ગો ફર્સ્ટ એરલાઈન નાદાર થશે, NCLTએ આપી મંજૂરી, 19 મે સુધી તમામ ફ્લાઇટ્સ રદ


  • Published By :
  • Published Date : 2023-05-10 14:23:02

દેવાળું ફૂંકવાને આરે આવેલી ગો ફર્સ્ટ એરલાઈન્સની નાદારીની અરજી નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલ એટલે કે NCLTએ સ્વિકારી લીધી છે. ગો ફર્સ્ટએ 4 મેના રોજ અરજી કરી હતી. આ જ કારણે એરલાઈને તેની તમામ ફ્લાઈટ 19 મે સુધી કેન્સલ કરી દીધી છે. નાદારીની પ્રક્રિયા અંગે સુનાવણી સરૂ થવાની હોવાથી કંપનીના મેનેજમેન્ટ અને બોર્ડ ઓફ ડાયરેક્ટર્સને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. NCLTએ ગો ફર્સ્ટના સંચાલન માટે માટે અભિલાષ લાલની ઈન્ટરિમ રિઝોલ્યુશન પ્રોફેશનલ તરીકે નિમણુક કરી છે. હવે ગો ફર્સ્ટના બોર્ડને નિયમિત ખર્ચ માટે 5 કરોડ રૂપિયા પણ જમા કરાવવા પડશે. 


કર્મચારીઓને મોટી રાહત


NCLTએ કહ્યું છે કે ગો ફર્સ્ટના કર્મચારીઓની છટણી કરવામાં આવશે નહીં, આ નિર્ણય બાદ સાત હજાર કર્મચારીઓને મોટી રાહત મળી છે. તેમની પર લટકી રહેલી છટણીની તલવાર હાલ તો દુર થઈ છે. અત્રે ઉલ્લેખનિય છે કે કંપની પર લગભગ 6,521 કરોડ રૂપિયાનું દેવું છે. કોર્ટના આ નિર્ણય બાદ તેને રિવાઈવલ પ્લાન ને તૈયાર કરવા માટે સમય મળશે. 


મુસાફરોને રિફંડ મળશે?


ગો ફર્સ્ટ એરલાઈનની ઉડાનોને રદ્દ કરી દેવામાં આવી છે, જ્યારે જે લોકોએ ગો ફર્સ્ટમાં ટિકિટ બુક કરાવી હતી તેમનું રિફંડ પણ અત્યાર સુધી ફસાયેલું છે. ડીજીસીએએ યાત્રિકોના પૈસા વહેલામાં વહેલી  તકે પરત કરવાનો આદેશ આપ્યો છે. પરંતું આ અંગે એરલાઈને કોઈ કાર્યવાહી કરી નથી. મોટાભાગના મુસાફરો હજુ સુધી રિફંડની રાહ જોઈ રહ્યા છે.  



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.