ગો ફર્સ્ટ એરલાઈન નાદાર થશે, NCLTએ આપી મંજૂરી, 19 મે સુધી તમામ ફ્લાઇટ્સ રદ


  • Published By :
  • Published Date : 2023-05-10 14:23:02

દેવાળું ફૂંકવાને આરે આવેલી ગો ફર્સ્ટ એરલાઈન્સની નાદારીની અરજી નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલ એટલે કે NCLTએ સ્વિકારી લીધી છે. ગો ફર્સ્ટએ 4 મેના રોજ અરજી કરી હતી. આ જ કારણે એરલાઈને તેની તમામ ફ્લાઈટ 19 મે સુધી કેન્સલ કરી દીધી છે. નાદારીની પ્રક્રિયા અંગે સુનાવણી સરૂ થવાની હોવાથી કંપનીના મેનેજમેન્ટ અને બોર્ડ ઓફ ડાયરેક્ટર્સને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. NCLTએ ગો ફર્સ્ટના સંચાલન માટે માટે અભિલાષ લાલની ઈન્ટરિમ રિઝોલ્યુશન પ્રોફેશનલ તરીકે નિમણુક કરી છે. હવે ગો ફર્સ્ટના બોર્ડને નિયમિત ખર્ચ માટે 5 કરોડ રૂપિયા પણ જમા કરાવવા પડશે. 


કર્મચારીઓને મોટી રાહત


NCLTએ કહ્યું છે કે ગો ફર્સ્ટના કર્મચારીઓની છટણી કરવામાં આવશે નહીં, આ નિર્ણય બાદ સાત હજાર કર્મચારીઓને મોટી રાહત મળી છે. તેમની પર લટકી રહેલી છટણીની તલવાર હાલ તો દુર થઈ છે. અત્રે ઉલ્લેખનિય છે કે કંપની પર લગભગ 6,521 કરોડ રૂપિયાનું દેવું છે. કોર્ટના આ નિર્ણય બાદ તેને રિવાઈવલ પ્લાન ને તૈયાર કરવા માટે સમય મળશે. 


મુસાફરોને રિફંડ મળશે?


ગો ફર્સ્ટ એરલાઈનની ઉડાનોને રદ્દ કરી દેવામાં આવી છે, જ્યારે જે લોકોએ ગો ફર્સ્ટમાં ટિકિટ બુક કરાવી હતી તેમનું રિફંડ પણ અત્યાર સુધી ફસાયેલું છે. ડીજીસીએએ યાત્રિકોના પૈસા વહેલામાં વહેલી  તકે પરત કરવાનો આદેશ આપ્યો છે. પરંતું આ અંગે એરલાઈને કોઈ કાર્યવાહી કરી નથી. મોટાભાગના મુસાફરો હજુ સુધી રિફંડની રાહ જોઈ રહ્યા છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.