ગો ફર્સ્ટ એરલાઈન નાદાર થશે, NCLTએ આપી મંજૂરી, 19 મે સુધી તમામ ફ્લાઇટ્સ રદ


  • Published By :
  • Published Date : 2023-05-10 14:23:02

દેવાળું ફૂંકવાને આરે આવેલી ગો ફર્સ્ટ એરલાઈન્સની નાદારીની અરજી નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલ એટલે કે NCLTએ સ્વિકારી લીધી છે. ગો ફર્સ્ટએ 4 મેના રોજ અરજી કરી હતી. આ જ કારણે એરલાઈને તેની તમામ ફ્લાઈટ 19 મે સુધી કેન્સલ કરી દીધી છે. નાદારીની પ્રક્રિયા અંગે સુનાવણી સરૂ થવાની હોવાથી કંપનીના મેનેજમેન્ટ અને બોર્ડ ઓફ ડાયરેક્ટર્સને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. NCLTએ ગો ફર્સ્ટના સંચાલન માટે માટે અભિલાષ લાલની ઈન્ટરિમ રિઝોલ્યુશન પ્રોફેશનલ તરીકે નિમણુક કરી છે. હવે ગો ફર્સ્ટના બોર્ડને નિયમિત ખર્ચ માટે 5 કરોડ રૂપિયા પણ જમા કરાવવા પડશે. 


કર્મચારીઓને મોટી રાહત


NCLTએ કહ્યું છે કે ગો ફર્સ્ટના કર્મચારીઓની છટણી કરવામાં આવશે નહીં, આ નિર્ણય બાદ સાત હજાર કર્મચારીઓને મોટી રાહત મળી છે. તેમની પર લટકી રહેલી છટણીની તલવાર હાલ તો દુર થઈ છે. અત્રે ઉલ્લેખનિય છે કે કંપની પર લગભગ 6,521 કરોડ રૂપિયાનું દેવું છે. કોર્ટના આ નિર્ણય બાદ તેને રિવાઈવલ પ્લાન ને તૈયાર કરવા માટે સમય મળશે. 


મુસાફરોને રિફંડ મળશે?


ગો ફર્સ્ટ એરલાઈનની ઉડાનોને રદ્દ કરી દેવામાં આવી છે, જ્યારે જે લોકોએ ગો ફર્સ્ટમાં ટિકિટ બુક કરાવી હતી તેમનું રિફંડ પણ અત્યાર સુધી ફસાયેલું છે. ડીજીસીએએ યાત્રિકોના પૈસા વહેલામાં વહેલી  તકે પરત કરવાનો આદેશ આપ્યો છે. પરંતું આ અંગે એરલાઈને કોઈ કાર્યવાહી કરી નથી. મોટાભાગના મુસાફરો હજુ સુધી રિફંડની રાહ જોઈ રહ્યા છે.  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.