ કરી છે. આ પહેલા કોર્ટે 12 નવેમ્બર સુધી વજુખાનાનાં સંરક્ષણ માટેનો આદેશ આપ્યો હતો. અલ્હાબાદ કોર્ટ જ્ઞાનવાપી પરિસરનાં ASI સર્વે કરાવવાની માંગ પર હવે 28 નવેમ્બરનાં રોજ સુનાવણી કરશે. 


અદાલતે શું કર્યો આદેશ ?

દેશની સર્વોચ્ચ અદાલતે જ્ઞાનવાપી પરિસરમાં મળી આવેલ શિવલિંગ જેવી રચનાનું સંરક્ષણ કરવા સંબંધિત આદેશને આગળ વધારવાની માંગ પર સુનાવણી કરી તો બીજી તરફ હાઇકોર્ટની નીચલી અદાલતમાં આપવામાં આવેલ સર્વેક્ષણનાં આદેશનાં વિરુદ્ધમાં સુનાવણી થઇ. સુપ્રીમ કોર્ટે અરજદારોને છૂટ આપી છે કે તે જિલ્લા કોર્ટમાં પણ જઇ શકે છે. આ સાથે જ કોર્ટ હિન્દૂ પક્ષને પોતાના પક્ષ તરીકે રાખવા માટે 3 અઠવાડિયાનો સમય આપ્યો છે.


સુપ્રીમ કોર્ટમાં હિન્દુ પક્ષ પહોંચ્યો !

સુપ્રીમ કોર્ટે વારાણસીનાં જ્ઞાનવાપી મસ્જિદમાં મળેવ કથિત શિવલિંગને સંરક્ષિત કરવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ 12 નવેમ્બરનાં પૂર્ણ થઇ રહ્યો છે. તેવામાં હિન્દૂ પક્ષ સુપ્રીમ કોર્ટ પહોંચ્યું અને શિવલિંગને સંરક્ષિત રાખવાનાં અંતિમ આદેશને આગળ વધારવાની માંગ કરી જેને સીજેઆઇ ચંદ્રચૂડે પાછલી સુનાવણીમાં કહ્યું હતું કે સંરક્ષણને લઇને નવી બેન્ચ બનાવવી પડશે.




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.